કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા શહેરમાંથી નિકાલ કરવામાં આવતા મેડીકલ વેસ્ટની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે
ગોરવા ખાતેથી સ્થળ પરથી દર્દીઓને ઓક્સિજનની સારવાર દરમિયાન પહેરાવાતા માસ્ક. બોટલ, ઇન્જેક્શન અને દવાઓ મળી આવ્યા હતા - સ્વેજલ વ્યાસ
કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાયેલા સામાનનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં નહિ આવે તો મેડીકલ વેસ્ટ થકી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતા
WatchGujarat. વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાની સુનામીમાં રોજે રોજ પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલ શહેરના મોટાભાગના કોરોના પોઝીટીવ દર્દીઓ હોમ આઇસોલેશનમાં પોતાની સારવાર લઇ રહ્યા છે. તેવા સમયે ગોરવા વિસ્તારમાં આવેલી જાણીતી મસાલાની દુકાન નજીક મેડીકલ વેસ્ટનો ખુલ્લેઆમ નિકાલ કરવાની ગંભીર ઘટના સામે આવી હતી. મેડીકલ વેસ્ટના જાહેરમાં નિકાલને પગલે અસંખ્ય લોકોના જીવને જોખમમાં મુકવાની ગંભીર બેદરકારી સામે આવી હતી.
રાજ્યમાં ચુંટણી બાદ કોરોના કહેર મચાવી રહ્યો છે. કોરોનાની સુનામી એ હદે વધી છે કે, હોસ્પિટલમાં બેડ અને સ્મશાનગૃહોમાં ચિતાની સંખ્યામાં વધારો કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. અને દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની વ્યવસ્થામાં વધારો કરવાની ફરજ પડી છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા શહેરમાંથી નિકાલ કરવામાં આવતા મેડીકલ વેસ્ટની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. શહેરના ગોરવા વિસ્તારમાં આજે મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરીને અસંખ્ય લોકોના જીવને જોખમમાં મુકવાની ગંભીર બેદરકારી સામે આવી હતી.
સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગોરવા તળાવ નજીક જાણીતી મસાલાની કંપનીનો સ્ટોર આવેલો છે. તેની નજીકથી જાહેરમાં આજે મેડીકલ વેસ્ટનો નિકાલ કર્યાની ગંભીર ઘટના સામે આવી હતી. સ્થળ પરથી દર્દીઓને ઓક્સિજનની સારવાર દરમિયાન પહેરાવાતા માસ્ક. બોટલ, ઇન્જેક્શન અને દવાઓ મળી આવ્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ કોઇએ મેડીકલ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ કર્યાનું અનુમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેડીકલ વેસ્ટના નિકાલ માટે સરકાર દ્વારા યોગ્ય ગાઇડલાઇન આપવામાં આવી છે. જે મુજબ જ તેનો નિકાલ કરવું હિતાવહ છે. મેડીકલ વેસ્ટનો જાહેરમાં અથવાતો આડેધડ નિકાલ કરવામાં આવે તો કોઇ પણ પ્રકારનો ચેપ ફેલાઇ શકે છે. કોરોનાની સુનામી વચ્ચે જો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાયેલા સામાનનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં નહિ આવે તો મેડીકલ વેસ્ટ થકી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતા રહેલી છે. તમામ લોકોએ સરકારના નિયમોનું પાલન કરીને યોગ્ય રીતે જ મેડીકલ વેસ્ટનો નિકાલ કરવો જોઇએ.
શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં મેડીકલ વેસ્ટની સંખ્યામાં પણ વધારો થશે. ગત રોજ શહેરમાં ઓક્સિજનની અછતની ઘટના સામે આવી હતી. અને આજે મેડીકલ વેસ્ટની જાહેરમાં નિકાલની ઘટના સામે આવી છે. શહેરના તંત્રએ વધુ ચોક્સાઇ પુર્વક કોવિડ મેનેજમેન્ટ કરવામાં નથી આવતું હોવાનું છેલ્લા 24 કલાકમાં બનેલી 2 ઘટનાઓ પરથી અંદાજો લગાડી શકાય તેમ છે. તંત્ર નહિ જાગે તો આ પ્રકારની ઘટનાઓ તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસો પર પાણી ફેરવી દેશે.
