આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,
આ વિકટ કોરોના મહામારીમાં આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હશે. પ્રભુ આપના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.
આપની સરકારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા લીધા વગર સીધેસીધાં ધોરણ અગિયારમાં “માસ પ્રમોશન” આપવાનો નિર્ણય લીધો છે. આપની સરકારે આ નિર્ણયના કેવા દૂરગામી પરિણામો મળશે તેની કોઈ ચિંતા કર્યા વગર “કોરોના મહામારી”ના નામે ધોરણ દસમાં નિયમિત પરીક્ષા આપનાર સૌને ધોરણ અગિયારમાં ધકેલી દીધા.
[caption id="attachment_695307" align="aligncenter" width="1280"] રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા[/caption]
ભૂતકાળના આંકડા જોઈએ તો ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપનારા નિયમિત વિદ્યાર્થીઓમાંથી સરેરાશ ૬૦% વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે. જો ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓને ગણતરીમાં લઈએ તો તો એમાંથી સરેરાશ ૫૦% વિદ્યાર્થીઓ જ પાસ થઈ રહ્યા છે. શું આપની સરકારે નિર્ણય લેતા પહેલાં આ આંકડા ચકાસ્યા નહીં હોય? ગુજરાતમાં ધોરણ અગિયારના કેટલા વર્ગો છે અને તેમાં કેટલા શિક્ષકો છે તે અંગે સરકારે કોઈ વિચારણા કરી હશે કે નહીં? જે રીતે નિર્ણય લીધો છે તે જોતાં એવું લાગે છે કે સરકારે આ અંગે કોઈ જ વિચાર કર્યા વગર અણઘડ અને ઉતાવળો નિર્ણય લીધો છે.
આદરણીય ભૂપેન્દ્રસિંહ,
ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના પ્રત્યેક પાંચ વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો ૧૯૯૮-૨૦૦૨ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સરેરાશ ૪૨.૨%, ૨૦૦૩-૨૦૦૭માં ૪૦.૮%, ૨૦૦૮-૨૦૧૨માં ૩૫.૪% અને ૨૦૧૩-૨૦૧૭માં ૪૨.૪% વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. એટલે કે ૧૯૯૮-૨૦૧૭ના વીસ વર્ષના ગાળામાં સરેરાશ ૪૦.૧% વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા.
હવે છેલ્લા ત્રણ વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો વર્ષ ૨૦૧૮માં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં નિયમિત બેસનારા વિદ્યાર્થીઓમાંથી ૬૭.૫% વિદ્યાર્થીઓ પાસ થયા તો ૨૦૧૯માં તે ૬૬.૯% અને ૨૦૨૦માં ૬૦.૬% હતા. આનો અર્થ એવો થાય કે છેલ્લા ત્રણ વર્ષમાં નિયમિત વિદ્યાર્થીઓમાંથી સરેરાશ ૩૫% વિદ્યાર્થીઓ નાપાસ થયા. આ તો માત્ર નિયમિત વિદ્યાર્થીઓની માહિતીની વિશ્લેષણ થયું. જો ધોરણ દસમાં બોર્ડની પરીક્ષામાં બેસનારા તમામ વિદ્યાર્થીઓના પરિણામનું વિશ્લેષણ કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ ૫૦% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
આદરણીય ભૂપેન્દ્રસિંહ,
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ માસ પ્રમોશન અંગે મારા આપને તથા આપની સરકારને કેટલાંક પ્રશ્નો પૂછવા છે.
પ્રશ્ન એક
ગુજરાત સરકારે આ વર્ષે એટલે કે ૨૦૨૧માં ધોરણ દસની બોર્ડની પરીક્ષા લેવાને બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે. રાજ્યમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે ૧૨.૧૦ લાખ વિદ્યાર્થીઓ બેસવાના હતા. એમાંથી ૮.૬૦ લાખ નિયમિત વિદ્યાર્થીઓ હતા અને ૩.૫૦ લાખ રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓ હતા. ૮.૬૦ લાખ નિયમિત વિદ્યાર્થીઓમાંથી જો બોર્ડની પરીક્ષા લેવાઈ હોત તો તેમાંથી છેલ્લા ત્રણ વર્ષની નાપાસ થવાની સરેરાશ પ્રમાણે લગભગ ૩ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થવાના હતા. માસ પ્રમોશનના કારણે આ ત્રણ લાખ વિદ્યાર્થીઓ ધોરણ અગિયારમાં આવશે. આવા નબળા વિદ્યાર્થીઓની હાજરીથી ધોરણ બારની ૨૦૨૩માં લેવાનારી બોર્ડની પરીક્ષાના પરિણામમાં કેવી ગુણવત્તા મળશે તે અંગે સરકારે કોઈ વિચારણા હાથ ધરી છે ખરી?
