WatchGujarat. મ્યુકર માયકોસિસ ને સમજતા પહેલા એક વાત સમજવી પડશે. આપણી આસપાસની દુનિયા વિશે. આ ધરતી પર આપણે એકલા નથી અને જેટલું આપણને દેખાય કે સમજાય છે તે અંતિમ સત્ય નથી. જેમ કે આપણને સાત રંગોનો બનેલો પ્રકાશ દેખાય છે પણ તે સિવાય પણ વિકિરણો અસ્તિત્ત્વ ધરાવે છે. એક્સ સે , ગામા કિરણો , અલ્ટ્રા વાયોલેટ અને ઇન્ફ્રા રેડ તરંગો ….. આ બધું દેખાતું નથી પણ છે.
આપણી આસપાસ ઘણા પ્રકારના જીવો છે. કીડી મંકોડા છે, માખી મચ્છર છે, કૂતરા-બિલાડા છે…. વનસ્પતિ સૃષ્ટિમાં ઘાસ છે, આંબો છે , લીમડો છે , વડ છે, પીપળો છે … આ બધાની સાથે આપણે રહીએ છીએ
તેવી જ રીતે આપણી આસપાસ નારી આંખે ના દેખી શકતા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ ની દુનિયા છે. આમાંથી કેટલાક આપણા દોસ્ત છે તો કેટલાક દુશ્મન. આપણી સાથે સાથે તેમનું પણ જીવન પોતાની રીતે ચાલે છે.
ફૂગની પણ કેટલીય પ્રજાતિ આપણી આસપાસ દેખાતા કૂતરાં-બિલાડા જેવી સામાન્ય છે. ફરક એટલો છે એ આપણને દેખાતી નથી, ક્યારેક આપણા શરીરમાં ઘૂસવાનો કે શરીરની સપાટી પર અડ્ડો જમાવાનો પ્રયાસ કરે ત્યારે આપણી સામાન્ય રોગપ્રતિકારક શક્તિ એવી ફૂગનો સફાયો કરી નાખે છે….આપણને આની ગંધ પણ આવતી નથી.
ક્યારેક શરીર પર દાદર કે બીજા રોગ થાય ત્યારે આપણે વિચારતા બી નથી, ડોક્ટર ક્રીમ લખી આપે અને આપણે ઠીક થઇ જઈએ. આ દાદર એક પ્રકારની ફૂગથી જ થતો રોગ છે
તમે ફૂગને રોજ જુઓ છો. બ્રેડ સડે કે શાકભાજી ફળ બગડવાના શરુ થાય ત્યારે તેની પાછળ જવાબદાર ફૂગ હોય છે. કોઈ બગડી શકે એવા નાસ્તાના ડબ્બાને થોડા દિવસ બંધ રાખ્યા પછી ખોલો તો કેવા તાંતણા તાંતણા થઈ ગયેલી ફૂગનું સામ્રાજ્ય તમે જુઓ છો.
હવે વિચાર કરો , આવી ફૂગ શરીરની અંદર ફેલાવા લાગે તો?
મ્યુકરમાયકોસિસ આવો જ અમુક પ્રકારની ફૂગથી થતો રોગ છે. આમ તો આ રોગ પેદા કરતી ફૂગ તમે’ય રોજ શ્વાસ માં લેતા હશો પણ શરીરની સિક્યોરિટી સિસ્ટમ ગુપચુપ એનો ખાત્મો બોલાવી દે અને કિસી કો પતા ભી નહિ ચલતા ભૈ ‘સાબ ….
પણ જો આ સિક્યોરિટી સિસ્ટમ નબળી પડે અને ફૂગ લોહીનો સ્વાદ ચાખી લે તો લોચા. સમજો કે એને રોકવું પછી બહુ અઘરું…હા પણ અશક્ય તો નથી જ …
આમ તો સામાન્ય રીતે મ્યુકર માઇકોસિસ 1) આંખ-નાક-મગજ 2) ફેફસાં 3) પેટ 4) ચામડી વગેરે પર થઈ શકે છે, ભારત અને ચીનમાં ખાસ કિસ્સામાં કિડની પર આ રોગ થયાના દુર્લભ દાખલા પણ છે,
આપણે ત્યાં કોરોના પછી મૉટે ભાગે આંખ-નાક-મગજને અસર કરે એવા મ્યુકર માઇકોસિસનું પ્રમાણ વધુ છે.
