લોકડાઉન સમયમાં ભોજન વિતરણ કરનારાને કારણે કોરોના સંક્રમણ ફેલાતું હોવાનું ધ્યાને આવતાં ડૉ. વિનોદ રાવે વ્યક્તિ – સંસ્થાને હોસ્પિટલમાં જવા પર મનાઈ ફરમાવી હતી
મેયરસાહેબની અપીલને પગલે યુવાનોના ટોળાં હોસ્પિટલો પર ધસી આવે, અને અવ્યવસ્થા સર્જાય તો જવાબદાર કોણ?
મેયરસાહેબને કદાચ ખબર નહીં હોય, કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને ઘરમાં રહેવાં, કામ વગર બહાર નહીં નિકળવાની સૂચના આપી રહી છે
WatchGujarat. વડોદરાના મેયર કેયૂર રોકડીયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ સાથે સમરસ કોવિડ હોસ્પિટલમાં પ્રત્યક્ષ સેવા કાર્યનો અનુભવ પ્રાપ્ત કરતાં વિવાદ સર્જાયો છે. ગત લોકડાઉન ટાણે હોસ્પિટલમાં સેવા કરવા જનારાઓને કારણએ જ કોરોના સંક્રમણ વધ્યું હોવાનું સામે આવતાં ઓ.એસ.ડી. ડૉ. વિનોદ રાવે સેવા કરવાની ઇચ્છા ધરાવનારી વ્યક્તિ – સંસ્થાના હોસ્પિટલમાં પ્રવેશ પર મનાઈ ફરમાવી હતી. ત્યારબાદ આજદીન સુધી કોઈ સંસ્થા કે વ્યક્તિને કોવિડ હોસ્પિટલમાં સેવા કરવાની પરવાનગી આપવામાં આવી નથી. ત્યારે તાજાં તાજાં બનેલાં મેયર કોની પરવાનગીથી સમરસ કોવિડ હોસ્પિટલમાં સેવાકાર્ય કરવા પહોંચ્યાં? આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
મેયર કેયૂર રોકડીયાએ Watch Gujaratને જણાવ્યું હતું કે, હાલના તબક્કે મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ત્યારે યુવાનો સેવા કાર્ય કરવા માટે આગળ આવે તેવા આશય સાથે મેં અપીલ કરી છે. યુવાનો તંત્રની સાથે સંકલન કરીને તેમનાથી બનતી સેવા કરે તે હાલના સમયમાં ખૂબ જ આવશ્યક છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા માટેનો આ મારો પ્રયાસ છે.
મેયર કેયૂર રોકડીયાએ આજરોજ ફેસબુક પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, મારા સહીત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ દ્વારા સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે પ્રત્યક્ષ COVID -19 દર્દીઓ વચ્ચે જઈ સેવા કરવાનો અનુભવ કર્યો. આ અનુભવમાં બે ઉદ્દેશ્ય સાર્થક થયા. કોરોના દર્દીઓની વ્યવસ્થામાં લાગેલાં અન્ય સ્ટાફને મુક્તિ મળી અને તેઓ દર્દીઓની સારવારમાં લાગ્યા અને વ્યવસ્થામાં જ્યાં સુધારો જણાયો ત્યાં અમે તેનું તંત્રનું ધ્યાન દોરીને વ્યવસ્થઆને સુદ્રઢ કરવાનો પ્રયત્ન કર્યો.
મેયરસાહેબે પીપીઈ કીટ કેવી રીતે પહેરાય? તેનું નિદર્શન કરતી તસવીરો ઉપરાંત આર.એસ.એસ.ના કાર્યકર્તાઓએ પીપીઈ કીટ્સ પહેરીને દર્દીઓને ભોજન પીરસ્યું હોવા સહિતની કામગીરીનાં ફોટો – વિડીયો પણ શેર કરવામાં આવ્યાં છે.
હાલ કોરોના સંક્રમણના બીજા તબક્કામાં લોકોના જીવ જઈ રહ્યાં છે, બેડથી માંડી ઓક્સિજનની અછતના પ્રશ્નો ઉપરાંત દર્દીઓની સારવાર કરી શકે તેવા નિષ્ણાંત સ્ટાફની પણ અછત છે. એવાં સંજોગોમાં મેયરસાહેબે યુવાનોને અપીલ કરતાં લખ્યું છે કે, સર્વે યુવાનોને કોરોના હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ હેલ્પ ડેસ્ક પર અથવા તો હોસ્પિટલની અન્ય વ્યવસ્થાઓમાં જોડાઈને આ સેવાયજ્ઞમાં આપનું યોગદાન આપે તેવો અનુરોધ કરું છું.
