કરજણમાં ગુજરાત પેસ્ટીસાઈડ નામની ખાનગી પેઢી ચલાવતા 3 ભેજબાજોએ પ્રારંભે વિશ્વાસ કેળવી ₹4.92 લાખનો રોકડમાં જથ્થો લીધો
બાદમાં ઉધાર ઉપર માલ લેવાનું શરૂ કરી કુલ બિલ ₹5.15 કરોડ પોહચાડ્યું
જે પેકી ટુકડે ટુકડે સાવલી રોડ પર આવેલી બેંકની શાખામાંથી ₹1.54 કરોડ RTGS કર્યા
બાકીના ₹3.60 કરોડના આપેલા ₹1.20 કરોડના 3 ચેક પૈકી 2 સાઈન મિસ મેચ અને 1 બેલેન્સ ન હોય બાઉન્સ થયો
કરજણમાં ગુજરાત પેસ્ટીસાઈડ પેઢીનું શટર પાડી ત્રણેય ઠગ ફરાર
Watchgujarat. કોરોના અને લોકડાઉન વચ્ચે પાલેજના બિયારણ અને જંતુનાશક દવાના વેપારી સાથે કરજણમાં ગુજરાત પેસ્ટીસાઈડની પેઢી ખોલી 3 શખ્સોએ ₹3.60 કરોડની ઠગાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચ તાલુકાના સેગવા ગામે રહેતા સલીમ વલીભાઇ દરબારની પાલેજ બજારમાં ગુજરાત સિડ્સ એન્ડ પેસ્ટી સાઇડસ નામની ખાનગી પેઢી આવેલી છે. તેઓ 12 વર્ષથી જંતુનાશક દવા તથા બિયારણનો છુટક તથા જથ્થા બંધ વેપાર કરે છે.
તેમની પેઢી ઉપર 29 જૂન 2020 ના રોજ જયેશભાઇ એ આવી કહ્યું હતું કે, અમે ગુજરાત પેસ્ટીસાઇડ નામની ખાનગી પેઢી કરજણ મારૂતી પ્લાઝા કોમ્પલેક્ષમાં મોહસીન અહમદ મુસ્તાક કાજીનાઓના નામે ભાગીદારીમાં ચલાવીએ છીએ. તે દિવસે ઓળખાણ થતા પાલેજના સલીમભાઈ પાસેથી ₹4.92 લાખના બિયારણ અને જંતુનાશક દવાઓ રોકડમાં ખરીદતા વેપારી સંબંધો શરૂ થયા હતા.
જે બાદ ઉધારીમાં પણ વેપાર શરૂ થતાં 8 જાન્યુઆરી 2021 સુધીમાં કુલ ₹5.15 કરોડની જંતુનાશ્ક દવાઓ ઓર્ડર મુજબ પાકા બીલથી વેચાણ કરાય હતી. પાલેજ જંતુનાશક દવાનો ઓર્ડર આપવા તથા લેવા માટે જયેશભાઇ તથા તેઓના દુકાનના કર્મચારી ઓવેશ અંસારી પણ આવતો હતો, ત્યાર પછી તેઓ માલની ખરીદી ઉધારમાં કરવા લાગ્યા અને અમોને માલનુ પેમેન્ટ કોરોનાનુ કારણ દર્શાવી આપી દઈશુ તેઓ વિશ્વાસ આપી અમારી સાથે ધંધો ચાલુ રાખેલો.
કરજણની પેઢીના જયેશભાઈ અને તેમની મંડળીએ ₹5.15 કરોડ પૈકી ₹1.54 કરોડ ટુકડે ટુકડે તેઓના ખાતાની એક્સીસ બેન્ક સમા સાવલી રોડ શાખાના એકાઉન્ટમાંથી આર.ટી જી.એસ દ્રારા ચૂકવ્યા હતા. બાકી પડતા ₹3,60,88,540 બાબતે વારંવાર ઉધારણી કરતા નાણા આપી દેવાનો વિશ્વાસ આપ્યો હતો. જે બાદ જયેશભાઇ તથા ઓવેસ અંસારીએ પાલેજના સલીમભાઈને વિશ્વાસ ભરોષો ટકી રહે તે માટે બાકી હિસાબ પેટે ગુજરાત પેસ્ટીસાઈડ્સ પેઢીના નામના એકસીસ બેન્કના 3 ચેક ₹1.20 -₹1.20 કરોડની એમાઉન્ટના આપ્યા હતા.
પાલેજના વેપારી એ 2 ચેક બેંકમાં નાખતા સહિઓ મેચ થયેલ નહિ જેથી ચેક રીર્ટન થયેલ અને ત્રીજો ચેક એકાઉન્ટમાં બેલેન્સ ન હોય જેથી રીર્ટન થયો હતો. જેની જાણ કરજણની પેઢીના જયેશભાઇ, મોહસીન અહમદ તથા ઓવેશ અન્સારીની કરતા પૈસા આપી દઇશું તેવી માત્ર વાયદે બાજી કર્યા કરી હતી.
