ગાયકવાડ વંશના આદિ પુરુષના વંશજોમાં ના શ્રી કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્ર માંથી વચેટ પુત્ર શ્રી ગોપાળરાવ ની પસંદગી દત્તક પુત્ર તરીકે લીધા
મહારાજા સયાજીરાવ ત્રીજાનો જન્મ ૧૧ માર્ચ, ૧૮૬૩ એ થયો હતો, માત્ર ૧૮ વર્ષની ઉંમરે સન ૧૮૮૧, ડિસેમ્બર ની ૨૮ મી તારીખે રાજસત્તા હાથે ધરી.
હીરકમહોત્સવ ની ઉજવણી કરવા મુખ્ય ૫ પ્રાંત (વડોદરા શહેર અને વડોદરા પ્રાંત, અમરેલી પ્રાંત, ઓખા પ્રાંત, મહેસાણા પ્રાંત, નવસારી પ્રાંત) માટે મધ્યવર્તી સમિતિ તેમજ પેટ સમિતિ નીમવામાં આવી.
WatchGujarat. મહારાજા ખંડેરાવના અવસાન થયા બાદ, શ્રીમંતને પુત્ર ન હોવાથી વિધવા મહારાણીશ્રી જમનાબાઈ સાહેબે ગાયકવાડ કુટુંબ માંથી ખાનદેશમાં વસવાટ કરતા ગાયકવાડ વંશના આદિ પુરુષના વંશજોમાં ના શ્રી કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્ર માંથી વચેટ પુત્ર શ્રી ગોપાળરાવ ની પસંદગી દત્તક પુત્ર તરીકે લીધા હતી. તેથી તેઓ શ્રીમંત સયાજીરાવ ત્રીજા તરીકે તારીખ ૨૭ મે, ૧૮૭૫ ના શુભ દિવસે ૧૨ વર્ષ ની ઉંમરે ગાદી પર બેઠા.
મહારાજા સયાજીરાવ ત્રીજાનો જન્મ ૧૧ માર્ચ, ૧૮૬૩ એ થયો હતો, માત્ર ૧૮ વર્ષની ઉંમરે સન ૧૮૮૧, ડિસેમ્બર ની ૨૮ મી તારીખે રાજસત્તા હાથે ધરી. શ્રીમંત ગાદીએ આવ્યા તે સમયથી જ પ્રજા માટેના સુધારા કરવા શ્રીમંત દ્વારા રસ્તા, પાણી, ગટર, બાગ બગીચા, આરોગ્ય, વાહનવ્યવહાર, કુવા, શિક્ષણ, પુસ્તકાલય, વેપાર ઉદ્યોગ જેવા રાજ્ય સુખાકારી ના કાર્યોને ઉત્તેજના આપી હતી. તથા બાળલગ્નની રૂઢિ, ન્યાતોનો ત્રાસ, સામાજિક ન્યાયનો વિરોધ કરનારી અસ્પૃશ્યતા જેવી હાનિકારક સામાજિક બંદીઓ કાઢી નાખવા તેમજ ફરજીયાત લોકશિક્ષણ જાહેર કરી, ચુસ્ત કાયદા ઘડી તેનો ચોક્કસપણે અમલ કરાવ્યો હતો.
