યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘ અને સિન્ડીકેટની ચુંટણી રાજ્યમાં ચર્ચાનો વિષય રહે છે
ચાલુ વર્ષે સખત પાયે સમજૌતા એકસપ્રેસ ચલાવી અનેક બેઠકો પર બિનહરીફ જીત મેળવી
ફોર્મ ભરવાના આખરી દિવસે અનેક ઉમેદવારો વિજેતા બન્યા, શહેર ભાજપા પ્રમુખની સુચક હાજરી
WatchGujarat. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘ અને યુનિવર્સિટીમાં સિન્ડીકેટની ચુંટણી દર વખતે રાજ્યભરમાં ચર્ચાનો વિષય રહેતી હોય છે. ચાલુ વર્ષે યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચુંટણી યોજાશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા મળી શકી નથી. પરંતુ સિન્ડીકેટની ચુંટણી યોજાઇ હતી અને ફોર્મ ભરવાના આખરી દિને અનેક ઉમેદવારો બિનહરીફ ચુંટાયા હતા. હવે માત્ર ગણતરીની બેઠકો પર જ મતદાન યોજાશે. પહેલા લોકશાહી પદ્ધતિથી થતી ચુંટણીમાં હવે સમજૌતા એક્સપ્રેસ ચલાવવામાં આવી નવો ચીલો ચાતરવામાં આવ્યો છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી સિન્ડીકેટની બેઠક માટે ભાજપા પ્રેરીત પેનલ અને આરએસએસ પ્રેરીત પેનલ અલગ અલગ રીતે ચુંટણી લડતા હતા. જો કે, ચાલુ વર્ષે બંન્ને વચ્ચે ચાલતા ચુંટણી માટેના રસાકસી ભર્યા જંગનો અંત આવ્યો હતો. ભાજપા અને આરએસએસ દ્વારા બેઠક મેળવવા અંગે સહમતિ સઘાઇ હતી. જેને કારણે સિન્ડીકેટની ચુંટણી ભરવાના છેલ્લા દિવસે 19 ઉમેદવારો બિનહરીફ રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે હજી સિન્ડિકેટની ચુંટણીમાં ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ બાકી છે. આગામી સમયમાં જો કોઇ ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે તો બિનહરીફ વિજયી ઉમેદવારોની સંખ્યા વધી શકે છે. સિન્ડીકેટની ચુંટણીમાં પ્રોફેસર્સ અને સિલેક્ટેડ વિદ્યાર્થી નેતાઓ ઉમેદવારોને મત આપતા હોય છે. અને સિન્ડિકેટમાં ચુંટીને મોકલતા હોય છે. સિન્ડીકેટમાં ચુંટાયલા પ્રતિનીધીએ યુનિવર્સિટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય છે.
યુનિ.માં ફોર્મ ભરવાના આખરી દિને મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન શહેર ભાજપા પ્રમુખની યુનિવર્સિટી પરિસરમાં સુચક હાજરી નોંધવામાં આવી હતી.
ચુંટણી યોજાવવી લોકશાહી પદ્ધતિનો એક ભાગ છે. લોકો પોતાનો મત આપીને ગમતો ઉમેદવારો વિજયી બનાવતા હોય છે. પરંતુ યુનિવર્સિટી રાજકારણમાં સમજૌતા એક્સપ્રેસ ચાલી છે. જેને કારણે હવે ઉમેદવારો ચુંટણી લડીને નહિ પરંતુ પ્રતિસ્પર્ધી ઉમેદવાર સાથે સુલેહ કરીને પોતાની જીત નિશ્ચિત કરતા થયાનું સામે આવી રહ્યું છે.