આંખ-નાક-મગજને અસર કરતી પ્રજાતિ એટલે રાયઝોપસ ઓરાઈઝે ( Rhizopus Oryzae). આપણી આસપાસના ભેજવાળા વાતાવરણમાં અત્ર તત્ર સર્વત્ર આ ફૂગ રહેલી છે. આપણી સાથે માથાકૂટમાં પડ્યા વગર એ એનું કામ કરતી હોય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ આ ફૂગનો ઘણો ઉપયોગ થાય છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા બાજુ Tempeh -તેમપેહ નામની વાનગી સોયાબીનમાંથી બને છે. એમાં આથો લાવવા જૂના સમયથી આ ફૂગનો ઉપયોગ થાય છે આ ઉપરાંત પણ આધુનિક ફૂડ ઇન્ડસ્ટ્રી આ ફૂગ દ્વારા પેદા થતા જુદા જુદા રસાયણોનો ઉપયોગ કરે છે.
પણ આ ફૂગ ભારે તોફાની…. 7-8 ડિગ્રીથી માંડીને 44 ડિગ્રી તાપમાન સુધી ઉગી શકે. 37 ડિગ્રી તાપમાન એની મોજનું તાપમાન છે. વધાવની ઝડપ તો વાવાઝોડા જેવી. દર કલાક દોઢ મીલીમીટર જેવી વધી શકે. થોડી ધીરજ ધરીને માઇક્રોસ્કોપ નીચે એને જુઓ તો Hyphae - હાઈફી કહેવાતી એની ડાળીઓને પણ આગળ વધતી જોઈ શકાય. ફૂગના પોષણ માટે માલ સમાન લાવવા લઈ જવાનું કામ આ હાઈફી જ કરે.
અને એની વંશવૃદ્ધિ માટે જવાબદાર છે spores - સ્પોર ! દેશી ભાષામાં કહું તો એ ફૂગના બીજ- જેમાંથી નવી ફૂગ પેદા થતી જાય. આપણા શ્વાસમાં આવા જ બીજ જતા હોય અને અંદર ઘૂસ મારીને ફૂટવાના ચાલુ કરે તો આપણે બીમાર પડીએ.
Rhizopus Oryzae સિવાય પણ અન્ય ફુગની પ્રજાતિઓ શરીરના વિવિધ ભાગમાં મ્યુકર માયકોસીસ કરી શકે છે. Mucor, Rhizopus, Absidia, અને Cunninghamella પ્રજાતિઓની અલગ અલગ ફૂગ એમાં શામેલ છે.
હવે દરેક પ્રાણી-જીવ જંતુને પોતાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ મળે તો એ સહેલાઈથી વિકસી શકે. આ ફૂગને સુગર, થોડું એસિડિક પ્રવાહી, આયર્ન મળે તો એની મોજ થઇ જાય છે.
સવાલ એ થાય કે કોરોનામાં એવું તો શું થાય છે કે મ્યુકોરાલ વર્ગમાં આવતી ફૂગની મોજ થઈ રહી છે?
કેમ કે આપણે ત્યાં સ્ટીરોઈડ પણ વર્ષોથી વપરાય જ છે, આપણા ત્યાં ઘણી જગ્યાએ હ્યુમિડિફાયરમાં નળનું પાણી વર્ષોથી વપરાય છે , આપણા ત્યાં ડાયાબિટીસના દર્દીઓ વર્ષોથી છે -- તો અત્યારે જ કેમ આવો રોગચાળો ફાટ્યો?
આ બધા કારણોમાં જે પ્રમુખ કારણ ઉમેરાયું છે તે છે કોરોના વાયરસ - SARS -CoV-2
દુનિયાભરમાં આ અંગે સંશોધન થઇ રહ્યા છે. કોવિડ પછી મ્યુકર કે બીજા ફૂગ જન્ય રોગ જેવા કે એસ્પારજીલોસિસ કે કેન્ડિડાસીસ ના રોગ દુનિયાના અન્ય દેશોમાં જોવા મળ્યા છે. હા પણ આવા બહોળા પ્રમાણમાં રોગચાળો ફાટ્યો હોય તેવું મોટે ભાગે અને બદનસીબે ભારતમાં જ થયું છે. આ અંગે વધુ સંશોધન થશે એમ જાણકારી મળશે પણ પહેલેથી ડાયાબિટીસ મેલાઈટીસની બાણ શૈયા એક પ્રમુખ અને પ્રાથમિક કારણ છે એમાં કોઈ બેમત નથી.
કોરોના વાયરસ શરીરના અલગ અલગ કોષ પર અસર કરે છે. આપણા લેખોમાં વારંવાર ઉલ્લેખ આવે છે કે ACE 2 રીસેપ્ટર કહેવાતા બારણામાંથી ચોરપગલે આ વાયરસ ઘૂસે છે. નાકની સપાટી પાસે રહેલા કોષમાં પણ ACE 2 રીસેપ્ટર હોય છે.
