નિકુલ પટેલે ફોર્મ પરત ન ખેંચતા ચુંટણી યોજાઇ હતી
અન્ય બેઠકો પર સમધાનકારી વલણ અપનાવી ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા
ચુંટણીમાં નિકુલ પટેલની કારમી હાર
પરિણામ જાહેર થયા બાદ શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહની હાજરીમાં વિજયોત્વ મનાવ્યો
WatchGujarat. વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મહત્વની ગણાતી સિન્ડીકેટની મોટાભાગની બેઠકો પર સમાધાનનો ફોર્મ્યુલા અપનાવીને બિનહરીફ વિજેતા જાહેર કરઇ હતી. ટીચર કેટેગરીની ચાર બેઠકો માટે ગુરૂવારે યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ સમર્થક તમામ 4 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. વિજેતા થયેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા હેડ ઓફિસ ખાતે ભારે આતશબાજી કરવામાં આવી હતી અને મીઠાઇ ખવડાવીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
MS યુનિવર્સિટીની મહત્વની ગણાતી સિન્ડીકેટની 15 બેઠકો માટે પ્રતિ 3 વર્ષે ચૂંટણી યોજાય છે. વર્ષ-2021થી 2024 માટે યોજાયેલી સિન્ડીકેટની વિવિધ કેટેગરીની કુલ 15 બેઠકોમાંથી 10 હેઠકો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ જાહેર થઇ હતી. ટીચર્સ કેટેગરીની 4 બેઠક બિન હરીફ ન થતાં ચૂંટણી કરવાની ફરજ પડી હતી. ટીચર્સ કેટેગરી માટે કુલ 5 ઉમેદવારો ડો. નિકુલ પટેલ, ચેતન સોમાની, ડો. બિજયસિંહ રાઠોડ, ડો. દિલીપ કટારીયા અને મિનેષ શાહે ઉમેદવારી પત્રો ભર્યા હતા.
ચૂંટણી વગર બિન હરીફ જાહેર થયેલા સિન્ડીકેટ મેમ્બરો દ્વારા ટીચર્સ કેટેગરીની ચાર બેઠકો પણ બિન હરીફ કરવા માટે અથાગ પ્રયાસો કર્યાં હતા. પરંતુ, ડો. નિકુલ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી ન હતી. પરિણામે આજે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ચૂંટણી યોજાઇ હતી.
યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સવારે 11 કલાકે કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત અમલ વચ્ચે મતદાન શરૂ થયું હતું. કુલ 70 સેનેટ મેમ્બરો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બપોરે 3 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ સેનેટ હોલ ખાતે 3.30 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપા સમર્થક ઉમેદવારો ચેતન સોમાનીને 69, ડો. બિજયસિંહ રાઠોડ 69, ડો, દિલીપ કટારીયા 69, અને મિનેષ શાહને 69 મતો મળ્યા હતા. જ્યારે બિન હરીફ ચૂંટાયેલા સિન્ડીકેટ સભ્યો સામે હાર ન માનનાર ડો. નિકુલ પટેલને માત્ર 4 મત મળ્યા હતા. એક મત અમાન્ય ઠર્યો હતો.
નિકુલ પટેલે ફોર્મ પરત ન ખેંચતા ચુંટણી યોજાઇ હતી
અન્ય બેઠકો પર સમધાનકારી વલણ અપનાવી ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા
ચુંટણીમાં નિકુલ પટેલની કારમી હાર
પરિણામ જાહેર થયા બાદ શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહની હાજરીમાં વિજયોત્વ મનાવ્યો
WatchGujarat. વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મહત્વની ગણાતી સિન્ડીકેટની મોટાભાગની બેઠકો પર સમાધાનનો ફોર્મ્યુલા અપનાવીને બિનહરીફ વિજેતા જાહેર કરઇ હતી. ટીચર કેટેગરીની ચાર બેઠકો માટે ગુરૂવારે યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ સમર્થક તમામ 4 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. વિજેતા થયેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા હેડ ઓફિસ ખાતે ભારે આતશબાજી કરવામાં આવી હતી અને મીઠાઇ ખવડાવીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
MS યુનિવર્સિટીની મહત્વની ગણાતી સિન્ડીકેટની 15 બેઠકો માટે પ્રતિ 3 વર્ષે ચૂંટણી યોજાય છે. વર્ષ-2021થી 2024 માટે યોજાયેલી સિન્ડીકેટની વિવિધ કેટેગરીની કુલ 15 બેઠકોમાંથી 10 હેઠકો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ જાહેર થઇ હતી. ટીચર્સ કેટેગરીની 4 બેઠક બિન હરીફ ન થતાં ચૂંટણી કરવાની ફરજ પડી હતી. ટીચર્સ કેટેગરી માટે કુલ 5 ઉમેદવારો ડો. નિકુલ પટેલ, ચેતન સોમાની, ડો. બિજયસિંહ રાઠોડ, ડો. દિલીપ કટારીયા અને મિનેષ શાહે ઉમેદવારી પત્રો ભર્યા હતા.
ચૂંટણી વગર બિન હરીફ જાહેર થયેલા સિન્ડીકેટ મેમ્બરો દ્વારા ટીચર્સ કેટેગરીની ચાર બેઠકો પણ બિન હરીફ કરવા માટે અથાગ પ્રયાસો કર્યાં હતા. પરંતુ, ડો. નિકુલ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી ન હતી. પરિણામે આજે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ચૂંટણી યોજાઇ હતી.
યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સવારે 11 કલાકે કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત અમલ વચ્ચે મતદાન શરૂ થયું હતું. કુલ 70 સેનેટ મેમ્બરો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બપોરે 3 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ સેનેટ હોલ ખાતે 3.30 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપા સમર્થક ઉમેદવારો ચેતન સોમાનીને 69, ડો. બિજયસિંહ રાઠોડ 69, ડો, દિલીપ કટારીયા 69, અને મિનેષ શાહને 69 મતો મળ્યા હતા. જ્યારે બિન હરીફ ચૂંટાયેલા સિન્ડીકેટ સભ્યો સામે હાર ન માનનાર ડો. નિકુલ પટેલને માત્ર 4 મત મળ્યા હતા. એક મત અમાન્ય ઠર્યો હતો.