કયા ઉમેદવારો બિનહરીફ ચુંટાયા
ડો. જીગર ઇનામદાર
સત્યેન કુલાબકર
મયંક એસ. પટેલ
ડો.મિતેષ શાહ
હસમુખ કે. વાઘેલા
ડો. દિનેશ યાદવ
ડો. વિરેન્દ્રસિંહ ખેર
પ્રો.હેમંત માથુર
પ્રો. આર. સી. પટેલ
પ્રો. ડો રંજન ઐયર
ડો. રાજેન્દ્ર પરીખ (બોર્ડ ઓફ એકાઉન્ટસ)
વિનોદ પટેલ (બોર્ડ ઓફ એકાઉન્ટસ)
ડો. કવિતા સિંધાવ (બોર્ડ ઓફ એકાઉન્ટસ)
ડો. સુનિલ કહાર (બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરલ)
ડો. પ્રશાંત મુરૂમકર (બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરલ)
કંઇ બેઠકો વચ્ચે થશે ચૂંટણી
પ્રો. દિલીપ કટારીયા - સિન્ડિકેટ (ટીચર કેટેગરી)
સીએમ મિનશ શાહ - સિન્ડિકેટ (ટીચર કેટેગરી)
ડો. બિજયસિંહ રાઠોડ સિન્ડિકેટ (ટીચર કેટેગરી)
ચેતન સોમાની - સિન્ડિકેટ (ટીચર કેટેગરી)
ડો. નિકુલ પટેલ - સિન્ડિકેટ (ટીચર કેટેગરી)
ડો. જ્યોતિ અચંતા - પીજી કાઉન્સિલ
પ્રો. સતિષ પાઠક - પીજી કાઉન્સિલ
પ્રો. સ્વાતી ધૃવ - પીજી કાઉન્સિલ
ડો. અમોલ ભાવે - પીજી કાઉન્સિલ
પ્રો. પી.ટી દેઓતા - પીજી કાઉન્સિલ
યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘ અને સિન્ડીકેટની ચુંટણી રાજ્યમાં ચર્ચાનો વિષય રહે છે
ચાલુ વર્ષે સખત પાયે સમજૌતા એકસપ્રેસ ચલાવી અનેક બેઠકો પર બિનહરીફ જીત મેળવી
ફોર્મ ભરવાના આખરી દિવસે અનેક ઉમેદવારો વિજેતા બન્યા, શહેર ભાજપા પ્રમુખની સુચક હાજરી
WatchGujarat. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘ અને યુનિવર્સિટીમાં સિન્ડીકેટની ચુંટણી દર વખતે રાજ્યભરમાં ચર્ચાનો વિષય રહેતી હોય છે. ચાલુ વર્ષે યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચુંટણી યોજાશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા મળી શકી નથી. પરંતુ સિન્ડીકેટની ચુંટણી યોજાઇ હતી અને ફોર્મ ભરવાના આખરી દિને અનેક ઉમેદવારો બિનહરીફ ચુંટાયા હતા. હવે માત્ર ગણતરીની બેઠકો પર જ મતદાન યોજાશે. પહેલા લોકશાહી પદ્ધતિથી થતી ચુંટણીમાં હવે સમજૌતા એક્સપ્રેસ ચલાવવામાં આવી નવો ચીલો ચાતરવામાં આવ્યો છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી સિન્ડીકેટની બેઠક માટે ભાજપા પ્રેરીત પેનલ અને આરએસએસ પ્રેરીત પેનલ અલગ અલગ રીતે ચુંટણી લડતા હતા. જો કે, ચાલુ વર્ષે બંન્ને વચ્ચે ચાલતા ચુંટણી માટેના રસાકસી ભર્યા જંગનો અંત આવ્યો હતો. ભાજપા અને આરએસએસ દ્વારા બેઠક મેળવવા અંગે સહમતિ સઘાઇ હતી. જેને કારણે સિન્ડીકેટની ચુંટણી ભરવાના છેલ્લા દિવસે 19 ઉમેદવારો બિનહરીફ રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે હજી સિન્ડિકેટની ચુંટણીમાં ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ બાકી છે. આગામી સમયમાં જો કોઇ ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે તો બિનહરીફ વિજયી ઉમેદવારોની સંખ્યા વધી શકે છે. સિન્ડીકેટની ચુંટણીમાં પ્રોફેસર્સ અને સિલેક્ટેડ વિદ્યાર્થી નેતાઓ ઉમેદવારોને મત આપતા હોય છે. અને સિન્ડિકેટમાં ચુંટીને મોકલતા હોય છે. સિન્ડીકેટમાં ચુંટાયલા પ્રતિનીધીએ યુનિવર્સિટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય છે.
યુનિ.માં ફોર્મ ભરવાના આખરી દિને મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન શહેર ભાજપા પ્રમુખની યુનિવર્સિટી પરિસરમાં સુચક હાજરી નોંધવામાં આવી હતી.
ચુંટણી યોજાવવી લોકશાહી પદ્ધતિનો એક ભાગ છે. લોકો પોતાનો મત આપીને ગમતો ઉમેદવારો વિજયી બનાવતા હોય છે. પરંતુ યુનિવર્સિટી રાજકારણમાં સમજૌતા એક્સપ્રેસ ચાલી છે. જેને કારણે હવે ઉમેદવારો ચુંટણી લડીને નહિ પરંતુ પ્રતિસ્પર્ધી ઉમેદવાર સાથે સુલેહ કરીને પોતાની જીત નિશ્ચિત કરતા થયાનું સામે આવી રહ્યું છે.