WatchGujarat. ગત રોજ વડોદરાના તત્કાલીન પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટને પ્રતાપનગર પોલીસ હેડક્વાટર ખાતેથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રવિવારો બપોરે 2 કલાકે શહેરના નવ નિયુક્ત પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગે વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. જેમાં પોલીસની અલગ અલગ શાખાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વડોદરાના પોલીક કમિશ્નર તરીકે 149 દિવસ સુધી આર. બી. બ્રહ્મભટ્ટ ફરજ પર રહ્યા હતા. ત્યાર બાદ તેમની બદલી ગાંધીનગર એડીજીપી તરીકે કરી દેવામાં આવી હતી. અને વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે ડો. શમશેરસિંગની નિમણુંક કરવામાં આવી હતી. ગતરોજ પ્રતાપનગર ખાતે આવેલા પોલીસ હેડક્વાટર ખાતે આર. બી. બ્રહ્મભટ્ટને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આર. બી. બ્રહ્મભટ્ટની વિદાયના બીજા દિવસે નવા પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગે ચાર્જ સંભાળ્યો છે.
ડો. શમશેરસિંગ કડક છબી ધરાવતા પોલીસ અધિકારી છે. અને સરકારના ટ્રબલ શુટર તરીકે જાણીતા છે. તેઓ અત્યાર સુધી એસ.સી.આર.બી, એન્ટી કરપ્શન બ્યુરો, સુરત રેંજ આઇજી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વડોદરામાં કાયદો અને વ્યવસ્થા પર નવા પોલીસ કમિશ્નરની છાપ આવનાર સમયમાં જોવા મળશે.
ડો. શમશેરસિંગે મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, શહેરની શાંતિ અને સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવશે. સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીંગ, ઓનલાઇન ગેમ્બલીંગ, ગુજસીટોક, સહિતના નવા કાયદાઓ પ્રમાણે પાલન કરાવાશે. તેમાં જરૂર પડ્યે પાસા પણ કરાશે. કોરોના કાળમાં સતત ફરજ બજાવતા પોલીસ કર્મીઓનું હેલ્થ મેનેજમેન્ટ તથા તેમના વેલફેર માટે જરૂરી પગલા લેવામાં આવશે. શહેરમાં મહિલા અને સીનીયર સીટીઝન્સ તેમની સુરક્ષા અને પોલીસના તેમના પ્રત્યે સંવેદનશીલ વર્તનને લઇને વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે.
WatchGujarat. ગત રોજ વડોદરાના તત્કાલીન પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટને પ્રતાપનગર પોલીસ હેડક્વાટર ખાતેથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રવિવારો બપોરે 2 કલાકે શહેરના નવ નિયુક્ત પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગે વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. જેમાં પોલીસની અલગ અલગ શાખાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વડોદરાના પોલીક કમિશ્નર તરીકે 149 દિવસ સુધી આર. બી. બ્રહ્મભટ્ટ ફરજ પર રહ્યા હતા. ત્યાર બાદ તેમની બદલી ગાંધીનગર એડીજીપી તરીકે કરી દેવામાં આવી હતી. અને વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે ડો. શમશેરસિંગની નિમણુંક કરવામાં આવી હતી. ગતરોજ પ્રતાપનગર ખાતે આવેલા પોલીસ હેડક્વાટર ખાતે આર. બી. બ્રહ્મભટ્ટને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આર. બી. બ્રહ્મભટ્ટની વિદાયના બીજા દિવસે નવા પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગે ચાર્જ સંભાળ્યો છે.
ડો. શમશેરસિંગ કડક છબી ધરાવતા પોલીસ અધિકારી છે. અને સરકારના ટ્રબલ શુટર તરીકે જાણીતા છે. તેઓ અત્યાર સુધી એસ.સી.આર.બી, એન્ટી કરપ્શન બ્યુરો, સુરત રેંજ આઇજી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વડોદરામાં કાયદો અને વ્યવસ્થા પર નવા પોલીસ કમિશ્નરની છાપ આવનાર સમયમાં જોવા મળશે.
ડો. શમશેરસિંગે મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, શહેરની શાંતિ અને સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવશે. સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીંગ, ઓનલાઇન ગેમ્બલીંગ, ગુજસીટોક, સહિતના નવા કાયદાઓ પ્રમાણે પાલન કરાવાશે. તેમાં જરૂર પડ્યે પાસા પણ કરાશે. કોરોના કાળમાં સતત ફરજ બજાવતા પોલીસ કર્મીઓનું હેલ્થ મેનેજમેન્ટ તથા તેમના વેલફેર માટે જરૂરી પગલા લેવામાં આવશે. શહેરમાં મહિલા અને સીનીયર સીટીઝન્સ તેમની સુરક્ષા અને પોલીસના તેમના પ્રત્યે સંવેદનશીલ વર્તનને લઇને વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે.