સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારે સાગમટે ઝેર ગટગટાવ્યા બાદ ગણતરીની પળોમાં પહોંચેલાં જિતેન્દ્ર સોલંકી સાથે ખાસ વાતચિત.
ધૂતરાં જ્યોતિષીઓ અને વ્યાજખોરોની ચુંગાલમાં લોકો ના ફસાય તે માટે સરકાર નક્કર પગલાં લે તેવી જિતેન્દ્ર સોલંકીની લાગણી.
દાદાને ભેટીને પડેલાં 3 વર્ષિય પાર્થનો ચહેરો હજી આંખો સામે તરવરે છે – જિતેન્દ્ર સોલંકી
WatchGujarat. ધૂતારાં જ્યોતિષીઓ પાછળ લાખ્ખો રૂપિયા ખર્ચી નાંખ્યા બાદ દેવાના ખાડામાં ગરકાવ થઈ ગયેલાં નરેન્દ્ર સોનીએ આખા પરિવાર સાથે મોતને વ્હાલું કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, ઈશ્વરને કંઈક અલગ જ મંજૂર હતું તેથી જ આખા પરિવારે સાથે ઝેર ગટગટાવ્યું હતું છતાં 3 લોકોના જીવ બચી શકયા છે. સામૂહિક આપઘાતના પ્રયાસના બનાવની જાણ થતાં તાત્કાલિક સ્વાતિ સોસાયટીમાં પહોંચીને 3 લોકોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડનાર સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકીએ watchgujarat.com સાથેની ખાસ વાતચિતમાં દુઃખદાયક ઘટનાની વિગતો જણાવી હતી.
જિતેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, બુધવારે સાંજના સાડા ચાર્ વાગ્યા હશે હું મારા ઘર નજીક હાજર હતો. તેવામાં પોલીસના મિત્રો થકી જાણવા મળ્યું કે, સ્વાતિ સોસાયટીમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ વાત સાંભળતાં જ હું તાત્કાલીક સ્વાતિ સોસાયટી પહોંચવા માટે નિકળી પડ્યો હતો. દરમિયાન રસ્તામાં મેં મારા એક મિત્રને ફોન કરી સ્થળ ઉપર પહોંચવા જણાવ્યું હતુ. મારૂ ઘર નજીક હોવાથી ગણતરીની મીનિટોમાં સોસાયટીમાં પહોંચી ગયો હતો. દરમિયાન પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યાં હતા.
તેમણે ઉમેર્યું કે, સોની પરિવાર જે ઘરમાં ભાડે રહેતુ હતુ, તેનો દરવાજો બહારથી બંધ હતો. પરંતુ ઘરના જ એક વ્યક્તિએ પોલીસને ફોન કરી આ બાબતની જાણ કરી હતી કે, અમે બધાએ ઝેર પીધું છે અને દરવાજાને તાળું મારી ચાવી બહાર નાખી છે. જેથી દરવાજા પાસે પડેલી ચાવી વડે અમે પોલીસ સાથે મળી દરવાજો ખોલ્યો હતો. જેવા અમે ઘરમાં ઘૂસ્યા તો તમામ સભ્યો અહીં તહીં પડ્યાં હતાં. ઝેર પીવાથી થયેલી ઉલટીઓને કારણે વિચિત્ર વાસ આવી રહી હતી. ડ્રોઇંગ રૂમની ફર્શ પર 1 બાળકી સહિતના 4 પરિવારજનો બેશુદ્ધ અવસ્થામાં પડેલાં હતાં. જ્યારે પલંગ પર 3 વર્ષિય બાળકને છાતી સરસો ચાંપીને તેના દાદા પડેલાં હતાં.
જિતેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, બાળકનો હસતો ચેહરો અને ખુલ્લી આંખો જોતા હું સ્તબ્ધ રહીં ગયો હતો. એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના બાળકને પમ્પીંગ કરવાનુ શરૂ કર્યું, તેના મોઢામાંથી ફીણ નિકળી રહ્યું હતું, પરંતુ હું તેનો જીવ ન બચાવી શકાયો. બીજી તરફ જમીન પર પડેલી ચાર વ્યક્તિઓ પૈકી ભાવીન સોની, દિપ્તીબેન સોની અને ઉર્વીબેનમાં જીવ હોવાનુ જણાતુ હતુ. જ્યારે એક યુવતિ મૃત હાલતમાં જોવા મળી હતી. પરિસ્થિતિ એટલી વિકટ હતી કે, તાત્કાલીક નિર્ણય લેવો પડે, જેથી મેં સ્થળ પર હાજર ACP ભરત રાઠોડને કહ્યું, “સાહેબ મને તાત્કાલિક આ લોકોને હોસ્પિટલ લઇ જવા દો આ લોકોને, તો એમનો જીવ બચી જાય”, આ શબ્દો સાંભળતા જ ACP ભરત રાઠોડએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના મને મંજૂરી આપી દીધી હતી.