પ્રશ્ન બે
૮.૬૦ લાખ નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોના મહામારીના કારણે રદ કરીને માસ પ્રમોશન આપી દીધું. ૩.૫૦ લાખ રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા બોર્ડ લેવાનું છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓમાં પાસ થવાની ટકાવારી સરેરાશ માત્ર ૮% છે. શું આ ૩.૫૦ લાખ રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી વખતે કોરોના મહામારી નહીં નડે? શું રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓ “કોરોનાપ્રૂફ” છે? જો આ વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકાતી હોય તો નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા કેમ ન લેવાય? ભૂતકાળમાં ૧૯૮૧ તથા ૧૯૮૪ના અનામત વિરોધી આંદોલન સમયે પણ બે થી ત્રણ મહિના મોડી બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. તો પછી કોરોના મહામારીના સમયમાં સરકારે કેમ માસ પ્રમોશન આપ્યું તે કોઈને સમજાતું નથી. શિક્ષણની પવિત્ર ફરજમાંથી સરકાર કેમ છટકી રહી છે?
પ્રશ્ન ત્રણ
ધોરણ દસની બોર્ડની પરીક્ષા પછી ઘણા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના માર્કસના આધારે બનતા મેરીટ લિસ્ટના આધારે ડિપ્લોમા અને પોલિટેકનિકની લગભગ દોઢ લાખ બેઠકો ઉપર પ્રવેશ મેળવતા હોય છે. માસ પ્રમોશનના આધારે હવે ડિપ્લોમા અને પોલિટેકનિકમાં પ્રવેશ કેવી રીતે આપવામાં આવશે? તેની મેરીટ યાદી કેવી રીતે બનશે? શેના આધારે બનશે? આ અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. આધારભૂત માહિતી પ્રમાણે સરકાર ડિપ્લોમા અને પોલિટેકનિકમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની વિચારણા કરી રહી છે. જો સરકાર તે માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોય તો પછી સરકારે ધોરણ દસની બોર્ડની પરીક્ષા કેમ રદ કરી?
પ્રશ્ન ચાર
ધોરણ દસની બોર્ડની પરીક્ષાના માર્કસના આધારે જ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના વાલીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવું કે સામાન્ય પ્રવાહમાં તે નક્કી કરતાં હોય છે. હવે જ્યારે બોર્ડની પરીક્ષા જ થવાની નથી તેવા સંજોગોમાં વિદ્યાર્થી શેના આધારે પોતાની કારકિર્દી પસંદ કરશે? વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા અંગે કોઈ ધારા-ધોરણ નહીં ઘડાય તો ગુજરાતી માતા-પિતા તેઓના એક વિશિષ્ટ સ્વભાવ અને આદત પ્રમાણે તથા સમાજમાં પોતાનો વટ પાડવા માટે પોતાના સંતાનને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અપાવશે જ. સરકાર દ્વારા ધોરણ અગિયારના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ અંગેના કોઈ ચોક્કસ ધારા-ધોરણ નક્કી કરવામાં નહીં આવે તો આવા હજારો વિદ્યાર્થીઓની ભવિષ્યની કારકિર્દી ડહોળાઈ જશે અને તેમનું ભવિષ્ય અંધકારમય બની શકે છે. શું સરકારે માસ પ્રમોશનનો નિર્ણય લીધો તે સમયે આ અંગે કોઈ વિચાર કર્યો નહીં હોય?
પ્રશ્ન પાંચ
લગભગ ૮.૬૦ લાખ વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી ધોરણ અગિયારમાં આવી ગયા જ છે. પરંતુ ગુજરાતની શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં ૫.૫૦ લાખ બેઠકો અને ડિપ્લોમા/પોલિટેકનિકની ૧.૫ લાખ બેઠકો થઈને કુલ સાત લાખ બેઠકો છે. બાકીના ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓ શું કરશે? સરકાર ધોરણ અગિયારમાં પ્રવેશ કેવી રીતે આપશે? માસ પ્રમોશનના નિર્ણય લેતા પહેલાં આ અંગે કોઈ વિચારણા કરવામાં આવી છે ખરી? જો ૧.૬૦ લાખ બેઠકો વધારવામાં આવે તો તે અંગે નવા વર્ગખંડોની વ્યવસ્થા કેવી રીતે થશે? ઉચ્ચતર માધ્યમિકમાં ભણાવી શકે તેવા કુશળ શિક્ષકોની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે? તે અંગે સરકારે શું નક્કી કર્યું છે?
