ડો. ગૌરવ દહિયા તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ વર્ષ સુધી નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રહી ચુક્યા છે. અને તેમને કામગીરી બદલ 9 જેટલા રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે
રાજ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે મહત્વની સેવા આપી ચુકેલા અધિકારીના અનુભવ અને નિપુર્ણતાને કોરોના પર કાબુમાં મેળવવા માટે ઉપયોગમાં લેવો જોઇએ
કોરોનાની પ્રથમ વેવમાં મહારાષ્ટ્ર સરકારે સિવિલ સર્વિસમાં સેવા આપતા અને એમબીબીએસ ડીગ્રી ધરાવતા અધિકારીઓને કોરોના કાબુમાં લેવા માટે સેવારત કર્યા
એક તરફ ડોક્ટરની ધટ સામે આવી રહી છે, ત્યારે દિલ્હીની એઇમ્સમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવનાર ડો.ગૌરવ દહિયાને ખોટા આક્ષેપ બાદ સસ્પેન્ડ કરાયા છે
સરકારે તબિબિ નિષ્ણાંત અધિકારી ડો. દહિયાને મફતમાં પગાર આપવાની જગ્યાએ તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને લોકોનો જીવ બચાવો જોઇએ
લોકોની સેવા માટે જોડાવવા ડો. દહિયાએ રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો હતો
Watchgujarat. રાજ્યમાં કોરોનાની આક્રમક બીજી વેવ ચાલી રહી છે. રાજ્યભરમાં કોરોનાની સુનામી જેવી સ્થિતી સર્જાઇ છે. સ્થિતી એ હદે બગડી છે કે, હાલ દેશમા વિવિધ રાજ્યોમાં આર્મીના ડોક્ટરો કોરોનાની સેવામાં જોડાયા છે. ત્યારે ગુજરાત કેડરમાં દેશની પ્રતિષ્ઠિત એઇમ્સ હોસ્પિટલમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવનાર ડો. ગૌરવ દહિયાને સરકારે આક્ષેપ બદલ સસ્પેન્ડ કર્યા છે. અને આક્ષેપ કરનાર લીનુ સિંગ સામે અત્યાર સુધી બે પોલીસ ફરિયાદ થઇ ચુકી છે. ગુજરાત સરકારે દેશની દુનિયામાં પ્રતિષ્ઠિત એઇમ્સ હોસ્પિટલમાંથી ડિગ્રી મેળવનાર ગૌરવ દહિયાને કોવિડ ડ્યુટીમાં જોડી દેવા જોઇએ.
ડો. ગૌરવ દહિયા ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ વર્ષ સુધી નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. તથા તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અત્યાર સુધી રાષ્ટ્રીય કક્ષાના 9 એવોર્ડ મળી ચુક્યા છે. હાલ ભાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા વર્ષ 2017 અને 18માં બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાતની પાડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં કોરોનાની પ્રથમ વેવમાં એમબીબીએસની ડિગ્રી ધરાવતા 16 જેટલા આઇએએસ અધિકારીઓને કોરોનાનો વ્યાપ વધારે હોય તેવી જગ્યાએ ફરજ પર મુકવામાં આવ્યા હતા. આ નિર્ણયના કારણે મુંબઇના માલેગાંવ, થાણે સહિતના કોરોના હોટસ્પોટમાં ખુબ જ સારી કામગીરી થઇ શકી હતી અને ચોક્કસ વિસ્તારોમાં કોરોનાને નાથવામાં સફળતા મળી હતી.
કોરોનાની બીજી વેવમાં દેશભરમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતીથી પ્રસરી રહ્યું છે. હાલ કેટલાય રાજ્યોમાં આર્મીની ડોક્ટરો કોવિડ ડ્યુટીમાં જોડાયા છે. અમદાવાદમાં ડીઆરડીઓના સહયોગથી 900 બેડની કોવિડ કેર ફેસીલીટી તૈયાર કરવામાં આવી રહી છે. કોરોનાની સુનામી એટલી તિવ્ર છે કે રોજે રોજ નવા નવા કેસો સામે આવી રહ્યા છે. તેવા સમયે એમબીબીએસના અભ્યાસ કરતા વિદ્યાર્થી તબિબોને પણ કોરોનાની ડ્યુટીમાં મુકવાની ફરજ પડી છે. સમગ્ર રાજ્ય કોરોનાના કટોકટીભર્યા કાળ સામે ઝઝુમી રહ્યું છે. અને ડોક્ટરોની ઘટ સામે આવી રહી છે.
