વડોદરા. દહેજની માંગ પૂરી ન કરનાર સાસરીયાઓએ પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી બે સંતાનો સાથે પિયરની વાટ પકડાવી દીધી હતી. ટીચરની નોકરી કરીને બે સંતાનો સાથે ગુજરાન ચલાવી રહેલી પરિણીતાએ દહેજ ભુખ્યા પતિ સહિત સાસરીયાઓને સબક શીખવાડવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શિક્ષીકાએ પતિ સામે આક્ષેપ કર્યો છે કે, લગ્નની પ્રથમ રાત્રે હું માસિક ધર્મમાં હતી છતાં પતિએ જબરજસ્તી કરી હતી. આ ઉપરાંત અન્ય આક્ષેપો સાથે શિક્ષીકાએ પતિ સહિત સાસરીયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના ગોરવા-લક્ષ્મીપુરા વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતી અને શિક્ષીકા તરીકે નોકરી કરતા રીયાબહેન (નામ બદલેલું છે) મહિલા પોલીસ સ્ટેશનમાં સુરત વેસુ એરીયા ખાતે શિલ્પ રેસિડેન્સીમાં રહેતા પતિ સુરેશ ચતુર્ભુજ હેમનાની, સાસુ જશોદાબહેન, સસરા ચતુર્ભુજ હેમનાની, જેઠ ઓમપ્રકાશ હેમનાની, જેઠાણી પલક ઓમપ્રકાશ હેમનાની, નણંદો મીના વિરવાની (રહે. જોધપુર), લતા દેવનાની (રહે. ભોપલ), અને આશા સચદેવા સામે જાનથી મારી નાંખવાની, દહેજની માંગણીનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.
રીયાબહેને નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 14 વર્ષ પહેલાં સુરતમાં રહેતા સુરેશ ચતુર્ભુજ હેમનાની સાથે લગ્ન થયા હતા. અને સંયુક્ત પરિવારમાં સાંસારીક જીવનની શરૂઆત કરી હતી. લગ્ન જીવનના શરૂઆતના દિવસોમાંજ પતિએ મારો મોબાઇલ ફોન લીધો હતો. પિયરમાં માતા-પિતા સાથે પણ વાત કરવા દેતા ન હતા. સાસુએ ઘરેણાં પણ લઇ લીધા હતા. લગ્નના દસ દિવસ બાદ હનીમુન કરવા માટે સિંગાપુર ગયા હતા. જ્યાં માસિક ધર્મમાં આવવાથી પતિને શારીરીક સંબધ ન બાંધવા માટે જણાવતા તેઓએ જબરજસ્તી કરી હતી. હનીમુન કરીને ઘરે પરત આવ્યા બાદ પતિ, સાસુ,સસરા, જેઠ-જેઠાણીએ ત્રાસ આપવાની શરૂઆત કરી દીધી હતી. લગ્ન જીવન નર્ક બનાવી દીધું હતું. પરંતુ, લગ્નજીવન બગડે નહિં તે માટે ત્રાસ સહન કરતી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ-2008માં બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ સાસુ જશોદાએ નણંદો માટે પિયરમાંથી સોનાના સિક્કા અને 40 કિલો મિઠાઇ તેમજ ડિલીવરીમાં થયેલ ખર્ચ મંગાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. દીકરી ત્રણ વર્ષની થતાં સસરા ચતુર્ભુજે પતિ સાથે ઘરમાંથી કાઢી મુક્યા હતા. અને સસરાએ જણાવ્યું કે, તારા પિતાને કહે સુરતમાં બીજો ફ્લેટ અપાવે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, નણંદો વેકેશનમાં ઘરે આવતી ત્યારે ત્રાસ ગુજારતી હતી. અડધી રાત્રે ઉઠાડીને જમવાનું બનાવતી હતી.
વર્ષ-2014માં પુત્રને જન્મ આપ્યા બાદ પતિ સહિત સાસરીયાઓએ ત્રાસ વધુ આપવાનું શરૂ કર્યું હતું. વધુમાં જણાવ્યું હતુ કે, મારા બાળકો માટે પતિ સુરેશ મદદ કરતો ન હોવાથી ટ્યુશન ક્લાસ ચલાવવાનું શરૂ કર્યું હતું. જે ખર્ચમાંથી બંને બાળકોનો ખર્ચ કાઢવા ઉપરાંત પરિવારમાં પણ મદદરૂપ થતી હતી. પરંતુ, પતિ સુરેશ દારૂ પીને આવે ત્યારે મારઝૂ઼ડ કરતો હતો. અને છૂટાછેડા લઇ લેવા માટે જણાવતો હતો. પતિ સાથે સાસુ સહિત પરિવારના અન્ય લોકો છૂટાછેડા લઇ લેવા માટે દબાણ કરતા હતા. અને છૂટાછેડા નહિં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આખરે પતિ અને સાસરીયાઓએ વર્ષ-2017માં બે સંતાનો સાથે મને કાઢી મુકતા માતા-પિતા સાથે રહું છું. અને શિક્ષીકાની નોકરી કરીને મારા બે સંતાનોનું ગુજરાન ચલાવુ છું.
વડોદરા. દહેજની માંગ પૂરી ન કરનાર સાસરીયાઓએ પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી બે સંતાનો સાથે પિયરની વાટ પકડાવી દીધી હતી. ટીચરની નોકરી કરીને બે સંતાનો સાથે ગુજરાન ચલાવી રહેલી પરિણીતાએ દહેજ ભુખ્યા પતિ સહિત સાસરીયાઓને સબક શીખવાડવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શિક્ષીકાએ પતિ સામે આક્ષેપ કર્યો છે કે, લગ્નની પ્રથમ રાત્રે હું માસિક ધર્મમાં હતી છતાં પતિએ જબરજસ્તી કરી હતી. આ ઉપરાંત અન્ય આક્ષેપો સાથે શિક્ષીકાએ પતિ સહિત સાસરીયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના ગોરવા-લક્ષ્મીપુરા વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતી અને શિક્ષીકા તરીકે નોકરી કરતા રીયાબહેન (નામ બદલેલું છે) મહિલા પોલીસ સ્ટેશનમાં સુરત વેસુ એરીયા ખાતે શિલ્પ રેસિડેન્સીમાં રહેતા પતિ સુરેશ ચતુર્ભુજ હેમનાની, સાસુ જશોદાબહેન, સસરા ચતુર્ભુજ હેમનાની, જેઠ ઓમપ્રકાશ હેમનાની, જેઠાણી પલક ઓમપ્રકાશ હેમનાની, નણંદો મીના વિરવાની (રહે. જોધપુર), લતા દેવનાની (રહે. ભોપલ), અને આશા સચદેવા સામે જાનથી મારી નાંખવાની, દહેજની માંગણીનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.
રીયાબહેને નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 14 વર્ષ પહેલાં સુરતમાં રહેતા સુરેશ ચતુર્ભુજ હેમનાની સાથે લગ્ન થયા હતા. અને સંયુક્ત પરિવારમાં સાંસારીક જીવનની શરૂઆત કરી હતી. લગ્ન જીવનના શરૂઆતના દિવસોમાંજ પતિએ મારો મોબાઇલ ફોન લીધો હતો. પિયરમાં માતા-પિતા સાથે પણ વાત કરવા દેતા ન હતા. સાસુએ ઘરેણાં પણ લઇ લીધા હતા. લગ્નના દસ દિવસ બાદ હનીમુન કરવા માટે સિંગાપુર ગયા હતા. જ્યાં માસિક ધર્મમાં આવવાથી પતિને શારીરીક સંબધ ન બાંધવા માટે જણાવતા તેઓએ જબરજસ્તી કરી હતી. હનીમુન કરીને ઘરે પરત આવ્યા બાદ પતિ, સાસુ,સસરા, જેઠ-જેઠાણીએ ત્રાસ આપવાની શરૂઆત કરી દીધી હતી. લગ્ન જીવન નર્ક બનાવી દીધું હતું. પરંતુ, લગ્નજીવન બગડે નહિં તે માટે ત્રાસ સહન કરતી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ-2008માં બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ સાસુ જશોદાએ નણંદો માટે પિયરમાંથી સોનાના સિક્કા અને 40 કિલો મિઠાઇ તેમજ ડિલીવરીમાં થયેલ ખર્ચ મંગાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. દીકરી ત્રણ વર્ષની થતાં સસરા ચતુર્ભુજે પતિ સાથે ઘરમાંથી કાઢી મુક્યા હતા. અને સસરાએ જણાવ્યું કે, તારા પિતાને કહે સુરતમાં બીજો ફ્લેટ અપાવે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, નણંદો વેકેશનમાં ઘરે આવતી ત્યારે ત્રાસ ગુજારતી હતી. અડધી રાત્રે ઉઠાડીને જમવાનું બનાવતી હતી.
વર્ષ-2014માં પુત્રને જન્મ આપ્યા બાદ પતિ સહિત સાસરીયાઓએ ત્રાસ વધુ આપવાનું શરૂ કર્યું હતું. વધુમાં જણાવ્યું હતુ કે, મારા બાળકો માટે પતિ સુરેશ મદદ કરતો ન હોવાથી ટ્યુશન ક્લાસ ચલાવવાનું શરૂ કર્યું હતું. જે ખર્ચમાંથી બંને બાળકોનો ખર્ચ કાઢવા ઉપરાંત પરિવારમાં પણ મદદરૂપ થતી હતી. પરંતુ, પતિ સુરેશ દારૂ પીને આવે ત્યારે મારઝૂ઼ડ કરતો હતો. અને છૂટાછેડા લઇ લેવા માટે જણાવતો હતો. પતિ સાથે સાસુ સહિત પરિવારના અન્ય લોકો છૂટાછેડા લઇ લેવા માટે દબાણ કરતા હતા. અને છૂટાછેડા નહિં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આખરે પતિ અને સાસરીયાઓએ વર્ષ-2017માં બે સંતાનો સાથે મને કાઢી મુકતા માતા-પિતા સાથે રહું છું. અને શિક્ષીકાની નોકરી કરીને મારા બે સંતાનોનું ગુજરાન ચલાવુ છું.