લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનો પુરવઠો ન ખોરવાય તે માટે રીટેલ વેપારીઓ દ્વારા દુકાનો ચાલુ રાખવામાં આવી હતી
કોરોના કાળમાં ગુજરાત સરકારે લોકોને સુવિધાને ધ્યાનમાં લઇને કોવિડ ટેસ્ટ કરાવવાથી માંડીને હોસ્પિટલમાં સારવારના ભાવ સુનિશ્ચિત કરવા સુધીના સરાહનીય પગલા લીધા
WatchGujarat. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતીમાં દેશમાં 23 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનો પુરવઠો ન ખોરવાય તે માટે રીટેલ વેપારીઓ દ્વારા દુકાનો ચાલુ રાખવામાં આવી હતી. બરોડા ગ્રેઇન મર્ચન્ટ્સ દ્વારા રીટેલ વેપારીઓને પણ કોરોના વોરીયર્સ તરીકે ગણીને કોવિડ- 19ની રસી આપવામાં પ્રાધન્યતા આપવાની માંગ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.
કોરોના કાળમાં ગુજરાત સરકારે લોકોને સુવિધાને ધ્યાનમાં લઇને કોવિડ ટેસ્ટ કરાવવાથી માંડીને હોસ્પિટલમાં સારવારના ભાવ સુનિશ્ચિત કરવા સુધીના સરાહનીય પગલા લીધા હતા. કોરોના કાળ દરમિયાન લોકોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓને લઇને સહેજ પણ તકલીફ ન પડે તે માટે રીટેલર્સ વેપારીઓ દ્વારા શોપ ખુલ્લી રાખવામાં આવી હતી. આમ, રીટેલર્સ દ્વારા કોરોના કાળમાં મહત્વની કામગીરી કરવામાં આવી હતી. સરકાર દ્વારા કોરોનાની રસી આપવા માટે વડીલો, કો- મોર્બીડીટી ધરાવતા દર્દીઓ તથા ડોક્ટર્સ, પેરામેડીક્સ, પોલીસ કર્મી અને સફાઇ કર્મી જેવા કોરોના વોરીયર્સને પ્રાધન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેવા સમયે ઘી બરોડા ગ્રાઇન મર્ચન્ટ્સ એસોશિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને મહત્વની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના પત્ર લખીને લોકડાઉનના સમયમાં અનાજ, શાકભાજી - ફ્રુટ, દવાઓ સહિતની જીવન જરૂરિયાતની ચીજોની અછત ન સર્જાય તે માટે શોપ ખુલ્લી રાખનાર વેપારીઓને કોરોના વોરીયર્સ ગણી રસી આપવામાં પ્રાધન્યતા આપવાની માંગ કરી છે.
ઘી બરોડા ગ્રાઇન મર્ચન્ટ્સના એસોશિયેશનના પ્રેસીડેન્ટ નિમેશ મહેતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં વેપારીઓએ મહત્વની કામગીરી કરી હતી. વડોદરામાં અંદાજીત 6 હજાર જેટલા રીટેલર્સ આવેલા છે. પ્રતિ રીટેલર સરેરાશ ત્રણ જેટલા લોકો કામ કરે છે. આ ગણતરી પ્રમાણે 18 હજાર લોકોને કોરોનાની રસી આપવા માટે પ્રાધન્યતા આપવી જોઇએ. કોરોના કાળમાં લોકોની જરૂરીયાત પુરી પાડવા માટે શોપ ખોલનાર વેપારીઓમાંથી 20 ટકા જેટલા લોકોને કોરોનાનું સંક્રમણ પણ લાગ્યું હતું.
આમ, વેપારીઓ દ્વારા કોરોના કાળમાં કરવામાં આવેલી સેવા બદલ રસીકરણમાં પ્રાધન્યતા આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનો પુરવઠો ન ખોરવાય તે માટે રીટેલ વેપારીઓ દ્વારા દુકાનો ચાલુ રાખવામાં આવી હતી
WatchGujarat. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતીમાં દેશમાં 23 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનો પુરવઠો ન ખોરવાય તે માટે રીટેલ વેપારીઓ દ્વારા દુકાનો ચાલુ રાખવામાં આવી હતી. બરોડા ગ્રેઇન મર્ચન્ટ્સ દ્વારા રીટેલ વેપારીઓને પણ કોરોના વોરીયર્સ તરીકે ગણીને કોવિડ- 19ની રસી આપવામાં પ્રાધન્યતા આપવાની માંગ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.
કોરોના કાળમાં ગુજરાત સરકારે લોકોને સુવિધાને ધ્યાનમાં લઇને કોવિડ ટેસ્ટ કરાવવાથી માંડીને હોસ્પિટલમાં સારવારના ભાવ સુનિશ્ચિત કરવા સુધીના સરાહનીય પગલા લીધા હતા. કોરોના કાળ દરમિયાન લોકોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓને લઇને સહેજ પણ તકલીફ ન પડે તે માટે રીટેલર્સ વેપારીઓ દ્વારા શોપ ખુલ્લી રાખવામાં આવી હતી. આમ, રીટેલર્સ દ્વારા કોરોના કાળમાં મહત્વની કામગીરી કરવામાં આવી હતી. સરકાર દ્વારા કોરોનાની રસી આપવા માટે વડીલો, કો- મોર્બીડીટી ધરાવતા દર્દીઓ તથા ડોક્ટર્સ, પેરામેડીક્સ, પોલીસ કર્મી અને સફાઇ કર્મી જેવા કોરોના વોરીયર્સને પ્રાધન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેવા સમયે ઘી બરોડા ગ્રાઇન મર્ચન્ટ્સ એસોશિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને મહત્વની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના પત્ર લખીને લોકડાઉનના સમયમાં અનાજ, શાકભાજી - ફ્રુટ, દવાઓ સહિતની જીવન જરૂરિયાતની ચીજોની અછત ન સર્જાય તે માટે શોપ ખુલ્લી રાખનાર વેપારીઓને કોરોના વોરીયર્સ ગણી રસી આપવામાં પ્રાધન્યતા આપવાની માંગ કરી છે.
ઘી બરોડા ગ્રાઇન મર્ચન્ટ્સના એસોશિયેશનના પ્રેસીડેન્ટ નિમેશ મહેતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં વેપારીઓએ મહત્વની કામગીરી કરી હતી. વડોદરામાં અંદાજીત 6 હજાર જેટલા રીટેલર્સ આવેલા છે. પ્રતિ રીટેલર સરેરાશ ત્રણ જેટલા લોકો કામ કરે છે. આ ગણતરી પ્રમાણે 18 હજાર લોકોને કોરોનાની રસી આપવા માટે પ્રાધન્યતા આપવી જોઇએ. કોરોના કાળમાં લોકોની જરૂરીયાત પુરી પાડવા માટે શોપ ખોલનાર વેપારીઓમાંથી 20 ટકા જેટલા લોકોને કોરોનાનું સંક્રમણ પણ લાગ્યું હતું.
આમ, વેપારીઓ દ્વારા કોરોના કાળમાં કરવામાં આવેલી સેવા બદલ રસીકરણમાં પ્રાધન્યતા આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.