નોટીસ મળ્યા બાદ પણ કોમ્પલેક્ષ સંચાલકો ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવી
ગુરૂવારે ફાયર ડિપાર્ટમેન્ટ તથા પોલીસ અને વિજ કંપનીના કર્મીઓને સાથે રાખી કાર્યવાહી કરી
આગામી સમયમાં પણ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર એનઓસી નહિ ધરાવતા કોમ્પલેક્ષ સામે કાર્યવાહી કરવામાં આવશે - ફાયર ઓફિસર નિકુંજ આઝાદ
WatchGujarat. ફાયર ડિપાર્ટમેન્ટ ચુંટણી બાદ એક્શનમાં આવ્યું છે. અને ફાયર એન.ઓ.સી વગર ચાલતા એપાર્ટમેન્ટના વિજ કનેક્શન કાપી નાંખવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુરૂવારે બપોરે ફાયર ઓફિસર દ્વારા એનઓસી વગર ચાલતા કોમ્પલેક્ષમાં જઇને જાતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 15 દિવસ પહેલા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ છત્તાં પણ યોગ્ય સુવિધાઓ ન કરાતા આખરે કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા છે.
સામાન્ય રીતે આગ અકસ્માતની ઘટના બાદ ફાયર સેફ્ટી તરફ લોકોનું ધ્યાન ખેંચાતું હોય છે. રાજ્યમાં સુરતમાં તક્ષશિલા કાંડ અને અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બંને ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને રાજ્યનું ફાયર તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને ફાયર સેફ્ટીની સુવિધાઓનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
હાલ ચુંટણી પતી ગયા બાદ ફાયર સેફ્ટીને લઇને તંત્ર પુન એક્શનમાં આવ્યું છે. તાજેતરમાં સુરતમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સેફ્ટીના અભાવે અનેક દુકાનો અને હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવ્યા હતા. ગુરૂવારે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અગાઉ 15 દિવસ પહેલા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા એનઓસી નહિ ધરાવતા કોમ્પલેક્ષને નોટીસ ફટકારવામાં આવી હતી. જો કે નોટીસ મળ્યા બાદ પણ કોમ્પલેક્ષ સંચાલકો નિષ્ક્રિય રહ્યા હતા. અને કોઇ પણ જરૂરી પગલા લીધા ન હતા. ફાયર વિભાગ ટીમોએ શહેરના સયાજીગંજ, ફતેગંજ અને અલકાપુરી વિસ્તારમાં ડ્રાઇવ દરમિયાન સેફ્ટીના અભાવે ચાલતા અનેક કોમ્પલેક્ષના વિજ કનેક્શન કાપી નાંખ્યા હતા. આગ અકસ્માત સમયે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
ફાયર ઓફિસર નિકુંજ આઝાદે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કેટલાક કોમ્પલેક્ષ દ્વારા તો 4 વર્ષ ઉપરાંતનો સમયગાળો વિતી ગયા બાદ પણ ફાયર એનઓસી લેવામાં આવી નથી. અનેક જગ્યાઓ પર આગ અકસ્માત સમયે પહોંચી વળવા માટે જરૂરી સંસાધનો પણ નથી. તેવા કોમ્પલેક્ષ સામે આજે કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં પણ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર એનઓસી નહિ ધરાવતા કોમ્પલેક્ષ સામે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, શહેરના જાણીતા અલંકાર ટાવર, અંતરીક્ષ કોમ્પલેક્ષ, ને સીલ મારી દેવામાં આવ્યું છે. જ્યારે શ્રી રામ ચેમ્બર્સ, અને બ્લુ ડાયમંડ કોમ્પલેક્ષને સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. અને તમામના વિજ કનેક્શન કાપી નાંખામાં આવ્યા છે. હાલ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી ચાલી રહી છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહિ કરનાર સામે ડિપાર્ટમેન્ટ દ્વારા કડકાઇ પુર્વક કામ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કામગીરી દરમિયાન ફાયર ડિપાર્ટમેન્ટની સાથે પોલીસ અને વિજ કંપનીનો સ્ટાફ પણ હાજર હતો.
