લગ્ન બાદથી ઘરકંકાસને પગલે છોકરી અનેક વખત પોતાના ઘરે આવી હતી
ઘરસંસાર ન બગડે તે માટે પરિવારજનો તેને સમજાવીને પરત મોકલતા હતા
આખરે ત્રસ્ત બનેલી 23 વર્ષિય પરિણિતાએ પોતાની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું
WatchGujarat. તુ મને ગમતી નથી, તારા બાપાના ઘરે જતી રહે ટોણા મારી શારિરીક અને માનસિક ત્રાસ આપતા પતિથી ત્રસ્ત મહિલાએ સાવલી મંજુસર જી.આઈ.ડી.સી.માં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. યુવતીના પિતાએ આપઘાત માટે મજબૂર કરનાર જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે સાવલી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
કંપની શેડમાં આવેલી ઓરડીમાં ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી
મધ્યપ્રદેશના રહેવાસી મલમસિંહ ભિલાલાની 23 વર્ષીય દીકરી અંગુર બેનનું લગ્ન ત્રણ વર્ષ અગાઉ ધાર જિલ્લાના નિમથલ ગામે રહેતા ખડકસિંગ ભીલાલા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા . ખડકસિંગ મહિના તાજેતરમાં વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં મજૂરીકામ અર્થે આવ્યો હતો. અને કંપનીએ બનાવેલા શેડમાં આવેલી ઓરડીમાં પતિ અને પત્ની સાથે રહેતા હતા. જ્યાં અંગુરબેને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી જીવાદોરી ટૂંકાવી હતી.
ટોણા મારી માર મારતા જમાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
આ બનાવની જાણ પરિણીતાના પિતા મલમસિંહને થતાં તેઓ આવી પહોંચ્યા હતા. અને સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે , જમાઈ અવારનવાર "તું મને ગમતી નથી તારા બાપના ઘરે જતી રહે" તેમ ટોણા માર્યા બાદ દીકરી સાથે મારઝૂડ કરતો હતો. પરંતુ દીકરીનો સંસાર ના બગડે તે માટે તેને સમજાવી પરત મોકલતો હતો. દીકરીથી આ ત્રાસ સહન નહિ થતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.સાવલી પોલીસ પરિણીતાના પિતાની ફરિયાદના આધારે પત્નીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર જમાઇ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લગ્ન બાદથી ઘરકંકાસને પગલે છોકરી અનેક વખત પોતાના ઘરે આવી હતી
ઘરસંસાર ન બગડે તે માટે પરિવારજનો તેને સમજાવીને પરત મોકલતા હતા
આખરે ત્રસ્ત બનેલી 23 વર્ષિય પરિણિતાએ પોતાની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું
WatchGujarat. તુ મને ગમતી નથી, તારા બાપાના ઘરે જતી રહે ટોણા મારી શારિરીક અને માનસિક ત્રાસ આપતા પતિથી ત્રસ્ત મહિલાએ સાવલી મંજુસર જી.આઈ.ડી.સી.માં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. યુવતીના પિતાએ આપઘાત માટે મજબૂર કરનાર જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે સાવલી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
કંપની શેડમાં આવેલી ઓરડીમાં ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી
મધ્યપ્રદેશના રહેવાસી મલમસિંહ ભિલાલાની 23 વર્ષીય દીકરી અંગુર બેનનું લગ્ન ત્રણ વર્ષ અગાઉ ધાર જિલ્લાના નિમથલ ગામે રહેતા ખડકસિંગ ભીલાલા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા . ખડકસિંગ મહિના તાજેતરમાં વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં મજૂરીકામ અર્થે આવ્યો હતો. અને કંપનીએ બનાવેલા શેડમાં આવેલી ઓરડીમાં પતિ અને પત્ની સાથે રહેતા હતા. જ્યાં અંગુરબેને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી જીવાદોરી ટૂંકાવી હતી.
ટોણા મારી માર મારતા જમાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
આ બનાવની જાણ પરિણીતાના પિતા મલમસિંહને થતાં તેઓ આવી પહોંચ્યા હતા. અને સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે , જમાઈ અવારનવાર "તું મને ગમતી નથી તારા બાપના ઘરે જતી રહે" તેમ ટોણા માર્યા બાદ દીકરી સાથે મારઝૂડ કરતો હતો. પરંતુ દીકરીનો સંસાર ના બગડે તે માટે તેને સમજાવી પરત મોકલતો હતો. દીકરીથી આ ત્રાસ સહન નહિ થતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.સાવલી પોલીસ પરિણીતાના પિતાની ફરિયાદના આધારે પત્નીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર જમાઇ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.