ઘરની છત અને નળીયા હવામાં ઉડી શકે છે
2 નંબરનું સિગ્નલ હટાવી સીધું 9 નંબરનું લગાવાયું, GMB પોર્ટ ઓફિસર કે.વી. વસાવા
170 થી 185 KM ની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની દહેશતને લઈ સ્થિતિ ગંભીર બની શકે
વાગરા, જંબુસર, હાંસોટના દરિયા કાંઠાના 23 ગામોના 2764 લોકોનું સોમવાર સવાર સુધી સલામત સ્થળે સ્થળાંતર
વાગરા, પાલેજ અને આમોદમાં જ વીજ કંપનીના HT લાઈનના 170 થાંભલા તૂટી પડ્યા
47 ગામોમાં વીજ પુરવઠો ઠપ, 200 થી વધુ વૃક્ષો અને ડાળી-ડાળખા તૂટ્યા
કેળ, કેરી, પપૈયા સહિતના ખેતરમાં ઉભા પાકોનો કેટલાય સ્થળે સોથ વળી ગયો
ભરૂચ-દહેજ ગુડ્ઝ ટ્રેનનું ઓપરેશન બંધ, 5 જેટી ઉપર પણ કામગીરી બંધ કરાઈ
3 દિવસમાં દરિયામાં 2 થી 3 મીટરના મોજા ઉછળવાની શકયતા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
WatchGujarat. તૌકતે વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધવા સાથે તેની તુફાની અસર ભરૂચ જિલ્લાના 122 કિલોમીટર લાંબા દરિયા કાંઠે પણ વધી રહી છે. સોમવારે સવારે કાંઠા વિસ્તાર સહિત ભરૂચ જિલ્લામાં પ્રતિ કલાકે સરેરાશ 22 થી 35 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં દહેજ બંદરે પ્રથમ વખત 9 નંબરનું ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાડી દેવામાં આવ્યું હોવાનું ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) ના અધિકારી કે.વી. વસાવા એ જણાવ્યું હતું. ગ્રેટ ડેન્જર સિગ્નલનો સંકેત આપતું 9 નંબરના સિગ્નલથી દરિયા કાંઠે 75 થી 88 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની દહેશત રહેલી છે. સાથે જ આ સિગ્નલ મુજબ ઘરની છત અને નળીયા હવામાં ઉડવા લાગે છે.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ તરફથી મળતી માહિતી મુજબ સોમવારે સવારે 10 કલાક સુધીમાં વાવાઝોડા ની સ્થિતિ વચ્ચે એલર્ટ કરાયેલા વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના 30 ગામો પૈકી 23 ગામોમાંથી 2764 લોકોને સલામત સ્થળે સેલ્ટર હાઉસમાં ખસેડી લેવામાં આવ્યા છે. વાવાઝોડાની આગામી 3 દિવસની આગાહી અને અરબી સમુદ્રમાં આગળ વધતા જોઈ હજી પણ સ્થળાંન્ટરનો આંકડો વધી શકે છે.
દરમિયાન સોમવારે તૌકતે ની અસરને લઈ વાગરા, પાલેજ અને આમોદમાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 170 હાઈ ટેનશન (HT) લાઈનના થાંભલા તૂટી પડ્યા હોવાનું DGVCL ના SE જે.એસ.કેદારીયા એ માહિતી આપી છે. જેના કારણે ઓવરહેડ વીજ લાઈનો ક્ષતિગ્રસ્ત થતા 45 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જે પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
દહેજમાં આવેલી LNG પેટ્રોનેટ, અદાની, GCPTCL, GMB port સહિતની 5 જેટીઓએ તમામ ઓપરેશન બંધ કરી દેવાયું છે. કાંઠા વિસ્તાર, પોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 108 ને પણ મેડિકલ ઇમરજન્સી માટે સોમવારે સવારે 7 વાગ્યાથી મૂકી દેવાઈ છે.
રવિવારે વાવાઝોડા અને વરસાદ બાદ સોમવારે સવારથી સમગ્ર ભરૂચ જિલ્લામાં તેજગતિએ ફૂંકાતા પવનોને કારણે વૃક્ષો, ડાળી, ડાળખા તૂટી પડવાના નાના મોટા 200 થી વધુ બનાવો બન્યાં છે, જે તમામ ને ફોરેસ્ટ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા હટાવી લઈ જ્યાં બ્લોક થયેલા રસ્તાઓ પણ ખુલ્લા કરવાની કામગીરી આટોપી લેવાઈ છે. રેલવે દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે દહેજ-ભરૂચ ગુડ્ઝ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.
આગામી 3 દિવસમાં ભરૂચમાં 150 થી 187 KM ની ઝડપે વાવાઝોડું અને ભારે થી અતિભારે વરસાદની આગાહી
IMD દ્વારા તૌકતે ને લઈ અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સ્થિતિ વચ્ચે આગળ વધતા વાવાઝોડાને લઈ ભરૂચના દરિયામાં 150 થી 187 કિલોમીટરની ઝડપે સોમવારથી 3 દિવસમાં વાવાઝોડું ફૂંકવાનો ખતરો વ્યક્ત કરાયો છે. સાથે જ દરિયામાં 2 થી 3 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જેને લઈ કાચા મકાનો, વૃક્ષો, વીજ પોલ અને લાઈનો તેમજ નળીયા, પતરાવાળા મકાનોને ભારે અસર પોહચી શકે છે. ખેતીમાં કેળ, કેરી, પપૈયા સહિતને રવિવારથી જ કેટલાય વિસ્તારોમાં અસર પહોંચી હતી. જેમાં ઉભા પાકનો કેટલાય સ્થળે સોથ વળી ગયો છે.
