ગત તા. 3 માર્ચના રોજ સ્વાતિ સોસા.માં સોની પરિવારના 6 સભ્યોએ કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લીધી હતી.
સોની પરિવારના સામૂહિક આપઘાત મામલે 9 જ્યોતિષો સામે પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો.
9 પૈકી રાજસ્થાન પુષકના જ્યોતિષ ખીનરાજ પંચમરામ જોષીનુ મોત નિપજ્યું છે.
8 જ્યોતિષો પૈકી 5એ આગોતરા મેળવવા વડોદરા કોર્ટમાં કરી હતી.
પાંચ જ્યોતિષો પૈકી એક પ્રહલાદ જોષીની જામીન અંગે આજે સુનવણી હાથ ધરવામાં આવી અન્ય ચારની આગામી 12મીએ સુનવણી
WatchGujarat. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવાર આર્થિક ભીંસમાં આવી જતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દાદા, પૌત્ર અને પુત્રીનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે માતા બાદ પુત્ર ભાવીન સોનીનુ પણ ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. સામૂહિક આપઘાત મામલે પોલીસે મૃતક ભાવીન સોનીના નિવેદનના આધારે 9 જ્યોતિષો સામે રૂ. 32 ઉપરાંતની છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. જેથી ભાગતા ફરતા જ્યોતિષો પૈકી પાંચે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.
સમગ્ર ઘટના એવી હતી કે, શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોની અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં આવી ગયો હતો. આર્થિક પરિસ્થિતિ પડી ભાંગતા સોની પરિવાર માટે ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યું હતુ. તેવામાં ઘરના મોભી નરેન્દ્રભાઇ સોનીએ સ્વમાલિકીનુ મકાન રૂ. 40 લાખમાં વેચવા માટે કાઢ્યું હતુ. પરંતુ કોઇ કારણોસર મકાન વેચાયુ ન હતુ. જેથી તેમણે એક બાદ એક જ્યોતિષીનો સંપર્ક સાધવાનુ શરૂ કર્યું હતુ. જેમાં વાસ્તુ દોષ તેમજ જુદા જુદા વિધ્નો દુર કરવાના બહાને એક વર્ષમાં 9 જ્યોતિષિઓએ નરેન્દ્રભાઇ પાસેથી રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા.
જેથી આર્થિક ભીંસમાં આવી જતા સોની પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ નિર્ણય લેતા ગત તા. 3 માર્ચના રોજ કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લીધી હતી. જેમાં 3 વર્ષી પૌત્ર પાર્થને તેના દાદાએ ખુદ હાથે ઝેરી દવા પીવડાવતા તેનુ મોત નિ પજ્યું હતુ. સામિહક આપઘાતના બનાવમાં સોની પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે માતા દિપ્તીબેન, પુત્ર ભાવીન સોની અને તેની પત્ની ઉર્વીબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ભાવીન સોનીની એક તબક્કે હાલત સ્થિર થતાં સમા પોલીસે તેનુ નિવેદન લીધુ હતુ. જેના આધારે પોલીસે મૃતક નરેન્દ્ર સોની સામે પૌત્રની હત્યાના મામલે ગુનો નોંધ્યો હતો. જ્યારે ભાવીનના નિવેદનના આધારે અમદાવાદ, વડોદરા અને રાજસ્થાનના 9 જ્યોતિષો સામે રૂ. 32 લાખ ઉપરાંતની છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ચકચારી બનાવને પગલે સમા પોલીસે જ્યોતિષોને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવની તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ હાથે લાગ્યું ન હતુ. તેવામાં પોલીસ પકડથી બચવા માટે પાંચ જ્યોતિષો દ્વારા વડોદરા કોર્ટમાં આગોતર જામીન મેળવવા વકિલ મારફતે અરજી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોષીની જામીન અરજી અંગે આજરોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર જ્યોતિષોની આગોતરા જામીન અરજી અંગેની સુનવણી આગામી 12મી માર્ચે હાથ ધરવામાં આવશે.