વધુમાં જણાવ્યું કે, હું તાત્કાલીક રસ્તા પર પહોંચ્યો અને હાથ જોડે એક ટેમ્પો ચાલક અને બે રીક્ષાવાળાને તાત્કાલિક લઈ આવ્યો. ઝેરની અસર હેઠળ રહેલાં લોકોને રીક્ષામાં લઈ જવાય તેમ ના લાગતાં, ટેમ્પામાં જ ત્રણ સભ્યોને તાત્કાલીક શ્રીજી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. જ્યાં અગાઉથી જ સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. સોની પરિવારના ત્રણેય સભ્યો સમયસર હોસ્પિટલમાં પહોંચી જતા તેઓની સારવાર હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે આજે સોની પરિવારના ત્રણ સભ્યોના જીવ બચી શક્યા છે. માત્ર 3 મીનિટમાં નિર્ણય લેવાયો અને ત્રણ લોકોનો જીવ બચ્યો છે.
જિતેન્દ્ર સોલંકીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ ઘટનામાં સૌથી દુખઃદ બાબત એ છે કે, હું માસૂમ બાળકને ન બચાવી શક્યો, દાદા જોડે પલંગમાં બાથ ભીડી મૃતયુ પામેલા બાળકને બચાવવાનો ખુબ પ્રયતનો કર્યા પણ સફળતા ના મળી. 108 એમ્બ્યૂલન્સ પણ આવી તેમણે પણ બાળકને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે તેનો જીવ બચી શક્યો ન હતો. આજે મારા પુત્રને જોઉં તો મને એમા પણ એ માસૂમ બાળક જ નજર પડે છે. આંખો બંધ કરતા જ બાળકનો હસતો માસૂમ ચહેરો સામે આવી જાય છે.
આપઘાતનો વિચાર કરતાં લોકને અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, મારી સૌ કોઇને વિનંતી છે કે, ગમે તેવી મોટી દુવિધા હોય કે તકલીફ હોય, ક્યારે આ પ્રકારનો વિચાર મનમાં લાવવો નહીં અને જો વિચાર આવે તો તેને સગા સબંધીઓ અથવા મિત્રો સાથે વાત કરવી જોઇએ, આ કરવાથી સમસ્યાનુ નિવારણ આવે છે. મારા મતે તો ધૂતરાં જ્યોતિષીઓ તેમજ વ્યાજખોરો સામે સરકારી તંત્રએ જ કડક પગલાં લેવા જોઈએ, જેથી આવી કોઈ હૃદય હચમચાવી દે તેવી ઘટના બનવા જ ના પામે.
સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારે સાગમટે ઝેર ગટગટાવ્યા બાદ ગણતરીની પળોમાં પહોંચેલાં જિતેન્દ્ર સોલંકી સાથે ખાસ વાતચિત.
ધૂતરાં જ્યોતિષીઓ અને વ્યાજખોરોની ચુંગાલમાં લોકો ના ફસાય તે માટે સરકાર નક્કર પગલાં લે તેવી જિતેન્દ્ર સોલંકીની લાગણી.
દાદાને ભેટીને પડેલાં 3 વર્ષિય પાર્થનો ચહેરો હજી આંખો સામે તરવરે છે – જિતેન્દ્ર સોલંકી
WatchGujarat. ધૂતારાં જ્યોતિષીઓ પાછળ લાખ્ખો રૂપિયા ખર્ચી નાંખ્યા બાદ દેવાના ખાડામાં ગરકાવ થઈ ગયેલાં નરેન્દ્ર સોનીએ આખા પરિવાર સાથે મોતને વ્હાલું કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, ઈશ્વરને કંઈક અલગ જ મંજૂર હતું તેથી જ આખા પરિવારે સાથે ઝેર ગટગટાવ્યું હતું છતાં 3 લોકોના જીવ બચી શકયા છે. સામૂહિક આપઘાતના પ્રયાસના બનાવની જાણ થતાં તાત્કાલિક સ્વાતિ સોસાયટીમાં પહોંચીને 3 લોકોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડનાર સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકીએ watchgujarat.com સાથેની ખાસ વાતચિતમાં દુઃખદાયક ઘટનાની વિગતો જણાવી હતી.
જિતેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, બુધવારે સાંજના સાડા ચાર્ વાગ્યા હશે હું મારા ઘર નજીક હાજર હતો. તેવામાં પોલીસના મિત્રો થકી જાણવા મળ્યું કે, સ્વાતિ સોસાયટીમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ વાત સાંભળતાં જ હું તાત્કાલીક સ્વાતિ સોસાયટી પહોંચવા માટે નિકળી પડ્યો હતો. દરમિયાન રસ્તામાં મેં મારા એક મિત્રને ફોન કરી સ્થળ ઉપર પહોંચવા જણાવ્યું હતુ. મારૂ ઘર નજીક હોવાથી ગણતરીની મીનિટોમાં સોસાયટીમાં પહોંચી ગયો હતો. દરમિયાન પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યાં હતા.