શ્રીમંતના શાસનકાળને ૨૫ વર્ષ પૂર્ણ થતા ૧૯૦૬ માં રજતમોહત્સવ ના પ્રસંગે કરવામાં આવેલ ઠરાવ પ્રમાણે મહારાજા સાહેબની અશ્વારૂઢ પ્રતિમા તૈયાર કરવા પ્રજા એ પોણા લાખ રૂપિયા એકઠા કરી લંડન ના શિલ્પકાર ફ્રાન્સિસ ડાર્વેન્ડ વુડ ને સોંપવામાં આવી, શ્રીમંતના શાસનકાળ ના ૫૦ વર્ષ ની ગણતરી ૧૮૭૫ થી કરતા ૧૯૨૬ માં ફરી એક વાર ભાગ્યશાળી પ્રજાને સુવર્ણ મોહત્સવ ઉજવવા નો મોકો મળ્યો, મહારાજના વિનમ્ર સ્વભાવ તથા પ્રજા અને રાજ્ય પ્રત્યેના અનહદ પ્રેમ અને લાગણી ના કારણે બ્રિટિશના મહારાણી વિક્ટોરિયા પછી શ્રીમંત હિંદ ના માત્ર મહારાજ હતા જેઓનો શાસનકાળ ૬૦ વર્ષ થી વધુ ચાલ્યો હતો. ૨૭ મે ૧૯૩૫ માં શ્રીમંતના રાજ્યારોહણને ૬૦ વર્ષ પૂર્ણ થવાની ખુશી માં પ્રજા એ હીરકમહોત્સવ (ડાયમંડ જ્યુબલી) ઉજવવાનું નક્કી કર્યું, જે સમયે મહારાજ યુરોપની મુસાફરીએ હોવાથી ૧૯૩૬ માં હીરકમહોત્સવ ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. મહોત્સવ ના નિમણુંક પત્રક માટે ૫૦૦૦ ગુજરાતી અને માત્ર ૫૦૦ અંગ્રેજી ભાષાની નકલ આસપાસના તમામ ગામડા, પ્રાંતો અને રાજ્યો માં વેહચી, ગુજરાતી ભાષા નું મહત્વ સમજાવ્યું હતું.
હીરકમહોત્સવ ની ઉજવણી કરવા મુખ્ય ૫ પ્રાંત (વડોદરા શહેર અને વડોદરા પ્રાંત, અમરેલી પ્રાંત, ઓખા પ્રાંત, મહેસાણા પ્રાંત, નવસારી પ્રાંત) માટે મધ્યવર્તી સમિતિ તેમજ પેટ સમિતિ નીમવામાં આવી. હીરકમહોત્સવની ઉજવણી કરવા જાન્યુઆરી ૧ (બુધવાર) થી જાન્યુઆરી ૧૧ (શનિવાર) સુધી દરેક દિવસ ના કાર્યક્રમનો સમયપત્રક બહાર પાડવા માં આવ્યો હતો, તેમજ કાર્યક્રમ માટેના જરૂરી ખર્ચ ની રકમ પણ પહેલાથી જ નક્કી કરી દેવાઈ હતી, તે સમય ની રાજ્યની પરિસ્થિતિ નબળી હોવાથી એકઠી થનાર કુલ રકમ માંથી માત્ર ૧૦ થી ૨૦ % રકમનો કાર્યક્રમમાં ખર્ચ કરી બાકીની રકમ નો ગ્રામસુધારણા માં ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વડોદરા શહેર શણગારવાનું કામ ૩૧ ડિસેમ્બર, ૧૯૩૫ સુધી પૂરું કરી દેવામાં આવ્યું હતું. લક્ષ્મીવિલાસ મહેલ થી માંડી લહેરીપુરા, માંડવી, ગેંડીગેટ, સુરસાગર, ન્યાયમંદિર, દાંડિયાબજાર, જ્યુબેલીબાગ, મકરપુરા તમામ સ્થળો સજાવવામાં આવ્યI હતI. તથા માર્ગ પર "શાંતિ, સમૃદ્ધિ, આબાદી"; સ્વદેશ પ્રેમી નરેશ; ગ્રેટેસ્ટ મહારાજા; મેકર ઓફ મોર્ડન બરોડા; જેવા સુવાયકો ના પાટિયા લાગવાંમાં આવ્યા હતા. ૩ જાન્યુઆરીના રોજ વિઠ્ઠલમંદિર માં ભગવાનના દર્શન કરી મહોત્સવ ની શરૂઆત થઇ હતી, ત્યારબાદ નાના મોટા ઘણા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા જે દરમિયાન શહેરની મહારાણી ગર્લ્સ હાઈ સ્કૂલ,મધ્યવર્તી શાળા,મરાઠી શાળા નાં વિદ્યાર્થીઓ તથા કવિઓ, વિધવાનોદ્વારા પણ શ્રીમંત માટે ગીત ગાઈ સન્માન કરવામાં આવ્યું હતું.