આદરણીય ભૂપેન્દ્રસિંહ,
આપ સમજી શકો છો કે ધોરણ દસમાં માસ પ્રમોશનના કારણે કેટલી બધી મુશ્કેલીઓ પડવાની છે. આ મુશ્કેલીઓ તો તાત્કાલિક છે. લાંબાગાળાનું વિચારીએ તો દૂરગામી અસરો બહુ જ ખરાબ પડશે એ ક્ષિતિજ ઉપર દેખાઈ રહ્યું છે. તેની પાછળ પણ કારણો છે. ગયા વર્ષે ધોરણ નવમાં વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવી હતી તથા ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ પણ લેવાઈ હતી. ત્યારબાદ ૨૦૨૦-૨૧નું આખું શૈક્ષણિક વર્ષ ઓનલાઈન ચાલ્યું છે. ન શાળાઓ ચાલુ હતી કે ન તો ખાનગી ટ્યુશન ક્લાસીસ. આના કારણે વિદ્યાર્થી બરાબર અભ્યાસ કરી શક્યો જ નથી. ગામડાનો વિદ્યાર્થી તો અભ્યાસ કરી શક્યો જ નથી એમ કહીએ તો તે વધારે પડતું નહીં હોય. આવા વિકટ અને અસાધારણ સંજોગોમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની બોર્ડની પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે બિલકુલ તર્કસંગત નથી અને વિદ્યાર્થીની કારકિર્દી સાથે ચેડાં કરવાનો પ્રયાસ છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી અંધકારમય બની જશે.
આદરણીય મંત્રી,
મારી આપ સાહેબને બે હાથ જોડીને સાડા બાર લાખ વિદ્યાર્થીઓ વતી સદૈન્ય વિનંતી છે કે માસ પ્રમોશનનો નિર્ણય પાછો ખેંચો. આ નિર્ણયથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું આવનારા દસ વર્ષનું ભવિષ્ય બહુ જ ધૂંધળું દેખાઈ રહ્યું છે. આ ૨૦૨૧ના ધોરણ દસમાં માસ પ્રમોશન લીધેલા વિદ્યાર્થીઓમાંથી એક મોટો વર્ગ આવનારા વર્ષોમાં બેરોજગાર થઈને રોજગારીની શોધમાં ભટકતો થઈ જશે.
મારૂં નમ્ર સૂચન
આદરણીય ભૂપેન્દ્રસિંહ,
આ વર્ષે જો બોર્ડની પરીક્ષા ન જ લેવી હોય તો તેવા સંજોગોમાં માસ પ્રમોશનના બદલે સીબીએસઈ બોર્ડ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી વ્યવસ્થા ગુજરાતમાં ગોઠવી શકાય. સીબીએસઈ બોર્ડ દ્વારા પણ ધોરણ દસની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરંતુ માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. શું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ જે પેટર્ન અપનાવી છે તે જ રીતે ધોરણ દસના વિદ્યાર્થીઓનું પરિણામ બનાવી ન શકે?
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની હાલની પદ્ધતિ અનુસાર ધોરણ દસમાં ૩૦ માર્કસ શાળા ઇન્ટરનલ એસેસમેન્ટથી આપતી હોય છે અને ૭૦ માર્કસની પરીક્ષા બોર્ડ લેતી હોય છે. આવા સંજોગોમાં ગુજરાતમાં દરેક શાળામાં નવ સભ્યોની “ધોરણ દસ બોર્ડ પરીક્ષા પરિણામ સમિતિ”ની રચના કરવામાં આવે.
આ કમિટીમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવે. આ કમિટીના અધ્યક્ષ જે તે શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય રહે. આ કમિટીમાં અન્ય બે સભ્યો અન્ય શાળાના આચાર્યશ્રીઓ હોય.
આ કમિટી પોતાની શાળાના છેલ્લા ત્રણ વર્ષમાં ધોરણ દસના બોર્ડના આવેલા પરિણામોની સરેરાશને ધ્યાનમાં રાખીને ધોરણ દસના વિદ્યાર્થીનું વિષય પ્રમાણે પરિણામ નક્કી કરે.