એવી જ રીતે મ્યુકરની ફૂગને આપણા શરીરમાં ઘૂસ મારવા GRP 78 નામનો દરવાજો જોઈએ. GRP 78 એટલે ગ્લુકોઝ રીસેપ્ટર પ્રોટીન. આ પ્રોટીન ભૂતકાળમાં ઇબોલા, ડેન્ગ્યુ , જાપાનીઝ એંસેફેલાઈટીસ વગેરેને અંદર ઘુસાડવામાં મદદ કરી ચૂક્યું છે. કોરોના વાયરસની ઘૂસણખોરીમાં પણ GRP 78નો હાથ હોવાનું પણ સાબિત થઇ રહ્યું છે. કોષમાં જયારે ખતરાની ઘંટડી વાગે ત્યારે GRP 78ની માત્રા પણ વધેલી જોવા મળે છે. કોરોના વાયરસના હુમલા બાદ આ પ્રોટીન રીસેપ્ટરની સંખ્યા વધી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મ્યુકર માઇકોસિસ કરતી ફૂગ Ryzhopus Oryzae પણ રક્ત વાહિનીના કોષોમાં ઘુસવા માટે આ રસ્તો જ વાપરે છે. બીજું આ વાયરસ રક્તવાહિનીના કોષોને પહેલેથી જ નિર્બળ બનાવી ચૂક્યો હોય છે.
બીજું, સ્ટીરોઈડનો ઉપયોગ. છેલ્લા 7 દાયકાથી સ્ટીરોઈડનો અલગ અલગ ટ્રીટમેન્ટમાં થાય છે અને તેનો યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે કરેલો ઉપયોગ ખરેખર જીવન રક્ષક સાબિત થાય છે. કોરોના સામેની લડાઈમાં તે આપણું મહત્ત્વપૂર્ણ હથિયાર છે. પણ આ હથિયારનો વિવેકપૂર્ણ પ્રયોગ થાય એ જરૂરી છે.
આપણે સાંભળ્યું હશે કે સ્ટીરોઈડથી સુગર વધે છે.
મૂળ શરીરમાં જે ખોરાક લઈએ છીએ એમાં કાર્બોહાઇડ્રેટ, સુગર કે ગ્લુકોઝ હોય છે. પણ આ સુગરનો કોઈ પણ કોષ સીધો ઉપયોગ ના કરી શકે. તેના માટે કોષને ઇન્સ્યુલિનની જરૂર પડે છે. સ્વાદુપિંડમાં રહેલા બીટા કોષને લોહીમાં કેટલો ગ્લુકોઝ છે એના સંદેશ મળે એ મુજબ ઇન્સ્યુલિન રવાના કરે. હવે સ્ટીરોઈડ ને કારણે અને ડાયાબિટીસમાં પણ બીટા કોષોને લોહીમાં સુગરની માત્રાનો સાચો સંદેશ મળતો નથી અને એટલે જરૂરો ઇન્સ્યુલિન પણ શરીરને મળતું નથી. આથી ઊર્જાનો સ્ત્રોત હોવા છતાં માનવ કોષ તેને વાપરી શકતા નથી.
આને તમે એવી રીતે સરખાવી શકો કે ગોડાઉનમાં અનાજ તો પડ્યું છે પણ એને લઈ જવા (ઉત્સવ) વાહનો ના હોવાથી લોકો ભૂખે મરી રહ્યાં છે. સ્ટીરોઈડના લાંબા ગાળાના કે અતિરેક પૂર્ણ ઉપયોગથી લાંબા કે ટૂંકા ગાળા માટે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે. હવે આ સુગર રેઢી પડી રહી છે અને તેનો ઉપયોગ લોહીમાં પ્રવેશેલી ફૂગ પોતાના માટે કરે છે… ઘરના છોકરા ઘંટી ચાટે એવો ઘાટ …..અહીંયા થાય છે.
વાત અહીંયા પૂરી થતી નથી. કોષને જરૂરી ઊર્જા ના મળે એટલે એ ફેટ કે ચરબી તોડીને ઊર્જાની કમીને પૂરી કરવા કોશિશ કરે છે. આ ચરબી તૂટવાની શરૂ થાય કે લોહીમાં કિટોનનું પ્રમાણ વધી જાય, આ કીટોન લોહીને વધુ એસિડિક બનાવે છે...આ સ્થિતિને ડાયાબિટીક કીટોએસિડોસિસ કહે છે. આવી સ્થિતિ અત્યંત લાંબો સમય રહે તો ઘાતક બની શકે છે. આગળ કહ્યું તેમ ફૂગને વૃદ્ધિ માટે એસિડિક વાતાવરણ વધુ ફાવે છે. તો એ પણ એને અહીં મળી રહ્યું છે.
