31 માર્ચના રોજ સાંજે હર્ષિતાબેન જીતેન્દ્રભાઇ સોલંકીને શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
દર્દીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી
હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીના સ્વાસ્થ્યના જાણકારી નિયમીત રીતે પરિવારજનોને આપવામાં આવતી
ગત રાત્રે મૃત્યુ થતા દર્દીના પરિવારજનો સહિતના ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ કરી
આક્રોશમાં આવેલા ટોળાએ હોસ્પિટલમાં સપ્લાય કરતી ઓક્સિજનની પાઇપોને નુકશાન પહોંચાડતા અન્ય દર્દીઓના જીવ જોખમમાં મુકાયા
ટોળાએ હોસ્પિટલમાં હાજર ડોક્ટર અને સફાઇ કર્મીને પણ માર માર્યો
WatchGujarat. ગત રાત્રીએ દાંડીયાબજાર સ્થિત સિદ્ધી હોસ્પિટલમાં સારવાર હેઠળ કોરોના પોઝીટીવ દર્દીનું મૃત્યું થતા પરિવારજનોએ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો મચાવી ઉત્પાત મચાવ્યો હતો. હોબાળામાં પરિવારજનોએ ડોક્ટર અને સફાઇ કર્મીને માર મર્યો હતો. એટલું જ નહિ હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓને આપવામાં આવતા ઓક્સીજનની પાઇપો પણ તોડી નાંખી હતી. જેને લઇને સારવાર હેઠળ 20 દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. પરિવારજનો સહિત ટોળાના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. હોસ્પિટલ સંચાલકે ઉત્પાત મચાવનારા 7 લોકો સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
https://youtu.be/Z0w-VFF3UKw
સિદ્ધી હોસ્પિટલના સંચાલક ડો. જયેશ રાજપુરાએ રાવપુરા પોલીસ સ્ટેશનો નોંધાવેલી ફરિયાદ અનુસાર, 31 માર્ચના રોજ સાંજે હર્ષિતાબેન જીતેન્દ્રભાઇ સોલંકીને શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે તેમના શરીરમાં ઓક્સીજન લેવલ માત્ર 35 ટકા હતું. તેમના લક્ષણો પરથી તેમને કોરોના હોવાનું જણાતા તેમને RT – PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. દર્દીને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીની પરિસ્થીતી ગંભીર હોવાની જાણકારી તેમના પતિ તથા સસરાને વિગતવાર આપવામાં આવી હતી. દર્દીની સ્થિતી અંગે સવાર – સાંજ તેમના પરિવારજનોને જાણકારી આપવામાં આવતી હતી.
4 એપ્રીલના રોજ રાત્રે 11 વાગ્યે દર્દીની શ્વાસની તકલીફ વધી ગઇ હતી. અને ઓક્સીજન લેવલ ઘટી ગયું હતું. અને તેઓ બેભાન થયા હતા. અને રાત્રે 12 – 05 કલાકે તેમનું મૃત્યું થયું હતું. દર્દીન મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પતિ સહિતના પરિવારજનો હોસ્પિલ ખાતે ઘસી આવ્યા હતા. હોસ્પિટલમાં ઘસી આવી દર્દીના સગાએ બુમાબુમ કરી નાંખી હતી. અને હોસ્પિટલમાં હાજર સ્ટાફને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. દર્દીના પરિવારનોએ જણાવ્યું કે, હર્ષીતા બેનને કોવિડની બિમારી ન હતી તેમ છત્તાં સારવાર કરી મારી નાંખી છે. બેફામ બોલીને દર્દીના સગાએ હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી હતી. તોડફોડમાં હોસ્પિટલના કાચના દરવાજા, રીસેપ્શન કાઉન્ટર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ટેબલ, ખુરશઈ, સોફા સહિતની તોડફોડ કરી રૂ. 2 લાખનું નુકશાન પહોંચાડ્યું હતું.
આટલેથી નહિ અટકતા દર્દીના સગાએ હોસ્પિટલમાં હાજર ડો. કૌશલ પ્રજાપતિને માર માર્યો હતો. અને સફાઇ કર્મી જીતુ પરમારને ઓક્સિજનનો સીલીન્ડર છાતીમાં મારી દીધો હતો. તેમજ દર્દીઓને ઓક્સિજન સપ્લાય કરતી પાઇપો તોડી નાંખી હતી. અને લીક્વીડ ઓક્સિજનની ટેંકો છુટી કરી નાંખી હતી. જેને લઇને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 20 જેટલા દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો હતો.
પોલીસે ફરિયાદના આધારે દર્દીના પતિ જિતેન્દ્ર અરવિંદ સોલંકી, મણીભાઇ સુખાભાઇ સોલંકી, અરવિંદ દલપતભાઇ સોલંકી, રવિ અરવિંદ સોલંકી, નરેશભાઇ સોલંકી, તુષાર સોલંકી, તથા દર્દીની સાસુ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. અને તમામને ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.