એક ગણતરી મુજબ આ મહોત્સવ માં દેશ વિદેશ થી ૫૦,૦૦૦ થી વધુ મહેમાનો શ્રીમંતને માનપત્ર અર્પણ કરવા તથા અભિનંદન આપવા પધાર્યા હતા, જેમાં વડોદરા શહેરની પ્રજામંડળ ના માનપત્ર થી શરુ કરી, નવસારી ના પારસીઓ, પુના, મુંબઈ, નાસિક જિલ્લા, લાહોર, અમદાવાદ જૈન યુવક સંઘ, સતારા સમાજ, મહેસાણા, અમરેલી, દામનગર, વિસનગર, સુરત, સિદ્ધપુર,કોડીનાર જેવા શહેરો તથા રાજ્યો ના માનપત્ર સહીત સોના ચાંદી ની બનાવેલી મંજુષા સ્વીકાર કરવામાં આવી હતી. અમેરિકાના ન્યુયોર્ક તથા ઇંગ્લેન્ડમાં પણ શ્રીમંતના માન માં હીરકમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તથા અમેરિકાના ચિકાગોમાં પણ શ્રીમંતએ મુખ્યમહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
શ્રીમંત ના ખાસ મિત્ર પંડિત મદન મોહન માલવિયાજી, ફ્રેન્ચ એકેડેમી ના ફ્રેન્ચમેન મોન્સયોર લોકોમ્બ, મુંબઈ સરકારના મંત્રી મી.જાધવ, દ્વારકા ખંડ પીઠના શંકરાચાર્ય, નામદાર લોર્ડ વાઇસરોય તેમજ લેડી વિલીગ્ડન પણ રાજ્યની ખુશી માં સામેલ થયા હતા. સુવર્ણમહોત્સવ ની યાદગીરી માટે આશરે સડા સાત લાખ રૂપિયામાં તૈયાર કરાયેલ "સાયન્સ અને ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ" નું ઉદ્ઘાટન ના.વાઇસરોય ના હસ્તે કરાવવામાં આવ્યું હતું. મહારાજના સાદગી તથા નિશ્વાર્થભર્યા જીવનની જાણ તો ત્યારે થઇ જયારે બાલ્ડીમોરમાં થયેલ મેળાવડા માં કેદારનાથના દાસગુપ્તને પોતાના વખાણ કરતા અટકાવી મહારાજે કહ્યું કે, "મેં શું કર્યું છે એ નહિ હવે મારે શું કરવાનું છે એટલુંજ માત્ર કહો".
હીરકમહોત્સવ બાબતે ગ્રેટબ્રિટન તથા યુરોપના વર્તમાન તેમજ દેશ વિદેશ ના જાણીતા વર્તમાનપત્રો જેવા કે "ઘી ટાઈમ્સ વીકલી એડિસન", "ઘી સ્ટાર", "ઘી ઈંગ્લીસ રિવ્યૂ" એ નોંધ લીધી હતી, તેમજ શ્રીમંત પ્રત્યે ની પોતાની વફાદારી અને પ્રેમની લાગણી બતાવવા વડોદરા ના "શ્રી સયાજી વિજય", "નવગુજરાત", "ભારત" તેમજ હિંદના બીજા ગુજરાતી દૈનિકપત્રો એવા "સંદેશ", "મુંબઈ સમાચાર" તથા "ઘી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા" જેવા અંગ્રેજી સમાચારપત્રો અને અગ્રગણ્ય સામાયિકો એ ધ્યાન ખેંચે એવી નોંધ લીધી હતી.
હીરકમહોત્સવના અનુપમ પ્રસંગની યાદગીરી કાયમ માટે રહે તે અર્થે મહોત્સવ નો સૌથી અગત્યનો તથા ઇતિહાસમાં યાદગાર દિવસ તારીખ ૩ જાન્યુઆરી, જયારે વડોદરા શહેરની સમસ્ત પ્રજા તરફથી અપાયેલું માનપત્ર શ્રીમંત એ સ્વીકાર્યું હતું, તે શુભ દિવસને શહેરમાં દર સાલ જાહેર તહેવાર તરીકે પાડવાનું મંત્રીમંડળએ ૧૫ એપ્રિલ ના રોજ ઠરાવ્યું હતું.
