ફક્ત સાવલી તાલુકાના વસનપુરાની ઘટનામાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો
તાજેતરમાં કરજણ તાલુકાના કિયા ગામે 57 કબૂતર, અટાલી ગામે 22 કબૂતર,રિલાયન્સ ટાઉનશિપમાં 2 મોર અને સિંધરોટ ગામે વાડામાં મરઘાંના મરણની ઘટનાઓ બની
સમુચિત પરીક્ષણમાં આ તમામ સેમ્પલ બર્ડ ફ્લુ નેગેટિવ જાહેર કરવામાં આવ્યા
WatchGujarat. એક હાશકારો થાય એવા સમાચાર મળ્યા છે. વડોદરા જિલ્લાના વિવિધ સ્થળો એ તાજેતરની પક્ષી મરણ ઘટના નો લેબ રિપોર્ટ બર્ડ ફ્લૂ નેગેટિવ આવ્યો છે. અગાઉ ફક્ત સાવલી તાલુકાના વસનપુરાની ઘટનામાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ અંગે નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજી એ જણાવ્યું કે તાજેતરમાં કરજણ તાલુકાના કિયા ગામે 57 કબૂતર, અટાલી ગામે 22 કબૂતર,રિલાયન્સ ટાઉનશિપમાં 2 મોર અને સિંધરોટ ગામે મરઘાં ઉછેરના વાડામાં મરઘાં ના મરણ ની ઘટનાઓ બની હતી. મૃત પક્ષીઓના સેમ્પલ ચકાસણી માટે ભોપાલની પશુ રોગ રાષ્ટ્રીય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. સમુચિત પરીક્ષણમાં આ તમામ સેમ્પલ બર્ડ ફ્લુ નેગેટિવ જાહેર કરવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાવલીના ગામમાં કાગડાઓના એકસાથે મોટી સંખ્યામાં મૃત્યુ થવાને કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. કાગડાના સેમ્પલ ભોપાલ પરીક્ષણ અર્થે મોકલતા બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ જિલ્લા તંત્રએ સાવલીના વસનપુર ગામના 1 કિમિ ત્રિજીયા વિસ્તારમાં પ્રતિબંધ લગાડ્યા હતા. ત્યાર બાદ અનેક વિસ્તારોમાં પક્ષીઓના મોતની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય વધ્યો હતો. જો કે બે અલગ અલગ જગ્યાઓ પર પશુઓના રિપોર્ટમાં બર્ડ ફલૂ રિપોર્ટ નેગેટિવ આવતા સ્થાનિક તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ફક્ત સાવલી તાલુકાના વસનપુરાની ઘટનામાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો
સમુચિત પરીક્ષણમાં આ તમામ સેમ્પલ બર્ડ ફ્લુ નેગેટિવ જાહેર કરવામાં આવ્યા
WatchGujarat. એક હાશકારો થાય એવા સમાચાર મળ્યા છે. વડોદરા જિલ્લાના વિવિધ સ્થળો એ તાજેતરની પક્ષી મરણ ઘટના નો લેબ રિપોર્ટ બર્ડ ફ્લૂ નેગેટિવ આવ્યો છે. અગાઉ ફક્ત સાવલી તાલુકાના વસનપુરાની ઘટનામાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ અંગે નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજી એ જણાવ્યું કે તાજેતરમાં કરજણ તાલુકાના કિયા ગામે 57 કબૂતર, અટાલી ગામે 22 કબૂતર,રિલાયન્સ ટાઉનશિપમાં 2 મોર અને સિંધરોટ ગામે મરઘાં ઉછેરના વાડામાં મરઘાં ના મરણ ની ઘટનાઓ બની હતી. મૃત પક્ષીઓના સેમ્પલ ચકાસણી માટે ભોપાલની પશુ રોગ રાષ્ટ્રીય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. સમુચિત પરીક્ષણમાં આ તમામ સેમ્પલ બર્ડ ફ્લુ નેગેટિવ જાહેર કરવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાવલીના ગામમાં કાગડાઓના એકસાથે મોટી સંખ્યામાં મૃત્યુ થવાને કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. કાગડાના સેમ્પલ ભોપાલ પરીક્ષણ અર્થે મોકલતા બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ જિલ્લા તંત્રએ સાવલીના વસનપુર ગામના 1 કિમિ ત્રિજીયા વિસ્તારમાં પ્રતિબંધ લગાડ્યા હતા. ત્યાર બાદ અનેક વિસ્તારોમાં પક્ષીઓના મોતની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય વધ્યો હતો. જો કે બે અલગ અલગ જગ્યાઓ પર પશુઓના રિપોર્ટમાં બર્ડ ફલૂ રિપોર્ટ નેગેટિવ આવતા સ્થાનિક તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.