અધૂરામાં પૂરું આ સ્થિતિમાં લોહીની અંદર આયર્નની માત્રા પણ વધી જાય છે.
તમે કોરોનામાં સામાન્ય રીતે ચેપની સ્થિતિ જાણવા ફેરિટિનનો ટેસ્ટ પણ કરાવો છો. ફેરીટીન એક પ્રકારનું પ્રોટીન છે જે વધારાનું આયર્ન પોતાની પાસે સાચવીને રાખે છે. આવા અન્ય પ્રોટીન પણ છે. કીટોએસિડોડીસમાં આવા પ્રોટીનમાંથી આયર્ન છૂટું પડીને લોહીમાં ખુલ્લે આમ ફરવા લાગે છે.
ફૂગની વૃદ્ધિ માટે આ આયર્ન ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીક પેશન્ટમાં આમ એકદમ સરળતાથી આ ફુગને લોહ તત્ત્વ કે આયર્ન મળી રહ્યું છે.
આમ આ ફૂગની વૃદ્ધિ માટેની સંભાવનાઓ કોવિડ પછી વધતી જાય છે. એમાંય જો કોરોના સાથે ડાયાબિટીસ હોય તો આ સંભાવના વધુ રહે છે.
તમે સમજો સ્ટીરોઈડ સાથે અન્ય દવાઓ આપણી નબળી પડેલી રોગ પ્રતિકારક શક્તિને ખપ પૂરતી થોડો સમય માટે નબળી પાડે છે. આ સમયે વાયરસે પેદા કરેલી સ્થિતિ બીજી ફૂગ માટે નવી તક પેદા કરે છે. આ તકનો લાભ મ્યુકર માયકોસીસ કરતી ફૂગ લઈ લે છે અને અંદર ઝડપથી ફેલાવાનું ચાલુ કરે છે.
આ ઉપરાંત ન્યુટ્રોફિલની કમી અને ડિફ્રોકઝમાઈનની ટ્રિટમેન્ટ પણ મ્યુકર માયકોસીસ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરી શકે છે
આ ચેપ કોરોનાની સાથે સાથે પણ લાગી શકે છે અથવા પછી પણ ...તેનો કોઈ નક્કી સમય નથી. કોરોના પહેલા પણ આ બીમારી મૌજુદ હતી પણ વરસે દાડે જૂજ કેસ આવતા હતા. આ રોગ પણ દુર્લભ જ ગણાતો. કોરોના ના હોય અને બીજી કોઈ તકલીફ ના હોય એવા લોકોમાં પણ આ ફુગના ચેપ લાગ્યા હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓ પણ છે.
એક્સિડન્ટ થયો હોય, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ઇજા થઇ હોય કે યુદ્ધમાં કે અન્ય રીતે ઘાયલ થયા હોય એવા લોકોને પણ પ્રદુષિત માટી કે વાતાવરણમાંથી આવી ફૂગ ચામડી વાટે લાગીને ચામડીનો મ્યુકર માયકોસીસ કરી શકે છે. પણ આવું’ય તે જવલ્લે જ બને છે.
સારવાર: આની દવા હાલ આખા વિશ્વમાં એક અને માત્ર એક જ છે તે છે એમ્ફોટેરીસીન બી. આ દવા મૂળ ઘણી જૂની છે. અને માત્ર આ જ નહિ પણ અલગ અલગ ફૂગનો ખાત્મો કરવા માટે ઉપયોગી છે. આ દાવાને ------ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે. વર્ષો સુધી એમ્ફોટેરીસીન ડી ઓકઝો કોલેટ આ રોગની સારવારમાં વપરાતી પણ દવાનું આ સ્વરૂપ કિડની પર વધુ અસર કરતું હોવાથી તેનું લાઈપોઝોમલ સ્વરૂપ વિકસાવવામાં આવ્યું. દવા તો એ જ છે એની બહાર એક પડ ચડાવી દીધું જે કિડની પર અસર ઓછી કરે ને ફૂગને જ વધુ ટાર્ગેટ કરે. 5-10 મિલીગ્રામ/કિલોગ્રામ/દિવસ ડોઝ ડોક્ટર નક્કી કરીને રોજ આપતા હોય છે. સામાન્ય રીતે દિવસના 6 ઇન્જેક્શન આપવા પડે છે અને 4 થી 6 અઠવાડિયા સુધી આ દવા ચાલે છે. આ દવા ક્યારે બંધ કરવી એના વિશે માત્ર ડોક્ટર જ પેશન્ટની સ્થિતિ અને ફૂગની ફિતરત જોઈને કહી શકે. ઘણા કેસમાં મહિનાઓ સુધી પણ આ દવા ચાલ્યાના દાખલા છે.