મેયરસાહેબને કદાચ ખબર નહીં હોય, કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને ઘરમાં રહેવાં, કામ વગર બહાર નહીં નિકળવાની સૂચના આપી રહી છે. મેયરસાહેબની અપીલને પગલે યુવાનોના ટોળાં હોસ્પિટલો પર ધસી આવે, અને અવ્યવસ્થા સર્જાય તો જવાબદાર કોણ? લોકડાઉનના સમયમાં રખડવા મળે તે માટે ઘણાં યુવાનો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતાં. એ વાતની કદાચ મેયરસાહેબને ખબર નહીં હોય. યુવાનોને પણ કોરોના સંક્રમણનો ભય હોવાને કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી મેથી 18 વર્ષની ઉપરના યુવાનોને વેક્સિન આપવાની જાહેરાત કરી છે. એવાં સંજોગોમાં મેયર કેયૂર રોકડીયાની આ અપીલ કેટલી વ્યાજબી અને જવાબદારીભરી ગણી શકાય?
સૌથી મહત્વનો સવાલ તો એ છે કે, મેયરસાહેબને સમરસ કોવિડ હોસ્પિટલમાં સેવાયજ્ઞ કરવા જવા દેવાની પરવાનગી કોણે આપી? આમ તો, સત્તાધારી પક્ષનાં અગ્રણીઓને કોઈ પરવાનગી લેવાની જરૂર હોતી નથી, એવા અનેક દ્રષ્ટાંતો આપણી સામે છે. છતાં, આ મામલે કોઈ વિશેષ પરવાનગી અપાઈ છે કે કેમ? તે અંગે તપાસ કરવાનો નિષ્ફળ પ્રયાસ વોચ ગુજરાત દ્વારા કરાયો હતો. એકંદરે, મેયર કેયૂર રોકડીયા દ્વારા કરાયેલાં સેવાયજ્ઞ સામે અનેક સવાલો ઉભા થયાં છે.
લોકડાઉન સમયમાં ભોજન વિતરણ કરનારાને કારણે કોરોના સંક્રમણ ફેલાતું હોવાનું ધ્યાને આવતાં ડૉ. વિનોદ રાવે વ્યક્તિ – સંસ્થાને હોસ્પિટલમાં જવા પર મનાઈ ફરમાવી હતી
મેયરસાહેબની અપીલને પગલે યુવાનોના ટોળાં હોસ્પિટલો પર ધસી આવે, અને અવ્યવસ્થા સર્જાય તો જવાબદાર કોણ?
મેયરસાહેબને કદાચ ખબર નહીં હોય, કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને ઘરમાં રહેવાં, કામ વગર બહાર નહીં નિકળવાની સૂચના આપી રહી છે
WatchGujarat. વડોદરાના મેયર કેયૂર રોકડીયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ સાથે સમરસ કોવિડ હોસ્પિટલમાં પ્રત્યક્ષ સેવા કાર્યનો અનુભવ પ્રાપ્ત કરતાં વિવાદ સર્જાયો છે. ગત લોકડાઉન ટાણે હોસ્પિટલમાં સેવા કરવા જનારાઓને કારણએ જ કોરોના સંક્રમણ વધ્યું હોવાનું સામે આવતાં ઓ.એસ.ડી. ડૉ. વિનોદ રાવે સેવા કરવાની ઇચ્છા ધરાવનારી વ્યક્તિ – સંસ્થાના હોસ્પિટલમાં પ્રવેશ પર મનાઈ ફરમાવી હતી. ત્યારબાદ આજદીન સુધી કોઈ સંસ્થા કે વ્યક્તિને કોવિડ હોસ્પિટલમાં સેવા કરવાની પરવાનગી આપવામાં આવી નથી. ત્યારે તાજાં તાજાં બનેલાં મેયર કોની પરવાનગીથી સમરસ કોવિડ હોસ્પિટલમાં સેવાકાર્ય કરવા પહોંચ્યાં? આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
મેયર કેયૂર રોકડીયાએ Watch Gujaratને જણાવ્યું હતું કે, હાલના તબક્કે મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ત્યારે યુવાનો સેવા કાર્ય કરવા માટે આગળ આવે તેવા આશય સાથે મેં અપીલ કરી છે. યુવાનો તંત્રની સાથે સંકલન કરીને તેમનાથી બનતી સેવા કરે તે હાલના સમયમાં ખૂબ જ આવશ્યક છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા માટેનો આ મારો પ્રયાસ છે.
