ખંડેરાવ માર્કેટમાં આવેલી દુકાનમાં આવેલી લિફ્ટમાં યુવાન માલ સામાન પહોંચાડવા ગયો
દિવાલ અને લિફ્ટ વચ્ચે કનુ ચગદાઇ જતા અવાજ આવ્યો
સાથી કર્મીઓ ઉપર પહોંચ્યા તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા
સમગ્ર મામલો નવાપુરા પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી
WatchGujarat. શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ત્રણ માળ ધરાવતી આર.આર.ફ્રૂટ્સ નામની જથ્થા બંધ ફ્રૂટના વેપારીની દુકાનમાં નોકરી કરતો કર્મચારી દુકાનમાં આવેલી લિફ્ટમાં ફસાઈ જતા મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ પરિવારજનો ને થતા મૃતદેહને લઈ ઘરે પહોંચી ગયા હતા.જોકે પોલીસે કાર્યવાહી કરવા માટે મૃતદેહ લેવાની તજવીજ હાથધરી હતી.
https://youtu.be/z5J0NiJJhu8
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના દંતેશ્વર ભરવાડવાસ ખાતે રહેતો કનુભાઈ ભરવાડ પરિવાર સાથે રહે છે. 15 દિવસ પૂર્વે ખંડેરાવ માર્કેટ પાસે આવેલ આર.આર.ફ્રુટમાં નોકરી લાગ્યો હતો. આજે બપોરના 12-30 કલાકે ફ્રુટ શોપના માલિક રમેશભાઈ પોતાના કાઉન્ટર ઉપરની ખુરશીમાં આરામ ફરમાવી રહ્યા હતા. સંજય નામનો કર્મચારી કામ કરી રહ્યો હતો. જ્યારે કનું ભરવાડ ફ્રૂટ્સનો જથ્થો લઈ ને લિફ્ટમાં ત્રીજા માળે ગયો હતો. દરમિયાન એકાએક અવાજ આવતા સંજય દોડી ગયો હતો. જ્યાં તેણે લિફ્ટ અને દિવાસ વચ્ચે કનુનું માથું ફસાઈ ગયેલી હાલતમાં લોહી નિતરતો જોતા સ્તબ્ધ થઇ ગયો હતો.
લિફ્ટમાં માથું આવી જતા લોહીના ફુવારા ઉડ્યા હતા.અને ત્રીજા માળથી લોહી દુકાનના ગ્રાઉન્ડફ્લોર સુધી રેલાયું હતું. દુકાનના માલિક પણ ઘટના જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ કાનુ ભરવાડના પરિવારજનોને કરાતાં પરિવારજનો દુકાન પર દોડી આવ્યા હતા. તથા બનાવની જાણ નવાપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. જોકે પોલીસ આવે તે પહેલાં પરિવારજનો કાન્હાનો મૃતદેહ લઈ ને અંતિમ વિધિ કરવા માટે રવાના થઈ ગયા હતા.
દરમિયાન દુકાન પર પહોંચેલ પોલીસે મૃતદેહ પરિવારજન લઈ ગયા હોવાની જાણ થતાં તુરંત જ પોલીસ મૃતકના ઘરે પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી માટે લાશનો કબ્જો મેળવવા માટે કાર્યવાહી હાથધરી હતી. આજે બપોરના સમયે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી. બીજી બાજુ નવાપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથધરી છે.
પરિવારજનોએ ફ્રુટ શોપ સંચાલક પર બેદરકારીના લગાડ્યા આક્ષેપ
એસએસજી હોસ્પિટલ અકસ્માતમાં મૃત્યુ પામેલા કનુના પરિવારજનો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. સ્વજન ગોવિંદભાઇ ભરવાડે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શેઠે છોકરાને લિફ્ટ કેવી રીતે ચલાવવી તે અંગે શીખવવું જોઇતું હતું. આવા બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ પણ હું કરૂ છું.
ખંડેરાવ માર્કેટમાં આવેલી દુકાનમાં આવેલી લિફ્ટમાં યુવાન માલ સામાન પહોંચાડવા ગયો
દિવાલ અને લિફ્ટ વચ્ચે કનુ ચગદાઇ જતા અવાજ આવ્યો
સાથી કર્મીઓ ઉપર પહોંચ્યા તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા
સમગ્ર મામલો નવાપુરા પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી
WatchGujarat. શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ત્રણ માળ ધરાવતી આર.આર.ફ્રૂટ્સ નામની જથ્થા બંધ ફ્રૂટના વેપારીની દુકાનમાં નોકરી કરતો કર્મચારી દુકાનમાં આવેલી લિફ્ટમાં ફસાઈ જતા મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ પરિવારજનો ને થતા મૃતદેહને લઈ ઘરે પહોંચી ગયા હતા.જોકે પોલીસે કાર્યવાહી કરવા માટે મૃતદેહ લેવાની તજવીજ હાથધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના દંતેશ્વર ભરવાડવાસ ખાતે રહેતો કનુભાઈ ભરવાડ પરિવાર સાથે રહે છે. 15 દિવસ પૂર્વે ખંડેરાવ માર્કેટ પાસે આવેલ આર.આર.ફ્રુટમાં નોકરી લાગ્યો હતો. આજે બપોરના 12-30 કલાકે ફ્રુટ શોપના માલિક રમેશભાઈ પોતાના કાઉન્ટર ઉપરની ખુરશીમાં આરામ ફરમાવી રહ્યા હતા. સંજય નામનો કર્મચારી કામ કરી રહ્યો હતો. જ્યારે કનું ભરવાડ ફ્રૂટ્સનો જથ્થો લઈ ને લિફ્ટમાં ત્રીજા માળે ગયો હતો. દરમિયાન એકાએક અવાજ આવતા સંજય દોડી ગયો હતો. જ્યાં તેણે લિફ્ટ અને દિવાસ વચ્ચે કનુનું માથું ફસાઈ ગયેલી હાલતમાં લોહી નિતરતો જોતા સ્તબ્ધ થઇ ગયો હતો.
લિફ્ટમાં માથું આવી જતા લોહીના ફુવારા ઉડ્યા હતા.અને ત્રીજા માળથી લોહી દુકાનના ગ્રાઉન્ડફ્લોર સુધી રેલાયું હતું. દુકાનના માલિક પણ ઘટના જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ કાનુ ભરવાડના પરિવારજનોને કરાતાં પરિવારજનો દુકાન પર દોડી આવ્યા હતા. તથા બનાવની જાણ નવાપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. જોકે પોલીસ આવે તે પહેલાં પરિવારજનો કાન્હાનો મૃતદેહ લઈ ને અંતિમ વિધિ કરવા માટે રવાના થઈ ગયા હતા.
દરમિયાન દુકાન પર પહોંચેલ પોલીસે મૃતદેહ પરિવારજન લઈ ગયા હોવાની જાણ થતાં તુરંત જ પોલીસ મૃતકના ઘરે પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી માટે લાશનો કબ્જો મેળવવા માટે કાર્યવાહી હાથધરી હતી. આજે બપોરના સમયે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી. બીજી બાજુ નવાપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથધરી છે.
પરિવારજનોએ ફ્રુટ શોપ સંચાલક પર બેદરકારીના લગાડ્યા આક્ષેપ
એસએસજી હોસ્પિટલ અકસ્માતમાં મૃત્યુ પામેલા કનુના પરિવારજનો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. સ્વજન ગોવિંદભાઇ ભરવાડે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શેઠે છોકરાને લિફ્ટ કેવી રીતે ચલાવવી તે અંગે શીખવવું જોઇતું હતું. આવા બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ પણ હું કરૂ છું.