શહેરમાં કોરોનાની સ્થિતી વકરતા ડે. સીએમ વડોદરા ખાતે દોડી આવી ઉચ્ચ સ્તરીય મીટીંગ યોજી
મીટીંગમાં મહત્વના નિર્ણયો પર ચર્ચા કર્યા બાદ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી
દર્દીનું બિલ ઇન્શ્યોરન્સ કંપની ચુકવતી હોવાને કારણે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો બિનજરૂરી ભરાવા સામે કડક કાર્યવાહી
વિધાનસભા મતવિસ્તાર દીઠ બે જાહેર કોવિડ ટેસ્ટીંગના કેમ્પ યોજાશે
લોકડાઉન લાગુ કરવાનો કોઇ નિર્ણય નહિ, લોકોના સહકારથી સંક્રમણ ઘટાડવાની આશા મંત્રીએ વ્યક્ત કરી
WatchGujarat. શહેરમાં કોરોના પોઝીટીવ કેસો વધતાની સાથે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ શનિવારે વડોદરા ખાતે દોડી આવ્યા હતા. અને બપોરથી જ ચુંટાયેલા પ્રતિનીધી, ઓએસડી, મ્યુનિ. કમિ. સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડે બંધ બારણે મીટીંગ શરૂ કરી દીધી હતી. લગભગ પાંચ કલાક ચાલેલી મેરાથોન મીટીંગ બાદ ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં હોસ્પિટલમાં બિનજરૂરી દાખલ કરવામાં આવેલા દર્દીઓની તપાસ કરવા મામલે કમિટીની રચના કરી હોવાનું જણાવ્યું હતું. અને જો કોઇએ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તેમની સામે એપીડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.
વડોદરા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નીતિન પટેલે કોરોના સામેની કાર્યવાહી અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે વહીવટી તંત્ર દ્વારા વિધાનસભા મતવિસ્તાર દીઠ બે જાહેર કોવિડ ટેસ્ટીંગના કેમ્પ કરાશે. જેમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકાશે. તેની સાથે ગરીબ અને મધ્યમ પરિવારમાં કોઇ વ્યક્તિને પ્રાથમિક લક્ષણો સાથે કોરોના પોઝીટીવ આવે તો તેવા કિસ્સાઓમાં ઘરમાં આઇસેલોશનમાં રહેવું મુશ્કેલ બની જાય છે. અને કોરોનાનો ચેપ પ્રસરવાનો ભય પણ રહે છે. તેવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે શહેરમાં આવેલા 4 અતિથી ગૃહોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે. જેમાં તબિબિ સારવાર અને નાસ્તો – જમવાના સહિતની સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નીતિન પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યભરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને બિનજરૂરી દાખલ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ દર્દીનું બીલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચુકવવામાં આવતું હોવાનં સામે આવ્યું છે. તથા કંપનીઓ દ્વારા કર્મીને કોરોનાના ઓછા લક્ષણો હોય તેને હોસ્પિટલમાં એડમીટ કરાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં બીલ કંપનીઓ દ્વારા ચુકવવામાં આવતું હોવાને કારણે તેને બિનજરૂરી દાખલ કરવામાં આવતા હોવાની ફરિયાદ ધ્યાને આવી હતી. જેને લઇને સરકારી તંત્ર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને બિનજરૂરી દર્દીઓની ઓળખ કરવા માટે ખાસ નિષ્ણાંતોની કમિટીની રચના કરવામાં આવી છે.
કમિટી આવતી કાલથી રાજ્યભરની હોસ્પિટલમાં જઇને એડમીટ કરાયેલા દર્દીઓનો રેકોર્ડ ચકાસશે. અને જો કોઇ હોસ્પિટલ દ્વારા તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા નિયત માપદંડોનું ઉલ્લંઘન કરીને દર્દીને દાખલ કરવામાં આવશે તો તેની સામે એપીડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં ગત રોજ કોરોના પોઝીટીવ દર્દીને દાખલ કરવા માટેના નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે.
અગત્યની જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખાનગી જગ્યામાં બેડ રીઝર્વ કરવાની સત્તા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવી છે. અને આ પ્રકારની સુવિધા હાલ પાયોનીયર ઇન્સ્ટીટ્યુટ અને અન્યત્રે ઉપલબ્ધ છે. વડોદરા લોકોને રસી આપવા મામલે રાજ્યમાં બીજા ક્રમાંકે આવે છે. અત્યાર સુધી શહેર અને જિલ્લામાં મળીને પોણા ચાર લાખ લોકોને વેક્સીન આપવામાં આવી છે.
