ઉચ્ચ શિક્ષિત લોકરક્ષક જવાનો સાઈબર ક્રાઈમ નાથવામાં અને ઉકેલવામાં મદદરૂપ થશે : પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ
દિક્ષીત લોકરક્ષકોમાં 82 એ એન્જીનિયરીંગ 250 એ ગ્રેજ્યુએટ સુધીનુ મેળવેલુ શિક્ષણ
WatchGujarat. વડોદરા શહેરની પોલીસ તાલીસ શાળા ખાતે 8 માસની સઘન પ્રશિક્ષણ મેળવ્યા બાદ 467 જેટલા બિનહથિયારી લોક રક્ષક જવાનોનો દીક્ષાંત પરેડ સમારોહ પોલીસ કમિશનર શમશેરસિંહની ઉપસ્થિતિમાં સપન્ન થયો હતો. આ સાથે 467 જેટલા જવાનોને પોલીસ તાલીમ શાળાના આચાર્ય ભાભોરે સંવિધાન પ્રત્યે શ્રદ્ધા અને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા અને પોલીસ કમિશનર ડો. શમશેરસિંહએ દીક્ષાંત પરેડનુ નિરીક્ષણ કર્યું હતું.
પ્રસંગે પોલીસ કમિશનર શમશેરસિંહે દિક્ષીત જવાનોને શુભેચ્છા-અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આધુનિક ટેક્નોલોજીના યુગમાં અભ્યાસ, બિઝનેશ સહિતની પ્રવૃત્તિઓ વર્ચ્યુલ થઈ રહી છે. તેવી સ્થિતિમાં પોલીસ સામે પણ સાયબર ક્રાઈમ જેવા પડકાર ઉભા થયા છે. ત્યારે આ બેચના 467 જેટલા તાલામાર્થીઓમાં 82 જેટલા જવાનો એન્જીનિયર, 250 સ્નાતક સુધીનુ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. જેથી આ જવાનોનો ઉચ્ચ અભ્યાસ પોલીસ વિભાગેને ખાસ કરીને સાઈબર ક્રાઈમ નાથવામાં અને તેના પ્રિવેન્સમાં ખૂબ મદદરૂપ થશે. સાથો સાથ પોલીસ સેવામાં જવાનોનુ સંવેદનશીલભર્યું વર્તન ખૂબ આવશ્યક છે. ત્યારે આ માટે તાલીમ શાળા દ્વારા પણ આ દિક્ષીત જવાનોને સોફ્ટ સ્કીલ માટેની તાલીમ આપી છે. જે આ દિક્ષીત જવાનોને ખૂબ ઉપયોગી નિવડશે.
વર્ષ 1955માં શરૂ કરવામાં આવેલ આ પોલીસ તાલીમ શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં સુવિધાયુક્ત વર્ગખંડો, કેમ્પ્યુટર લેબ, પુસ્તકાયલ, જીમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. જે તાલીમાર્થીઓના પ્રશિક્ષણ માટે ખૂબ મહત્વનું બની રહે છે. તેમ શમશેરસિંહે ઉમેર્યું હતું.આ પ્રસંગે લોકરક્ષક જવાનોના પરિશ્રમને બિરદાવતા પોલીસ તાલીમ શાળાના આચાર્ય એમ.એસ. ભાભોરે જણાવ્યું કે, 467 જેટલા લોકરક્ષક તાલીમાર્થીઓએ ખૂબ પરસેવો પાડીને આઠ મહિનાની પાયાની તાલીમ પૂર્ણ કરી છે. પરિણામે તમામ તાલીમાર્થીઓ ફરજ નિભાવવા માટે શારીરિક અને માનસિક રીતે સુસજ્જ બન્યા છે.
