21 જાન્યુઆરીના રોજ નાઇટ ડ્યુટી પતાવીને પોતાના ઘરે આવેલા આરતીબેને જીવનનું અંતિમ પગલું ભર્યું
છેલ્લા 4 વર્ષથી GMERS હોસ્પિટલમાં તેઓ નર્સ તરીકે ફરજ બજાવતા હતા
8 વર્ષના છોકરાને તાજેતરમાં દાદા - દાદી પાસે ડાકોર મુકીને દંપત્તિ પરત આવ્યા હતા
WatchGujarat. ગોત્રી ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે બે દિવસ પહેલા નાઇટ ડ્યુટી પરથી ઘરે આવ્યા બાદ અંતિમ પગલું ભર્યું હતું. જેને કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. સમગ્ર મામલે જાણ થતા પાણીગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલાની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના વાઘોડિયા રોડ પર આવેલા શિર્ષન બંગલો નજીક આવેલા સમક્લાસીસ ફ્લેટમાં 31 વર્ષિય આરતી ત્રિવેદી રહેતા હતા. તેઓ GMERS હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ રોનક ત્રિવેદી કર્મકાંડ કરે છે. બંન્નેના લગ્રનને 10 વર્ષ જેટલો સમયગાળો વિતી ગયો હતો. અને તેમને 8 વર્ષનો પુત્ર છે. દરમિયાન ગતરોજ 21 જાન્યુઆરીના રોજ નાઇટ ડ્યુટી પતાવીને પોતાના ઘરે આવેલા આરતીબેને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.
પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર, આરતી બેનના પરિવારજનો ડાકોર ખાતે રહે છે. તાજેતરમાં 16 - 20 જાન્યુઆરી સુધી પરિવારજનો ડાકોર ખાતે ગયા હતા. આરતીબેન તેમના 8 વર્ષના પુત્રને દાદા - દાદી પાસે મુકીને આવ્યા હતા. 21 જાન્યુઆરીના રોજ GMERS હોસ્પિટલમાં પોતાની નાઇટ ડ્યુટી પતાવીને આરતી બેન ઘરે આવ્યા હતા. ગતરોજ સાંજે 6 - 57 પહેલા પોતાના ઘરે સુતરની દોરી પંખાના હુકમાં ભેરવીને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
મામલાની જાણ થતાની સાથે પાણીગેટ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આપઘાત કરવા પાછળના કારણો જાણવા સહિતના મામલે વધુ તપાસ શરૂ કરી હતી. આરતીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલના ખસેડવામાં આવ્યો હતો.
21 જાન્યુઆરીના રોજ નાઇટ ડ્યુટી પતાવીને પોતાના ઘરે આવેલા આરતીબેને જીવનનું અંતિમ પગલું ભર્યું
છેલ્લા 4 વર્ષથી GMERS હોસ્પિટલમાં તેઓ નર્સ તરીકે ફરજ બજાવતા હતા
8 વર્ષના છોકરાને તાજેતરમાં દાદા - દાદી પાસે ડાકોર મુકીને દંપત્તિ પરત આવ્યા હતા
WatchGujarat. ગોત્રી ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે બે દિવસ પહેલા નાઇટ ડ્યુટી પરથી ઘરે આવ્યા બાદ અંતિમ પગલું ભર્યું હતું. જેને કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. સમગ્ર મામલે જાણ થતા પાણીગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલાની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના વાઘોડિયા રોડ પર આવેલા શિર્ષન બંગલો નજીક આવેલા સમક્લાસીસ ફ્લેટમાં 31 વર્ષિય આરતી ત્રિવેદી રહેતા હતા. તેઓ GMERS હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ રોનક ત્રિવેદી કર્મકાંડ કરે છે. બંન્નેના લગ્રનને 10 વર્ષ જેટલો સમયગાળો વિતી ગયો હતો. અને તેમને 8 વર્ષનો પુત્ર છે. દરમિયાન ગતરોજ 21 જાન્યુઆરીના રોજ નાઇટ ડ્યુટી પતાવીને પોતાના ઘરે આવેલા આરતીબેને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.
પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર, આરતી બેનના પરિવારજનો ડાકોર ખાતે રહે છે. તાજેતરમાં 16 - 20 જાન્યુઆરી સુધી પરિવારજનો ડાકોર ખાતે ગયા હતા. આરતીબેન તેમના 8 વર્ષના પુત્રને દાદા - દાદી પાસે મુકીને આવ્યા હતા. 21 જાન્યુઆરીના રોજ GMERS હોસ્પિટલમાં પોતાની નાઇટ ડ્યુટી પતાવીને આરતી બેન ઘરે આવ્યા હતા. ગતરોજ સાંજે 6 - 57 પહેલા પોતાના ઘરે સુતરની દોરી પંખાના હુકમાં ભેરવીને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
મામલાની જાણ થતાની સાથે પાણીગેટ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આપઘાત કરવા પાછળના કારણો જાણવા સહિતના મામલે વધુ તપાસ શરૂ કરી હતી. આરતીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલના ખસેડવામાં આવ્યો હતો.