સરકાર દ્વારા લાખ પ્રયાસો છતાં કોરોનાને કહેર ઘટવાનું નામ નથી લેતો
કોરોનાએ સર્જેલી કટોકટીમાં સામાન્ય નાગરીકોને રોજે રોજ ભોગવવાનો વારો આવે છે
મનીષાબેન વકીલે પોતે કોરોના પોઝીટીવ થયાની માહિતી સોશિયલ મિડીયા હેન્ડલ મારફતે લોકોને જણાવી
લોકો અને સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે જલ્દીથી કોરોના પર કાબુ મેળવી શકાશે તેવો આશાવાદ રાજ્યના મુખ્યમંત્રી અગાઉ વ્યક્ત કરી ચુક્યા છે
WatchGujarat. કોરોના કોઇનો છોડતો નથી. પહેલા સામાન્ય નાગરીકો કોરોના પોઝીટીવ થતા હતા. હવે રાજકીય હસ્તીઓ કોરોના પોઝીટીવ થઇ રહ્યા છે. ગુરૂવારે વડોદરાના મહિલા ધારાસભ્ય મનીષા વકીલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝીટીવ થયા હતા. જેને કારણે તેમના સમર્થકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
રાજ્યમાં કોરોનાનો કહેર જારી છે. દિવસેને દિવસે કોરોના પોઝીટીવ આંક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. સરકાર દ્વારા લાખ પ્રયાસો છતાં કોરોનાને કહેર ઘટવાનું નામ નથી લેતો. હવે રોજે રોજ કોઇ નવી રાજકીય હસ્તી કોરોના પોઝીટીવ થયાની ઘટના સામે આવતી જાય છે. ગુરૂવારે વડોદરાના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝીટીવ થયા હતા. ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતે કોરોના પોઝીટીવ થયાની માહિતી સોશિયલ મિડીયા હેન્ડલ મારફતે લોકોને જણાવી હતી. અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.
કોરોનાના કેસો વધતા રાજ્યના અનેક શહેરોમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ છે. અને હોસ્પિટલમાં બેડ મેળવવા, જીવન રક્ષક ઇન્જેક્શન મેળવવા તથા મૃતકોની અંતિમ ક્રિયા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાએ સર્જેલી કટોકટીમાં સામાન્ય નાગરીકોને રોજે રોજ ભોગવવાનો વારો આવે છે. ચુંટણી બાદથી વકરેલો કોરોના હવે અટકવાનું નામ નથી લેતો. લોકો અને સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે જલ્દીથી કોરોના પર કાબુ મેળવી શકાશે તેવો આશાવાદ રાજ્યના મુખ્યમંત્રી અગાઉ વ્યક્ત કરી ચુક્યા છે.
સરકાર દ્વારા લાખ પ્રયાસો છતાં કોરોનાને કહેર ઘટવાનું નામ નથી લેતો
કોરોનાએ સર્જેલી કટોકટીમાં સામાન્ય નાગરીકોને રોજે રોજ ભોગવવાનો વારો આવે છે
લોકો અને સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે જલ્દીથી કોરોના પર કાબુ મેળવી શકાશે તેવો આશાવાદ રાજ્યના મુખ્યમંત્રી અગાઉ વ્યક્ત કરી ચુક્યા છે
WatchGujarat. કોરોના કોઇનો છોડતો નથી. પહેલા સામાન્ય નાગરીકો કોરોના પોઝીટીવ થતા હતા. હવે રાજકીય હસ્તીઓ કોરોના પોઝીટીવ થઇ રહ્યા છે. ગુરૂવારે વડોદરાના મહિલા ધારાસભ્ય મનીષા વકીલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝીટીવ થયા હતા. જેને કારણે તેમના સમર્થકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
રાજ્યમાં કોરોનાનો કહેર જારી છે. દિવસેને દિવસે કોરોના પોઝીટીવ આંક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. સરકાર દ્વારા લાખ પ્રયાસો છતાં કોરોનાને કહેર ઘટવાનું નામ નથી લેતો. હવે રોજે રોજ કોઇ નવી રાજકીય હસ્તી કોરોના પોઝીટીવ થયાની ઘટના સામે આવતી જાય છે. ગુરૂવારે વડોદરાના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝીટીવ થયા હતા. ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતે કોરોના પોઝીટીવ થયાની માહિતી સોશિયલ મિડીયા હેન્ડલ મારફતે લોકોને જણાવી હતી. અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.
કોરોનાના કેસો વધતા રાજ્યના અનેક શહેરોમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ છે. અને હોસ્પિટલમાં બેડ મેળવવા, જીવન રક્ષક ઇન્જેક્શન મેળવવા તથા મૃતકોની અંતિમ ક્રિયા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાએ સર્જેલી કટોકટીમાં સામાન્ય નાગરીકોને રોજે રોજ ભોગવવાનો વારો આવે છે. ચુંટણી બાદથી વકરેલો કોરોના હવે અટકવાનું નામ નથી લેતો. લોકો અને સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે જલ્દીથી કોરોના પર કાબુ મેળવી શકાશે તેવો આશાવાદ રાજ્યના મુખ્યમંત્રી અગાઉ વ્યક્ત કરી ચુક્યા છે.