શહેરના ખોડીયાનગર સ્થિત બ્રહ્મનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાંથી ગત રોજ સવારે એક યુવકની લાશ મળી હતી.
હરણી પોલીસે ગણતરીના કલાકોમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો
WatchGujarat. બાળકોની સલમાતિ અને જવાવબદારી એ માતા-પિતાનો ધર્મ છે. બાળકને સ્હેજ પણ આંચ આવે તો માતા-પિતાનો જીવ અધ્ધર થઇ જતો હોય છે. તેવામાં પોતાની દિકરી પર નજર બગડાનાર અને ઉપાડી જવાની ધમકી આપનાર યુવકની એક પિતાએ હત્યા કરી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હરણી પોલીસે આ મામલે હત્યારાના ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ખોડીયારનગર સ્થિત બ્રહ્મનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાંથી અનિલ તિવારી નામના યુવકની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે કવાયત શરૂ કરી શંકાના આધારે લેબર કોન્ટ્રાકટર બ્રીજલાલ શારદાપ્રસાદ તિવારીની અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં બ્રીજલાલએ કરેલા ગુનાની કબુલાત કરી જણાવ્યું હતુ કે, અનિલ છેલ્લા ઘણા સમયથી તેના સંપર્કમાં હતો. અવાર નવાર તે બ્રીજલાલના ઘરે પણ આવતો હતો. #Vadodara
ઘરે આવી અનિલ બ્રીજલાલની સગીર દિકરી ઉપર નજર બગાડતો હતો. જે બાબતની જાણ પિતા બ્રીજલાલને થતાં તેણે અનિલને ટોક્યો પણ હતો. આ બાબતે હત્યાના બે દિવસ અગાઉ અનિલ અને બ્રીજલાલ વચ્ચે ઝઘડો થયો હતો. બ્રીજલાલ પુત્રના જન્મદિને અનિલે ઘરે આવે બીભત્સ ગાળો ભાંડી તારી દિકરીને ઉપાડી જઇશ તેની ધમકી આપી હતી. જે બાબતની અદાવત રાખી બ્રીજલાલે મંગળવારે રાત્રે બ્રહ્મનગર-2ના મેદાનમાં બેઠેલા અનિલના માથામાં લોખંડની પાઇપ વડે માથાના ભાગે હુમલો કરી ઢીમ ઢાળી દીધુ હતુ. હરણી પોલીસે આ મામલે બ્રીજલાલ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #Vadodara
More #Father #murdered #painter #characterless #behaviors #towards #daughter #Vadodara News #Watchgujarat
શહેરના ખોડીયાનગર સ્થિત બ્રહ્મનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાંથી ગત રોજ સવારે એક યુવકની લાશ મળી હતી.
WatchGujarat. બાળકોની સલમાતિ અને જવાવબદારી એ માતા-પિતાનો ધર્મ છે. બાળકને સ્હેજ પણ આંચ આવે તો માતા-પિતાનો જીવ અધ્ધર થઇ જતો હોય છે. તેવામાં પોતાની દિકરી પર નજર બગડાનાર અને ઉપાડી જવાની ધમકી આપનાર યુવકની એક પિતાએ હત્યા કરી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હરણી પોલીસે આ મામલે હત્યારાના ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ખોડીયારનગર સ્થિત બ્રહ્મનગર-2 પાસેના ખુલ્લા મેદાનમાંથી અનિલ તિવારી નામના યુવકની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે કવાયત શરૂ કરી શંકાના આધારે લેબર કોન્ટ્રાકટર બ્રીજલાલ શારદાપ્રસાદ તિવારીની અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં બ્રીજલાલએ કરેલા ગુનાની કબુલાત કરી જણાવ્યું હતુ કે, અનિલ છેલ્લા ઘણા સમયથી તેના સંપર્કમાં હતો. અવાર નવાર તે બ્રીજલાલના ઘરે પણ આવતો હતો. #Vadodara
ઘરે આવી અનિલ બ્રીજલાલની સગીર દિકરી ઉપર નજર બગાડતો હતો. જે બાબતની જાણ પિતા બ્રીજલાલને થતાં તેણે અનિલને ટોક્યો પણ હતો. આ બાબતે હત્યાના બે દિવસ અગાઉ અનિલ અને બ્રીજલાલ વચ્ચે ઝઘડો થયો હતો. બ્રીજલાલ પુત્રના જન્મદિને અનિલે ઘરે આવે બીભત્સ ગાળો ભાંડી તારી દિકરીને ઉપાડી જઇશ તેની ધમકી આપી હતી. જે બાબતની અદાવત રાખી બ્રીજલાલે મંગળવારે રાત્રે બ્રહ્મનગર-2ના મેદાનમાં બેઠેલા અનિલના માથામાં લોખંડની પાઇપ વડે માથાના ભાગે હુમલો કરી ઢીમ ઢાળી દીધુ હતુ. હરણી પોલીસે આ મામલે બ્રીજલાલ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #Vadodara