ભરૂચ-દહેજ ગુડ્ઝ ટ્રેનનું ઓપરેશન બંધ, 5 જેટી ઉપર પણ કામગીરી બંધ કરાઈ
3 દિવસમાં દરિયામાં 2 થી 3 મીટરના મોજા ઉછળવાની શકયતા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
WatchGujarat. તૌકતે વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધવા સાથે તેની તુફાની અસર ભરૂચ જિલ્લાના 122 કિલોમીટર લાંબા દરિયા કાંઠે પણ વધી રહી છે. સોમવારે સવારે કાંઠા વિસ્તાર સહિત ભરૂચ જિલ્લામાં પ્રતિ કલાકે સરેરાશ 22 થી 35 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં દહેજ બંદરે પ્રથમ વખત 9 નંબરનું ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાડી દેવામાં આવ્યું હોવાનું ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) ના અધિકારી કે.વી. વસાવા એ જણાવ્યું હતું. ગ્રેટ ડેન્જર સિગ્નલનો સંકેત આપતું 9 નંબરના સિગ્નલથી દરિયા કાંઠે 75 થી 88 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની દહેશત રહેલી છે. સાથે જ આ સિગ્નલ મુજબ ઘરની છત અને નળીયા હવામાં ઉડવા લાગે છે.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ તરફથી મળતી માહિતી મુજબ સોમવારે સવારે 10 કલાક સુધીમાં વાવાઝોડા ની સ્થિતિ વચ્ચે એલર્ટ કરાયેલા વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના 30 ગામો પૈકી 23 ગામોમાંથી 2764 લોકોને સલામત સ્થળે સેલ્ટર હાઉસમાં ખસેડી લેવામાં આવ્યા છે. વાવાઝોડાની આગામી 3 દિવસની આગાહી અને અરબી સમુદ્રમાં આગળ વધતા જોઈ હજી પણ સ્થળાંન્ટરનો આંકડો વધી શકે છે.
દરમિયાન સોમવારે તૌકતે ની અસરને લઈ વાગરા, પાલેજ અને આમોદમાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 170 હાઈ ટેનશન (HT) લાઈનના થાંભલા તૂટી પડ્યા હોવાનું DGVCL ના SE જે.એસ.કેદારીયા એ માહિતી આપી છે. જેના કારણે ઓવરહેડ વીજ લાઈનો ક્ષતિગ્રસ્ત થતા 45 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જે પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
દહેજમાં આવેલી LNG પેટ્રોનેટ, અદાની, GCPTCL, GMB port સહિતની 5 જેટીઓએ તમામ ઓપરેશન બંધ કરી દેવાયું છે. કાંઠા વિસ્તાર, પોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 108 ને પણ મેડિકલ ઇમરજન્સી માટે સોમવારે સવારે 7 વાગ્યાથી મૂકી દેવાઈ છે.
રવિવારે વાવાઝોડા અને વરસાદ બાદ સોમવારે સવારથી સમગ્ર ભરૂચ જિલ્લામાં તેજગતિએ ફૂંકાતા પવનોને કારણે વૃક્ષો, ડાળી, ડાળખા તૂટી પડવાના નાના મોટા 200 થી વધુ બનાવો બન્યાં છે, જે તમામ ને ફોરેસ્ટ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા હટાવી લઈ જ્યાં બ્લોક થયેલા રસ્તાઓ પણ ખુલ્લા કરવાની કામગીરી આટોપી લેવાઈ છે. રેલવે દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે દહેજ-ભરૂચ ગુડ્ઝ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.
આગામી 3 દિવસમાં ભરૂચમાં 150 થી 187 KM ની ઝડપે વાવાઝોડું અને ભારે થી અતિભારે વરસાદની આગાહી
IMD દ્વારા તૌકતે ને લઈ અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સ્થિતિ વચ્ચે આગળ વધતા વાવાઝોડાને લઈ ભરૂચના દરિયામાં 150 થી 187 કિલોમીટરની ઝડપે સોમવારથી 3 દિવસમાં વાવાઝોડું ફૂંકવાનો ખતરો વ્યક્ત કરાયો છે. સાથે જ દરિયામાં 2 થી 3 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જેને લઈ કાચા મકાનો, વૃક્ષો, વીજ પોલ અને લાઈનો તેમજ નળીયા, પતરાવાળા મકાનોને ભારે અસર પોહચી શકે છે. ખેતીમાં કેળ, કેરી, પપૈયા સહિતને રવિવારથી જ કેટલાય વિસ્તારોમાં અસર પહોંચી હતી. જેમાં ઉભા પાકનો કેટલાય સ્થળે સોથ વળી ગયો છે.