ભરૂચમાં દીકરીઓને હંમેશા પુત્રની જેમ ઉછેરનાર પિતાને અગ્નિદાહ આપી સમાજને ચીંધ્યો નવો રાહ
અગાઉ કોવિડ સ્મશાનમાં દોઢ વર્ષે નાગપુરથી મળવા આવેલી પુત્રી પિતાનું મુખ પણ ન જોઈ શકતા હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા
12 કલાકમાં જ 10 મૃતદેહોના કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ, અત્યાર સુધી 552 કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા
ખાનગી હોસ્પિટલોમાં 200 થી 300 દર્દીઓ રોજ કોરોનાગ્રસ્ત આવી રહ્યા છે. જેઓ માટે હવે બેડ, વેન્ટિલેટર, રેમીડિસીવેર ઇન્જેક્શન પણ ખૂટી રહ્યા છે
WatchGujarat. ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે, સત્તાવાર રોજ 25 થી 30 કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે બિન સત્તાવાર રોજના 200 થી 300 કેસ ખાનગી હોસ્પિટલોમાં આવી રહ્યા છે. બીજી તરફ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની સંખ્યા પણ ચિંતાજનક વધી રહી છે.
https://youtu.be/3syZbbkXI-I
કોવિડ સ્મશાનમાં મંગળવારે હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આગાઉ નાગપુર રહેતી પુત્રી દોઢ વર્ષથી પિતાને મળી શકી ન હતી. જોકે પિતા કોરોનાની ચપેટમાં આવતા તેમને મળવા દોડી આવેલી પુત્રીને પિતાનું મૃત્યુ થતા અંતિમ દર્શન પણ કરવા મળ્યા ન હતા.
મંગળવારે કોવિડ સ્મશાનમાં 71 વર્ષના પિતાનું કોરોનાથી મૃત્યુ થતા 2 દિકરીઓએ અગ્નિદાહ આપી તમામ વિધિ કરી દીકરાની ગરજ સારવા સાથે સમાજને રાહ ચીંધ્યો હતો. ભરૂચના હિતેશનગરમાં રહેતા ધનસુખભાઈ ચુનીલાલ મીઠાઈવાલા ઉ.વ. 71 ગત 4 એપ્રિલે કોરોના સંક્રમિત થતા ડો. દુષ્યંત વરિયાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓનું મંગળવારે મૃત્યુ થયું હતું.
તેઓને સંતાનમાં 2 દિકરી જ હતી. બન્ને દીકરી PPE કીટ પહેરી કોવિડ સ્મશાનમાં પિતાના મૃતદેહ સાથે પહોંચી હતી. પિતાને અગ્નિદાહ આપી બન્નેએ પોતાની ફરજ નિભાવી હતી. બન્ને દિકરીઓમાં 40 વર્ષીય મૈત્રી બુચ પરણિત છે. જ્યારે નાની દીકરી જાનકી મીઠાઈવાલા ના હજી લગ્ન થયા નથી.
જાનકીએ પિતાના અગ્નિસંસ્કાર કર્યા બાદ કહ્યું હતું કે, અમારા પિતાએ કદી દીકરા-દીકરીનો ભેદ રાખ્યો ન હતો. મોટા થઇ સમાજમાં આવતા જ પુત્ર-પુત્રી વચ્ચે ભેદ હોય તેની સમજે સમજ આપી હતી. અમને અમારા પિતાએ દીકરા તરીકે જ ઉછેરી, ભણાવી, ગણાવી અને લાલન-પાલન કર્યું હોય આજે તેમના અંતિમ સંસ્કાર કરી અમે અમારી સંતાનની ફરજ નિભાવી છે. સમાજમાં દીકરી અને દીકરા વચ્ચે અંતર રાખતા લોકો માટે આ કિસ્સો કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે પણ એક સારો સંદેશ આપી જાય છે.
બીજી તરફ ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હોય તેમ દિવસે દિવસે સ્થિતિ કફોડી બની રહી છે. કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સોમવારે રાતે 3 થી મંગળવારના બપોરે 3 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવ 10 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવ્યા છે. અત્યાર સુધીમાં કોવિડ સ્મશાનમાં 552 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
જે ભરૂચમાં કોરોનાની ભયાવહ સ્થિતિનો ચિતાર આપે છે. તંત્ર દ્વારા કોરોનાના જાહેર કરાતા રોજે રોજના આંકડા વચ્ચે સ્થિતિ વધુ બિહામણી છે. ખાનગી હોસ્પિટલોમાં 200 થી 300 દર્દીઓ રોજ કોરોનાગ્રસ્ત આવી રહ્યા છે. જેઓ માટે હવે બેડ, વેન્ટિલેટર, રેમીડિસીવેર ઇન્જેક્શન પણ ખૂટી રહ્યા છે.