કટોકટી કાળમાં ગુજરાત રાજ્યમાં એઇમ્સમાંથી એમબીબીએસ કરનાર ડો. ગૌરવ દહિયા જેવા અધિકારીઓનો કોરોનાને નાથવા માટે સકારાત્મક ઉપયોગ થઇ શકે તેમ છે. પરંતુ સરકાર દ્વારા ડો. ગૌરવ દહિયા સામે લીનું સિંગના ખોટા આક્ષેપોને ધ્યાને લઇને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લીનું સિંગ અને તેના પતિ સામે અત્યાર સુધી બે પોલીસ ફરિયાદ થઇ ચુકી છે. તેમની સામે દિલ્લી હાઇકોર્ટમાં મામલો ચાલી રહ્યો છે.
એઇમ્સ જેવી દેશની અગ્રણી મેડીકલ કોલેજમાંથી ડિગ્રી મેળવનાર ડો. ગૌરવ દહિયાની કોરોના કાળમાં સેવા લેવામાં આવે તો કોરોના સામેની લડાઇમાં મદદરૂપ થઇ શકે છે. રાજ્ય સરકારની અનેક હોસ્પિટલો દ્વારા તબિબની ધટ પુરવા માટે અનેક વખત પ્રચાર માધ્યમો થકી ઇન્ટરવ્યુ માટેની જાહેરાત આપવામાં આવે છે. તેવા સમયે એક એઇમ્સના ડોક્ટર અને IAS અધિકારીને આક્ષેપો બદલ સસ્પેન્ડ કરી સાઇડ લાઇન કરવાની જગ્યાએ તેમની તબિબિ જ્ઞાનનો ઉપયોગ કરવો જોઇએ. એમ કરવાથી ગુજરાત સરકારના કોરોનાને નાથવાના પ્રયાસોમાં વધુ એક નિષ્ણાંત તબિબનો ઉમેરો થશે.
સુત્રના જણાવ્યા પ્રમાણે, ડો. ગૌરવ દહિયાએ રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોવિડ ડ્યુટીમાં જોડાવવા માટેની માંગ કરી છે. હાલ રાજ્ય કોરોના મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે ડોક્ટર તરીકેની ડિગ્રી ધરાવતા ડો. દહિયાના તબિબ તરીકેના અનુભવનો ઉપયોગ કરવો જોઇએ. સરકારે નિષ્ણાંત અધિકારીને મફતમાં પગાર આપવાની જગ્યાએ તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને લોકોનો જીવ બચાવો જોઇએ.
ડો. ગૌરવ દહિયા તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ વર્ષ સુધી નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રહી ચુક્યા છે. અને તેમને કામગીરી બદલ 9 જેટલા રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે
રાજ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે મહત્વની સેવા આપી ચુકેલા અધિકારીના અનુભવ અને નિપુર્ણતાને કોરોના પર કાબુમાં મેળવવા માટે ઉપયોગમાં લેવો જોઇએ
કોરોનાની પ્રથમ વેવમાં મહારાષ્ટ્ર સરકારે સિવિલ સર્વિસમાં સેવા આપતા અને એમબીબીએસ ડીગ્રી ધરાવતા અધિકારીઓને કોરોના કાબુમાં લેવા માટે સેવારત કર્યા
એક તરફ ડોક્ટરની ધટ સામે આવી રહી છે, ત્યારે દિલ્હીની એઇમ્સમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવનાર ડો.ગૌરવ દહિયાને ખોટા આક્ષેપ બાદ સસ્પેન્ડ કરાયા છે
સરકારે તબિબિ નિષ્ણાંત અધિકારી ડો. દહિયાને મફતમાં પગાર આપવાની જગ્યાએ તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને લોકોનો જીવ બચાવો જોઇએ
લોકોની સેવા માટે જોડાવવા ડો. દહિયાએ રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો હતો
Watchgujarat. રાજ્યમાં કોરોનાની આક્રમક બીજી વેવ ચાલી રહી છે. રાજ્યભરમાં કોરોનાની સુનામી જેવી સ્થિતી સર્જાઇ છે. સ્થિતી એ હદે બગડી છે કે, હાલ દેશમા વિવિધ રાજ્યોમાં આર્મીના ડોક્ટરો કોરોનાની સેવામાં જોડાયા છે. ત્યારે ગુજરાત કેડરમાં દેશની પ્રતિષ્ઠિત એઇમ્સ હોસ્પિટલમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવનાર ડો. ગૌરવ દહિયાને સરકારે આક્ષેપ બદલ સસ્પેન્ડ કર્યા છે. અને આક્ષેપ કરનાર લીનુ સિંગ સામે અત્યાર સુધી બે પોલીસ ફરિયાદ થઇ ચુકી છે. ગુજરાત સરકારે દેશની દુનિયામાં પ્રતિષ્ઠિત એઇમ્સ હોસ્પિટલમાંથી ડિગ્રી મેળવનાર ગૌરવ દહિયાને કોવિડ ડ્યુટીમાં જોડી દેવા જોઇએ.