આ કમિટી પાસે સૌથી પ્રથમ બોર્ડને મોકલવાનું જે ૩૦ માર્કસનું ઇન્ટરનલ એસેસમેન્ટ છે તે પ્રસ્તુત કરવામાં આવે. ત્યારબાદ બોર્ડ દ્વારા જે ૭૦ માર્કસની પરીક્ષા લેવામાં આવે છે તેને બદલે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ જેટલા ટેસ્ટ આપ્યા હોય, એસાઇનમેન્ટ કર્યા હોય, પ્રોજેક્ટ વર્ક કર્યું હોય, ઓનલાઈન પરીક્ષા લીધી હોય – આ તમામને ગણતરીમાં લઈને જે તે વિદ્યાર્થીનું વિષયવાર પરિણામ બનાવવામાં આવે.
આ રીતે ૩૦+૭૦ માર્કસની પરિણામની યાદી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવામાં આવે. આ માટે ૧૫ દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવે. આવી રીતે પરિણામની યાદી સમગ્ર ગુજરાતમાંથી પ્રાપ્ત થયા પછી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ જે રીતે ધોરણ દસનું પરિણામ જાહેર કરે છે તે રીતે પરિણામ તેની વેબસાઇટ ઉપર જાહેર કરે.
આદરણીય ભૂપેન્દ્રસિંહ,
જો આટલું જ કરશો તો માસ પ્રમોશનના કારણે ઉભા થયેલા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.
શું આપની સરકાર આ અંગે વિચારણા કરીને માસ પ્રમોશનના નિર્ણયને પાછો ખેંચીને દર્શાવેલ સૂચનો આધારિત ધોરણ દસના બોર્ડનું પરિણામ જાહેર કરવાની હિંમત બતાવી શકશે ખરી? શું ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવતા અટકાવવા આપની સરકાર આગળ આવશે?
બસ એ જ લિખિતંગ
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના
ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત એક ગુજરાતી
[caption id="attachment_1002912" align="aligncenter" width="1280"] વડોદરાના રાજકીય વિશ્લેષક ડૉ જયેશ શાહ[/caption]
આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,
આ વિકટ કોરોના મહામારીમાં આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હશે. પ્રભુ આપના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.
આપની સરકારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા લીધા વગર સીધેસીધાં ધોરણ અગિયારમાં “માસ પ્રમોશન” આપવાનો નિર્ણય લીધો છે. આપની સરકારે આ નિર્ણયના કેવા દૂરગામી પરિણામો મળશે તેની કોઈ ચિંતા કર્યા વગર “કોરોના મહામારી”ના નામે ધોરણ દસમાં નિયમિત પરીક્ષા આપનાર સૌને ધોરણ અગિયારમાં ધકેલી દીધા.
[caption id="attachment_695307" align="aligncenter" width="1280"] રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા[/caption]
ભૂતકાળના આંકડા જોઈએ તો ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપનારા નિયમિત વિદ્યાર્થીઓમાંથી સરેરાશ ૬૦% વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે. જો ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓને ગણતરીમાં લઈએ તો તો એમાંથી સરેરાશ ૫૦% વિદ્યાર્થીઓ જ પાસ થઈ રહ્યા છે. શું આપની સરકારે નિર્ણય લેતા પહેલાં આ આંકડા ચકાસ્યા નહીં હોય? ગુજરાતમાં ધોરણ અગિયારના કેટલા વર્ગો છે અને તેમાં કેટલા શિક્ષકો છે તે અંગે સરકારે કોઈ વિચારણા કરી હશે કે નહીં? જે રીતે નિર્ણય લીધો છે તે જોતાં એવું લાગે છે કે સરકારે આ અંગે કોઈ જ વિચાર કર્યા વગર અણઘડ અને ઉતાવળો નિર્ણય લીધો છે.
આદરણીય ભૂપેન્દ્રસિંહ,
ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના પ્રત્યેક પાંચ વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો ૧૯૯૮-૨૦૦૨ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સરેરાશ ૪૨.૨%, ૨૦૦૩-૨૦૦૭માં ૪૦.૮%, ૨૦૦૮-૨૦૧૨માં ૩૫.૪% અને ૨૦૧૩-૨૦૧૭માં ૪૨.૪% વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. એટલે કે ૧૯૯૮-૨૦૧૭ના વીસ વર્ષના ગાળામાં સરેરાશ ૪૦.૧% વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા.