બાદમાં આ 3 ભેજબજોએ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખતા કરજણ ખાતે ની દુકાને જતા દુકાન પણ બંધ કરી ભાગી ગયા હતા. આખરે પાલેજના વેપારીએ મોહસીન અહમદ મુસ્તાક કાજી રહે , તાલાલાનાકા પોલીસ ચોકી પાછળ મુળ રહે , વેરાવલ, જયેશભાઇ તેમજ ઓવેશ અંસારી જેઓના પુરૂનામ સરનામાની ખબર નથી તેઓ સામે પાલેજ પોલીસ મથકે ₹3.60 કરોડની ઉધારમાં જંતુનાશક દવા લઈ ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
બાદમાં ઉધાર ઉપર માલ લેવાનું શરૂ કરી કુલ બિલ ₹5.15 કરોડ પોહચાડ્યું
જે પેકી ટુકડે ટુકડે સાવલી રોડ પર આવેલી બેંકની શાખામાંથી ₹1.54 કરોડ RTGS કર્યા
બાકીના ₹3.60 કરોડના આપેલા ₹1.20 કરોડના 3 ચેક પૈકી 2 સાઈન મિસ મેચ અને 1 બેલેન્સ ન હોય બાઉન્સ થયો
કરજણમાં ગુજરાત પેસ્ટીસાઈડ પેઢીનું શટર પાડી ત્રણેય ઠગ ફરાર
Watchgujarat. કોરોના અને લોકડાઉન વચ્ચે પાલેજના બિયારણ અને જંતુનાશક દવાના વેપારી સાથે કરજણમાં ગુજરાત પેસ્ટીસાઈડની પેઢી ખોલી 3 શખ્સોએ ₹3.60 કરોડની ઠગાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચ તાલુકાના સેગવા ગામે રહેતા સલીમ વલીભાઇ દરબારની પાલેજ બજારમાં ગુજરાત સિડ્સ એન્ડ પેસ્ટી સાઇડસ નામની ખાનગી પેઢી આવેલી છે. તેઓ 12 વર્ષથી જંતુનાશક દવા તથા બિયારણનો છુટક તથા જથ્થા બંધ વેપાર કરે છે.
તેમની પેઢી ઉપર 29 જૂન 2020 ના રોજ જયેશભાઇ એ આવી કહ્યું હતું કે, અમે ગુજરાત પેસ્ટીસાઇડ નામની ખાનગી પેઢી કરજણ મારૂતી પ્લાઝા કોમ્પલેક્ષમાં મોહસીન અહમદ મુસ્તાક કાજીનાઓના નામે ભાગીદારીમાં ચલાવીએ છીએ. તે દિવસે ઓળખાણ થતા પાલેજના સલીમભાઈ પાસેથી ₹4.92 લાખના બિયારણ અને જંતુનાશક દવાઓ રોકડમાં ખરીદતા વેપારી સંબંધો શરૂ થયા હતા.
જે બાદ ઉધારીમાં પણ વેપાર શરૂ થતાં 8 જાન્યુઆરી 2021 સુધીમાં કુલ ₹5.15 કરોડની જંતુનાશ્ક દવાઓ ઓર્ડર મુજબ પાકા બીલથી વેચાણ કરાય હતી. પાલેજ જંતુનાશક દવાનો ઓર્ડર આપવા તથા લેવા માટે જયેશભાઇ તથા તેઓના દુકાનના કર્મચારી ઓવેશ અંસારી પણ આવતો હતો, ત્યાર પછી તેઓ માલની ખરીદી ઉધારમાં કરવા લાગ્યા અને અમોને માલનુ પેમેન્ટ કોરોનાનુ કારણ દર્શાવી આપી દઈશુ તેઓ વિશ્વાસ આપી અમારી સાથે ધંધો ચાલુ રાખેલો.
કરજણની પેઢીના જયેશભાઈ અને તેમની મંડળીએ ₹5.15 કરોડ પૈકી ₹1.54 કરોડ ટુકડે ટુકડે તેઓના ખાતાની એક્સીસ બેન્ક સમા સાવલી રોડ શાખાના એકાઉન્ટમાંથી આર.ટી જી.એસ દ્રારા ચૂકવ્યા હતા. બાકી પડતા ₹3,60,88,540 બાબતે વારંવાર ઉધારણી કરતા નાણા આપી દેવાનો વિશ્વાસ આપ્યો હતો. જે બાદ જયેશભાઇ તથા ઓવેસ અંસારીએ પાલેજના સલીમભાઈને વિશ્વાસ ભરોષો ટકી રહે તે માટે બાકી હિસાબ પેટે ગુજરાત પેસ્ટીસાઈડ્સ પેઢીના નામના એકસીસ બેન્કના 3 ચેક ₹1.20 -₹1.20 કરોડની એમાઉન્ટના આપ્યા હતા.
પાલેજના વેપારી એ 2 ચેક બેંકમાં નાખતા સહિઓ મેચ થયેલ નહિ જેથી ચેક રીર્ટન થયેલ અને ત્રીજો ચેક એકાઉન્ટમાં બેલેન્સ ન હોય જેથી રીર્ટન થયો હતો. જેની જાણ કરજણની પેઢીના જયેશભાઇ, મોહસીન અહમદ તથા ઓવેશ અન્સારીની કરતા પૈસા આપી દઇશું તેવી માત્ર વાયદે બાજી કર્યા કરી હતી.
બાદમાં આ 3 ભેજબજોએ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખતા કરજણ ખાતે ની દુકાને જતા દુકાન પણ બંધ કરી ભાગી ગયા હતા. આખરે પાલેજના વેપારીએ મોહસીન અહમદ મુસ્તાક કાજી રહે , તાલાલાનાકા પોલીસ ચોકી પાછળ મુળ રહે , વેરાવલ, જયેશભાઇ તેમજ ઓવેશ અંસારી જેઓના પુરૂનામ સરનામાની ખબર નથી તેઓ સામે પાલેજ પોલીસ મથકે ₹3.60 કરોડની ઉધારમાં જંતુનાશક દવા લઈ ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.