કેવડિયા ખાતે સૈન્યની ત્રણે પાંખો તથા નેશનલ સિક્યુરીટી એડવાઇઝરની મહત્વની કોન્ફરન્સનું આયોજન
પ્રધાનમંત્રી મોદી 6 માર્ચના રોજ કાર્યક્રમમાં હાજર રહેશે
કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દેશના રક્ષામંત્રી શુક્રવારે સવારે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા
સંરક્ષણ મંત્રી પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં યોજાયેલી ભારતીય સેનાની ચાવીરૂપ પરિષદમાં ભાગ લેવા કેવડીયા આવ્યા
WatchGujarat. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન અગાઉ થયું હતું. ત્યારે 4 – 6 માર્ચ દરમિયાન કેવડિયા ટેન્ટ સીટી ખાતે આર્મી, નેવી, એરફોર્સની ટોપ કમાન્ડર કોન્ફરન્સનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગતરોજથી પ્રારંભ થયો હતો. 6 માર્ચના રોજ તેના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
નર્મદા જિલ્લામાં આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સને પગલે તાડમાર તૈયારીઓ કરવામાં આવી હતી. અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટેન્ટ સિટી – ૨ માં યોજાઈ રહેલી કોન્ફરન્સ દરમિયાન નેવી, આર્મી, હવાઈ સેનાના ચીફ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. 6 માર્ચના દિવસે પૂર્ણાહુતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે.
કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દેશના સંરક્ષણ મંત્રી શુક્રવારે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ભારતીય વાયુદળના વડોદરા વિમાની મથકે આવી પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહ અને ભારતીય વાયુ સેનાના ઉચ્ચ અધિકારીઓએ સંરક્ષણ મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ખાસ વાત છે કે, સંરક્ષણ મંત્રી ભારતીય વાયુ સેનાના વિમાનમાં આવ્યા હતા. અને ટૂંકા રોકાણ બાદ સેના હેલિકોપ્ટર દ્વારા કેવડીયા જવા રવાના થયા હતા. સંરક્ષણ મંત્રી પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં યોજાયેલી ભારતીય સેનાની ચાવીરૂપ પરિષદમાં ભાગ લેવા કેવડીયા આવ્યા છે.
કેવડિયા ખાતે સૈન્યની ત્રણે પાંખો તથા નેશનલ સિક્યુરીટી એડવાઇઝરની મહત્વની કોન્ફરન્સનું આયોજન
પ્રધાનમંત્રી મોદી 6 માર્ચના રોજ કાર્યક્રમમાં હાજર રહેશે
કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દેશના રક્ષામંત્રી શુક્રવારે સવારે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા
સંરક્ષણ મંત્રી પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં યોજાયેલી ભારતીય સેનાની ચાવીરૂપ પરિષદમાં ભાગ લેવા કેવડીયા આવ્યા
WatchGujarat. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન અગાઉ થયું હતું. ત્યારે 4 – 6 માર્ચ દરમિયાન કેવડિયા ટેન્ટ સીટી ખાતે આર્મી, નેવી, એરફોર્સની ટોપ કમાન્ડર કોન્ફરન્સનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગતરોજથી પ્રારંભ થયો હતો. 6 માર્ચના રોજ તેના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
નર્મદા જિલ્લામાં આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સને પગલે તાડમાર તૈયારીઓ કરવામાં આવી હતી. અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ટેન્ટ સિટી – ૨ માં યોજાઈ રહેલી કોન્ફરન્સ દરમિયાન નેવી, આર્મી, હવાઈ સેનાના ચીફ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. 6 માર્ચના દિવસે પૂર્ણાહુતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે.
કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દેશના સંરક્ષણ મંત્રી શુક્રવારે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ભારતીય વાયુદળના વડોદરા વિમાની મથકે આવી પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહ અને ભારતીય વાયુ સેનાના ઉચ્ચ અધિકારીઓએ સંરક્ષણ મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ખાસ વાત છે કે, સંરક્ષણ મંત્રી ભારતીય વાયુ સેનાના વિમાનમાં આવ્યા હતા. અને ટૂંકા રોકાણ બાદ સેના હેલિકોપ્ટર દ્વારા કેવડીયા જવા રવાના થયા હતા. સંરક્ષણ મંત્રી પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં યોજાયેલી ભારતીય સેનાની ચાવીરૂપ પરિષદમાં ભાગ લેવા કેવડીયા આવ્યા છે.