હવે છેલ્લા ત્રણ વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો વર્ષ ૨૦૧૮માં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં નિયમિત બેસનારા વિદ્યાર્થીઓમાંથી ૬૭.૫% વિદ્યાર્થીઓ પાસ થયા તો ૨૦૧૯માં તે ૬૬.૯% અને ૨૦૨૦માં ૬૦.૬% હતા. આનો અર્થ એવો થાય કે છેલ્લા ત્રણ વર્ષમાં નિયમિત વિદ્યાર્થીઓમાંથી સરેરાશ ૩૫% વિદ્યાર્થીઓ નાપાસ થયા. આ તો માત્ર નિયમિત વિદ્યાર્થીઓની માહિતીની વિશ્લેષણ થયું. જો ધોરણ દસમાં બોર્ડની પરીક્ષામાં બેસનારા તમામ વિદ્યાર્થીઓના પરિણામનું વિશ્લેષણ કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ ૫૦% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
આદરણીય ભૂપેન્દ્રસિંહ,
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ માસ પ્રમોશન અંગે મારા આપને તથા આપની સરકારને કેટલાંક પ્રશ્નો પૂછવા છે.
પ્રશ્ન એક
ગુજરાત સરકારે આ વર્ષે એટલે કે ૨૦૨૧માં ધોરણ દસની બોર્ડની પરીક્ષા લેવાને બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે. રાજ્યમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે ૧૨.૧૦ લાખ વિદ્યાર્થીઓ બેસવાના હતા. એમાંથી ૮.૬૦ લાખ નિયમિત વિદ્યાર્થીઓ હતા અને ૩.૫૦ લાખ રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓ હતા. ૮.૬૦ લાખ નિયમિત વિદ્યાર્થીઓમાંથી જો બોર્ડની પરીક્ષા લેવાઈ હોત તો તેમાંથી છેલ્લા ત્રણ વર્ષની નાપાસ થવાની સરેરાશ પ્રમાણે લગભગ ૩ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થવાના હતા. માસ પ્રમોશનના કારણે આ ત્રણ લાખ વિદ્યાર્થીઓ ધોરણ અગિયારમાં આવશે. આવા નબળા વિદ્યાર્થીઓની હાજરીથી ધોરણ બારની ૨૦૨૩માં લેવાનારી બોર્ડની પરીક્ષાના પરિણામમાં કેવી ગુણવત્તા મળશે તે અંગે સરકારે કોઈ વિચારણા હાથ ધરી છે ખરી?
પ્રશ્ન બે
૮.૬૦ લાખ નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોના મહામારીના કારણે રદ કરીને માસ પ્રમોશન આપી દીધું. ૩.૫૦ લાખ રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા બોર્ડ લેવાનું છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓમાં પાસ થવાની ટકાવારી સરેરાશ માત્ર ૮% છે. શું આ ૩.૫૦ લાખ રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી વખતે કોરોના મહામારી નહીં નડે? શું રિપીટર અને એક્ષટર્નલ વિદ્યાર્થીઓ “કોરોનાપ્રૂફ” છે? જો આ વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકાતી હોય તો નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા કેમ ન લેવાય? ભૂતકાળમાં ૧૯૮૧ તથા ૧૯૮૪ના અનામત વિરોધી આંદોલન સમયે પણ બે થી ત્રણ મહિના મોડી બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. તો પછી કોરોના મહામારીના સમયમાં સરકારે કેમ માસ પ્રમોશન આપ્યું તે કોઈને સમજાતું નથી. શિક્ષણની પવિત્ર ફરજમાંથી સરકાર કેમ છટકી રહી છે?
પ્રશ્ન ત્રણ
ધોરણ દસની બોર્ડની પરીક્ષા પછી ઘણા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના માર્કસના આધારે બનતા મેરીટ લિસ્ટના આધારે ડિપ્લોમા અને પોલિટેકનિકની લગભગ દોઢ લાખ બેઠકો ઉપર પ્રવેશ મેળવતા હોય છે. માસ પ્રમોશનના આધારે હવે ડિપ્લોમા અને પોલિટેકનિકમાં પ્રવેશ કેવી રીતે આપવામાં આવશે? તેની મેરીટ યાદી કેવી રીતે બનશે? શેના આધારે બનશે? આ અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. આધારભૂત માહિતી પ્રમાણે સરકાર ડિપ્લોમા અને પોલિટેકનિકમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની વિચારણા કરી રહી છે. જો સરકાર તે માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોય તો પછી સરકારે ધોરણ દસની બોર્ડની પરીક્ષા કેમ રદ કરી?
