મુંબઇ સ્થિત મુલુંદમાં રહેતા 56 વર્ષીય જતીનભાઇ ગોહિલ છેલ્લા અઠવાડીયાથી હોટલમાં રોકાયા હતા.
સોમવારે ચેકાઉટનો ટાઇમ થતાં હોટલ સ્ટાફે રૂમનો દરવાજો ખખડાવ્યો પણ કોઇ જવાબ ન મળ્યો
હોટલ સ્ટાફને શંકા જતા માસ્ટર કીથી રૂમ ખોલતા આધેડ લાલ ઓઢમી વડે ગળે ફાંસો ખાધેલા હાલતમાં જોવા મળ્યાં હતા.
પોલીસે હોટલના સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરી
[caption id="attachment_9141" align="aligncenter" width="1280"] (પોલીસને રૂમમાંથી માત્ર લાલ રંગની ઓઢણી મળી )[/caption]
વડોદરા. મુંબઇથી કામ અર્થે આવેલા આધેડે મકરપુરા વિસ્તારમાં આવેલી હોટલમાં રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે મકરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આધેડના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મુબંઇ સ્થિત મુલુંદ ખાતેના ભક્તિ ફ્લેટમાં રહેતા 56 વર્ષીય જતીનભાઇ બીજલભાઇ ગોહિલ છેલ્લા બે ત્રણ દિવસથી વડોદરા ખાતે આવ્યાં હતા. વડોદરા આવી તેઓ મકરપુરા સ્થિત હોટલ રોયહલ વીંગસમાં રૂમ રાખી રહીં રહ્યાં હતા. દરમિયાન સોમવારે તેઓનો ચેકઆઉટનો સમય થતાં હોટલ સ્ટાફના માણસો તેમણે જાણ કરવા માટે રૂમ પર પહોંચ્યાં હતા. જોકે રૂમ બંધ હોવાથી તેમણે દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો.
થોડા સમય બાદ હોટલ સ્ટાફ ફરી એક વખત જતીનભાઇને ચેકઆઉટની જાણ કરવા માટે પહોંચ્યો હતો. પરંતુ તેમને કોઇ જવાબ ન મળતા આખરે માસ્ટર કી વડે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. દરવાજો ખોલતા જ 56 વર્ષીય જતીનભાઇ ગોહિલ લાલ ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા. જેથી હોટલના સ્ટાફે આ મામલે મકરપુરા પોલીસને જાણ કરતા તેઓ સ્થલ પર પહોંચી ગયા હતા. જ્યાં આધેડના રૂમની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસને રૂમમાંથી કોઇ સામાન મળી આવ્યો ન હતો. માત્ર લાલ રંગની ઓઢણી મળી આવી હતી જેના વડે આધેડે ગળે ફાંસ ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવને પગલે પોલીસે આધેડના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી પરિવારને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી.
સોમવારે ચેકાઉટનો ટાઇમ થતાં હોટલ સ્ટાફે રૂમનો દરવાજો ખખડાવ્યો પણ કોઇ જવાબ ન મળ્યો
હોટલ સ્ટાફને શંકા જતા માસ્ટર કીથી રૂમ ખોલતા આધેડ લાલ ઓઢમી વડે ગળે ફાંસો ખાધેલા હાલતમાં જોવા મળ્યાં હતા.
પોલીસે હોટલના સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરી
[caption id="attachment_9141" align="aligncenter" width="1280"] (પોલીસને રૂમમાંથી માત્ર લાલ રંગની ઓઢણી મળી )[/caption]
વડોદરા. મુંબઇથી કામ અર્થે આવેલા આધેડે મકરપુરા વિસ્તારમાં આવેલી હોટલમાં રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે મકરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આધેડના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મુબંઇ સ્થિત મુલુંદ ખાતેના ભક્તિ ફ્લેટમાં રહેતા 56 વર્ષીય જતીનભાઇ બીજલભાઇ ગોહિલ છેલ્લા બે ત્રણ દિવસથી વડોદરા ખાતે આવ્યાં હતા. વડોદરા આવી તેઓ મકરપુરા સ્થિત હોટલ રોયહલ વીંગસમાં રૂમ રાખી રહીં રહ્યાં હતા. દરમિયાન સોમવારે તેઓનો ચેકઆઉટનો સમય થતાં હોટલ સ્ટાફના માણસો તેમણે જાણ કરવા માટે રૂમ પર પહોંચ્યાં હતા. જોકે રૂમ બંધ હોવાથી તેમણે દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો.
થોડા સમય બાદ હોટલ સ્ટાફ ફરી એક વખત જતીનભાઇને ચેકઆઉટની જાણ કરવા માટે પહોંચ્યો હતો. પરંતુ તેમને કોઇ જવાબ ન મળતા આખરે માસ્ટર કી વડે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. દરવાજો ખોલતા જ 56 વર્ષીય જતીનભાઇ ગોહિલ લાલ ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા. જેથી હોટલના સ્ટાફે આ મામલે મકરપુરા પોલીસને જાણ કરતા તેઓ સ્થલ પર પહોંચી ગયા હતા. જ્યાં આધેડના રૂમની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસને રૂમમાંથી કોઇ સામાન મળી આવ્યો ન હતો. માત્ર લાલ રંગની ઓઢણી મળી આવી હતી જેના વડે આધેડે ગળે ફાંસ ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવને પગલે પોલીસે આધેડના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી પરિવારને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી.