વડોદરા. સુરત થી પાવાગઢ તરફ આઇસર ટેમ્પો લોકોને લઈ ને જઈ રહ્યો હતો. ટેમ્પામાં 25 જેટલા લોકો સવાર હતા. બુધવારે મળસ્કે અંદાજિત વાગ્યે શહેરના છેવાડે આવેલી વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન રસ્તા પર ટેન્કરમાં પાછળથી ભટકાયો હતો. અક્સમાતને કારણે ટેમ્પામાં સવાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં ટેમ્પાનો ખુર્દો બોલી ગયો હતો. તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના લોકોની મદદ લેવી પડી હતી. કટર વડે ટેમ્પાના ભાગને કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
https://twitter.com/vijayrupanibjp/status/1328918945898762242?s=20
ગમખ્વાર અકસ્માતને પગલે મુખમંત્રી દ્વારા ટ્વીટર પર સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
https://twitter.com/ibijalpatel/status/1328916235296276482?s=20
અકસ્માતને પગલે અમદાવાદના મેયર બીજલ પટેલે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
અકસ્માતની જાણ થતા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને એડિશનલ સીપી ચિરાગ કોરડીયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વડોદરાના પૂર્વ મેયર ભારત ડાંગર આહીર સમાજના છે. અકસ્માત અંગે જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
વડોદરા. સુરત થી પાવાગઢ તરફ આઇસર ટેમ્પો લોકોને લઈ ને જઈ રહ્યો હતો. ટેમ્પામાં 25 જેટલા લોકો સવાર હતા. બુધવારે મળસ્કે અંદાજિત વાગ્યે શહેરના છેવાડે આવેલી વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન રસ્તા પર ટેન્કરમાં પાછળથી ભટકાયો હતો. અક્સમાતને કારણે ટેમ્પામાં સવાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં ટેમ્પાનો ખુર્દો બોલી ગયો હતો. તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના લોકોની મદદ લેવી પડી હતી. કટર વડે ટેમ્પાના ભાગને કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે અમદાવાદના મેયર બીજલ પટેલે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
અકસ્માતની જાણ થતા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને એડિશનલ સીપી ચિરાગ કોરડીયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વડોદરાના પૂર્વ મેયર ભારત ડાંગર આહીર સમાજના છે. અકસ્માત અંગે જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.