વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો
રાજેન્દ્ર ત્રિવેદીની મોડી રાત્રે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં તેમને બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું
સર્જરી બાદ તબિયત સ્થિર હોવાના અહેવાલને પગલે સમર્થકોએ હાશકારો અનુભવ્યો
WatchGujarat. રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે રાત્રે તબિયત લથડતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો. દરમિયાન રાત્રે તેમને હૃદયને સંબંધિત તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાની માહિતી મળી હતી.
હાલ મળતી વિગત પ્રમાણે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની મોડી રાત્રે એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં તેમને બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તબિબોએ તેમની એન્જીયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હતો. સર્જરી બાદ તેમનો બ્લોકેજ દુર કરવામાં આવ્યો હતો. અને હ્રદયમાં એક સ્ટેન્ટ મુકવામાં આવ્યો હતો. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું સુત્રએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે રાત્રે તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જેને કારણે તેમના સમર્થકોમાં ભારે ચિંતા જોવા મળી રહી. જો કે, રાત્રે તબિબિ પરીક્ષણ બાદ તેમના પર સર્જરી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ તેમની તબિયત સ્થિર હોવાના અહેવાલને પગલે સમર્થકોએ હાથકારો અનુભવ્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો
રાજેન્દ્ર ત્રિવેદીની મોડી રાત્રે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં તેમને બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું
સર્જરી બાદ તબિયત સ્થિર હોવાના અહેવાલને પગલે સમર્થકોએ હાશકારો અનુભવ્યો
WatchGujarat. રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે રાત્રે તબિયત લથડતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો. દરમિયાન રાત્રે તેમને હૃદયને સંબંધિત તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાની માહિતી મળી હતી.
હાલ મળતી વિગત પ્રમાણે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની મોડી રાત્રે એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં તેમને બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તબિબોએ તેમની એન્જીયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હતો. સર્જરી બાદ તેમનો બ્લોકેજ દુર કરવામાં આવ્યો હતો. અને હ્રદયમાં એક સ્ટેન્ટ મુકવામાં આવ્યો હતો. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું સુત્રએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે રાત્રે તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જેને કારણે તેમના સમર્થકોમાં ભારે ચિંતા જોવા મળી રહી. જો કે, રાત્રે તબિબિ પરીક્ષણ બાદ તેમના પર સર્જરી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ તેમની તબિયત સ્થિર હોવાના અહેવાલને પગલે સમર્થકોએ હાથકારો અનુભવ્યો હતો.