જો આ દવા ના મળે તો સ્ટેપ ડાઉન ટ્રીટમેન્ટ તરીકે પોસોકોનાઝોલ, ઇસાવુકોનાઝોલ અને એ ય ના મળે તો ના છૂટકે ઈટ્રાકોનાઝોલ વપરાય છે. પણ આ અંગે ટ્રીટમેન્ટનો અંતિમ નિર્ણય ડોક્ટરનો જ રહે છે, જે પેશન્ટની ક્લિનિકલ સ્થિતિના આધારે નક્કી કરે છે.
હાલના સંજોગોમાં હયૂમીડીફાયર, ઇન્ડસ્ટ્રીઅલ ઓક્સિજન અને બીજા અનેક પ્રકારના કારણો ચર્ચામાં છે. મને મારા અભ્યાસ દરમ્યાન હયૂમીડીફાયરની થિયરીને સંપૂર્ણ સાબિત કરી શકે તેવા પુરાવા મળ્યા નથી. પણ પુરાવાનો અભાવ એ સત્યનો વિકલ્પ નથી. કોઈ પણ સ્થિતિમાં સ્વચ્છતા જાળવવી એ જ બચાવની રીત છે.
બીજું ઘણા લોકો એમ પૂછે છે કે બચવું કેવી રીતે? માસ્ક ઉત્તમ વિકલ્પ છે. N 95 માસ્કની ભલામણ કરવામાં આવે છે. જો સર્જીકલ માસ્ક પહેરતા હો તો માસ્કને વાપરીને ડિસ્પોઝ કરી દેવું. લાંબો સમય અસ્વચ્છ માસ્ક પહેરવાથી પણ જોખમ વધી શકે છે. બીજું ખુલ્લી હવા મળે અને આસપાસ કોઈ ના હોય ત્યારે માસ્ક કાઢીને સ્વચ્છ હવા પણ લેવી. પોતાના શુગર લેવલને કંટ્રોલમાં રાખવું જરૂરી છે, ઘરમાં ડાયાબિટીસના દર્દી હોય તો સાવચેત રહેવું. જો લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે જવું. સમયસર સારવાર મળે તો મ્યુકર માયકોસીસ જેવા રોગમાંથી બચી પણ શકાય છે. આ રોગમાં ધીરજ રાખવી જરૂરી છે. મ્યુકર માયકોસીસના લક્ષણો સહિતની પ્રાથમિક માહિતી માટે મારી જૂની પોસ્ટ જોઈ શકાય છે.
આડવાત : આ ફૂગનો પ્રારંભિક રંગ સફેદ હોય છે અને પછી એ સ્પોર આવતા કલર બદલે છે.
( આ સમગ્ર લેખ માટે અભ્યાસ સામગ્રી ઉપરાંત નિષ્ણાતો સાથેના સત્સંગથી ઊભી થયેલી સમજ પણ જવાબદાર છે. આ માટે હું ડો અતુલ પટેલ, ડો સુરભી મદાન, ડો મિતેષ સુથાર,ડો રાજેશ વિશ્વકર્મા અને જય આહિર નો સવિશેષ આભાર માનું છું)
(ઉત્સવ પરમાર IIS અધિકારી છે. અને તેઓ ગુજરાતમાં મિનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગના ડેપ્યુટી ડાયરેક્ટર છે. તેઓ અભ્યાસુ છે. અને સાંપ્રત વિષયો પર અભ્યાસ કરીને સરળ શૈલીમાં માહિતી પીરસે છે.)
WatchGujarat. મ્યુકર માયકોસિસ ને સમજતા પહેલા એક વાત સમજવી પડશે. આપણી આસપાસની દુનિયા વિશે. આ ધરતી પર આપણે એકલા નથી અને જેટલું આપણને દેખાય કે સમજાય છે તે અંતિમ સત્ય નથી. જેમ કે આપણને સાત રંગોનો બનેલો પ્રકાશ દેખાય છે પણ તે સિવાય પણ વિકિરણો અસ્તિત્ત્વ ધરાવે છે. એક્સ સે , ગામા કિરણો , અલ્ટ્રા વાયોલેટ અને ઇન્ફ્રા રેડ તરંગો ….. આ બધું દેખાતું નથી પણ છે.
