WatchGujarat. ખાતમુહૂર્ત બાદથી વિકાસના કામોની રાહ જોઇ રહેલા મકરપુરા ગામના રહીશોએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં વિરોધ કરવાનું નક્કી કર્યું છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે ગ્રામજનો દ્વારા એકઠા કરીને કામ નહિ તો વોટ નહિની ચીમકી ઉચ્ચારી હતી. તેની સાથે ઠેર ઠેર ખાતમુહૂર્ત બાદથી રાહ જોઇ રહેલા વિકાસના કામોના બેનર મારવામાં આવ્યા હતા.
મકરપુરાના ગ્રામજનો દ્વારા વર્ષ 2015 થી 2020 સુધીમાં વિકાસના નામે માત્ર ખાતમુહૂર્ત જ જોયું હતું. જેને પગલે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગ્રામજનોએ એકઠા થઇને બ્લોક નહિ તો વોટ નહિ અને અત્યાર સુધી કરવામાં આવેલા ખાતમુહૂર્તના બેનર મારી વિરોધ કર્યો હતો. મકરપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વિકાસના કામો માત્ર ખાતમુહૂર્ત પુરતા જ સિમીત રહ્યા હતા. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળતી હતી.
આખરે વિકાસના કામોની લોલીપોપથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. મંગળવારે 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન નિમિત્તે ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો એકઠા થઇને વિરોધ કર્યો હતો. તથા ઠેર ઠેર માત્ર ખાતમુહૂર્ત સુધી સિમીત રહેલા કામોના બેનર માર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ચુંટણીની તારીખો જાહેર થયા બાદ આજવા રોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સામે આવ્યું હતું. અને ચાર દિવસ સુધી પાણી રસ્તા પર વેડફાયું હોવા છત્તા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી. જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે મકરપુરા ગામમાં વિકાસના નામે માત્ર ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. આગામી દિવસોમાં સામાન્ય વહીવટથી ત્રસ્ત લોકો પોતાનો અવાજ ઉઠાવે તેવી ઘટનાઓમાં વધારો જોવા મળશે.
WatchGujarat. ખાતમુહૂર્ત બાદથી વિકાસના કામોની રાહ જોઇ રહેલા મકરપુરા ગામના રહીશોએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં વિરોધ કરવાનું નક્કી કર્યું છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે ગ્રામજનો દ્વારા એકઠા કરીને કામ નહિ તો વોટ નહિની ચીમકી ઉચ્ચારી હતી. તેની સાથે ઠેર ઠેર ખાતમુહૂર્ત બાદથી રાહ જોઇ રહેલા વિકાસના કામોના બેનર મારવામાં આવ્યા હતા.
મકરપુરાના ગ્રામજનો દ્વારા વર્ષ 2015 થી 2020 સુધીમાં વિકાસના નામે માત્ર ખાતમુહૂર્ત જ જોયું હતું. જેને પગલે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગ્રામજનોએ એકઠા થઇને બ્લોક નહિ તો વોટ નહિ અને અત્યાર સુધી કરવામાં આવેલા ખાતમુહૂર્તના બેનર મારી વિરોધ કર્યો હતો. મકરપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વિકાસના કામો માત્ર ખાતમુહૂર્ત પુરતા જ સિમીત રહ્યા હતા. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળતી હતી.
આખરે વિકાસના કામોની લોલીપોપથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. મંગળવારે 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન નિમિત્તે ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો એકઠા થઇને વિરોધ કર્યો હતો. તથા ઠેર ઠેર માત્ર ખાતમુહૂર્ત સુધી સિમીત રહેલા કામોના બેનર માર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ચુંટણીની તારીખો જાહેર થયા બાદ આજવા રોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સામે આવ્યું હતું. અને ચાર દિવસ સુધી પાણી રસ્તા પર વેડફાયું હોવા છત્તા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી. જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે મકરપુરા ગામમાં વિકાસના નામે માત્ર ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. આગામી દિવસોમાં સામાન્ય વહીવટથી ત્રસ્ત લોકો પોતાનો અવાજ ઉઠાવે તેવી ઘટનાઓમાં વધારો જોવા મળશે.