Article By - Zeel Brahmbhatt
ગાયકવાડ વંશના આદિ પુરુષના વંશજોમાં ના શ્રી કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્ર માંથી વચેટ પુત્ર શ્રી ગોપાળરાવ ની પસંદગી દત્તક પુત્ર તરીકે લીધા
મહારાજા સયાજીરાવ ત્રીજાનો જન્મ ૧૧ માર્ચ, ૧૮૬૩ એ થયો હતો, માત્ર ૧૮ વર્ષની ઉંમરે સન ૧૮૮૧, ડિસેમ્બર ની ૨૮ મી તારીખે રાજસત્તા હાથે ધરી.
હીરકમહોત્સવ ની ઉજવણી કરવા મુખ્ય ૫ પ્રાંત (વડોદરા શહેર અને વડોદરા પ્રાંત, અમરેલી પ્રાંત, ઓખા પ્રાંત, મહેસાણા પ્રાંત, નવસારી પ્રાંત) માટે મધ્યવર્તી સમિતિ તેમજ પેટ સમિતિ નીમવામાં આવી.
WatchGujarat. મહારાજા ખંડેરાવના અવસાન થયા બાદ, શ્રીમંતને પુત્ર ન હોવાથી વિધવા મહારાણીશ્રી જમનાબાઈ સાહેબે ગાયકવાડ કુટુંબ માંથી ખાનદેશમાં વસવાટ કરતા ગાયકવાડ વંશના આદિ પુરુષના વંશજોમાં ના શ્રી કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્ર માંથી વચેટ પુત્ર શ્રી ગોપાળરાવ ની પસંદગી દત્તક પુત્ર તરીકે લીધા હતી. તેથી તેઓ શ્રીમંત સયાજીરાવ ત્રીજા તરીકે તારીખ ૨૭ મે, ૧૮૭૫ ના શુભ દિવસે ૧૨ વર્ષ ની ઉંમરે ગાદી પર બેઠા.
મહારાજા સયાજીરાવ ત્રીજાનો જન્મ ૧૧ માર્ચ, ૧૮૬૩ એ થયો હતો, માત્ર ૧૮ વર્ષની ઉંમરે સન ૧૮૮૧, ડિસેમ્બર ની ૨૮ મી તારીખે રાજસત્તા હાથે ધરી. શ્રીમંત ગાદીએ આવ્યા તે સમયથી જ પ્રજા માટેના સુધારા કરવા શ્રીમંત દ્વારા રસ્તા, પાણી, ગટર, બાગ બગીચા, આરોગ્ય, વાહનવ્યવહાર, કુવા, શિક્ષણ, પુસ્તકાલય, વેપાર ઉદ્યોગ જેવા રાજ્ય સુખાકારી ના કાર્યોને ઉત્તેજના આપી હતી. તથા બાળલગ્નની રૂઢિ, ન્યાતોનો ત્રાસ, સામાજિક ન્યાયનો વિરોધ કરનારી અસ્પૃશ્યતા જેવી હાનિકારક સામાજિક બંદીઓ કાઢી નાખવા તેમજ ફરજીયાત લોકશિક્ષણ જાહેર કરી, ચુસ્ત કાયદા ઘડી તેનો ચોક્કસપણે અમલ કરાવ્યો હતો.