મેયર કેયૂર રોકડીયાએ આજરોજ ફેસબુક પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, મારા સહીત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ દ્વારા સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે પ્રત્યક્ષ COVID -19 દર્દીઓ વચ્ચે જઈ સેવા કરવાનો અનુભવ કર્યો. આ અનુભવમાં બે ઉદ્દેશ્ય સાર્થક થયા. કોરોના દર્દીઓની વ્યવસ્થામાં લાગેલાં અન્ય સ્ટાફને મુક્તિ મળી અને તેઓ દર્દીઓની સારવારમાં લાગ્યા અને વ્યવસ્થામાં જ્યાં સુધારો જણાયો ત્યાં અમે તેનું તંત્રનું ધ્યાન દોરીને વ્યવસ્થઆને સુદ્રઢ કરવાનો પ્રયત્ન કર્યો.
મેયરસાહેબે પીપીઈ કીટ કેવી રીતે પહેરાય? તેનું નિદર્શન કરતી તસવીરો ઉપરાંત આર.એસ.એસ.ના કાર્યકર્તાઓએ પીપીઈ કીટ્સ પહેરીને દર્દીઓને ભોજન પીરસ્યું હોવા સહિતની કામગીરીનાં ફોટો – વિડીયો પણ શેર કરવામાં આવ્યાં છે.
હાલ કોરોના સંક્રમણના બીજા તબક્કામાં લોકોના જીવ જઈ રહ્યાં છે, બેડથી માંડી ઓક્સિજનની અછતના પ્રશ્નો ઉપરાંત દર્દીઓની સારવાર કરી શકે તેવા નિષ્ણાંત સ્ટાફની પણ અછત છે. એવાં સંજોગોમાં મેયરસાહેબે યુવાનોને અપીલ કરતાં લખ્યું છે કે, સર્વે યુવાનોને કોરોના હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ હેલ્પ ડેસ્ક પર અથવા તો હોસ્પિટલની અન્ય વ્યવસ્થાઓમાં જોડાઈને આ સેવાયજ્ઞમાં આપનું યોગદાન આપે તેવો અનુરોધ કરું છું.
મેયરસાહેબને કદાચ ખબર નહીં હોય, કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને ઘરમાં રહેવાં, કામ વગર બહાર નહીં નિકળવાની સૂચના આપી રહી છે. મેયરસાહેબની અપીલને પગલે યુવાનોના ટોળાં હોસ્પિટલો પર ધસી આવે, અને અવ્યવસ્થા સર્જાય તો જવાબદાર કોણ? લોકડાઉનના સમયમાં રખડવા મળે તે માટે ઘણાં યુવાનો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતાં. એ વાતની કદાચ મેયરસાહેબને ખબર નહીં હોય. યુવાનોને પણ કોરોના સંક્રમણનો ભય હોવાને કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી મેથી 18 વર્ષની ઉપરના યુવાનોને વેક્સિન આપવાની જાહેરાત કરી છે. એવાં સંજોગોમાં મેયર કેયૂર રોકડીયાની આ અપીલ કેટલી વ્યાજબી અને જવાબદારીભરી ગણી શકાય?
સૌથી મહત્વનો સવાલ તો એ છે કે, મેયરસાહેબને સમરસ કોવિડ હોસ્પિટલમાં સેવાયજ્ઞ કરવા જવા દેવાની પરવાનગી કોણે આપી? આમ તો, સત્તાધારી પક્ષનાં અગ્રણીઓને કોઈ પરવાનગી લેવાની જરૂર હોતી નથી, એવા અનેક દ્રષ્ટાંતો આપણી સામે છે. છતાં, આ મામલે કોઈ વિશેષ પરવાનગી અપાઈ છે કે કેમ? તે અંગે તપાસ કરવાનો નિષ્ફળ પ્રયાસ વોચ ગુજરાત દ્વારા કરાયો હતો. એકંદરે, મેયર કેયૂર રોકડીયા દ્વારા કરાયેલાં સેવાયજ્ઞ સામે અનેક સવાલો ઉભા થયાં છે.