પ્રશ્ન ચાર
ધોરણ દસની બોર્ડની પરીક્ષાના માર્કસના આધારે જ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના વાલીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવું કે સામાન્ય પ્રવાહમાં તે નક્કી કરતાં હોય છે. હવે જ્યારે બોર્ડની પરીક્ષા જ થવાની નથી તેવા સંજોગોમાં વિદ્યાર્થી શેના આધારે પોતાની કારકિર્દી પસંદ કરશે? વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા અંગે કોઈ ધારા-ધોરણ નહીં ઘડાય તો ગુજરાતી માતા-પિતા તેઓના એક વિશિષ્ટ સ્વભાવ અને આદત પ્રમાણે તથા સમાજમાં પોતાનો વટ પાડવા માટે પોતાના સંતાનને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અપાવશે જ. સરકાર દ્વારા ધોરણ અગિયારના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ અંગેના કોઈ ચોક્કસ ધારા-ધોરણ નક્કી કરવામાં નહીં આવે તો આવા હજારો વિદ્યાર્થીઓની ભવિષ્યની કારકિર્દી ડહોળાઈ જશે અને તેમનું ભવિષ્ય અંધકારમય બની શકે છે. શું સરકારે માસ પ્રમોશનનો નિર્ણય લીધો તે સમયે આ અંગે કોઈ વિચાર કર્યો નહીં હોય?
પ્રશ્ન પાંચ
લગભગ ૮.૬૦ લાખ વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી ધોરણ અગિયારમાં આવી ગયા જ છે. પરંતુ ગુજરાતની શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં ૫.૫૦ લાખ બેઠકો અને ડિપ્લોમા/પોલિટેકનિકની ૧.૫ લાખ બેઠકો થઈને કુલ સાત લાખ બેઠકો છે. બાકીના ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓ શું કરશે? સરકાર ધોરણ અગિયારમાં પ્રવેશ કેવી રીતે આપશે? માસ પ્રમોશનના નિર્ણય લેતા પહેલાં આ અંગે કોઈ વિચારણા કરવામાં આવી છે ખરી? જો ૧.૬૦ લાખ બેઠકો વધારવામાં આવે તો તે અંગે નવા વર્ગખંડોની વ્યવસ્થા કેવી રીતે થશે? ઉચ્ચતર માધ્યમિકમાં ભણાવી શકે તેવા કુશળ શિક્ષકોની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે? તે અંગે સરકારે શું નક્કી કર્યું છે?
આદરણીય ભૂપેન્દ્રસિંહ,
આપ સમજી શકો છો કે ધોરણ દસમાં માસ પ્રમોશનના કારણે કેટલી બધી મુશ્કેલીઓ પડવાની છે. આ મુશ્કેલીઓ તો તાત્કાલિક છે. લાંબાગાળાનું વિચારીએ તો દૂરગામી અસરો બહુ જ ખરાબ પડશે એ ક્ષિતિજ ઉપર દેખાઈ રહ્યું છે. તેની પાછળ પણ કારણો છે. ગયા વર્ષે ધોરણ નવમાં વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવી હતી તથા ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ પણ લેવાઈ હતી. ત્યારબાદ ૨૦૨૦-૨૧નું આખું શૈક્ષણિક વર્ષ ઓનલાઈન ચાલ્યું છે. ન શાળાઓ ચાલુ હતી કે ન તો ખાનગી ટ્યુશન ક્લાસીસ. આના કારણે વિદ્યાર્થી બરાબર અભ્યાસ કરી શક્યો જ નથી. ગામડાનો વિદ્યાર્થી તો અભ્યાસ કરી શક્યો જ નથી એમ કહીએ તો તે વધારે પડતું નહીં હોય. આવા વિકટ અને અસાધારણ સંજોગોમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની બોર્ડની પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે બિલકુલ તર્કસંગત નથી અને વિદ્યાર્થીની કારકિર્દી સાથે ચેડાં કરવાનો પ્રયાસ છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી અંધકારમય બની જશે.