31 માર્ચના રોજ સાંજે હર્ષિતાબેન જીતેન્દ્રભાઇ સોલંકીને શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
દર્દીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી
હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીના સ્વાસ્થ્યના જાણકારી નિયમીત રીતે પરિવારજનોને આપવામાં આવતી
ગત રાત્રે મૃત્યુ થતા દર્દીના પરિવારજનો સહિતના ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ કરી
આક્રોશમાં આવેલા ટોળાએ હોસ્પિટલમાં સપ્લાય કરતી ઓક્સિજનની પાઇપોને નુકશાન પહોંચાડતા અન્ય દર્દીઓના જીવ જોખમમાં મુકાયા
ટોળાએ હોસ્પિટલમાં હાજર ડોક્ટર અને સફાઇ કર્મીને પણ માર માર્યો
WatchGujarat. ગત રાત્રીએ દાંડીયાબજાર સ્થિત સિદ્ધી હોસ્પિટલમાં સારવાર હેઠળ કોરોના પોઝીટીવ દર્દીનું મૃત્યું થતા પરિવારજનોએ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો મચાવી ઉત્પાત મચાવ્યો હતો. હોબાળામાં પરિવારજનોએ ડોક્ટર અને સફાઇ કર્મીને માર મર્યો હતો. એટલું જ નહિ હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓને આપવામાં આવતા ઓક્સીજનની પાઇપો પણ તોડી નાંખી હતી. જેને લઇને સારવાર હેઠળ 20 દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. પરિવારજનો સહિત ટોળાના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. હોસ્પિટલ સંચાલકે ઉત્પાત મચાવનારા 7 લોકો સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સિદ્ધી હોસ્પિટલના સંચાલક ડો. જયેશ રાજપુરાએ રાવપુરા પોલીસ સ્ટેશનો નોંધાવેલી ફરિયાદ અનુસાર, 31 માર્ચના રોજ સાંજે હર્ષિતાબેન જીતેન્દ્રભાઇ સોલંકીને શ્વાસની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે તેમના શરીરમાં ઓક્સીજન લેવલ માત્ર 35 ટકા હતું. તેમના લક્ષણો પરથી તેમને કોરોના હોવાનું જણાતા તેમને RT – PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. દર્દીને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીની પરિસ્થીતી ગંભીર હોવાની જાણકારી તેમના પતિ તથા સસરાને વિગતવાર આપવામાં આવી હતી. દર્દીની સ્થિતી અંગે સવાર – સાંજ તેમના પરિવારજનોને જાણકારી આપવામાં આવતી હતી.
4 એપ્રીલના રોજ રાત્રે 11 વાગ્યે દર્દીની શ્વાસની તકલીફ વધી ગઇ હતી. અને ઓક્સીજન લેવલ ઘટી ગયું હતું. અને તેઓ બેભાન થયા હતા. અને રાત્રે 12 – 05 કલાકે તેમનું મૃત્યું થયું હતું. દર્દીન મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પતિ સહિતના પરિવારજનો હોસ્પિલ ખાતે ઘસી આવ્યા હતા. હોસ્પિટલમાં ઘસી આવી દર્દીના સગાએ બુમાબુમ કરી નાંખી હતી. અને હોસ્પિટલમાં હાજર સ્ટાફને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. દર્દીના પરિવારનોએ જણાવ્યું કે, હર્ષીતા બેનને કોવિડની બિમારી ન હતી તેમ છત્તાં સારવાર કરી મારી નાંખી છે. બેફામ બોલીને દર્દીના સગાએ હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી હતી. તોડફોડમાં હોસ્પિટલના કાચના દરવાજા, રીસેપ્શન કાઉન્ટર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ટેબલ, ખુરશઈ, સોફા સહિતની તોડફોડ કરી રૂ. 2 લાખનું નુકશાન પહોંચાડ્યું હતું.
આટલેથી નહિ અટકતા દર્દીના સગાએ હોસ્પિટલમાં હાજર ડો. કૌશલ પ્રજાપતિને માર માર્યો હતો. અને સફાઇ કર્મી જીતુ પરમારને ઓક્સિજનનો સીલીન્ડર છાતીમાં મારી દીધો હતો. તેમજ દર્દીઓને ઓક્સિજન સપ્લાય કરતી પાઇપો તોડી નાંખી હતી. અને લીક્વીડ ઓક્સિજનની ટેંકો છુટી કરી નાંખી હતી. જેને લઇને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 20 જેટલા દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો હતો.
પોલીસે ફરિયાદના આધારે દર્દીના પતિ જિતેન્દ્ર અરવિંદ સોલંકી, મણીભાઇ સુખાભાઇ સોલંકી, અરવિંદ દલપતભાઇ સોલંકી, રવિ અરવિંદ સોલંકી, નરેશભાઇ સોલંકી, તુષાર સોલંકી, તથા દર્દીની સાસુ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. અને તમામને ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.