મહારાષ્ટ્રીયન શિર્કે પરિવારના મોભી પહેલા કલરકામ કરતા હતા, પરંતુ લોકડાઉન ટાણે તેમનો વ્યવસાય છુટી ગયો
એક વર્ષથી શિર્કે દંપત્તિ છેલ્લા એક વર્ષથી પરિવાર સાથે વાસણા સ્મશાનમાં રહીને ગુજરાન ચલાવી રહ્યો છે
સ્મશાનમાં રહેતા દંપત્તિ મૃતદેહોની અંતિમ ક્રિયા થી લઇને અસ્થિ વિસર્જન કરવા સુધીની કામગીરી કરવામાં આવે છે
WatchGujarat. હાલ રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. છેલ્લા એક વર્ષથી ચાલતા કોરોનાના કહેરમાં અનેક પરિવારો વિખેરાઇ ગયા છે. તો અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. કોરોનાની આ મહામારીમાં નોકરી ગુમાવનાર વડોદરાના મહારાષ્ટ્રીયન પરિવારના મોભીએએ પરિવારનું ગુજરાન ચલાવવા સાથે ઘરની છત પૂરી પાડવા વડોદરાના વાસણા ગામના સ્મશાન ખાતે પોતાનું ઘર બનાવ્યું છે. અને સ્મશાનમાં રહીને મૃતકોના અંતિમ સંસ્કારની કામગીરી કરી રહ્યો છે.
મૂળ મહારાષ્ટ્રના વતની અને છેલ્લા એક વર્ષથી વાસણા ગામના સ્મશાનમાં કનૈયાલાલ શિર્કે પરિવાર સાથે રહે છે. અને શિર્કે દંપત્તિ કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ વિધિની તમામ જવાબદારી નિભાવી રહ્યું છે. એક વર્ષ પૂર્વે કોરોનાની સ્થિતીનો ભોગ બનેલા કનૈયાલાલ સિર્કે કલર કામનો વ્યવસાય કરતા હતા. અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ કોરોનાની પહેલી લહેર સમયે આવેલા લોકડાઉનના કારણે રોજગારી ગુમાવતા તેમને છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારવાનો વારો આવ્યો હતો.
કોઈ સહારો ન મળતા તેમને પોતાના પરિવાર સાથે સ્મશાન રહેવાનું નક્કી કર્યું
કનૈયાલાલ છેલ્લા એક વર્ષ થી તેમની પત્ની તેમજ બે નાના બાળકો 2 સાથે શહેરના વાસણા સ્મશાનમાં રહીને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહોની અંતિમ ક્રિયાથી માંડીને સ્વ ખર્ચે અસ્થિ વિસર્જન સુધીનું ભગીરથ કાર્ય કરે છે. અંતિમ સંસ્કારની કામગીરી દરમિયાન કનૈયાલાલ સ્મશાનની ઇલેક્ટ્રિક ચિતામાં સળિયા ઉપાડવાનું કામ કરતા તેમને હાથ તેમજ પગના ભાગે દાઝી જવાથી ઇજાઓ પણ પહોચી છે.
અસ્થિઓને એકત્રિત કરી સ્વ ખર્ચે નદીમાં વિસર્જિત કરે છે
કનૈયાલાલે જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીના કારણે કેટલાક સ્વજનો મૃતકની અસ્થિતો દૂર મૃતદેહ ને હાથ લગાડવા પણ તૈયાર નથી. આ સ્થિતિમાં તેઓ પોતે અસ્થિઓને એકત્રિત કરી સ્વ ખર્ચે નદીમાં વિસર્જિત કરી મૃતકોને મોક્ષની પ્રાપ્તિ થાય તેવું કાર્ય કરી રહ્યા છે. નોધનિય છે કે કનૈયાલાલના આ ભગીરથ કાર્યની જાણ કેટલીક સામાજિક સંસ્થાઓને થતા તેઓએ કનૈયાલાલને કામ સામે વળતર આપવા સહિત પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી પણ ઉપાડી છે.
સામાન્ય રીતે નાગરિકો સ્મશાન માં જવાનું ટાળતા હોય છે અથવા તો તેમને ડર સતાવતો હોય છે તેવામાં આ પરિવાર પોતે સ્મશાન માં રહી ને સેવા કાર્ય કરતા તેમના આ પુન્ય કાર્યની સરાહના સમગ્ર શહેર માં થઈ રહી છે.