આપણી આસપાસ ઘણા પ્રકારના જીવો છે. કીડી મંકોડા છે, માખી મચ્છર છે, કૂતરા-બિલાડા છે…. વનસ્પતિ સૃષ્ટિમાં ઘાસ છે, આંબો છે , લીમડો છે , વડ છે, પીપળો છે … આ બધાની સાથે આપણે રહીએ છીએ
તેવી જ રીતે આપણી આસપાસ નારી આંખે ના દેખી શકતા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ ની દુનિયા છે. આમાંથી કેટલાક આપણા દોસ્ત છે તો કેટલાક દુશ્મન. આપણી સાથે સાથે તેમનું પણ જીવન પોતાની રીતે ચાલે છે.
ફૂગની પણ કેટલીય પ્રજાતિ આપણી આસપાસ દેખાતા કૂતરાં-બિલાડા જેવી સામાન્ય છે. ફરક એટલો છે એ આપણને દેખાતી નથી, ક્યારેક આપણા શરીરમાં ઘૂસવાનો કે શરીરની સપાટી પર અડ્ડો જમાવાનો પ્રયાસ કરે ત્યારે આપણી સામાન્ય રોગપ્રતિકારક શક્તિ એવી ફૂગનો સફાયો કરી નાખે છે….આપણને આની ગંધ પણ આવતી નથી.
ક્યારેક શરીર પર દાદર કે બીજા રોગ થાય ત્યારે આપણે વિચારતા બી નથી, ડોક્ટર ક્રીમ લખી આપે અને આપણે ઠીક થઇ જઈએ. આ દાદર એક પ્રકારની ફૂગથી જ થતો રોગ છે
તમે ફૂગને રોજ જુઓ છો. બ્રેડ સડે કે શાકભાજી ફળ બગડવાના શરુ થાય ત્યારે તેની પાછળ જવાબદાર ફૂગ હોય છે. કોઈ બગડી શકે એવા નાસ્તાના ડબ્બાને થોડા દિવસ બંધ રાખ્યા પછી ખોલો તો કેવા તાંતણા તાંતણા થઈ ગયેલી ફૂગનું સામ્રાજ્ય તમે જુઓ છો.
હવે વિચાર કરો , આવી ફૂગ શરીરની અંદર ફેલાવા લાગે તો?
મ્યુકરમાયકોસિસ આવો જ અમુક પ્રકારની ફૂગથી થતો રોગ છે. આમ તો આ રોગ પેદા કરતી ફૂગ તમે’ય રોજ શ્વાસ માં લેતા હશો પણ શરીરની સિક્યોરિટી સિસ્ટમ ગુપચુપ એનો ખાત્મો બોલાવી દે અને કિસી કો પતા ભી નહિ ચલતા ભૈ ‘સાબ ….
પણ જો આ સિક્યોરિટી સિસ્ટમ નબળી પડે અને ફૂગ લોહીનો સ્વાદ ચાખી લે તો લોચા. સમજો કે એને રોકવું પછી બહુ અઘરું…હા પણ અશક્ય તો નથી જ …
આમ તો સામાન્ય રીતે મ્યુકર માઇકોસિસ 1) આંખ-નાક-મગજ 2) ફેફસાં 3) પેટ 4) ચામડી વગેરે પર થઈ શકે છે, ભારત અને ચીનમાં ખાસ કિસ્સામાં કિડની પર આ રોગ થયાના દુર્લભ દાખલા પણ છે,
આપણે ત્યાં કોરોના પછી મૉટે ભાગે આંખ-નાક-મગજને અસર કરે એવા મ્યુકર માઇકોસિસનું પ્રમાણ વધુ છે.
આંખ-નાક-મગજને અસર કરતી પ્રજાતિ એટલે રાયઝોપસ ઓરાઈઝે ( Rhizopus Oryzae). આપણી આસપાસના ભેજવાળા વાતાવરણમાં અત્ર તત્ર સર્વત્ર આ ફૂગ રહેલી છે. આપણી સાથે માથાકૂટમાં પડ્યા વગર એ એનું કામ કરતી હોય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ આ ફૂગનો ઘણો ઉપયોગ થાય છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા બાજુ Tempeh -તેમપેહ નામની વાનગી સોયાબીનમાંથી બને છે. એમાં આથો લાવવા જૂના સમયથી આ ફૂગનો ઉપયોગ થાય છે આ ઉપરાંત પણ આધુનિક ફૂડ ઇન્ડસ્ટ્રી આ ફૂગ દ્વારા પેદા થતા જુદા જુદા રસાયણોનો ઉપયોગ કરે છે.