શ્રીમંતના શાસનકાળને ૨૫ વર્ષ પૂર્ણ થતા ૧૯૦૬ માં રજતમોહત્સવ ના પ્રસંગે કરવામાં આવેલ ઠરાવ પ્રમાણે મહારાજા સાહેબની અશ્વારૂઢ પ્રતિમા તૈયાર કરવા પ્રજા એ પોણા લાખ રૂપિયા એકઠા કરી લંડન ના શિલ્પકાર ફ્રાન્સિસ ડાર્વેન્ડ વુડ ને સોંપવામાં આવી, શ્રીમંતના શાસનકાળ ના ૫૦ વર્ષ ની ગણતરી ૧૮૭૫ થી કરતા ૧૯૨૬ માં ફરી એક વાર ભાગ્યશાળી પ્રજાને સુવર્ણ મોહત્સવ ઉજવવા નો મોકો મળ્યો, મહારાજના વિનમ્ર સ્વભાવ તથા પ્રજા અને રાજ્ય પ્રત્યેના અનહદ પ્રેમ અને લાગણી ના કારણે બ્રિટિશના મહારાણી વિક્ટોરિયા પછી શ્રીમંત હિંદ ના માત્ર મહારાજ હતા જેઓનો શાસનકાળ ૬૦ વર્ષ થી વધુ ચાલ્યો હતો. ૨૭ મે ૧૯૩૫ માં શ્રીમંતના રાજ્યારોહણને ૬૦ વર્ષ પૂર્ણ થવાની ખુશી માં પ્રજા એ હીરકમહોત્સવ (ડાયમંડ જ્યુબલી) ઉજવવાનું નક્કી કર્યું, જે સમયે મહારાજ યુરોપની મુસાફરીએ હોવાથી ૧૯૩૬ માં હીરકમહોત્સવ ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. મહોત્સવ ના નિમણુંક પત્રક માટે ૫૦૦૦ ગુજરાતી અને માત્ર ૫૦૦ અંગ્રેજી ભાષાની નકલ આસપાસના તમામ ગામડા, પ્રાંતો અને રાજ્યો માં વેહચી, ગુજરાતી ભાષા નું મહત્વ સમજાવ્યું હતું.
હીરકમહોત્સવ ની ઉજવણી કરવા મુખ્ય ૫ પ્રાંત (વડોદરા શહેર અને વડોદરા પ્રાંત, અમરેલી પ્રાંત, ઓખા પ્રાંત, મહેસાણા પ્રાંત, નવસારી પ્રાંત) માટે મધ્યવર્તી સમિતિ તેમજ પેટ સમિતિ નીમવામાં આવી. હીરકમહોત્સવની ઉજવણી કરવા જાન્યુઆરી ૧ (બુધવાર) થી જાન્યુઆરી ૧૧ (શનિવાર) સુધી દરેક દિવસ ના કાર્યક્રમનો સમયપત્રક બહાર પાડવા માં આવ્યો હતો, તેમજ કાર્યક્રમ માટેના જરૂરી ખર્ચ ની રકમ પણ પહેલાથી જ નક્કી કરી દેવાઈ હતી, તે સમય ની રાજ્યની પરિસ્થિતિ નબળી હોવાથી એકઠી થનાર કુલ રકમ માંથી માત્ર ૧૦ થી ૨૦ % રકમનો કાર્યક્રમમાં ખર્ચ કરી બાકીની રકમ નો ગ્રામસુધારણા માં ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વડોદરા શહેર શણગારવાનું કામ ૩૧ ડિસેમ્બર, ૧૯૩૫ સુધી પૂરું કરી દેવામાં આવ્યું હતું. લક્ષ્મીવિલાસ મહેલ થી માંડી લહેરીપુરા, માંડવી, ગેંડીગેટ, સુરસાગર, ન્યાયમંદિર, દાંડિયાબજાર, જ્યુબેલીબાગ, મકરપુરા તમામ સ્થળો સજાવવામાં આવ્યI હતI. તથા માર્ગ પર "શાંતિ, સમૃદ્ધિ, આબાદી"; સ્વદેશ પ્રેમી નરેશ; ગ્રેટેસ્ટ મહારાજા; મેકર ઓફ મોર્ડન બરોડા; જેવા સુવાયકો ના પાટિયા લાગવાંમાં આવ્યા હતા. ૩ જાન્યુઆરીના રોજ વિઠ્ઠલમંદિર માં ભગવાનના દર્શન કરી મહોત્સવ ની શરૂઆત થઇ હતી, ત્યારબાદ નાના મોટા ઘણા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા જે દરમિયાન શહેરની મહારાણી ગર્લ્સ હાઈ સ્કૂલ,મધ્યવર્તી શાળા,મરાઠી શાળા નાં વિદ્યાર્થીઓ તથા કવિઓ, વિધવાનોદ્વારા પણ શ્રીમંત માટે ગીત ગાઈ સન્માન કરવામાં આવ્યું હતું.
