ભાજપ તરફી બે જૂથો વચ્ચે સમાધાન થયા બાદ સિન્ડિકેટની 10 બેઠકો બિન હરીફ થઈ
એક બેઠક પર સમજુતીના પ્રયાસો નિષ્ફળ જતા ચુંટણી યોજાઇ
ગત વર્ષે કોરોના કાળમાં વિદ્યાર્થી સંઘની ચુંટણી યોજાઇ ન હતી
સવારે 11 થી 2 દરમિયાન મતદાન થયા પછી 3 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર કરાશે
WatchGujarat. વડોદરાની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુરૂવારે સિન્ડિકેટની ચુંટણી યોજાઇ છે. આમ તો, 14 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. પરંતુ ભાજપ તરફી બે જૂથો વચ્ચે સમાધાન થયા બાદ સિન્ડિકેટની 10 બેઠકો બિન હરીફ થઈ ચુકી છે. જો કે, ટીચર્સ કેટેગરીની ચાર બેઠકો માટે ભાજપના ચાર ઉમેદવારો ઉપરાંત ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક અને કોંગ્રેસ તરફી જૂથના સેનેટ સભ્ય નિકુલ પટેલે ઉમેદવારી નોંધાવતા ચુંટઈ યોજવી પડી હતી. પરંતુ ચાલુ વર્ષે યોજાયેલી ચુંટણીમાં એક પ્રથા તુટી છે.
ચાલુ વર્ષે એમ.એસ.યુનિ.માં યોજાતા સિન્ડિકેટ મેમ્બરના ઇલેક્શનમાં અગાઉના ઇલેક્શનની સરખામણીએ એક પ્રથા તુટી છે. એમ.એસ.યુનિ.ના સિન્ડિકેટ મેમ્બરના ઇલેક્શનમાં દર વર્ષે તમામ મતદારો સાથે વિદ્યાર્થી નેતાઓ યુનિવર્સિટી જનરલ સેક્રેટરી અને વાઇસ પ્રેસીડેન્ટ પણ મત આપતા હોય છે. પરંતુ કોરોનાને કારણે ગત વર્ષે યુનિવર્સિટી બંધ રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. દરમિયાન વિદ્યાર્થી સંઘની ચુંટણી યોજાઇ ન હોવાના કારણે યુજીએસ અને વીપીની પોસ્ટ ખાલી છે. એટલે ગુરૂવારે યોજાયેલી સિન્ડિકેટની ચુંટણીમાં વિદ્યાર્થીનેતાઓ તેમનો મત આપી શકે તેમ નથી. દર ચુંટણીમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધીત્વ કરતા નેતાઓ આ વખતે સિન્ડિકેટની ચુંટણીમાં મતદાન નહિ કરી શકે.
સમગ્ર મામલે પુર્વ વિદ્યાર્થી નેતા રાકેશ પંજાબીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાની સ્થિતીને કારણે વિદ્યાર્થી સંઘની ચુંટણી યોજાઇ ન હતી. યુનિ.માં યોજાયેલી છેલ્લી ચુંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોને સિન્ડીકેટની ચુંટણીમાં મતદાન કરવાનો મોકો આપવો જોઇએ. પરંતુ અત્યાર સુધી આ પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, નિકુલ પટેલની સામે ચાર બેઠકો માટે ભાજપ તરફી જૂથના ચાર ઉમેદવાર દિલિપ કટારિયા(આર્ટસ ફેકલ્ટી), ચેતન સોમાની( પોલીટેકનિક-ટેકનોલોજી), મિનેષ શાહ(કોમર્સ ફેકલ્ટી) અને ડો.બિજોયસિંહ રાઠોડ( મેડિસિન ફેકલ્ટી)એ ઉમેદવારી નોંધાવી છે.
મતદારો આ ચાર બેઠકો માટે મતદાન કરશે પણ પરિણામમાં હાર જીત માત્ર ચેતન સોમાની અને નિકુલ પટેલ વચ્ચેની બેઠક માટેજ થશે.કારણકે આ બંને ઉમેદવારો એક જ બેઠક(પોલીટેકનિક-ટેકનોલોજી) પરથી ચૂંટણી લડી રહ્યા છે.ચૂંટણી માટે 86 સેનેટ સભ્યો મતદાન કરશે. સવારે 11 થી 2 દરમિયાન મતદાન થયા બાદ 3 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે અને ત્યાર બાદ પરિણામ જાહેર કરાશે.