આદરણીય મંત્રી,
મારી આપ સાહેબને બે હાથ જોડીને સાડા બાર લાખ વિદ્યાર્થીઓ વતી સદૈન્ય વિનંતી છે કે માસ પ્રમોશનનો નિર્ણય પાછો ખેંચો. આ નિર્ણયથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું આવનારા દસ વર્ષનું ભવિષ્ય બહુ જ ધૂંધળું દેખાઈ રહ્યું છે. આ ૨૦૨૧ના ધોરણ દસમાં માસ પ્રમોશન લીધેલા વિદ્યાર્થીઓમાંથી એક મોટો વર્ગ આવનારા વર્ષોમાં બેરોજગાર થઈને રોજગારીની શોધમાં ભટકતો થઈ જશે.
મારૂં નમ્ર સૂચનઆદરણીય ભૂપેન્દ્રસિંહ,
આ વર્ષે જો બોર્ડની પરીક્ષા ન જ લેવી હોય તો તેવા સંજોગોમાં માસ પ્રમોશનના બદલે સીબીએસઈ બોર્ડ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી વ્યવસ્થા ગુજરાતમાં ગોઠવી શકાય. સીબીએસઈ બોર્ડ દ્વારા પણ ધોરણ દસની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરંતુ માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. શું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ જે પેટર્ન અપનાવી છે તે જ રીતે ધોરણ દસના વિદ્યાર્થીઓનું પરિણામ બનાવી ન શકે?
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની હાલની પદ્ધતિ અનુસાર ધોરણ દસમાં ૩૦ માર્કસ શાળા ઇન્ટરનલ એસેસમેન્ટથી આપતી હોય છે અને ૭૦ માર્કસની પરીક્ષા બોર્ડ લેતી હોય છે. આવા સંજોગોમાં ગુજરાતમાં દરેક શાળામાં નવ સભ્યોની “ધોરણ દસ બોર્ડ પરીક્ષા પરિણામ સમિતિ”ની રચના કરવામાં આવે.
આ કમિટીમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવે. આ કમિટીના અધ્યક્ષ જે તે શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય રહે. આ કમિટીમાં અન્ય બે સભ્યો અન્ય શાળાના આચાર્યશ્રીઓ હોય.
આ કમિટી પોતાની શાળાના છેલ્લા ત્રણ વર્ષમાં ધોરણ દસના બોર્ડના આવેલા પરિણામોની સરેરાશને ધ્યાનમાં રાખીને ધોરણ દસના વિદ્યાર્થીનું વિષય પ્રમાણે પરિણામ નક્કી કરે.
આ કમિટી પાસે સૌથી પ્રથમ બોર્ડને મોકલવાનું જે ૩૦ માર્કસનું ઇન્ટરનલ એસેસમેન્ટ છે તે પ્રસ્તુત કરવામાં આવે. ત્યારબાદ બોર્ડ દ્વારા જે ૭૦ માર્કસની પરીક્ષા લેવામાં આવે છે તેને બદલે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ જેટલા ટેસ્ટ આપ્યા હોય, એસાઇનમેન્ટ કર્યા હોય, પ્રોજેક્ટ વર્ક કર્યું હોય, ઓનલાઈન પરીક્ષા લીધી હોય – આ તમામને ગણતરીમાં લઈને જે તે વિદ્યાર્થીનું વિષયવાર પરિણામ બનાવવામાં આવે.
આ રીતે ૩૦+૭૦ માર્કસની પરિણામની યાદી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવામાં આવે. આ માટે ૧૫ દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવે. આવી રીતે પરિણામની યાદી સમગ્ર ગુજરાતમાંથી પ્રાપ્ત થયા પછી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ જે રીતે ધોરણ દસનું પરિણામ જાહેર કરે છે તે રીતે પરિણામ તેની વેબસાઇટ ઉપર જાહેર કરે.
આદરણીય ભૂપેન્દ્રસિંહ,
જો આટલું જ કરશો તો માસ પ્રમોશનના કારણે ઉભા થયેલા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.
શું આપની સરકાર આ અંગે વિચારણા કરીને માસ પ્રમોશનના નિર્ણયને પાછો ખેંચીને દર્શાવેલ સૂચનો આધારિત ધોરણ દસના બોર્ડનું પરિણામ જાહેર કરવાની હિંમત બતાવી શકશે ખરી? શું ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવતા અટકાવવા આપની સરકાર આગળ આવશે?
બસ એ જ લિખિતંગ
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના
ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત એક ગુજરાતી