પણ આ ફૂગ ભારે તોફાની…. 7-8 ડિગ્રીથી માંડીને 44 ડિગ્રી તાપમાન સુધી ઉગી શકે. 37 ડિગ્રી તાપમાન એની મોજનું તાપમાન છે. વધાવની ઝડપ તો વાવાઝોડા જેવી. દર કલાક દોઢ મીલીમીટર જેવી વધી શકે. થોડી ધીરજ ધરીને માઇક્રોસ્કોપ નીચે એને જુઓ તો Hyphae - હાઈફી કહેવાતી એની ડાળીઓને પણ આગળ વધતી જોઈ શકાય. ફૂગના પોષણ માટે માલ સમાન લાવવા લઈ જવાનું કામ આ હાઈફી જ કરે.
અને એની વંશવૃદ્ધિ માટે જવાબદાર છે spores - સ્પોર ! દેશી ભાષામાં કહું તો એ ફૂગના બીજ- જેમાંથી નવી ફૂગ પેદા થતી જાય. આપણા શ્વાસમાં આવા જ બીજ જતા હોય અને અંદર ઘૂસ મારીને ફૂટવાના ચાલુ કરે તો આપણે બીમાર પડીએ.
Rhizopus Oryzae સિવાય પણ અન્ય ફુગની પ્રજાતિઓ શરીરના વિવિધ ભાગમાં મ્યુકર માયકોસીસ કરી શકે છે. Mucor, Rhizopus, Absidia, અને Cunninghamella પ્રજાતિઓની અલગ અલગ ફૂગ એમાં શામેલ છે.
હવે દરેક પ્રાણી-જીવ જંતુને પોતાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ મળે તો એ સહેલાઈથી વિકસી શકે. આ ફૂગને સુગર, થોડું એસિડિક પ્રવાહી, આયર્ન મળે તો એની મોજ થઇ જાય છે.
સવાલ એ થાય કે કોરોનામાં એવું તો શું થાય છે કે મ્યુકોરાલ વર્ગમાં આવતી ફૂગની મોજ થઈ રહી છે?
કેમ કે આપણે ત્યાં સ્ટીરોઈડ પણ વર્ષોથી વપરાય જ છે, આપણા ત્યાં ઘણી જગ્યાએ હ્યુમિડિફાયરમાં નળનું પાણી વર્ષોથી વપરાય છે , આપણા ત્યાં ડાયાબિટીસના દર્દીઓ વર્ષોથી છે -- તો અત્યારે જ કેમ આવો રોગચાળો ફાટ્યો?
આ બધા કારણોમાં જે પ્રમુખ કારણ ઉમેરાયું છે તે છે કોરોના વાયરસ - SARS -CoV-2
દુનિયાભરમાં આ અંગે સંશોધન થઇ રહ્યા છે. કોવિડ પછી મ્યુકર કે બીજા ફૂગ જન્ય રોગ જેવા કે એસ્પારજીલોસિસ કે કેન્ડિડાસીસ ના રોગ દુનિયાના અન્ય દેશોમાં જોવા મળ્યા છે. હા પણ આવા બહોળા પ્રમાણમાં રોગચાળો ફાટ્યો હોય તેવું મોટે ભાગે અને બદનસીબે ભારતમાં જ થયું છે. આ અંગે વધુ સંશોધન થશે એમ જાણકારી મળશે પણ પહેલેથી ડાયાબિટીસ મેલાઈટીસની બાણ શૈયા એક પ્રમુખ અને પ્રાથમિક કારણ છે એમાં કોઈ બેમત નથી.
કોરોના વાયરસ શરીરના અલગ અલગ કોષ પર અસર કરે છે. આપણા લેખોમાં વારંવાર ઉલ્લેખ આવે છે કે ACE 2 રીસેપ્ટર કહેવાતા બારણામાંથી ચોરપગલે આ વાયરસ ઘૂસે છે. નાકની સપાટી પાસે રહેલા કોષમાં પણ ACE 2 રીસેપ્ટર હોય છે.
