ખલીલ ધનતેજવી સાહિત્ય ઉપરાંત તેઓ પત્રકારત્વ સાથે પણ વર્ષો સુધી સંકળાયેલા હતા
10 દિવસ પહેલા પિતાજીએ ‘સમગ્ર’ નામની ગઝલની પુસ્તક લોન્ચ કરી હતી - તનવીર ધનતેજવી
ખલીલ ધનતેજવીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધાના સમાચાર મળતા જ અનેક સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી
WatchGujarat. રવિવારે ગુજરાતી – ઉર્દુ ના કવિ ખલીલ ધનતેજવીનું વડોદરા ખાતે નિધન થયું હતું. તેમના નિધનને પગલે કવિગણમાં ભારો શોકની લાગણી વ્યાપી હતી. કવિ ખલીલ ધનજેતવીના નિધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય અગ્રણીઓએ તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી શ્રદ્ધાંજલી પાઠવી હતી.
https://twitter.com/narendramodi/status/1378623986498560000?s=20
ખલીલ ધનતેજવીના પુત્ર તનવીર ધનતેજવીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાને કારણે પિતાજીના મુશાયરાના કાર્યક્રમો 2020 થી બંધ હતા. પરંતુ તેઓનું લખવાનું કાર્ય ચાલુ હતુ. ઘરે રહીને તેઓ ગઝલ સહિતનું લેખનકાર્ય કરતા હતા. આજે સવારે તેમણે ઉઠીને નિત્યક્રમ મુજબ ચા નાશ્તો કરવાની જગ્યાએ આરામ કરવાનું પરિવારજનને જણાવ્યું હતું. ત્યાર બાદ તેઓનું અવસાન થયું હતું.
વધુમાં તનવીર ધનતેજવીએ ઉમેર્યું હતું કે, ગઇ કાલ સુધી પિતાજી ગઝલ લખવાનું કામ કરતા હતા. અને તાજેતરમાં 10 દિવસ પહેલા તેમની ‘સમગ્ર’ નામની ગઝલની પુસ્તક લોન્ચ કરી હતી. અગાઉ ખલીલ ધનતેજવી દ્વારા લખવામાં આવેલી ગઝલોનો સંગ્રહ કરીને સમગ્ર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું.
https://twitter.com/vijayrupanibjp/status/1378654431026155520?s=20
ગુલાબ બાગ પાસે ખલીલ ધનતેજવી તેમના પુત્ર સાથે રહેતા હતા. તેમના અવસાન બાદ દેહને મીનારા મસ્જીદમાં લઇ જવાયો હતો. અને ત્યાર બાદ નમાંઝ અદા કરવામાં આવી હતી. અને પછી તેમની અંતિમક્રિયા હાથ ધરાઇ હતી.
ખલીલ ધનતેજવીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધાના સમાચાર મળતા જ અનેક સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી હતી. તેમનું સાચુ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું અને તેમનો જન્મ 12 ડિસેમ્બર, 1935ના રોજ વડોદરાના ધનતેજ ગામમાં થયો હતો. ગામના નામ પરથી તેમણે ધનતેજવી અટક રાખી હતી.
સાહિત્ય ઉપરાંત તેઓ પત્રકારત્વ સાથે પણ વર્ષો સુધી સંકળાયેલા હતા. તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી. ખલીલ ધનતેજવીએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો પણ મળ્યા હતા. 2019માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો. એ પહેલાં 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો. 2003માં તેમને કલાપી પુરસ્કાર પણ અપાયો હતો.
રવિવારે સવારે ખલીલ ધનતેજવીના દેહાંત બાદ રાજકીય અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલી આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઇને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના અગ્રણીઓએ તેમના સોશિયલ મિડીયા એકાઉન્ટ પરથી શ્રદ્ધાંજલી આપી હતી.
ખલીલ ધનતેજવી સાહિત્ય ઉપરાંત તેઓ પત્રકારત્વ સાથે પણ વર્ષો સુધી સંકળાયેલા હતા
10 દિવસ પહેલા પિતાજીએ ‘સમગ્ર’ નામની ગઝલની પુસ્તક લોન્ચ કરી હતી - તનવીર ધનતેજવી
ખલીલ ધનતેજવીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધાના સમાચાર મળતા જ અનેક સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી
WatchGujarat. રવિવારે ગુજરાતી – ઉર્દુ ના કવિ ખલીલ ધનતેજવીનું વડોદરા ખાતે નિધન થયું હતું. તેમના નિધનને પગલે કવિગણમાં ભારો શોકની લાગણી વ્યાપી હતી. કવિ ખલીલ ધનજેતવીના નિધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય અગ્રણીઓએ તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ખલીલ ધનતેજવીના પુત્ર તનવીર ધનતેજવીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાને કારણે પિતાજીના મુશાયરાના કાર્યક્રમો 2020 થી બંધ હતા. પરંતુ તેઓનું લખવાનું કાર્ય ચાલુ હતુ. ઘરે રહીને તેઓ ગઝલ સહિતનું લેખનકાર્ય કરતા હતા. આજે સવારે તેમણે ઉઠીને નિત્યક્રમ મુજબ ચા નાશ્તો કરવાની જગ્યાએ આરામ કરવાનું પરિવારજનને જણાવ્યું હતું. ત્યાર બાદ તેઓનું અવસાન થયું હતું.
વધુમાં તનવીર ધનતેજવીએ ઉમેર્યું હતું કે, ગઇ કાલ સુધી પિતાજી ગઝલ લખવાનું કામ કરતા હતા. અને તાજેતરમાં 10 દિવસ પહેલા તેમની ‘સમગ્ર’ નામની ગઝલની પુસ્તક લોન્ચ કરી હતી. અગાઉ ખલીલ ધનતેજવી દ્વારા લખવામાં આવેલી ગઝલોનો સંગ્રહ કરીને સમગ્ર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું.
ગુલાબ બાગ પાસે ખલીલ ધનતેજવી તેમના પુત્ર સાથે રહેતા હતા. તેમના અવસાન બાદ દેહને મીનારા મસ્જીદમાં લઇ જવાયો હતો. અને ત્યાર બાદ નમાંઝ અદા કરવામાં આવી હતી. અને પછી તેમની અંતિમક્રિયા હાથ ધરાઇ હતી.
ખલીલ ધનતેજવીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધાના સમાચાર મળતા જ અનેક સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી હતી. તેમનું સાચુ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું અને તેમનો જન્મ 12 ડિસેમ્બર, 1935ના રોજ વડોદરાના ધનતેજ ગામમાં થયો હતો. ગામના નામ પરથી તેમણે ધનતેજવી અટક રાખી હતી.
સાહિત્ય ઉપરાંત તેઓ પત્રકારત્વ સાથે પણ વર્ષો સુધી સંકળાયેલા હતા. તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી. ખલીલ ધનતેજવીએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો પણ મળ્યા હતા. 2019માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો. એ પહેલાં 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો. 2003માં તેમને કલાપી પુરસ્કાર પણ અપાયો હતો.
રવિવારે સવારે ખલીલ ધનતેજવીના દેહાંત બાદ રાજકીય અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલી આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઇને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના અગ્રણીઓએ તેમના સોશિયલ મિડીયા એકાઉન્ટ પરથી શ્રદ્ધાંજલી આપી હતી.