મહારાષ્ટ્રીયન શિર્કે પરિવારના મોભી પહેલા કલરકામ કરતા હતા, પરંતુ લોકડાઉન ટાણે તેમનો વ્યવસાય છુટી ગયો
એક વર્ષથી શિર્કે દંપત્તિ છેલ્લા એક વર્ષથી પરિવાર સાથે વાસણા સ્મશાનમાં રહીને ગુજરાન ચલાવી રહ્યો છે
સ્મશાનમાં રહેતા દંપત્તિ મૃતદેહોની અંતિમ ક્રિયા થી લઇને અસ્થિ વિસર્જન કરવા સુધીની કામગીરી કરવામાં આવે છે
WatchGujarat. હાલ રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. છેલ્લા એક વર્ષથી ચાલતા કોરોનાના કહેરમાં અનેક પરિવારો વિખેરાઇ ગયા છે. તો અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. કોરોનાની આ મહામારીમાં નોકરી ગુમાવનાર વડોદરાના મહારાષ્ટ્રીયન પરિવારના મોભીએએ પરિવારનું ગુજરાન ચલાવવા સાથે ઘરની છત પૂરી પાડવા વડોદરાના વાસણા ગામના સ્મશાન ખાતે પોતાનું ઘર બનાવ્યું છે. અને સ્મશાનમાં રહીને મૃતકોના અંતિમ સંસ્કારની કામગીરી કરી રહ્યો છે.
મૂળ મહારાષ્ટ્રના વતની અને છેલ્લા એક વર્ષથી વાસણા ગામના સ્મશાનમાં કનૈયાલાલ શિર્કે પરિવાર સાથે રહે છે. અને શિર્કે દંપત્તિ કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ વિધિની તમામ જવાબદારી નિભાવી રહ્યું છે. એક વર્ષ પૂર્વે કોરોનાની સ્થિતીનો ભોગ બનેલા કનૈયાલાલ સિર્કે કલર કામનો વ્યવસાય કરતા હતા. અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ કોરોનાની પહેલી લહેર સમયે આવેલા લોકડાઉનના કારણે રોજગારી ગુમાવતા તેમને છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારવાનો વારો આવ્યો હતો.
કોઈ સહારો ન મળતા તેમને પોતાના પરિવાર સાથે સ્મશાન રહેવાનું નક્કી કર્યું
કનૈયાલાલ છેલ્લા એક વર્ષ થી તેમની પત્ની તેમજ બે નાના બાળકો 2 સાથે શહેરના વાસણા સ્મશાનમાં રહીને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહોની અંતિમ ક્રિયાથી માંડીને સ્વ ખર્ચે અસ્થિ વિસર્જન સુધીનું ભગીરથ કાર્ય કરે છે. અંતિમ સંસ્કારની કામગીરી દરમિયાન કનૈયાલાલ સ્મશાનની ઇલેક્ટ્રિક ચિતામાં સળિયા ઉપાડવાનું કામ કરતા તેમને હાથ તેમજ પગના ભાગે દાઝી જવાથી ઇજાઓ પણ પહોચી છે.
અસ્થિઓને એકત્રિત કરી સ્વ ખર્ચે નદીમાં વિસર્જિત કરે છે
કનૈયાલાલે જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીના કારણે કેટલાક સ્વજનો મૃતકની અસ્થિતો દૂર મૃતદેહ ને હાથ લગાડવા પણ તૈયાર નથી. આ સ્થિતિમાં તેઓ પોતે અસ્થિઓને એકત્રિત કરી સ્વ ખર્ચે નદીમાં વિસર્જિત કરી મૃતકોને મોક્ષની પ્રાપ્તિ થાય તેવું કાર્ય કરી રહ્યા છે. નોધનિય છે કે કનૈયાલાલના આ ભગીરથ કાર્યની જાણ કેટલીક સામાજિક સંસ્થાઓને થતા તેઓએ કનૈયાલાલને કામ સામે વળતર આપવા સહિત પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી પણ ઉપાડી છે.
સામાન્ય રીતે નાગરિકો સ્મશાન માં જવાનું ટાળતા હોય છે અથવા તો તેમને ડર સતાવતો હોય છે તેવામાં આ પરિવાર પોતે સ્મશાન માં રહી ને સેવા કાર્ય કરતા તેમના આ પુન્ય કાર્યની સરાહના સમગ્ર શહેર માં થઈ રહી છે.