એક ગણતરી મુજબ આ મહોત્સવ માં દેશ વિદેશ થી ૫૦,૦૦૦ થી વધુ મહેમાનો શ્રીમંતને માનપત્ર અર્પણ કરવા તથા અભિનંદન આપવા પધાર્યા હતા, જેમાં વડોદરા શહેરની પ્રજામંડળ ના માનપત્ર થી શરુ કરી, નવસારી ના પારસીઓ, પુના, મુંબઈ, નાસિક જિલ્લા, લાહોર, અમદાવાદ જૈન યુવક સંઘ, સતારા સમાજ, મહેસાણા, અમરેલી, દામનગર, વિસનગર, સુરત, સિદ્ધપુર,કોડીનાર જેવા શહેરો તથા રાજ્યો ના માનપત્ર સહીત સોના ચાંદી ની બનાવેલી મંજુષા સ્વીકાર કરવામાં આવી હતી. અમેરિકાના ન્યુયોર્ક તથા ઇંગ્લેન્ડમાં પણ શ્રીમંતના માન માં હીરકમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તથા અમેરિકાના ચિકાગોમાં પણ શ્રીમંતએ મુખ્યમહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
શ્રીમંત ના ખાસ મિત્ર પંડિત મદન મોહન માલવિયાજી, ફ્રેન્ચ એકેડેમી ના ફ્રેન્ચમેન મોન્સયોર લોકોમ્બ, મુંબઈ સરકારના મંત્રી મી.જાધવ, દ્વારકા ખંડ પીઠના શંકરાચાર્ય, નામદાર લોર્ડ વાઇસરોય તેમજ લેડી વિલીગ્ડન પણ રાજ્યની ખુશી માં સામેલ થયા હતા. સુવર્ણમહોત્સવ ની યાદગીરી માટે આશરે સડા સાત લાખ રૂપિયામાં તૈયાર કરાયેલ "સાયન્સ અને ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ" નું ઉદ્ઘાટન ના.વાઇસરોય ના હસ્તે કરાવવામાં આવ્યું હતું. મહારાજના સાદગી તથા નિશ્વાર્થભર્યા જીવનની જાણ તો ત્યારે થઇ જયારે બાલ્ડીમોરમાં થયેલ મેળાવડા માં કેદારનાથના દાસગુપ્તને પોતાના વખાણ કરતા અટકાવી મહારાજે કહ્યું કે, "મેં શું કર્યું છે એ નહિ હવે મારે શું કરવાનું છે એટલુંજ માત્ર કહો".
હીરકમહોત્સવ બાબતે ગ્રેટબ્રિટન તથા યુરોપના વર્તમાન તેમજ દેશ વિદેશ ના જાણીતા વર્તમાનપત્રો જેવા કે "ઘી ટાઈમ્સ વીકલી એડિસન", "ઘી સ્ટાર", "ઘી ઈંગ્લીસ રિવ્યૂ" એ નોંધ લીધી હતી, તેમજ શ્રીમંત પ્રત્યે ની પોતાની વફાદારી અને પ્રેમની લાગણી બતાવવા વડોદરા ના "શ્રી સયાજી વિજય", "નવગુજરાત", "ભારત" તેમજ હિંદના બીજા ગુજરાતી દૈનિકપત્રો એવા "સંદેશ", "મુંબઈ સમાચાર" તથા "ઘી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા" જેવા અંગ્રેજી સમાચારપત્રો અને અગ્રગણ્ય સામાયિકો એ ધ્યાન ખેંચે એવી નોંધ લીધી હતી.
હીરકમહોત્સવના અનુપમ પ્રસંગની યાદગીરી કાયમ માટે રહે તે અર્થે મહોત્સવ નો સૌથી અગત્યનો તથા ઇતિહાસમાં યાદગાર દિવસ તારીખ ૩ જાન્યુઆરી, જયારે વડોદરા શહેરની સમસ્ત પ્રજા તરફથી અપાયેલું માનપત્ર શ્રીમંત એ સ્વીકાર્યું હતું, તે શુભ દિવસને શહેરમાં દર સાલ જાહેર તહેવાર તરીકે પાડવાનું મંત્રીમંડળએ ૧૫ એપ્રિલ ના રોજ ઠરાવ્યું હતું.