નોટીસ મળ્યા બાદ પણ કોમ્પલેક્ષ સંચાલકો ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવી
ગુરૂવારે ફાયર ડિપાર્ટમેન્ટ તથા પોલીસ અને વિજ કંપનીના કર્મીઓને સાથે રાખી કાર્યવાહી કરી
આગામી સમયમાં પણ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર એનઓસી નહિ ધરાવતા કોમ્પલેક્ષ સામે કાર્યવાહી કરવામાં આવશે - ફાયર ઓફિસર નિકુંજ આઝાદ
WatchGujarat. ફાયર ડિપાર્ટમેન્ટ ચુંટણી બાદ એક્શનમાં આવ્યું છે. અને ફાયર એન.ઓ.સી વગર ચાલતા એપાર્ટમેન્ટના વિજ કનેક્શન કાપી નાંખવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુરૂવારે બપોરે ફાયર ઓફિસર દ્વારા એનઓસી વગર ચાલતા કોમ્પલેક્ષમાં જઇને જાતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 15 દિવસ પહેલા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ છત્તાં પણ યોગ્ય સુવિધાઓ ન કરાતા આખરે કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા છે.
સામાન્ય રીતે આગ અકસ્માતની ઘટના બાદ ફાયર સેફ્ટી તરફ લોકોનું ધ્યાન ખેંચાતું હોય છે. રાજ્યમાં સુરતમાં તક્ષશિલા કાંડ અને અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બંને ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને રાજ્યનું ફાયર તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને ફાયર સેફ્ટીની સુવિધાઓનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
હાલ ચુંટણી પતી ગયા બાદ ફાયર સેફ્ટીને લઇને તંત્ર પુન એક્શનમાં આવ્યું છે. તાજેતરમાં સુરતમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સેફ્ટીના અભાવે અનેક દુકાનો અને હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવ્યા હતા. ગુરૂવારે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અગાઉ 15 દિવસ પહેલા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા એનઓસી નહિ ધરાવતા કોમ્પલેક્ષને નોટીસ ફટકારવામાં આવી હતી. જો કે નોટીસ મળ્યા બાદ પણ કોમ્પલેક્ષ સંચાલકો નિષ્ક્રિય રહ્યા હતા. અને કોઇ પણ જરૂરી પગલા લીધા ન હતા. ફાયર વિભાગ ટીમોએ શહેરના સયાજીગંજ, ફતેગંજ અને અલકાપુરી વિસ્તારમાં ડ્રાઇવ દરમિયાન સેફ્ટીના અભાવે ચાલતા અનેક કોમ્પલેક્ષના વિજ કનેક્શન કાપી નાંખ્યા હતા. આગ અકસ્માત સમયે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
ફાયર ઓફિસર નિકુંજ આઝાદે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કેટલાક કોમ્પલેક્ષ દ્વારા તો 4 વર્ષ ઉપરાંતનો સમયગાળો વિતી ગયા બાદ પણ ફાયર એનઓસી લેવામાં આવી નથી. અનેક જગ્યાઓ પર આગ અકસ્માત સમયે પહોંચી વળવા માટે જરૂરી સંસાધનો પણ નથી. તેવા કોમ્પલેક્ષ સામે આજે કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં પણ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર એનઓસી નહિ ધરાવતા કોમ્પલેક્ષ સામે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, શહેરના જાણીતા અલંકાર ટાવર, અંતરીક્ષ કોમ્પલેક્ષ, ને સીલ મારી દેવામાં આવ્યું છે. જ્યારે શ્રી રામ ચેમ્બર્સ, અને બ્લુ ડાયમંડ કોમ્પલેક્ષને સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. અને તમામના વિજ કનેક્શન કાપી નાંખામાં આવ્યા છે. હાલ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી ચાલી રહી છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહિ કરનાર સામે ડિપાર્ટમેન્ટ દ્વારા કડકાઇ પુર્વક કામ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કામગીરી દરમિયાન ફાયર ડિપાર્ટમેન્ટની સાથે પોલીસ અને વિજ કંપનીનો સ્ટાફ પણ હાજર હતો.