શહેરને પાણી મળી રહે તે માટે આજવા સરોવર અને મહિસાગર નદીના જળસ્ત્રોત પર્યાપ્ત છે
સ્માર્ટ સીટીમાં વહીવટી તંત્રની કુશળતાના અભાવે લોકોને પાણી મામલે હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે
જેલ રોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું
WatchGujarat. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં વડોદરા સહિતના ત્રણ પ્રમુખ શહેરોનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ વડોદરામાં તંત્રની અણઘડ વહીવટને કારણે વધુ એક વખત પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. જેલરોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ફોર્સમાં પાણી રોડ પર રેલાયું હતું.
https://youtu.be/S-9ANgrxmX0
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્માર્ટ સીટી વડોદરામાં તંત્રના અણઘડ વહીવટના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે. ચુંટણી બાદ પણ ડોબા તંત્રના પાપે ફરી એક વખત પ્રજાએ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. રવિવારે જેલ રોડ ખાતેથી પસાર થતી પીવાના પાણીની લાઇનમાં મોટી ભંગાણ સર્જાયુ હતું. જેને લઇને ફુલ ફોર્સમાં પાણી જાહેર માર્ગ સુધી આવી ગયું હતુ. જોત જોતામાં તો ભંગાણ થકી બહાર આવતું પાણી છેક કાલાઘોડા સુધી રેલાયું હતું. જેને લઇને સ્થળ પરથી પસાર થતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પીવાના પાણીની સમસ્યા બહુ જુની છે. સત્તાપક્ષ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા બાદ પણ પ્રજાની સમસ્યા ઠેરની ઠેર છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ પાલીકા દ્વારા આપવામાં આવતું પાણી રંગીન છે અથવાતો વાસ મારતું આવે છે. તો બીજી તરફ શહેરને પાણી મળી રહે તે માટે આજવા સરોવર અને મહિસાગર નદીના જળસ્ત્રોત પર્યાપ્ત છે. પરંતુ તંત્રના અણઘડ વહીવટને કારણ વારંવાર લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે.
શહેરને પાણી મળી રહે તે માટે આજવા સરોવર અને મહિસાગર નદીના જળસ્ત્રોત પર્યાપ્ત છે
સ્માર્ટ સીટીમાં વહીવટી તંત્રની કુશળતાના અભાવે લોકોને પાણી મામલે હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે
જેલ રોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું
WatchGujarat. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં વડોદરા સહિતના ત્રણ પ્રમુખ શહેરોનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ વડોદરામાં તંત્રની અણઘડ વહીવટને કારણે વધુ એક વખત પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. જેલરોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ફોર્સમાં પાણી રોડ પર રેલાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્માર્ટ સીટી વડોદરામાં તંત્રના અણઘડ વહીવટના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે. ચુંટણી બાદ પણ ડોબા તંત્રના પાપે ફરી એક વખત પ્રજાએ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. રવિવારે જેલ રોડ ખાતેથી પસાર થતી પીવાના પાણીની લાઇનમાં મોટી ભંગાણ સર્જાયુ હતું. જેને લઇને ફુલ ફોર્સમાં પાણી જાહેર માર્ગ સુધી આવી ગયું હતુ. જોત જોતામાં તો ભંગાણ થકી બહાર આવતું પાણી છેક કાલાઘોડા સુધી રેલાયું હતું. જેને લઇને સ્થળ પરથી પસાર થતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પીવાના પાણીની સમસ્યા બહુ જુની છે. સત્તાપક્ષ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા બાદ પણ પ્રજાની સમસ્યા ઠેરની ઠેર છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ પાલીકા દ્વારા આપવામાં આવતું પાણી રંગીન છે અથવાતો વાસ મારતું આવે છે. તો બીજી તરફ શહેરને પાણી મળી રહે તે માટે આજવા સરોવર અને મહિસાગર નદીના જળસ્ત્રોત પર્યાપ્ત છે. પરંતુ તંત્રના અણઘડ વહીવટને કારણ વારંવાર લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે.