ચૂંટણી પહેલા જ શહેરની આસપાસના 7 ગામો ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, કરોડીયા, ઉંડેરા, વડદલાનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો.
15 દિવસથી કલાલી ગામની બીલકુલ બહાર મેઇન રોડ પર મસમોટો ભુવો પડ્યો છે.
મેઇન ડ્રેનેઇજ લાઇનમાં ભંગાણ હોવાથી ભુવો પડ્યો હોવાનો અનુમાન
નજીકમાં જ કોવિડની સારવાર આપતી રામ કૃષ્ણ પરમહંસ હોસ્પિટલ આવેલી છે.
સ્થાનિકો દ્વારા અનેક વખત વોર્ડ-6માં રજૂઆત કર્યા છતાં સ્માર્ટ સિટીના ઠેકેદારોના પેટનુ પાણી હલતુ નથી.
મોટી સંખ્યામાં દિવસ રાત આ રસ્તા પરથી અનેકો વાહનો પસાર થાય છે, કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ?
વડોદરા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વડોદરા આસપાસના 7 ગામોનો કોર્પોરેશનની હદમાં કાગળ ઉપર સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. પરંતુ ગ્રામજનોને કોર્પોરેશનની એક પણ સુવિધાનો સ્થાનિકો હજી સુધી કોઇ લાભ મળતો દેખાતો નથી. ત્યારે કલાલી ગામની બીલકુલ બહાર મેઇન રોડ પર પડેલો મસમોટો ભુવો છેલ્લા 15 દિવસથી રિપેર થવાની રાહ જોઇ રહ્યો છે. જ્યાં માત્ર 100 ફુટના અંતરે કોવિડના દર્દીઓની સારવાર આપતી હોસ્પિટલ પણ આવેલી છે. આમ અનેક વખત સ્થાનિકોએ ભુવાની મરમ્મત માટે અનેક વખત વોર્ડ-6માં રજૂઆત કરવા છતાં સ્માર્ટ સિટીના ઠેકેદારોના પેટનુ પાણી હલતુ નથી.
વરસાદ સામાન્ય હોય કે ભારે પણ વડોદરામાં ભુવાઓ પડવાના સિલસિલો વર્ષોથી યથવાત છે. શુક્રવારે શહેરના પોશ વિસ્તાર એવા મનિષા ચોકડી પર મસમોટો ભુવો પડ્યો હતો. જે હજી સુધી રિપેર કરવામાં આવ્યો નથી. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વડોદરાના આસપાસના સાત ગામોનો કાગળો પર સમાવેશ કરી સરકારી તંત્રએ મોટી જાહેરાતો કરી દીધી હતી. કોર્પોરેશનની હદમાં ગામનો સમાવેશ કરાતા કેટલાક ગામોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પરંતુ તેમની દરકાર સાંભળવામાં આવી ન હતી.
ગામોનો સમાવેશ ખરેખર કાગળો ઉપર જ છે, જે બાબત સાચી ઠેરવતો કલાલી ગામ બહાર પડેલો ભુવો છે. 15 દિવસ અગાઉ શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે ગામની બીલકુલ બહાર આસપાસના અન્ય ગામોને જોડતા મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો હતો. રિપેરીંગ કામ કરવા માટે ગ્રામજનો દ્વારા અનેક વખત સ્થાનિક નેતાઓ અને વહીવટી વોર્ડ નં-6માં મૌખીક રજૂઆત કરી હતી. પરંતુ તેમની રજૂઆત સાંભળનાર સ્માર્ટ સિટીના એક પણ ઠેકેદારે હજી સુધી ભુવો રિપેર કરવાની તસ્દી સુદ્ધા લીધી નથી. ત્યારે આ મસમોટા ભુવાના કારણે આસપાસનો રસ્તા પણ બેસી જતાં નજીકના સમયમાં વધુ એક મસમોટો ભુવો પડે તો નવાઇ નહીં, દરમિયાન જો કોઇ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારીનો ઠીકરો સ્માર્ટ સિટીના કયા ઠેકેદારના સીરે ફોળવામાં આવશે તેની તંત્રએ સ્પષ્ટતા કરવી જોઇએ.