તેમણે ઉમેર્યું કે, સોની પરિવાર જે ઘરમાં ભાડે રહેતુ હતુ, તેનો દરવાજો બહારથી બંધ હતો. પરંતુ ઘરના જ એક વ્યક્તિએ પોલીસને ફોન કરી આ બાબતની જાણ કરી હતી કે, અમે બધાએ ઝેર પીધું છે અને દરવાજાને તાળું મારી ચાવી બહાર નાખી છે. જેથી દરવાજા પાસે પડેલી ચાવી વડે અમે પોલીસ સાથે મળી દરવાજો ખોલ્યો હતો. જેવા અમે ઘરમાં ઘૂસ્યા તો તમામ સભ્યો અહીં તહીં પડ્યાં હતાં. ઝેર પીવાથી થયેલી ઉલટીઓને કારણે વિચિત્ર વાસ આવી રહી હતી. ડ્રોઇંગ રૂમની ફર્શ પર 1 બાળકી સહિતના 4 પરિવારજનો બેશુદ્ધ અવસ્થામાં પડેલાં હતાં. જ્યારે પલંગ પર 3 વર્ષિય બાળકને છાતી સરસો ચાંપીને તેના દાદા પડેલાં હતાં.
જિતેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, બાળકનો હસતો ચેહરો અને ખુલ્લી આંખો જોતા હું સ્તબ્ધ રહીં ગયો હતો. એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના બાળકને પમ્પીંગ કરવાનુ શરૂ કર્યું, તેના મોઢામાંથી ફીણ નિકળી રહ્યું હતું, પરંતુ હું તેનો જીવ ન બચાવી શકાયો. બીજી તરફ જમીન પર પડેલી ચાર વ્યક્તિઓ પૈકી ભાવીન સોની, દિપ્તીબેન સોની અને ઉર્વીબેનમાં જીવ હોવાનુ જણાતુ હતુ. જ્યારે એક યુવતિ મૃત હાલતમાં જોવા મળી હતી. પરિસ્થિતિ એટલી વિકટ હતી કે, તાત્કાલીક નિર્ણય લેવો પડે, જેથી મેં સ્થળ પર હાજર ACP ભરત રાઠોડને કહ્યું, “સાહેબ મને તાત્કાલિક આ લોકોને હોસ્પિટલ લઇ જવા દો આ લોકોને, તો એમનો જીવ બચી જાય”, આ શબ્દો સાંભળતા જ ACP ભરત રાઠોડએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના મને મંજૂરી આપી દીધી હતી.
વધુમાં જણાવ્યું કે, હું તાત્કાલીક રસ્તા પર પહોંચ્યો અને હાથ જોડે એક ટેમ્પો ચાલક અને બે રીક્ષાવાળાને તાત્કાલિક લઈ આવ્યો. ઝેરની અસર હેઠળ રહેલાં લોકોને રીક્ષામાં લઈ જવાય તેમ ના લાગતાં, ટેમ્પામાં જ ત્રણ સભ્યોને તાત્કાલીક શ્રીજી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. જ્યાં અગાઉથી જ સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. સોની પરિવારના ત્રણેય સભ્યો સમયસર હોસ્પિટલમાં પહોંચી જતા તેઓની સારવાર હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે આજે સોની પરિવારના ત્રણ સભ્યોના જીવ બચી શક્યા છે. માત્ર 3 મીનિટમાં નિર્ણય લેવાયો અને ત્રણ લોકોનો જીવ બચ્યો છે.
જિતેન્દ્ર સોલંકીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ ઘટનામાં સૌથી દુખઃદ બાબત એ છે કે, હું માસૂમ બાળકને ન બચાવી શક્યો, દાદા જોડે પલંગમાં બાથ ભીડી મૃતયુ પામેલા બાળકને બચાવવાનો ખુબ પ્રયતનો કર્યા પણ સફળતા ના મળી. 108 એમ્બ્યૂલન્સ પણ આવી તેમણે પણ બાળકને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે તેનો જીવ બચી શક્યો ન હતો. આજે મારા પુત્રને જોઉં તો મને એમા પણ એ માસૂમ બાળક જ નજર પડે છે. આંખો બંધ કરતા જ બાળકનો હસતો માસૂમ ચહેરો સામે આવી જાય છે.
આપઘાતનો વિચાર કરતાં લોકને અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, મારી સૌ કોઇને વિનંતી છે કે, ગમે તેવી મોટી દુવિધા હોય કે તકલીફ હોય, ક્યારે આ પ્રકારનો વિચાર મનમાં લાવવો નહીં અને જો વિચાર આવે તો તેને સગા સબંધીઓ અથવા મિત્રો સાથે વાત કરવી જોઇએ, આ કરવાથી સમસ્યાનુ નિવારણ આવે છે. મારા મતે તો ધૂતરાં જ્યોતિષીઓ તેમજ વ્યાજખોરો સામે સરકારી તંત્રએ જ કડક પગલાં લેવા જોઈએ, જેથી આવી કોઈ હૃદય હચમચાવી દે તેવી ઘટના બનવા જ ના પામે.