[caption id="attachment_566988" align="alignnone" width="800"] નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વેક્સીનેશન લેવાથી કોરોના સંક્રમણનો ભય ઘટે છે. શહેરમાં 95 લોકો માસ્ક પહેરે તો સંક્રમણ ઘટી શકે તેમ છે. હાલની તારીખે પોઝીટીવ કેસોમાં વધારો થઇ રહ્યો હોવાની વાતને ઇનકાર નથી. પરંતુ કોરોના પોઝીટીવ કેસોતો અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યા છે. હાલ લોકડાઉન લાગુ કરવાની સરકારની વિચારણા નથી. જો પ્રજા સહકાર આપશે તો લોકડાઉન વગર કોરોનાનું સંક્રમણ અટકાવી શકીશું.[/caption]
શહેરમાં કોરોનાની સ્થિતી વકરતા ડે. સીએમ વડોદરા ખાતે દોડી આવી ઉચ્ચ સ્તરીય મીટીંગ યોજી
મીટીંગમાં મહત્વના નિર્ણયો પર ચર્ચા કર્યા બાદ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી
દર્દીનું બિલ ઇન્શ્યોરન્સ કંપની ચુકવતી હોવાને કારણે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો બિનજરૂરી ભરાવા સામે કડક કાર્યવાહી
વિધાનસભા મતવિસ્તાર દીઠ બે જાહેર કોવિડ ટેસ્ટીંગના કેમ્પ યોજાશે
લોકડાઉન લાગુ કરવાનો કોઇ નિર્ણય નહિ, લોકોના સહકારથી સંક્રમણ ઘટાડવાની આશા મંત્રીએ વ્યક્ત કરી
WatchGujarat. શહેરમાં કોરોના પોઝીટીવ કેસો વધતાની સાથે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ શનિવારે વડોદરા ખાતે દોડી આવ્યા હતા. અને બપોરથી જ ચુંટાયેલા પ્રતિનીધી, ઓએસડી, મ્યુનિ. કમિ. સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડે બંધ બારણે મીટીંગ શરૂ કરી દીધી હતી. લગભગ પાંચ કલાક ચાલેલી મેરાથોન મીટીંગ બાદ ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં હોસ્પિટલમાં બિનજરૂરી દાખલ કરવામાં આવેલા દર્દીઓની તપાસ કરવા મામલે કમિટીની રચના કરી હોવાનું જણાવ્યું હતું. અને જો કોઇએ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તેમની સામે એપીડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.
વડોદરા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નીતિન પટેલે કોરોના સામેની કાર્યવાહી અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે વહીવટી તંત્ર દ્વારા વિધાનસભા મતવિસ્તાર દીઠ બે જાહેર કોવિડ ટેસ્ટીંગના કેમ્પ કરાશે. જેમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકાશે. તેની સાથે ગરીબ અને મધ્યમ પરિવારમાં કોઇ વ્યક્તિને પ્રાથમિક લક્ષણો સાથે કોરોના પોઝીટીવ આવે તો તેવા કિસ્સાઓમાં ઘરમાં આઇસેલોશનમાં રહેવું મુશ્કેલ બની જાય છે. અને કોરોનાનો ચેપ પ્રસરવાનો ભય પણ રહે છે. તેવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે શહેરમાં આવેલા 4 અતિથી ગૃહોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે. જેમાં તબિબિ સારવાર અને નાસ્તો – જમવાના સહિતની સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નીતિન પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યભરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને બિનજરૂરી દાખલ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ દર્દીનું બીલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચુકવવામાં આવતું હોવાનં સામે આવ્યું છે. તથા કંપનીઓ દ્વારા કર્મીને કોરોનાના ઓછા લક્ષણો હોય તેને હોસ્પિટલમાં એડમીટ કરાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં બીલ કંપનીઓ દ્વારા ચુકવવામાં આવતું હોવાને કારણે તેને બિનજરૂરી દાખલ કરવામાં આવતા હોવાની ફરિયાદ ધ્યાને આવી હતી. જેને લઇને સરકારી તંત્ર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને બિનજરૂરી દર્દીઓની ઓળખ કરવા માટે ખાસ નિષ્ણાંતોની કમિટીની રચના કરવામાં આવી છે.
કમિટી આવતી કાલથી રાજ્યભરની હોસ્પિટલમાં જઇને એડમીટ કરાયેલા દર્દીઓનો રેકોર્ડ ચકાસશે. અને જો કોઇ હોસ્પિટલ દ્વારા તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા નિયત માપદંડોનું ઉલ્લંઘન કરીને દર્દીને દાખલ કરવામાં આવશે તો તેની સામે એપીડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં ગત રોજ કોરોના પોઝીટીવ દર્દીને દાખલ કરવા માટેના નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે.
અગત્યની જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખાનગી જગ્યામાં બેડ રીઝર્વ કરવાની સત્તા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવી છે. અને આ પ્રકારની સુવિધા હાલ પાયોનીયર ઇન્સ્ટીટ્યુટ અને અન્યત્રે ઉપલબ્ધ છે. વડોદરા લોકોને રસી આપવા મામલે રાજ્યમાં બીજા ક્રમાંકે આવે છે. અત્યાર સુધી શહેર અને જિલ્લામાં મળીને પોણા ચાર લાખ લોકોને વેક્સીન આપવામાં આવી છે.
[caption id="attachment_566988" align="alignnone" width="800"]નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વેક્સીનેશન લેવાથી કોરોના સંક્રમણનો ભય ઘટે છે. શહેરમાં 95 લોકો માસ્ક પહેરે તો સંક્રમણ ઘટી શકે તેમ છે. હાલની તારીખે પોઝીટીવ કેસોમાં વધારો થઇ રહ્યો હોવાની વાતને ઇનકાર નથી. પરંતુ કોરોના પોઝીટીવ કેસોતો અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યા છે. હાલ લોકડાઉન લાગુ કરવાની સરકારની વિચારણા નથી. જો પ્રજા સહકાર આપશે તો લોકડાઉન વગર કોરોનાનું સંક્રમણ અટકાવી શકીશું.[/caption]