સી.આઇ.ડી ક્રાઇમે 16 મુદ્દાઓના આધારે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
સી.આઇ.ડી ક્રાઇમ બનાવના સ્થળે એફ.એસ.એલ અને આરોપીઓને સાથે રાખી રિકન્સટ્રકશન કરશે
વડોદરાની નામદાર કોર્ટે તમામ 6 આરોપીઓના આગામી 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
વડોદરા. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુના ચકચારીત કસ્ટોડિયલ ડેથ મામલાની તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. જેના પરિણામે ગણત્રીના દિવસોમાં ફતેંગજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ, પી.એસ.આઇ સહીત 4 એલ.આર.ડી શરણાગતી સ્વીકાર સી.આઇ.ડી ક્રાઇમમાં હાજર થઇ ગયા હતા. જોકે હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે તમામના કોરોના ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યાં બાદ તમામની અટકાયત કરી આજે વડોદરાની નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ 11મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
શેખ બાબુની હકત્યામાં સંડોવાયેલા 6 પોલીસ કર્મીઓ
દશરથ માધાભાઇ રબારી (પી.એસ.આઇ)
પંકજ માવજીભાઇ રાઠોડ (એલ.આર.ડી)
યોગેન્દ્રસિંહ જીલણસિંહ ચૌહાણ (એલ.આર.ડી)
રાજેશ સવજીભાઇ ગડચર (એલ.આર.ડી)
હિતેષ સંભુભાઇ બાંભણીયા (એલ.આર.ડી)
ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ (પી.આઇ)
સી.આઇ.ડી ક્રાઇમે કોર્ટ સમક્ષ રજૂ કરેલા રિમાન્ડના મહત્વના મુદ્દાઓ
શેખ બાબુ શેખ નિશારના મોત નિપજાવવા અંગે કાવતરૂ રચવામાં કોણી શુ ભૂમિકા હતી, અન્ય કોઇ વ્યકિતઓની સંડોવણી છે કે કેમ.
કયા કયા આરોપીઓએ શારીરીક યાતનાઓ આપી હતી.
શેખ બાબુની લાશનો હજી કોઇ પત્તો મળ્યો નથી, તેની લાશનો નિકાલ ક્યાં કરવામાં આવ્યો છે. તેમજ લાશને રિકવર કરવા
લાશના નિકાલમાં કરવા માટે એક કરતા વધુ વાહનોનો ઉપ્યોગ કરવામાં આવ્યો હતો.
લાશનો નિકાલ કરવા અન્ય કોઇ વ્યક્તિની મદદ લેવામાં આવી હતી કે કેમ
શેખ બાબુની લાશના નિકાલ માટે જરૂર ચીજવસ્તુઓ ક્યાંથી મેળવવામાં આવી હતી.
બનાવ સ્થળનુ એફએસએલ અધિકારીની મદદથી રિકન્સટ્રકશન અને પંચનામુ કરવા
પીએસઓ સમક્ષ રજૂ નહી કરાયેલુ નિવેદન રિકવર કરવા
પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા કોના કહેવાથી બંધ કરવામાં આવ્યાં હતા
શેખ બાબુને કયા હથિયારથી માર મારવામાં આવ્યો હતો.
બનાવના સમયે આરોપીઓએ કયા મોબાઇલ ફોન અને સિમકાર્ડનો ઉપ્યોગ કર્યો હતો
આટલા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓએ ક્યાં ક્યાં આસરો લીધો અને કોણે તેમની મદદ કરી
ગુનો કરવા પાછળનો ઉદ્દેશ શુ હતો.
તમામ આરોપી પોલીસ કર્મી હોવાથી કાયદાથી વાકેફના કારણે પોલીસ તપાસમાં સહકાર આપતા ન હોવાથી તેમની કસ્ટીની જરૂરીયાત છે
સી.આઇ.ડી ક્રાઇમે 16 મુદ્દાઓના આધારે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
સી.આઇ.ડી ક્રાઇમ બનાવના સ્થળે એફ.એસ.એલ અને આરોપીઓને સાથે રાખી રિકન્સટ્રકશન કરશે
વડોદરાની નામદાર કોર્ટે તમામ 6 આરોપીઓના આગામી 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
વડોદરા. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુના ચકચારીત કસ્ટોડિયલ ડેથ મામલાની તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. જેના પરિણામે ગણત્રીના દિવસોમાં ફતેંગજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ, પી.એસ.આઇ સહીત 4 એલ.આર.ડી શરણાગતી સ્વીકાર સી.આઇ.ડી ક્રાઇમમાં હાજર થઇ ગયા હતા. જોકે હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે તમામના કોરોના ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યાં બાદ તમામની અટકાયત કરી આજે વડોદરાની નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ 11મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
શેખ બાબુની હકત્યામાં સંડોવાયેલા 6 પોલીસ કર્મીઓ
દશરથ માધાભાઇ રબારી (પી.એસ.આઇ)
પંકજ માવજીભાઇ રાઠોડ (એલ.આર.ડી)
યોગેન્દ્રસિંહ જીલણસિંહ ચૌહાણ (એલ.આર.ડી)
રાજેશ સવજીભાઇ ગડચર (એલ.આર.ડી)
હિતેષ સંભુભાઇ બાંભણીયા (એલ.આર.ડી)
ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ (પી.આઇ)
સી.આઇ.ડી ક્રાઇમે કોર્ટ સમક્ષ રજૂ કરેલા રિમાન્ડના મહત્વના મુદ્દાઓ
શેખ બાબુ શેખ નિશારના મોત નિપજાવવા અંગે કાવતરૂ રચવામાં કોણી શુ ભૂમિકા હતી, અન્ય કોઇ વ્યકિતઓની સંડોવણી છે કે કેમ.
કયા કયા આરોપીઓએ શારીરીક યાતનાઓ આપી હતી.
શેખ બાબુની લાશનો હજી કોઇ પત્તો મળ્યો નથી, તેની લાશનો નિકાલ ક્યાં કરવામાં આવ્યો છે. તેમજ લાશને રિકવર કરવા
લાશના નિકાલમાં કરવા માટે એક કરતા વધુ વાહનોનો ઉપ્યોગ કરવામાં આવ્યો હતો.
લાશનો નિકાલ કરવા અન્ય કોઇ વ્યક્તિની મદદ લેવામાં આવી હતી કે કેમ
શેખ બાબુની લાશના નિકાલ માટે જરૂર ચીજવસ્તુઓ ક્યાંથી મેળવવામાં આવી હતી.
બનાવ સ્થળનુ એફએસએલ અધિકારીની મદદથી રિકન્સટ્રકશન અને પંચનામુ કરવા
પીએસઓ સમક્ષ રજૂ નહી કરાયેલુ નિવેદન રિકવર કરવા
પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા કોના કહેવાથી બંધ કરવામાં આવ્યાં હતા
શેખ બાબુને કયા હથિયારથી માર મારવામાં આવ્યો હતો.
બનાવના સમયે આરોપીઓએ કયા મોબાઇલ ફોન અને સિમકાર્ડનો ઉપ્યોગ કર્યો હતો
આટલા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓએ ક્યાં ક્યાં આસરો લીધો અને કોણે તેમની મદદ કરી
ગુનો કરવા પાછળનો ઉદ્દેશ શુ હતો.
તમામ આરોપી પોલીસ કર્મી હોવાથી કાયદાથી વાકેફના કારણે પોલીસ તપાસમાં સહકાર આપતા ન હોવાથી તેમની કસ્ટીની જરૂરીયાત છે