ગત તા. 3 માર્ચના રોજ સ્વાતિ સોસા.માં સોની પરિવારના 6 સભ્યોએ કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લીધી હતી.
સોની પરિવારના સામૂહિક આપઘાત મામલે 9 જ્યોતિષો સામે પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો.
8 જ્યોતિષો પૈકી 5એ આગોતરા મેળવવા વડોદરા કોર્ટમાં કરી હતી.
પાંચ જ્યોતિષો પૈકી એક પ્રહલાદ જોષીની જામીન અંગે આજે સુનવણી હાથ ધરવામાં આવી અન્ય ચારની આગામી 12મીએ સુનવણી
WatchGujarat. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવાર આર્થિક ભીંસમાં આવી જતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દાદા, પૌત્ર અને પુત્રીનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે માતા બાદ પુત્ર ભાવીન સોનીનુ પણ ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. સામૂહિક આપઘાત મામલે પોલીસે મૃતક ભાવીન સોનીના નિવેદનના આધારે 9 જ્યોતિષો સામે રૂ. 32 ઉપરાંતની છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. જેથી ભાગતા ફરતા જ્યોતિષો પૈકી પાંચે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.
સમગ્ર ઘટના એવી હતી કે, શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોની અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં આવી ગયો હતો. આર્થિક પરિસ્થિતિ પડી ભાંગતા સોની પરિવાર માટે ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યું હતુ. તેવામાં ઘરના મોભી નરેન્દ્રભાઇ સોનીએ સ્વમાલિકીનુ મકાન રૂ. 40 લાખમાં વેચવા માટે કાઢ્યું હતુ. પરંતુ કોઇ કારણોસર મકાન વેચાયુ ન હતુ. જેથી તેમણે એક બાદ એક જ્યોતિષીનો સંપર્ક સાધવાનુ શરૂ કર્યું હતુ. જેમાં વાસ્તુ દોષ તેમજ જુદા જુદા વિધ્નો દુર કરવાના બહાને એક વર્ષમાં 9 જ્યોતિષિઓએ નરેન્દ્રભાઇ પાસેથી રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા.
જેથી આર્થિક ભીંસમાં આવી જતા સોની પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ નિર્ણય લેતા ગત તા. 3 માર્ચના રોજ કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લીધી હતી. જેમાં 3 વર્ષી પૌત્ર પાર્થને તેના દાદાએ ખુદ હાથે ઝેરી દવા પીવડાવતા તેનુ મોત નિ પજ્યું હતુ. સામિહક આપઘાતના બનાવમાં સોની પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે માતા દિપ્તીબેન, પુત્ર ભાવીન સોની અને તેની પત્ની ઉર્વીબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ભાવીન સોનીની એક તબક્કે હાલત સ્થિર થતાં સમા પોલીસે તેનુ નિવેદન લીધુ હતુ. જેના આધારે પોલીસે મૃતક નરેન્દ્ર સોની સામે પૌત્રની હત્યાના મામલે ગુનો નોંધ્યો હતો. જ્યારે ભાવીનના નિવેદનના આધારે અમદાવાદ, વડોદરા અને રાજસ્થાનના 9 જ્યોતિષો સામે રૂ. 32 લાખ ઉપરાંતની છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ચકચારી બનાવને પગલે સમા પોલીસે જ્યોતિષોને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવની તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ હાથે લાગ્યું ન હતુ. તેવામાં પોલીસ પકડથી બચવા માટે પાંચ જ્યોતિષો દ્વારા વડોદરા કોર્ટમાં આગોતર જામીન મેળવવા વકિલ મારફતે અરજી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોષીની જામીન અરજી અંગે આજરોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર જ્યોતિષોની આગોતરા જામીન અરજી અંગેની સુનવણી આગામી 12મી માર્ચે હાથ ધરવામાં આવશે.