મનમાની ફી વધારવાની વ્યાપક ફરિયાદો ઉઠતા રાજ્ય સરકાર દ્વારા ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા FRC દ્વારા વાલીઓના તરફેણમાં મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો
અન્ય શાળાઓની આવનાર સમયમાં ફી ઘટી શકે
WatchGujarat. ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી મનમાની ફી સામે લગામ લગાવવા માટે ફી રેગ્યુલેશન કમિટી (FRC)ની રચના કરવામાં આવ્યું હતું. કમિટી દ્વારા તાજેતરમાં ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ અને સંતકબિર સ્કુલ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. અને બંન્ને શાળાના વિદ્યાર્થીને ફી પરત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કમિટીના હુકમને પગલે બંન્ને શાળાઓના 2,079 વિદ્યાર્થીઓને ફી પેટે વધુ ભરેલા પૈસા પરત મળશે.
રાજ્યમાં અનેક શહેરોમાં ખાનગી શાળાઓ દ્વારા દર વર્ષે મનમાની ફી વધારવામાં આવતી હોય છે. જે અંગેની વ્યાપક ફરિયાદો ઉઠતા રાજ્ય સરકાર દ્વારા ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી. સમયાંતરે FRC કમિટી દ્વારા સરકાર દ્વારા નિયત માપદંડ પ્રમાણે ફી વધારો નક્કી કરતી હોય છે. અને જો શાળા દ્વારા મનમાની રીતે ફી વધારવામાં આવે તો તેના પૈસા વાલીઓને પરત કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા FRC દ્વારા વાલીઓના તરફેણમાં મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
વદોદરા ખાતે રચવામાં આવેલી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા બે જાણીતી શાળાઓ દ્વારા વસુલવામાં આવેલી ફી પરત આપવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો હચતો. તે અંગે જાણકારી આપતા FRC કમિટી મેમ્બર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલા ગ્લોબલ ડિસ્કવરી, હરણી અને સંતકબિર સ્કુલ દ્વારા નિયત કરવામાં આવેલી ફી ઉપરાંત વધારે પૈસા વસુલવામાં આવ્યા હોવાનો કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ તેની સુનવણી હાથ ધરવામાં આવી હતી.
કમિટી દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં લઇને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ દ્વારા વર્ષ 19 - 20 દરમિયાન લીધેલી વધારાની ફી વિદ્યાર્થીઓને પરત કરવી પડશે. શાળામાં ભણતા 516 વિદ્યાર્થીઓના રૂ. 36.99 લાખ પરત મળશે. સંત કબિર સ્કુલ દ્વારા જાન્યુઆરી - 20 ની આખરી ત્રિમાસીક ફી વધારે લેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને પરત કરવી પડશે. શાળામાં ભણતા 1,563 વિદ્યાર્થીઓના રૂ. 26.16 લાખ પરત મળશે.
કેયુર રોકડિયાએ ઉમેર્યું હતું કે, બંન્ને શાળાઓમાં કુલ મળીને 2,079 વિદ્યાર્થીઓને વધારાની ફીના પૈસા પરત મળશે. રકમની કુલ સંખ્યા રૂ 63.15 લાખ પરત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, FRC દ્વારા લેવામાં આવેલા વાલીઓ તરફી નિર્ણયને પગલે અન્ય શાળાઓની આવનાર સમયમાં ફી ઘટી શકે છે. અને ફી વધારાના વધુ મામલા FRC સમક્ષ પહોંચી શકે છે.
મનમાની ફી વધારવાની વ્યાપક ફરિયાદો ઉઠતા રાજ્ય સરકાર દ્વારા ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા FRC દ્વારા વાલીઓના તરફેણમાં મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો
અન્ય શાળાઓની આવનાર સમયમાં ફી ઘટી શકે
WatchGujarat. ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી મનમાની ફી સામે લગામ લગાવવા માટે ફી રેગ્યુલેશન કમિટી (FRC)ની રચના કરવામાં આવ્યું હતું. કમિટી દ્વારા તાજેતરમાં ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ અને સંતકબિર સ્કુલ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. અને બંન્ને શાળાના વિદ્યાર્થીને ફી પરત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કમિટીના હુકમને પગલે બંન્ને શાળાઓના 2,079 વિદ્યાર્થીઓને ફી પેટે વધુ ભરેલા પૈસા પરત મળશે.
રાજ્યમાં અનેક શહેરોમાં ખાનગી શાળાઓ દ્વારા દર વર્ષે મનમાની ફી વધારવામાં આવતી હોય છે. જે અંગેની વ્યાપક ફરિયાદો ઉઠતા રાજ્ય સરકાર દ્વારા ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી. સમયાંતરે FRC કમિટી દ્વારા સરકાર દ્વારા નિયત માપદંડ પ્રમાણે ફી વધારો નક્કી કરતી હોય છે. અને જો શાળા દ્વારા મનમાની રીતે ફી વધારવામાં આવે તો તેના પૈસા વાલીઓને પરત કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા FRC દ્વારા વાલીઓના તરફેણમાં મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
વદોદરા ખાતે રચવામાં આવેલી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા બે જાણીતી શાળાઓ દ્વારા વસુલવામાં આવેલી ફી પરત આપવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો હચતો. તે અંગે જાણકારી આપતા FRC કમિટી મેમ્બર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલા ગ્લોબલ ડિસ્કવરી, હરણી અને સંતકબિર સ્કુલ દ્વારા નિયત કરવામાં આવેલી ફી ઉપરાંત વધારે પૈસા વસુલવામાં આવ્યા હોવાનો કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ તેની સુનવણી હાથ ધરવામાં આવી હતી.
કમિટી દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં લઇને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ દ્વારા વર્ષ 19 - 20 દરમિયાન લીધેલી વધારાની ફી વિદ્યાર્થીઓને પરત કરવી પડશે. શાળામાં ભણતા 516 વિદ્યાર્થીઓના રૂ. 36.99 લાખ પરત મળશે. સંત કબિર સ્કુલ દ્વારા જાન્યુઆરી - 20 ની આખરી ત્રિમાસીક ફી વધારે લેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને પરત કરવી પડશે. શાળામાં ભણતા 1,563 વિદ્યાર્થીઓના રૂ. 26.16 લાખ પરત મળશે.
કેયુર રોકડિયાએ ઉમેર્યું હતું કે, બંન્ને શાળાઓમાં કુલ મળીને 2,079 વિદ્યાર્થીઓને વધારાની ફીના પૈસા પરત મળશે. રકમની કુલ સંખ્યા રૂ 63.15 લાખ પરત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, FRC દ્વારા લેવામાં આવેલા વાલીઓ તરફી નિર્ણયને પગલે અન્ય શાળાઓની આવનાર સમયમાં ફી ઘટી શકે છે. અને ફી વધારાના વધુ મામલા FRC સમક્ષ પહોંચી શકે છે.