ચૂંટણી પહેલા જ શહેરની આસપાસના 7 ગામો ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, કરોડીયા, ઉંડેરા, વડદલાનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો.
15 દિવસથી કલાલી ગામની બીલકુલ બહાર મેઇન રોડ પર મસમોટો ભુવો પડ્યો છે.
મેઇન ડ્રેનેઇજ લાઇનમાં ભંગાણ હોવાથી ભુવો પડ્યો હોવાનો અનુમાન
નજીકમાં જ કોવિડની સારવાર આપતી રામ કૃષ્ણ પરમહંસ હોસ્પિટલ આવેલી છે.
સ્થાનિકો દ્વારા અનેક વખત વોર્ડ-6માં રજૂઆત કર્યા છતાં સ્માર્ટ સિટીના ઠેકેદારોના પેટનુ પાણી હલતુ નથી.
મોટી સંખ્યામાં દિવસ રાત આ રસ્તા પરથી અનેકો વાહનો પસાર થાય છે, કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ?
વડોદરા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વડોદરા આસપાસના 7 ગામોનો કોર્પોરેશનની હદમાં કાગળ ઉપર સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. પરંતુ ગ્રામજનોને કોર્પોરેશનની એક પણ સુવિધાનો સ્થાનિકો હજી સુધી કોઇ લાભ મળતો દેખાતો નથી. ત્યારે કલાલી ગામની બીલકુલ બહાર મેઇન રોડ પર પડેલો મસમોટો ભુવો છેલ્લા 15 દિવસથી રિપેર થવાની રાહ જોઇ રહ્યો છે. જ્યાં માત્ર 100 ફુટના અંતરે કોવિડના દર્દીઓની સારવાર આપતી હોસ્પિટલ પણ આવેલી છે. આમ અનેક વખત સ્થાનિકોએ ભુવાની મરમ્મત માટે અનેક વખત વોર્ડ-6માં રજૂઆત કરવા છતાં સ્માર્ટ સિટીના ઠેકેદારોના પેટનુ પાણી હલતુ નથી.
વરસાદ સામાન્ય હોય કે ભારે પણ વડોદરામાં ભુવાઓ પડવાના સિલસિલો વર્ષોથી યથવાત છે. શુક્રવારે શહેરના પોશ વિસ્તાર એવા મનિષા ચોકડી પર મસમોટો ભુવો પડ્યો હતો. જે હજી સુધી રિપેર કરવામાં આવ્યો નથી. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વડોદરાના આસપાસના સાત ગામોનો કાગળો પર સમાવેશ કરી સરકારી તંત્રએ મોટી જાહેરાતો કરી દીધી હતી. કોર્પોરેશનની હદમાં ગામનો સમાવેશ કરાતા કેટલાક ગામોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પરંતુ તેમની દરકાર સાંભળવામાં આવી ન હતી.
ગામોનો સમાવેશ ખરેખર કાગળો ઉપર જ છે, જે બાબત સાચી ઠેરવતો કલાલી ગામ બહાર પડેલો ભુવો છે. 15 દિવસ અગાઉ શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે ગામની બીલકુલ બહાર આસપાસના અન્ય ગામોને જોડતા મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો હતો. રિપેરીંગ કામ કરવા માટે ગ્રામજનો દ્વારા અનેક વખત સ્થાનિક નેતાઓ અને વહીવટી વોર્ડ નં-6માં મૌખીક રજૂઆત કરી હતી. પરંતુ તેમની રજૂઆત સાંભળનાર સ્માર્ટ સિટીના એક પણ ઠેકેદારે હજી સુધી ભુવો રિપેર કરવાની તસ્દી સુદ્ધા લીધી નથી. ત્યારે આ મસમોટા ભુવાના કારણે આસપાસનો રસ્તા પણ બેસી જતાં નજીકના સમયમાં વધુ એક મસમોટો ભુવો પડે તો નવાઇ નહીં, દરમિયાન જો કોઇ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારીનો ઠીકરો સ્માર્ટ સિટીના કયા ઠેકેદારના સીરે ફોળવામાં આવશે તેની તંત્રએ સ્પષ્ટતા કરવી જોઇએ.