WatchGujarat. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગનો પણ હવાલો સંભાળતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઉમદા કામગીરી કરનારા કર્મયોગીઓ નું સન્માન અભિવાદન કર્યું હતું.
સયાજી હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ લોકોને લાભ આપવાની શ્રેષ્ઠ કામગીરી માટે તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લાના સોખડા અને મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા માટે બિરદાવવામાં આવ્યા હતા.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોષી અને તેમની ટીમને કોરોના કાળમાં લોક આરોગ્યની રક્ષા માટે 36 આયુર્વેદિક દવાખાનાઓ ના માધ્યમ થી 30 લાખથી વધુ લોકોને ઉકાળા અને આયુર્વેદિક દવા વિતરણનો શ્રેષ્ઠ લાભ આપવા માટે સન્માનિત કરવામાં આવ્યા.
મુનિ સેવાશ્રમ ગોરજના ડો.વિક્રમ પટેલ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યવાહકો નું કોરોના કટોકટી અને આરોગ્ય સેવાઓમાં શ્રેષ્ઠ યોગદાન માટે અભિવાદન કરવામાં આવ્યું.
108 સેવાના કમલેશ ઓડ,જયેશ પરમાર અને રાહુલ વસાવાને કોરોના કાળમાં અને જીવન રક્ષાની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.
પોલીસ અધિકારી બી.બી.રાઠોડ અને જવાનોને કોરોના કાળમાં ઉમદા લોક સેવા માટે બિરદાવવામાં આવ્યા.
WatchGujarat. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગનો પણ હવાલો સંભાળતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઉમદા કામગીરી કરનારા કર્મયોગીઓ નું સન્માન અભિવાદન કર્યું હતું.
સયાજી હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ લોકોને લાભ આપવાની શ્રેષ્ઠ કામગીરી માટે તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લાના સોખડા અને મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા માટે બિરદાવવામાં આવ્યા હતા.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોષી અને તેમની ટીમને કોરોના કાળમાં લોક આરોગ્યની રક્ષા માટે 36 આયુર્વેદિક દવાખાનાઓ ના માધ્યમ થી 30 લાખથી વધુ લોકોને ઉકાળા અને આયુર્વેદિક દવા વિતરણનો શ્રેષ્ઠ લાભ આપવા માટે સન્માનિત કરવામાં આવ્યા.
મુનિ સેવાશ્રમ ગોરજના ડો.વિક્રમ પટેલ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યવાહકો નું કોરોના કટોકટી અને આરોગ્ય સેવાઓમાં શ્રેષ્ઠ યોગદાન માટે અભિવાદન કરવામાં આવ્યું.
108 સેવાના કમલેશ ઓડ,જયેશ પરમાર અને રાહુલ વસાવાને કોરોના કાળમાં અને જીવન રક્ષાની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.
પોલીસ અધિકારી બી.બી.રાઠોડ અને જવાનોને કોરોના કાળમાં ઉમદા લોક સેવા માટે બિરદાવવામાં આવ્યા.