તા.9મી ઓક્ટોબરના રોજ આ વિધાનસભા મતદાર ક્ષેત્રની ચૂંટણી યોજવાના જાહેરનામાની વિધિવત પ્રસિદ્ધિ સાથે
જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી વિગતવાર સંબંધીત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.
કૉવીડની પરિસ્થિતિને અનુલક્ષીને ચૂંટણી પંચ જે માર્ગદર્શિકા જાહેર કરે એના પાલન માટે સજ્જ રહેવા અધિકારીઓને જણાવ્યું હતું
કરજણ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન કરાવવા સૂચના આપવાની સાથે જરૂરી તમામ તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
વડોદરા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે, ભારતના ચૂંટણીપંચે આજે 147 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજવાની કરેલી જાહેરાતના અનુસંધાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને પૂર્વ તૈયારીઓ સહિત વિવિધ બાબતોનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને કરજણ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન કરાવવા સૂચના આપવાની સાથે જરૂરી તમામ તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે હાલમાં કૉવીડની પરિસ્થિતિને અનુલક્ષીને ચૂંટણી પંચ જે માર્ગદર્શિકા જાહેર કરે એના પાલન માટે સજ્જ રહેવા જણાવ્યું હતું.
તેમણે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષી, આદર્શ આચારસંહિતા અમલીકરણના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.બી.ચૌધરી, આ બેઠકના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર સહ પ્રાંત અધિકારી, કરજણ અને સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બેઠકની ચૂંટણી કરાવવા માટે ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, કરજણ દ્વારા તા.9મી ઓક્ટોબરના રોજ આ વિધાનસભા મતદાર ક્ષેત્રની ચૂંટણી યોજવાના જાહેરનામાની વિધિવત પ્રસિદ્ધિ સાથે, ઉમેદવારી પત્રો સ્વીકારવા સહિતની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. મતદાન કરાવવાની તારીખ 3 નવેમ્બર અને મત ગણના માટે 10મી નવેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો અને સંબંધિત તમામને નિર્ધારિત આચાર સંહિતાનું પાલન કરીને નિષ્પક્ષ, તટસ્થ, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી આયોજનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
તા.9મી ઓક્ટોબરના રોજ આ વિધાનસભા મતદાર ક્ષેત્રની ચૂંટણી યોજવાના જાહેરનામાની વિધિવત પ્રસિદ્ધિ સાથે
કૉવીડની પરિસ્થિતિને અનુલક્ષીને ચૂંટણી પંચ જે માર્ગદર્શિકા જાહેર કરે એના પાલન માટે સજ્જ રહેવા અધિકારીઓને જણાવ્યું હતું
કરજણ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન કરાવવા સૂચના આપવાની સાથે જરૂરી તમામ તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
વડોદરા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે, ભારતના ચૂંટણીપંચે આજે 147 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજવાની કરેલી જાહેરાતના અનુસંધાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને પૂર્વ તૈયારીઓ સહિત વિવિધ બાબતોનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને કરજણ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન કરાવવા સૂચના આપવાની સાથે જરૂરી તમામ તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે હાલમાં કૉવીડની પરિસ્થિતિને અનુલક્ષીને ચૂંટણી પંચ જે માર્ગદર્શિકા જાહેર કરે એના પાલન માટે સજ્જ રહેવા જણાવ્યું હતું.
તેમણે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષી, આદર્શ આચારસંહિતા અમલીકરણના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.બી.ચૌધરી, આ બેઠકના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર સહ પ્રાંત અધિકારી, કરજણ અને સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બેઠકની ચૂંટણી કરાવવા માટે ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, કરજણ દ્વારા તા.9મી ઓક્ટોબરના રોજ આ વિધાનસભા મતદાર ક્ષેત્રની ચૂંટણી યોજવાના જાહેરનામાની વિધિવત પ્રસિદ્ધિ સાથે, ઉમેદવારી પત્રો સ્વીકારવા સહિતની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. મતદાન કરાવવાની તારીખ 3 નવેમ્બર અને મત ગણના માટે 10મી નવેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો અને સંબંધિત તમામને નિર્ધારિત આચાર સંહિતાનું પાલન કરીને નિષ્પક્ષ, તટસ્થ, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી આયોજનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.