છેલ્લાં 10 વર્ષથી માંગણી સંતોષાઈ રહી ના હોઈ રાજ્યની GMERSના તબીબી શિક્ષકોએ હડતાળની ચીમકી ઉચ્ચારી.
કોરોના વોરિયર્સની કાળજી રાખવામાં પણ રૂપાણી સરકાર નિષ્ફળ.
Watch Gujarat. કોરોના મહામારી ટાણે બેડ, ઇન્જેક્શન, ઓક્સિજનની અછતથી નાગરીકો હેરાન પરેશાન થયાં છે. ત્યારે આગામી દિવસોમાં તબીબોની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. છેલ્લાં 10 વર્ષોથી સરકાર દ્વારા GMERSના તબીબી શિક્ષકોની માંગણીઓ સંતોષવામાં આવતી ના હોવાથી, તબીબી શિક્ષકોએ હડતાળની ચિમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યની 8 GMERSમાં ફરજ બજાવતાં 770 જેટલાં તબીબોએ કોરોના કાળમાં દર્દીઓની નિષ્ઠાપૂર્વક સારવાર કરી છે.
હાઈકોર્ટની ફટકાર છતાં કોરોના મહામારીમાં જનહીત લક્ષી મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ રહેલી રૂપાણી સરકાર, સરકારી તબીબોની કાળજી રાખવામાં પણ નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટ થાય છે. આજરોજ GMERS ફેકલ્ટી એસો. દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા પ્રમાણે, GMERSની 8 હોસ્પિટલમાં 50 ટકા ડોક્ટર્સની જગ્યાઓ પર નિમણૂંક કરાતી નથી. કોરોના મહામારીના સમયમાં બેડની સંખ્યા બમણી કરવા છતાં, GMERSના તબીબો પોતાના અને પોતાના પરિવારજનોના જીવના જોખમે રાત – દિવસ ફરજ બજાવી રહ્યાં છે. તેમ છતાં આ તબીબોને મૂળભૂત લાભોથી વંચિત રાખવામાં આવે છે.
7માં પગાર પંચના એરિયર્સની ચૂકવણીથી માંડી કોવિડ હોસ્પિટલના ડોક્ટરોને મળવાપાત્ર માનદ મહેનતાણું નહીં ચુકવીને GMERSના તબીબી શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનો અને આરોગ્ય વિભાગ દ્વારા GMERS તબીબો સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે. આ સાથે કુલ 11 માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી કરવામાં આવી છે.
વડોદરા GMERSના ડીન અને સુપ્રિટેન્ડેન્ટના હસ્તે મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલાં આવેદનપત્રમાં જણાવાયું છે કે, GMERSના તબીબી શિક્ષકોને તાત્કાલિક ધોરણે મૂળભૂત લાભો આપવાના આદેશો નહીં આપવામાં આવે તો આગામી તા. 11 મે 2021ના રોજથી સરદાર પટેલ ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે.
એકંદરે, જનતાલક્ષી કામગીરી કરવામાં નિષ્ફળ રહેલી રૂપાણી સરકાર હાલ કોરોના કાળમાં ચારે તરફથી ઘેરાયેલી છે. આવા સંજોગોમાં તબીબી શિક્ષકો દ્વારા રૂપાણી સરકારનું નાક દબાવીને 10 વર્ષથી પડતી અગવડનો અંત લાવવાના મૂડમાં હોવાનું જણાય છે.
છેલ્લાં 10 વર્ષથી માંગણી સંતોષાઈ રહી ના હોઈ રાજ્યની GMERSના તબીબી શિક્ષકોએ હડતાળની ચીમકી ઉચ્ચારી.
કોરોના વોરિયર્સની કાળજી રાખવામાં પણ રૂપાણી સરકાર નિષ્ફળ.
Watch Gujarat. કોરોના મહામારી ટાણે બેડ, ઇન્જેક્શન, ઓક્સિજનની અછતથી નાગરીકો હેરાન પરેશાન થયાં છે. ત્યારે આગામી દિવસોમાં તબીબોની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. છેલ્લાં 10 વર્ષોથી સરકાર દ્વારા GMERSના તબીબી શિક્ષકોની માંગણીઓ સંતોષવામાં આવતી ના હોવાથી, તબીબી શિક્ષકોએ હડતાળની ચિમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યની 8 GMERSમાં ફરજ બજાવતાં 770 જેટલાં તબીબોએ કોરોના કાળમાં દર્દીઓની નિષ્ઠાપૂર્વક સારવાર કરી છે.
હાઈકોર્ટની ફટકાર છતાં કોરોના મહામારીમાં જનહીત લક્ષી મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ રહેલી રૂપાણી સરકાર, સરકારી તબીબોની કાળજી રાખવામાં પણ નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટ થાય છે. આજરોજ GMERS ફેકલ્ટી એસો. દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા પ્રમાણે, GMERSની 8 હોસ્પિટલમાં 50 ટકા ડોક્ટર્સની જગ્યાઓ પર નિમણૂંક કરાતી નથી. કોરોના મહામારીના સમયમાં બેડની સંખ્યા બમણી કરવા છતાં, GMERSના તબીબો પોતાના અને પોતાના પરિવારજનોના જીવના જોખમે રાત – દિવસ ફરજ બજાવી રહ્યાં છે. તેમ છતાં આ તબીબોને મૂળભૂત લાભોથી વંચિત રાખવામાં આવે છે.
7માં પગાર પંચના એરિયર્સની ચૂકવણીથી માંડી કોવિડ હોસ્પિટલના ડોક્ટરોને મળવાપાત્ર માનદ મહેનતાણું નહીં ચુકવીને GMERSના તબીબી શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનો અને આરોગ્ય વિભાગ દ્વારા GMERS તબીબો સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે. આ સાથે કુલ 11 માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી કરવામાં આવી છે.
વડોદરા GMERSના ડીન અને સુપ્રિટેન્ડેન્ટના હસ્તે મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલાં આવેદનપત્રમાં જણાવાયું છે કે, GMERSના તબીબી શિક્ષકોને તાત્કાલિક ધોરણે મૂળભૂત લાભો આપવાના આદેશો નહીં આપવામાં આવે તો આગામી તા. 11 મે 2021ના રોજથી સરદાર પટેલ ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે.
એકંદરે, જનતાલક્ષી કામગીરી કરવામાં નિષ્ફળ રહેલી રૂપાણી સરકાર હાલ કોરોના કાળમાં ચારે તરફથી ઘેરાયેલી છે. આવા સંજોગોમાં તબીબી શિક્ષકો દ્વારા રૂપાણી સરકારનું નાક દબાવીને 10 વર્ષથી પડતી અગવડનો અંત લાવવાના મૂડમાં હોવાનું જણાય છે.