ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી કોવિ શિલ્ડ વેક્સિનને લઇને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં
બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડીયાનો સમયગાળો રાખવાની માર્ગદર્શિકા જાહેર
45 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણની કામગીરી 17 મે 2021થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે – ડો. જ્યંતિ રવી
18થી 45ની વયના લોકોને વેક્સિન આપવામાં આપશે.
WatchGujarat. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં રસિકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોરોના સામે રક્ષણ પુરુ પાડતી કોવિશિલ્ડ વેક્સિન 18થી 44 અને 45થી ઉપરની વયના લોકોને આપવામાં આવી રહીં છે. ત્યારે ભારતના આરોગ્ય મંત્રલાય દ્વારા વેક્સિનના બીજા ડાઝ વચ્ચેના સમયગાળા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેથી 14 મેથી આગામી ત્રણ સુધી 45થી વધુ ઉંમરના લોકો માટે રસિકરણ બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
આ સંદર્ભે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ માહિતી આપતા જણાવ્યું છે કે, ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે.સઆ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, વેક્સિન રી-શેડ્યુલના પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14મે 2021થી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે. જોકે તા. 17મે થી ભારત સરકરના દિશાનિર્દેશ અનુસાર 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણની કામગીરી ફરી શરૂ કરાશે. તથા 18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે. તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી કોવિ શિલ્ડ વેક્સિનને લઇને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં
બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડીયાનો સમયગાળો રાખવાની માર્ગદર્શિકા જાહેર
45 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણની કામગીરી 17 મે 2021થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે – ડો. જ્યંતિ રવી
18થી 45ની વયના લોકોને વેક્સિન આપવામાં આપશે.
WatchGujarat. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં રસિકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોરોના સામે રક્ષણ પુરુ પાડતી કોવિશિલ્ડ વેક્સિન 18થી 44 અને 45થી ઉપરની વયના લોકોને આપવામાં આવી રહીં છે. ત્યારે ભારતના આરોગ્ય મંત્રલાય દ્વારા વેક્સિનના બીજા ડાઝ વચ્ચેના સમયગાળા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેથી 14 મેથી આગામી ત્રણ સુધી 45થી વધુ ઉંમરના લોકો માટે રસિકરણ બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
આ સંદર્ભે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ માહિતી આપતા જણાવ્યું છે કે, ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે.સઆ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, વેક્સિન રી-શેડ્યુલના પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14મે 2021થી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે. જોકે તા. 17મે થી ભારત સરકરના દિશાનિર્દેશ અનુસાર 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણની કામગીરી ફરી શરૂ કરાશે. તથા 18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે. તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.