છોટાઉદેપુરના કવાંટ ગામનો સોની વડોદરા ખાતે 3 સોનાની ચેઈનમાં હોલમાર્ક કરાવવા આવ્યો અને ગુમાવી બેઠો
રૂ. 6 લાખના ઘરેણાં ગુમાવનાર માલિકે જવેલર્સમાં કામ કરતા યુવક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
વડોદરા. છોટાઉદેપુરના કવાંટ ગામના જવેલર્સનો માલિક 12 તોલાની ત્રણ સોનાની ચેઇનમાં હોલમાર્ક કરવવા માટે વડોદરા આવ્યો હતો. વડોદરાના જવેલર્સે વિશ્વાસઘાત છેતરપિંડી કરી રૂ,6 લાખની ત્રણ સોનાની ચેઇન લઇ નાસી જતા જવેલર્સમાં કામ કરતા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમારી સાથે આવો કિસ્સો ના બને એટલે કોઈ પણ કામ પડતું મૂકી જ્યાં સુધી હોલમાર્ક કરવા આપેલ સોનાંના ઘરેણાં પરત ના મળે ત્યાં સુધી જવેલર્સની દુકાન છોડવી ના જોઈએ.
છોટા ઉદેપુરના કવાંટ ગામમાં રહેતા દિનેશ ભવરલાલ રાવલ મહાકાલી જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે દિનેશભાઇ 12 તોલાની ત્રણ સોનાની ચેઇનમાં હોલમાર્ક કરવવા માટે વડોદરા સ્થિત સુલ્તાનપુરા ખાતે આવ્યાં હતા. જ્યાં સાંઈનાથ જવેલર્સમાં દિનેશભાઇએ 12 તોલાની ત્રણ સોનાની ચેઇનમાં હોલમાર્ક કરવા માટે દુકાનમાં કામ કરતા મલાઇ પરેશ જાનાને આપતા પરેશે તમે અડધો કલાકમાં બજારનું બીજું કામ પતાવી આવો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દિનેશભાઇ બજારનું કામ પતાવી રાત્રે 9 વાગ્યે સોનાની ચેઇન લેવા પરત મલાઇ પરેશ પાસે પહોંચ્યા હતા. ત્યારે તમારી ચેઇન હોલમાર્ક કરવા માટે મેં.નિકુંજ દાસની દુકાનમાં કામ કરતા કૌશિક બિશજીત દલઈને આપી છે. તે થોડીવારમાં આવતો જ હશે કહીં રાહ જોવાનુ જણાવ્યું હતુ.
થોડીવાર બાદ પણ કૌશિક ચેઇન લઈને પરત ફર્યો ન હતો. જેથી મલાઈ પરેશ ચેઇન લેવા માટે મેં.નિકુંજ દાસની દુકાને પહોંચ્યો હતો. ત્યારે કૌશિક દલઈ કોઈ ચેઇન લઈને આવ્યો ન હોવાનું નિકુંજ દાસે કહ્યું હતું. જેથી મલાઈ પરેશ અને દિનેશભાઇએ કૌશિક દલઈને ફોન કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો.
આખરે પોતાની 12 તોલાની ત્રણ ચેઇન ગુમાવી હોવાનો એહસાસ દિનેશભાઇને થતા તેમણે કૌશિક દલઈ વિરુદ્ધ રૂ. 6 લાખની સોનાની ચેઇન લઇ નાસી ગયા હોવાની ફરિયાદ વાડી પોલીસમાં નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કૌશિકની શોધખોળ હાથ ધરી છે.
છોટાઉદેપુરના કવાંટ ગામનો સોની વડોદરા ખાતે 3 સોનાની ચેઈનમાં હોલમાર્ક કરાવવા આવ્યો અને ગુમાવી બેઠો
રૂ. 6 લાખના ઘરેણાં ગુમાવનાર માલિકે જવેલર્સમાં કામ કરતા યુવક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
વડોદરા. છોટાઉદેપુરના કવાંટ ગામના જવેલર્સનો માલિક 12 તોલાની ત્રણ સોનાની ચેઇનમાં હોલમાર્ક કરવવા માટે વડોદરા આવ્યો હતો. વડોદરાના જવેલર્સે વિશ્વાસઘાત છેતરપિંડી કરી રૂ,6 લાખની ત્રણ સોનાની ચેઇન લઇ નાસી જતા જવેલર્સમાં કામ કરતા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમારી સાથે આવો કિસ્સો ના બને એટલે કોઈ પણ કામ પડતું મૂકી જ્યાં સુધી હોલમાર્ક કરવા આપેલ સોનાંના ઘરેણાં પરત ના મળે ત્યાં સુધી જવેલર્સની દુકાન છોડવી ના જોઈએ.
છોટા ઉદેપુરના કવાંટ ગામમાં રહેતા દિનેશ ભવરલાલ રાવલ મહાકાલી જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે દિનેશભાઇ 12 તોલાની ત્રણ સોનાની ચેઇનમાં હોલમાર્ક કરવવા માટે વડોદરા સ્થિત સુલ્તાનપુરા ખાતે આવ્યાં હતા. જ્યાં સાંઈનાથ જવેલર્સમાં દિનેશભાઇએ 12 તોલાની ત્રણ સોનાની ચેઇનમાં હોલમાર્ક કરવા માટે દુકાનમાં કામ કરતા મલાઇ પરેશ જાનાને આપતા પરેશે તમે અડધો કલાકમાં બજારનું બીજું કામ પતાવી આવો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દિનેશભાઇ બજારનું કામ પતાવી રાત્રે 9 વાગ્યે સોનાની ચેઇન લેવા પરત મલાઇ પરેશ પાસે પહોંચ્યા હતા. ત્યારે તમારી ચેઇન હોલમાર્ક કરવા માટે મેં.નિકુંજ દાસની દુકાનમાં કામ કરતા કૌશિક બિશજીત દલઈને આપી છે. તે થોડીવારમાં આવતો જ હશે કહીં રાહ જોવાનુ જણાવ્યું હતુ.
થોડીવાર બાદ પણ કૌશિક ચેઇન લઈને પરત ફર્યો ન હતો. જેથી મલાઈ પરેશ ચેઇન લેવા માટે મેં.નિકુંજ દાસની દુકાને પહોંચ્યો હતો. ત્યારે કૌશિક દલઈ કોઈ ચેઇન લઈને આવ્યો ન હોવાનું નિકુંજ દાસે કહ્યું હતું. જેથી મલાઈ પરેશ અને દિનેશભાઇએ કૌશિક દલઈને ફોન કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો.
આખરે પોતાની 12 તોલાની ત્રણ ચેઇન ગુમાવી હોવાનો એહસાસ દિનેશભાઇને થતા તેમણે કૌશિક દલઈ વિરુદ્ધ રૂ. 6 લાખની સોનાની ચેઇન લઇ નાસી ગયા હોવાની ફરિયાદ વાડી પોલીસમાં નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કૌશિકની શોધખોળ હાથ ધરી છે.