ભાજપ તરફી બે જૂથો વચ્ચે સમાધાન થયા બાદ સિન્ડિકેટની 10 બેઠકો બિન હરીફ થઈ
એક બેઠક પર સમજુતીના પ્રયાસો નિષ્ફળ જતા ચુંટણી યોજાઇ
ગત વર્ષે કોરોના કાળમાં વિદ્યાર્થી સંઘની ચુંટણી યોજાઇ ન હતી
સવારે 11 થી 2 દરમિયાન મતદાન થયા પછી 3 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર કરાશે
WatchGujarat. વડોદરાની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુરૂવારે સિન્ડિકેટની ચુંટણી યોજાઇ છે. આમ તો, 14 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. પરંતુ ભાજપ તરફી બે જૂથો વચ્ચે સમાધાન થયા બાદ સિન્ડિકેટની 10 બેઠકો બિન હરીફ થઈ ચુકી છે. જો કે, ટીચર્સ કેટેગરીની ચાર બેઠકો માટે ભાજપના ચાર ઉમેદવારો ઉપરાંત ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક અને કોંગ્રેસ તરફી જૂથના સેનેટ સભ્ય નિકુલ પટેલે ઉમેદવારી નોંધાવતા ચુંટઈ યોજવી પડી હતી. પરંતુ ચાલુ વર્ષે યોજાયેલી ચુંટણીમાં એક પ્રથા તુટી છે.
ચાલુ વર્ષે એમ.એસ.યુનિ.માં યોજાતા સિન્ડિકેટ મેમ્બરના ઇલેક્શનમાં અગાઉના ઇલેક્શનની સરખામણીએ એક પ્રથા તુટી છે. એમ.એસ.યુનિ.ના સિન્ડિકેટ મેમ્બરના ઇલેક્શનમાં દર વર્ષે તમામ મતદારો સાથે વિદ્યાર્થી નેતાઓ યુનિવર્સિટી જનરલ સેક્રેટરી અને વાઇસ પ્રેસીડેન્ટ પણ મત આપતા હોય છે. પરંતુ કોરોનાને કારણે ગત વર્ષે યુનિવર્સિટી બંધ રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. દરમિયાન વિદ્યાર્થી સંઘની ચુંટણી યોજાઇ ન હોવાના કારણે યુજીએસ અને વીપીની પોસ્ટ ખાલી છે. એટલે ગુરૂવારે યોજાયેલી સિન્ડિકેટની ચુંટણીમાં વિદ્યાર્થીનેતાઓ તેમનો મત આપી શકે તેમ નથી. દર ચુંટણીમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધીત્વ કરતા નેતાઓ આ વખતે સિન્ડિકેટની ચુંટણીમાં મતદાન નહિ કરી શકે.
સમગ્ર મામલે પુર્વ વિદ્યાર્થી નેતા રાકેશ પંજાબીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાની સ્થિતીને કારણે વિદ્યાર્થી સંઘની ચુંટણી યોજાઇ ન હતી. યુનિ.માં યોજાયેલી છેલ્લી ચુંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોને સિન્ડીકેટની ચુંટણીમાં મતદાન કરવાનો મોકો આપવો જોઇએ. પરંતુ અત્યાર સુધી આ પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, નિકુલ પટેલની સામે ચાર બેઠકો માટે ભાજપ તરફી જૂથના ચાર ઉમેદવાર દિલિપ કટારિયા(આર્ટસ ફેકલ્ટી), ચેતન સોમાની( પોલીટેકનિક-ટેકનોલોજી), મિનેષ શાહ(કોમર્સ ફેકલ્ટી) અને ડો.બિજોયસિંહ રાઠોડ( મેડિસિન ફેકલ્ટી)એ ઉમેદવારી નોંધાવી છે.
મતદારો આ ચાર બેઠકો માટે મતદાન કરશે પણ પરિણામમાં હાર જીત માત્ર ચેતન સોમાની અને નિકુલ પટેલ વચ્ચેની બેઠક માટેજ થશે.કારણકે આ બંને ઉમેદવારો એક જ બેઠક(પોલીટેકનિક-ટેકનોલોજી) પરથી ચૂંટણી લડી રહ્યા છે.ચૂંટણી માટે 86 સેનેટ સભ્યો મતદાન કરશે. સવારે 11 થી 2 દરમિયાન મતદાન થયા બાદ 3 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે અને ત્યાર બાદ પરિણામ જાહેર કરાશે.