આ પ્રસંગે ઈનડોર-આઉટડોર તાલીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જવાનોને પોલીસ કમિશનર શમસેરસિંહની હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા. ઉપરાંત પોલીસ તાલીમ શાળાના આચાર્ય ભાભોરે પોલીસ કમિશનર શમસેરસિંહને સ્મૃતિચિહ્નન આપી સન્માનિત કર્યા હતા. પોલીસ તાલીમ શાળાના ઉપાચાર્ય ડી. કે. રાઠોડે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે વડોદાર ગ્રામ્ય પોલીસ વડા સુધીર દેસાઈ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તાલીમાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
More #લોકરક્ષક #LRD #final #training #ceremony #CP #inaugurated #facilitated #Vadodara news
દિક્ષીત લોકરક્ષકોમાં 82 એ એન્જીનિયરીંગ 250 એ ગ્રેજ્યુએટ સુધીનુ મેળવેલુ શિક્ષણ
WatchGujarat. વડોદરા શહેરની પોલીસ તાલીસ શાળા ખાતે 8 માસની સઘન પ્રશિક્ષણ મેળવ્યા બાદ 467 જેટલા બિનહથિયારી લોક રક્ષક જવાનોનો દીક્ષાંત પરેડ સમારોહ પોલીસ કમિશનર શમશેરસિંહની ઉપસ્થિતિમાં સપન્ન થયો હતો. આ સાથે 467 જેટલા જવાનોને પોલીસ તાલીમ શાળાના આચાર્ય ભાભોરે સંવિધાન પ્રત્યે શ્રદ્ધા અને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા અને પોલીસ કમિશનર ડો. શમશેરસિંહએ દીક્ષાંત પરેડનુ નિરીક્ષણ કર્યું હતું.
પ્રસંગે પોલીસ કમિશનર શમશેરસિંહે દિક્ષીત જવાનોને શુભેચ્છા-અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આધુનિક ટેક્નોલોજીના યુગમાં અભ્યાસ, બિઝનેશ સહિતની પ્રવૃત્તિઓ વર્ચ્યુલ થઈ રહી છે. તેવી સ્થિતિમાં પોલીસ સામે પણ સાયબર ક્રાઈમ જેવા પડકાર ઉભા થયા છે. ત્યારે આ બેચના 467 જેટલા તાલામાર્થીઓમાં 82 જેટલા જવાનો એન્જીનિયર, 250 સ્નાતક સુધીનુ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. જેથી આ જવાનોનો ઉચ્ચ અભ્યાસ પોલીસ વિભાગેને ખાસ કરીને સાઈબર ક્રાઈમ નાથવામાં અને તેના પ્રિવેન્સમાં ખૂબ મદદરૂપ થશે. સાથો સાથ પોલીસ સેવામાં જવાનોનુ સંવેદનશીલભર્યું વર્તન ખૂબ આવશ્યક છે. ત્યારે આ માટે તાલીમ શાળા દ્વારા પણ આ દિક્ષીત જવાનોને સોફ્ટ સ્કીલ માટેની તાલીમ આપી છે. જે આ દિક્ષીત જવાનોને ખૂબ ઉપયોગી નિવડશે.
વર્ષ 1955માં શરૂ કરવામાં આવેલ આ પોલીસ તાલીમ શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં સુવિધાયુક્ત વર્ગખંડો, કેમ્પ્યુટર લેબ, પુસ્તકાયલ, જીમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. જે તાલીમાર્થીઓના પ્રશિક્ષણ માટે ખૂબ મહત્વનું બની રહે છે. તેમ શમશેરસિંહે ઉમેર્યું હતું. આ પ્રસંગે લોકરક્ષક જવાનોના પરિશ્રમને બિરદાવતા પોલીસ તાલીમ શાળાના આચાર્ય એમ.એસ. ભાભોરે જણાવ્યું કે, 467 જેટલા લોકરક્ષક તાલીમાર્થીઓએ ખૂબ પરસેવો પાડીને આઠ મહિનાની પાયાની તાલીમ પૂર્ણ કરી છે. પરિણામે તમામ તાલીમાર્થીઓ ફરજ નિભાવવા માટે શારીરિક અને માનસિક રીતે સુસજ્જ બન્યા છે.
આ પ્રસંગે ઈનડોર-આઉટડોર તાલીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જવાનોને પોલીસ કમિશનર શમસેરસિંહની હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા. ઉપરાંત પોલીસ તાલીમ શાળાના આચાર્ય ભાભોરે પોલીસ કમિશનર શમસેરસિંહને સ્મૃતિચિહ્નન આપી સન્માનિત કર્યા હતા. પોલીસ તાલીમ શાળાના ઉપાચાર્ય ડી. કે. રાઠોડે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે વડોદાર ગ્રામ્ય પોલીસ વડા સુધીર દેસાઈ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તાલીમાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.