ડો. ગૌરવ દહિયા ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ વર્ષ સુધી નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. તથા તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અત્યાર સુધી રાષ્ટ્રીય કક્ષાના 9 એવોર્ડ મળી ચુક્યા છે. હાલ ભાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા વર્ષ 2017 અને 18માં બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાતની પાડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં કોરોનાની પ્રથમ વેવમાં એમબીબીએસની ડિગ્રી ધરાવતા 16 જેટલા આઇએએસ અધિકારીઓને કોરોનાનો વ્યાપ વધારે હોય તેવી જગ્યાએ ફરજ પર મુકવામાં આવ્યા હતા. આ નિર્ણયના કારણે મુંબઇના માલેગાંવ, થાણે સહિતના કોરોના હોટસ્પોટમાં ખુબ જ સારી કામગીરી થઇ શકી હતી અને ચોક્કસ વિસ્તારોમાં કોરોનાને નાથવામાં સફળતા મળી હતી.
કોરોનાની બીજી વેવમાં દેશભરમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતીથી પ્રસરી રહ્યું છે. હાલ કેટલાય રાજ્યોમાં આર્મીની ડોક્ટરો કોવિડ ડ્યુટીમાં જોડાયા છે. અમદાવાદમાં ડીઆરડીઓના સહયોગથી 900 બેડની કોવિડ કેર ફેસીલીટી તૈયાર કરવામાં આવી રહી છે. કોરોનાની સુનામી એટલી તિવ્ર છે કે રોજે રોજ નવા નવા કેસો સામે આવી રહ્યા છે. તેવા સમયે એમબીબીએસના અભ્યાસ કરતા વિદ્યાર્થી તબિબોને પણ કોરોનાની ડ્યુટીમાં મુકવાની ફરજ પડી છે. સમગ્ર રાજ્ય કોરોનાના કટોકટીભર્યા કાળ સામે ઝઝુમી રહ્યું છે. અને ડોક્ટરોની ઘટ સામે આવી રહી છે.
કટોકટી કાળમાં ગુજરાત રાજ્યમાં એઇમ્સમાંથી એમબીબીએસ કરનાર ડો. ગૌરવ દહિયા જેવા અધિકારીઓનો કોરોનાને નાથવા માટે સકારાત્મક ઉપયોગ થઇ શકે તેમ છે. પરંતુ સરકાર દ્વારા ડો. ગૌરવ દહિયા સામે લીનું સિંગના ખોટા આક્ષેપોને ધ્યાને લઇને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લીનું સિંગ અને તેના પતિ સામે અત્યાર સુધી બે પોલીસ ફરિયાદ થઇ ચુકી છે. તેમની સામે દિલ્લી હાઇકોર્ટમાં મામલો ચાલી રહ્યો છે.
એઇમ્સ જેવી દેશની અગ્રણી મેડીકલ કોલેજમાંથી ડિગ્રી મેળવનાર ડો. ગૌરવ દહિયાની કોરોના કાળમાં સેવા લેવામાં આવે તો કોરોના સામેની લડાઇમાં મદદરૂપ થઇ શકે છે. રાજ્ય સરકારની અનેક હોસ્પિટલો દ્વારા તબિબની ધટ પુરવા માટે અનેક વખત પ્રચાર માધ્યમો થકી ઇન્ટરવ્યુ માટેની જાહેરાત આપવામાં આવે છે. તેવા સમયે એક એઇમ્સના ડોક્ટર અને IAS અધિકારીને આક્ષેપો બદલ સસ્પેન્ડ કરી સાઇડ લાઇન કરવાની જગ્યાએ તેમની તબિબિ જ્ઞાનનો ઉપયોગ કરવો જોઇએ. એમ કરવાથી ગુજરાત સરકારના કોરોનાને નાથવાના પ્રયાસોમાં વધુ એક નિષ્ણાંત તબિબનો ઉમેરો થશે.
સુત્રના જણાવ્યા પ્રમાણે, ડો. ગૌરવ દહિયાએ રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોવિડ ડ્યુટીમાં જોડાવવા માટેની માંગ કરી છે. હાલ રાજ્ય કોરોના મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે ડોક્ટર તરીકેની ડિગ્રી ધરાવતા ડો. દહિયાના તબિબ તરીકેના અનુભવનો ઉપયોગ કરવો જોઇએ. સરકારે નિષ્ણાંત અધિકારીને મફતમાં પગાર આપવાની જગ્યાએ તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને લોકોનો જીવ બચાવો જોઇએ.