પાંચ વર્ષના શાશનકાળમાં કરવામાં આવેલા દાવાઓની પોલ ખોલતી ઘટના સામે આવી
આજવા રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું
શહેરમાં પાણીની સમસ્યામાં વધારો કરે તેવા કિસ્સામાં વહીવટી તંત્રની નબળી કામગીરી
WatchGujarat. સોમવારે આજવા રોડ પર પાણીની લાઇનમાં લિકેજ થયાનું સામે આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં શાશકપક્ષ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પુરાવા રૂપ ગણી શકાય તેવી ઘટના સામે આવી હતી. એક તરફ ભાજપ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકો દ્વારા શહેરમાં ઉમેદવારોની સેન્સ લેવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તો બીજી તરફ શાશક પક્ષમાં રહીને તેમના જ પક્ષમાંથી ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પોલ ખુલી રહી છે.
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ત્યારથી લઇને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને ટીકીટ વાંચ્છુકો સક્રીય બન્યા છે. સોમવારે અને મંગળવારે શહેરના વિવિધ વોર્ડમાંથી ચુંટણીમાં ઉમેદવારી કરવા માટે ઇચ્છુક લોકોની સેન્સ લેવા માટે નિરીક્ષકોની ટીમ વડોદરા આવી કામ કરી રહી છે.
તેવા સમયે પાંચ વર્ષમાં શાશક પક્ષ દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીનો પુરાવો સામે આવ્યો છે. આજવા રોડ પર આવેલા દત્ત નગરમાં છેલ્લા ચાર દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને કારણે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. એક તરફ શાશક પક્ષ દ્વારા લોકહિતમાં કાર્યો કરવામાં આવ્યાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ દાવાઓ પોકળ સાબિત કરે તેવી હકીકતો સામે આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર નજીક આજવા સરોવર અને મહિસાગર નદી આવેલા છે. પરંતુ વર્ષ દરમિયાન અનેક વખત પાણીની સમસ્યા સર્જાય છે. ઘરમાં રંગીન દુર્ગંધ યુક્ત પાણી આવવું શહેરના અનેક વિસ્તારો માટે રોજની વાત છે. શહેરવાસીઓ પાણીની સમસ્યા છેલ્લા લાંબા સમયથી ભોગવી રહ્યા છે. પરંતું તેનું કોઇ નક્કર સમાધાન આવતું નથી. શહેરમાં પાણીની વ્યવસ્થા અંગેની હકીકતો વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવવું અને ચાર દિવસ બાદ પણ કોઇ યોગ્ય કાર્યવાહી ન થવી, તે વહીવટી તંત્રની સજાગતા દર્શાવે છે.
પાંચ વર્ષના શાશનકાળમાં કરવામાં આવેલા દાવાઓની પોલ ખોલતી ઘટના સામે આવી
આજવા રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું
શહેરમાં પાણીની સમસ્યામાં વધારો કરે તેવા કિસ્સામાં વહીવટી તંત્રની નબળી કામગીરી
WatchGujarat. સોમવારે આજવા રોડ પર પાણીની લાઇનમાં લિકેજ થયાનું સામે આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં શાશકપક્ષ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પુરાવા રૂપ ગણી શકાય તેવી ઘટના સામે આવી હતી. એક તરફ ભાજપ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકો દ્વારા શહેરમાં ઉમેદવારોની સેન્સ લેવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તો બીજી તરફ શાશક પક્ષમાં રહીને તેમના જ પક્ષમાંથી ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પોલ ખુલી રહી છે.
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ત્યારથી લઇને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને ટીકીટ વાંચ્છુકો સક્રીય બન્યા છે. સોમવારે અને મંગળવારે શહેરના વિવિધ વોર્ડમાંથી ચુંટણીમાં ઉમેદવારી કરવા માટે ઇચ્છુક લોકોની સેન્સ લેવા માટે નિરીક્ષકોની ટીમ વડોદરા આવી કામ કરી રહી છે.
તેવા સમયે પાંચ વર્ષમાં શાશક પક્ષ દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીનો પુરાવો સામે આવ્યો છે. આજવા રોડ પર આવેલા દત્ત નગરમાં છેલ્લા ચાર દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને કારણે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. એક તરફ શાશક પક્ષ દ્વારા લોકહિતમાં કાર્યો કરવામાં આવ્યાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ દાવાઓ પોકળ સાબિત કરે તેવી હકીકતો સામે આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર નજીક આજવા સરોવર અને મહિસાગર નદી આવેલા છે. પરંતુ વર્ષ દરમિયાન અનેક વખત પાણીની સમસ્યા સર્જાય છે. ઘરમાં રંગીન દુર્ગંધ યુક્ત પાણી આવવું શહેરના અનેક વિસ્તારો માટે રોજની વાત છે. શહેરવાસીઓ પાણીની સમસ્યા છેલ્લા લાંબા સમયથી ભોગવી રહ્યા છે. પરંતું તેનું કોઇ નક્કર સમાધાન આવતું નથી. શહેરમાં પાણીની વ્યવસ્થા અંગેની હકીકતો વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવવું અને ચાર દિવસ બાદ પણ કોઇ યોગ્ય કાર્યવાહી ન થવી, તે વહીવટી તંત્રની સજાગતા દર્શાવે છે.