એમ. કે. નાયક 2006 ની બેચના IPS અધિકારી હતા
રાજ્યમાં પ્રથમ વખત કોરોનાથી સંક્રમીત થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યાની ઘટના સામે આવી
કોવિડ ગાઇડલાઇનના પાલનથી લઇને રાત્રી કર્ફ્યુની અમલવારી અને કન્ટેઇન્મેન્ટ ઝોનની દેખરેખ સુધીની કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બખુબી નિભાવવામાં આવી
લોકો સહકાર આપશે તો કોરોના પર કાબુ મેળવી શકાશે તેવો આશાવાદ ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી વડોદરા ખાતેની મીટીંગમાં વ્યક્ત કરી ચુક્યા છે
WatchGujarat. કોરોના કાળમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કોરોના વોરિયર્સની ભુમિકા ભજવી રહ્યા છે. દરમિયાન કોરોનાને કારણે રાજ્યભરમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ અનેક પોલીસ કર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગત રોજ વડોદરા આર્મ્સ યુનિટમાં તૈનાત DIG એમ કે. નાયક (IPS) નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નિપજ્યું હતું. જેને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી હતી. કોરોના સંક્રમણને કારણે કોઇ IPS અધિકારીનું મોત થયાની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે.
છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં કોરોનાને કારણે ભારે તારાજી સર્જાઇ છે. તબિબો કોરોનાના દર્દીઓની સારવારમાં દિવસ રાત એક કરતા જોવા મળી રહ્યા છે. તો કોવિડ ગાઇડલાઇનના પાલનથી લઇને રાત્રી કર્ફ્યુની અમલવારી અને કન્ટેઇન્મેન્ટ ઝોનની દેખરેખ સુધીની કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બખુબી નિભાવવામાં આવી હોવાનું આપણે સૌ જાણીએ છીએ. પરંતુ કામગીરી દરમિયાન પોલીસ અને તબિબિ સ્ટાફના કેટલાય કોરોના વોરીયર્સ કોરોનાથી સંક્રમીત થયા હતા. અને કેટલાંય વોરીયર્સે પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.
ઓગસ્ટ 2020 માં સરકાર દ્વારા 58 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં એમ. કે. નાયક (IPS) ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. એમ. કે. નાયક (IPS) ને કોરોનથી સંક્રમીત થયા તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ તેઓનું મોત નિપજ્યું હતું. સુત્રના જણાવ્યા પ્રમાણે, એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા. અને સારવાર દરમિયાન 12 માં દિવસે તેઓનું મોત નિપજ્યું હતું. કોરોના સંક્રમણને કારણે કોઇ IPS અધિકારીનું મોત થયાની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે.
નોંઘનીય છે કે, એમ. કે નાયકને થોડાક મહિના પૂર્વે જ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ( SP)થી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂંક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકને એન્જીયોપ્લાસ્ટી કરાવેલ હતી. સાથોસાથ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પિડાતા હતા.
ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં DYSPથી લઈને SP સુધીની સેવાઓ આપી ચુક્યા છે. અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના DCP તરીકે લાંબા સમય સુધી એમ. કે. નાયકે (IPS) સેવાઓ બજાવી હતી.
એમ. કે. નાયક (IPS) તાપી જિલ્લા પોલીસ વડા તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. સાબરમતી સેન્ટ્રલ જેલના SP તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. થોડા સમય પૂર્વે જ એમ. કે. નાયક માતાનું તેમના વતન પાટણ ખાતે નિધન થયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કોઇનો છોડતો નથી. લોકોએ કોવિડ ગાઇડલાઇનના અમલ કરવાની સ્વયંભુ જવાબદારી પણ ઉઠાવવી પડશે. જો લોકો સહકાર આપશે તો કોરોના પર કાબુ મેળવી શકાશે તેવો આશાવાદ ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી વડોદરા ખાતેની મીટીંગમાં વ્યક્ત કરી ચુક્યા છે.