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા શહેરમાંથી નિકાલ કરવામાં આવતા મેડીકલ વેસ્ટની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે
ગોરવા ખાતેથી સ્થળ પરથી દર્દીઓને ઓક્સિજનની સારવાર દરમિયાન પહેરાવાતા માસ્ક. બોટલ, ઇન્જેક્શન અને દવાઓ મળી આવ્યા હતા - સ્વેજલ વ્યાસ
કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાયેલા સામાનનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં નહિ આવે તો મેડીકલ વેસ્ટ થકી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતા
WatchGujarat. વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાની સુનામીમાં રોજે રોજ પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલ શહેરના મોટાભાગના કોરોના પોઝીટીવ દર્દીઓ હોમ આઇસોલેશનમાં પોતાની સારવાર લઇ રહ્યા છે. તેવા સમયે ગોરવા વિસ્તારમાં આવેલી જાણીતી મસાલાની દુકાન નજીક મેડીકલ વેસ્ટનો ખુલ્લેઆમ નિકાલ કરવાની ગંભીર ઘટના સામે આવી હતી. મેડીકલ વેસ્ટના જાહેરમાં નિકાલને પગલે અસંખ્ય લોકોના જીવને જોખમમાં મુકવાની ગંભીર બેદરકારી સામે આવી હતી.
રાજ્યમાં ચુંટણી બાદ કોરોના કહેર મચાવી રહ્યો છે. કોરોનાની સુનામી એ હદે વધી છે કે, હોસ્પિટલમાં બેડ અને સ્મશાનગૃહોમાં ચિતાની સંખ્યામાં વધારો કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. અને દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની વ્યવસ્થામાં વધારો કરવાની ફરજ પડી છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા શહેરમાંથી નિકાલ કરવામાં આવતા મેડીકલ વેસ્ટની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. શહેરના ગોરવા વિસ્તારમાં આજે મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરીને અસંખ્ય લોકોના જીવને જોખમમાં મુકવાની ગંભીર બેદરકારી સામે આવી હતી.
સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગોરવા તળાવ નજીક જાણીતી મસાલાની કંપનીનો સ્ટોર આવેલો છે. તેની નજીકથી જાહેરમાં આજે મેડીકલ વેસ્ટનો નિકાલ કર્યાની ગંભીર ઘટના સામે આવી હતી. સ્થળ પરથી દર્દીઓને ઓક્સિજનની સારવાર દરમિયાન પહેરાવાતા માસ્ક. બોટલ, ઇન્જેક્શન અને દવાઓ મળી આવ્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ કોઇએ મેડીકલ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ કર્યાનું અનુમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેડીકલ વેસ્ટના નિકાલ માટે સરકાર દ્વારા યોગ્ય ગાઇડલાઇન આપવામાં આવી છે. જે મુજબ જ તેનો નિકાલ કરવું હિતાવહ છે. મેડીકલ વેસ્ટનો જાહેરમાં અથવાતો આડેધડ નિકાલ કરવામાં આવે તો કોઇ પણ પ્રકારનો ચેપ ફેલાઇ શકે છે. કોરોનાની સુનામી વચ્ચે જો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાયેલા સામાનનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં નહિ આવે તો મેડીકલ વેસ્ટ થકી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતા રહેલી છે. તમામ લોકોએ સરકારના નિયમોનું પાલન કરીને યોગ્ય રીતે જ મેડીકલ વેસ્ટનો નિકાલ કરવો જોઇએ.
શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં મેડીકલ વેસ્ટની સંખ્યામાં પણ વધારો થશે. ગત રોજ શહેરમાં ઓક્સિજનની અછતની ઘટના સામે આવી હતી. અને આજે મેડીકલ વેસ્ટની જાહેરમાં નિકાલની ઘટના સામે આવી છે. શહેરના તંત્રએ વધુ ચોક્સાઇ પુર્વક કોવિડ મેનેજમેન્ટ કરવામાં નથી આવતું હોવાનું છેલ્લા 24 કલાકમાં બનેલી 2 ઘટનાઓ પરથી અંદાજો લગાડી શકાય તેમ છે. તંત્ર નહિ જાગે તો આ પ્રકારની ઘટનાઓ તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસો પર પાણી ફેરવી દેશે.