ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ, પી.એસ.આઇ સહીત 6 પોલીસ કર્મીઓ ગાંધીનગર CID ક્રાઇમમાં બે દિવસ અગાઉ હાજર થયા હતા
તમામને કોરોના ટેસ્ટ કરાવતા ગત રાત્રે રિપોર્ટ નેગેટીવ આવ્યાં બાદ સી.આઇ.ડી ક્રાઇમે તેમની ધરપકડ કરી હતી.
શેખ બાબુની હત્યાનો મામલો ઉકેલવા સી.આઇ.ડી ક્રાઇમ તમામ ગુનેગારોને આજે કોર્ટમાં રજુ રિમાન્ડની માંગણે કરશે.
વડોદરા. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બનેલા ચકચારીત શેખ બાબુ કસ્ટોડિટલ ડેથની તપાસ હાલ એસી.પી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહીં હતી. પરંતુ આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 6 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયાના એક મહિના સુધી એક પણ આરોપી સુધી પોલીસ પહોંચી ન વળતા આખરે તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપાઇ હતી. શેખ બાબુ હત્યા પ્રકરણની તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપાયાના ગણત્રીના દિવસોમાં તમામ ગુનેગોરીએ શરણાગતિ સ્વીકાર હાજર થયા હતા. જોકે તમામને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગત વર્ષ 2019, 10 ડીસેમ્બરના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુની હત્યાના મામલે એ.સી.પી કક્ષાના અધિકારીએ ગુપ્ત રાહે તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેથી આખરે 7 મહિના બાદ આ મામલે એ.સી.પી એસ.જી પાટીલે ફતેહગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ, પી.એસ.આઇ સહીત 6 પોલીસ કર્મીઓ સામે આઇ.પી.સી 304 સહીતની કલમનો ઉમેરો કરી ગુનો નોંધાવ્યો હતો. જોકે હાઇકોર્ટની ટકોર બાદ આ ગુનામાં આઇપીસી 302ની કલમ પણ ઉમેરવામાં આવી હતી.
શેખ બાબુની હત્યા મામલે ગત તા. 6 જૂલાઇના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે 6 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો હતો. આ મામલાની તપાસ એસી.પી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહીં હતી. તેવામાં પોલીસને ગુનાના કામે વપરાયેલી સફેદ રંગની કાર હાથે લાગી હતી. પરંતુ શેખ બાબુના હત્યારાઓ સુધી પહોંચી વળવા પોલીસના હાથ ટુંકા પડી રહ્યાં હતા. જેથી આખરે આ સમગ્ર મામલો સી.આઇ.ડી ક્રાઇમ પાસે પહોંચ્યો હતો. જેના ગણત્રીના દિવસોમાં ફતેંગજ પોલીસ સ્ટેશનના તત્કાલન પી.આઇ ડી.બી ગોહીલ, પી.એસ.આઇ ડી.એમ રબારી સહીત ચાર એલ.આર.ડી બે દિવસ અગાઉ સી.આઇ.ડી ક્રાઇમમાં હાજર થયા હતા. ત્યારબાદ તમામને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં હતા. જોકે ગત મોડી રાત્રે તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરી સી.આઇ.ડી ક્રાઇમે તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
- ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ, પી.એસ.આઇ સહીત 6 પોલીસ કર્મીઓ ગાંધીનગર CID ક્રાઇમમાં બે દિવસ અગાઉ હાજર થયા હતા
- તમામને કોરોના ટેસ્ટ કરાવતા ગત રાત્રે રિપોર્ટ નેગેટીવ આવ્યાં બાદ સી.આઇ.ડી ક્રાઇમે તેમની ધરપકડ કરી હતી.
- શેખ બાબુની હત્યાનો મામલો ઉકેલવા સી.આઇ.ડી ક્રાઇમ તમામ ગુનેગારોને આજે કોર્ટમાં રજુ રિમાન્ડની માંગણે કરશે.
વડોદરા. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બનેલા ચકચારીત શેખ બાબુ કસ્ટોડિટલ ડેથની તપાસ હાલ એસી.પી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહીં હતી. પરંતુ આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 6 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયાના એક મહિના સુધી એક પણ આરોપી સુધી પોલીસ પહોંચી ન વળતા આખરે તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપાઇ હતી. શેખ બાબુ હત્યા પ્રકરણની તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપાયાના ગણત્રીના દિવસોમાં તમામ ગુનેગોરીએ શરણાગતિ સ્વીકાર હાજર થયા હતા. જોકે તમામને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગત વર્ષ 2019, 10 ડીસેમ્બરના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુની હત્યાના મામલે એ.સી.પી કક્ષાના અધિકારીએ ગુપ્ત રાહે તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેથી આખરે 7 મહિના બાદ આ મામલે એ.સી.પી એસ.જી પાટીલે ફતેહગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ, પી.એસ.આઇ સહીત 6 પોલીસ કર્મીઓ સામે આઇ.પી.સી 304 સહીતની કલમનો ઉમેરો કરી ગુનો નોંધાવ્યો હતો. જોકે હાઇકોર્ટની ટકોર બાદ આ ગુનામાં આઇપીસી 302ની કલમ પણ ઉમેરવામાં આવી હતી.
શેખ બાબુની હત્યા મામલે ગત તા. 6 જૂલાઇના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે 6 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો હતો. આ મામલાની તપાસ એસી.પી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહીં હતી. તેવામાં પોલીસને ગુનાના કામે વપરાયેલી સફેદ રંગની કાર હાથે લાગી હતી. પરંતુ શેખ બાબુના હત્યારાઓ સુધી પહોંચી વળવા પોલીસના હાથ ટુંકા પડી રહ્યાં હતા. જેથી આખરે આ સમગ્ર મામલો સી.આઇ.ડી ક્રાઇમ પાસે પહોંચ્યો હતો. જેના ગણત્રીના દિવસોમાં ફતેંગજ પોલીસ સ્ટેશનના તત્કાલન પી.આઇ ડી.બી ગોહીલ, પી.એસ.આઇ ડી.એમ રબારી સહીત ચાર એલ.આર.ડી બે દિવસ અગાઉ સી.આઇ.ડી ક્રાઇમમાં હાજર થયા હતા. ત્યારબાદ તમામને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં હતા. જોકે ગત મોડી રાત્રે તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરી સી.આઇ.ડી ક્રાઇમે તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.