એમ. કે. નાયક 2006 ની બેચના IPS અધિકારી હતા
રાજ્યમાં પ્રથમ વખત કોરોનાથી સંક્રમીત થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યાની ઘટના સામે આવી
કોવિડ ગાઇડલાઇનના પાલનથી લઇને રાત્રી કર્ફ્યુની અમલવારી અને કન્ટેઇન્મેન્ટ ઝોનની દેખરેખ સુધીની કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બખુબી નિભાવવામાં આવી
લોકો સહકાર આપશે તો કોરોના પર કાબુ મેળવી શકાશે તેવો આશાવાદ ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી વડોદરા ખાતેની મીટીંગમાં વ્યક્ત કરી ચુક્યા છે
WatchGujarat. કોરોના કાળમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કોરોના વોરિયર્સની ભુમિકા ભજવી રહ્યા છે. દરમિયાન કોરોનાને કારણે રાજ્યભરમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ અનેક પોલીસ કર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગત રોજ વડોદરા આર્મ્સ યુનિટમાં તૈનાત DIG એમ કે. નાયક (IPS) નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નિપજ્યું હતું. જેને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી હતી. કોરોના સંક્રમણને કારણે કોઇ IPS અધિકારીનું મોત થયાની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે.
છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં કોરોનાને કારણે ભારે તારાજી સર્જાઇ છે. તબિબો કોરોનાના દર્દીઓની સારવારમાં દિવસ રાત એક કરતા જોવા મળી રહ્યા છે. તો કોવિડ ગાઇડલાઇનના પાલનથી લઇને રાત્રી કર્ફ્યુની અમલવારી અને કન્ટેઇન્મેન્ટ ઝોનની દેખરેખ સુધીની કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બખુબી નિભાવવામાં આવી હોવાનું આપણે સૌ જાણીએ છીએ. પરંતુ કામગીરી દરમિયાન પોલીસ અને તબિબિ સ્ટાફના કેટલાય કોરોના વોરીયર્સ કોરોનાથી સંક્રમીત થયા હતા. અને કેટલાંય વોરીયર્સે પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.
ઓગસ્ટ 2020 માં સરકાર દ્વારા 58 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં એમ. કે. નાયક (IPS) ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. એમ. કે. નાયક (IPS) ને કોરોનથી સંક્રમીત થયા તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ તેઓનું મોત નિપજ્યું હતું. સુત્રના જણાવ્યા પ્રમાણે, એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા. અને સારવાર દરમિયાન 12 માં દિવસે તેઓનું મોત નિપજ્યું હતું. કોરોના સંક્રમણને કારણે કોઇ IPS અધિકારીનું મોત થયાની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે.
નોંઘનીય છે કે, એમ. કે નાયકને થોડાક મહિના પૂર્વે જ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ( SP)થી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂંક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકને એન્જીયોપ્લાસ્ટી કરાવેલ હતી. સાથોસાથ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પિડાતા હતા.
ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં DYSPથી લઈને SP સુધીની સેવાઓ આપી ચુક્યા છે. અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના DCP તરીકે લાંબા સમય સુધી એમ. કે. નાયકે (IPS) સેવાઓ બજાવી હતી.
એમ. કે. નાયક (IPS) તાપી જિલ્લા પોલીસ વડા તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. સાબરમતી સેન્ટ્રલ જેલના SP તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. થોડા સમય પૂર્વે જ એમ. કે. નાયક માતાનું તેમના વતન પાટણ ખાતે નિધન થયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કોઇનો છોડતો નથી. લોકોએ કોવિડ ગાઇડલાઇનના અમલ કરવાની સ્વયંભુ જવાબદારી પણ ઉઠાવવી પડશે. જો લોકો સહકાર આપશે તો કોરોના પર કાબુ મેળવી શકાશે તેવો આશાવાદ ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી વડોદરા ખાતેની મીટીંગમાં વ્યક્ત કરી ચુક્યા છે.