ભરૂચમાં દીકરીઓને હંમેશા પુત્રની જેમ ઉછેરનાર પિતાને અગ્નિદાહ આપી સમાજને ચીંધ્યો નવો રાહ
અગાઉ કોવિડ સ્મશાનમાં દોઢ વર્ષે નાગપુરથી મળવા આવેલી પુત્રી પિતાનું મુખ પણ ન જોઈ શકતા હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા
12 કલાકમાં જ 10 મૃતદેહોના કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ, અત્યાર સુધી 552 કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા
ખાનગી હોસ્પિટલોમાં 200 થી 300 દર્દીઓ રોજ કોરોનાગ્રસ્ત આવી રહ્યા છે. જેઓ માટે હવે બેડ, વેન્ટિલેટર, રેમીડિસીવેર ઇન્જેક્શન પણ ખૂટી રહ્યા છે
WatchGujarat. ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે, સત્તાવાર રોજ 25 થી 30 કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે બિન સત્તાવાર રોજના 200 થી 300 કેસ ખાનગી હોસ્પિટલોમાં આવી રહ્યા છે. બીજી તરફ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની સંખ્યા પણ ચિંતાજનક વધી રહી છે.
કોવિડ સ્મશાનમાં મંગળવારે હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આગાઉ નાગપુર રહેતી પુત્રી દોઢ વર્ષથી પિતાને મળી શકી ન હતી. જોકે પિતા કોરોનાની ચપેટમાં આવતા તેમને મળવા દોડી આવેલી પુત્રીને પિતાનું મૃત્યુ થતા અંતિમ દર્શન પણ કરવા મળ્યા ન હતા.
મંગળવારે કોવિડ સ્મશાનમાં 71 વર્ષના પિતાનું કોરોનાથી મૃત્યુ થતા 2 દિકરીઓએ અગ્નિદાહ આપી તમામ વિધિ કરી દીકરાની ગરજ સારવા સાથે સમાજને રાહ ચીંધ્યો હતો. ભરૂચના હિતેશનગરમાં રહેતા ધનસુખભાઈ ચુનીલાલ મીઠાઈવાલા ઉ.વ. 71 ગત 4 એપ્રિલે કોરોના સંક્રમિત થતા ડો. દુષ્યંત વરિયાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓનું મંગળવારે મૃત્યુ થયું હતું.
તેઓને સંતાનમાં 2 દિકરી જ હતી. બન્ને દીકરી PPE કીટ પહેરી કોવિડ સ્મશાનમાં પિતાના મૃતદેહ સાથે પહોંચી હતી. પિતાને અગ્નિદાહ આપી બન્નેએ પોતાની ફરજ નિભાવી હતી. બન્ને દિકરીઓમાં 40 વર્ષીય મૈત્રી બુચ પરણિત છે. જ્યારે નાની દીકરી જાનકી મીઠાઈવાલા ના હજી લગ્ન થયા નથી.
જાનકીએ પિતાના અગ્નિસંસ્કાર કર્યા બાદ કહ્યું હતું કે, અમારા પિતાએ કદી દીકરા-દીકરીનો ભેદ રાખ્યો ન હતો. મોટા થઇ સમાજમાં આવતા જ પુત્ર-પુત્રી વચ્ચે ભેદ હોય તેની સમજે સમજ આપી હતી. અમને અમારા પિતાએ દીકરા તરીકે જ ઉછેરી, ભણાવી, ગણાવી અને લાલન-પાલન કર્યું હોય આજે તેમના અંતિમ સંસ્કાર કરી અમે અમારી સંતાનની ફરજ નિભાવી છે. સમાજમાં દીકરી અને દીકરા વચ્ચે અંતર રાખતા લોકો માટે આ કિસ્સો કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે પણ એક સારો સંદેશ આપી જાય છે.
બીજી તરફ ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હોય તેમ દિવસે દિવસે સ્થિતિ કફોડી બની રહી છે. કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સોમવારે રાતે 3 થી મંગળવારના બપોરે 3 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવ 10 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવ્યા છે. અત્યાર સુધીમાં કોવિડ સ્મશાનમાં 552 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
જે ભરૂચમાં કોરોનાની ભયાવહ સ્થિતિનો ચિતાર આપે છે. તંત્ર દ્વારા કોરોનાના જાહેર કરાતા રોજે રોજના આંકડા વચ્ચે સ્થિતિ વધુ બિહામણી છે. ખાનગી હોસ્પિટલોમાં 200 થી 300 દર્દીઓ રોજ કોરોનાગ્રસ્ત આવી રહ્યા છે. જેઓ માટે હવે બેડ, વેન્ટિલેટર, રેમીડિસીવેર ઇન્જેક્શન પણ ખૂટી રહ્યા છે.