એવી જ રીતે મ્યુકરની ફૂગને આપણા શરીરમાં ઘૂસ મારવા GRP 78 નામનો દરવાજો જોઈએ. GRP 78 એટલે ગ્લુકોઝ રીસેપ્ટર પ્રોટીન. આ પ્રોટીન ભૂતકાળમાં ઇબોલા, ડેન્ગ્યુ , જાપાનીઝ એંસેફેલાઈટીસ વગેરેને અંદર ઘુસાડવામાં મદદ કરી ચૂક્યું છે. કોરોના વાયરસની ઘૂસણખોરીમાં પણ GRP 78નો હાથ હોવાનું પણ સાબિત થઇ રહ્યું છે. કોષમાં જયારે ખતરાની ઘંટડી વાગે ત્યારે GRP 78ની માત્રા પણ વધેલી જોવા મળે છે. કોરોના વાયરસના હુમલા બાદ આ પ્રોટીન રીસેપ્ટરની સંખ્યા વધી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મ્યુકર માઇકોસિસ કરતી ફૂગ Ryzhopus Oryzae પણ રક્ત વાહિનીના કોષોમાં ઘુસવા માટે આ રસ્તો જ વાપરે છે. બીજું આ વાયરસ રક્તવાહિનીના કોષોને પહેલેથી જ નિર્બળ બનાવી ચૂક્યો હોય છે.
બીજું, સ્ટીરોઈડનો ઉપયોગ. છેલ્લા 7 દાયકાથી સ્ટીરોઈડનો અલગ અલગ ટ્રીટમેન્ટમાં થાય છે અને તેનો યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે કરેલો ઉપયોગ ખરેખર જીવન રક્ષક સાબિત થાય છે. કોરોના સામેની લડાઈમાં તે આપણું મહત્ત્વપૂર્ણ હથિયાર છે. પણ આ હથિયારનો વિવેકપૂર્ણ પ્રયોગ થાય એ જરૂરી છે.
આપણે સાંભળ્યું હશે કે સ્ટીરોઈડથી સુગર વધે છે.
મૂળ શરીરમાં જે ખોરાક લઈએ છીએ એમાં કાર્બોહાઇડ્રેટ, સુગર કે ગ્લુકોઝ હોય છે. પણ આ સુગરનો કોઈ પણ કોષ સીધો ઉપયોગ ના કરી શકે. તેના માટે કોષને ઇન્સ્યુલિનની જરૂર પડે છે. સ્વાદુપિંડમાં રહેલા બીટા કોષને લોહીમાં કેટલો ગ્લુકોઝ છે એના સંદેશ મળે એ મુજબ ઇન્સ્યુલિન રવાના કરે. હવે સ્ટીરોઈડ ને કારણે અને ડાયાબિટીસમાં પણ બીટા કોષોને લોહીમાં સુગરની માત્રાનો સાચો સંદેશ મળતો નથી અને એટલે જરૂરો ઇન્સ્યુલિન પણ શરીરને મળતું નથી. આથી ઊર્જાનો સ્ત્રોત હોવા છતાં માનવ કોષ તેને વાપરી શકતા નથી.
આને તમે એવી રીતે સરખાવી શકો કે ગોડાઉનમાં અનાજ તો પડ્યું છે પણ એને લઈ જવા (ઉત્સવ) વાહનો ના હોવાથી લોકો ભૂખે મરી રહ્યાં છે. સ્ટીરોઈડના લાંબા ગાળાના કે અતિરેક પૂર્ણ ઉપયોગથી લાંબા કે ટૂંકા ગાળા માટે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે. હવે આ સુગર રેઢી પડી રહી છે અને તેનો ઉપયોગ લોહીમાં પ્રવેશેલી ફૂગ પોતાના માટે કરે છે… ઘરના છોકરા ઘંટી ચાટે એવો ઘાટ …..અહીંયા થાય છે.
વાત અહીંયા પૂરી થતી નથી. કોષને જરૂરી ઊર્જા ના મળે એટલે એ ફેટ કે ચરબી તોડીને ઊર્જાની કમીને પૂરી કરવા કોશિશ કરે છે. આ ચરબી તૂટવાની શરૂ થાય કે લોહીમાં કિટોનનું પ્રમાણ વધી જાય, આ કીટોન લોહીને વધુ એસિડિક બનાવે છે...આ સ્થિતિને ડાયાબિટીક કીટોએસિડોસિસ કહે છે. આવી સ્થિતિ અત્યંત લાંબો સમય રહે તો ઘાતક બની શકે છે. આગળ કહ્યું તેમ ફૂગને વૃદ્ધિ માટે એસિડિક વાતાવરણ વધુ ફાવે છે. તો એ પણ એને અહીં મળી રહ્યું છે.
અધૂરામાં પૂરું આ સ્થિતિમાં લોહીની અંદર આયર્નની માત્રા પણ વધી જાય છે.
તમે કોરોનામાં સામાન્ય રીતે ચેપની સ્થિતિ જાણવા ફેરિટિનનો ટેસ્ટ પણ કરાવો છો. ફેરીટીન એક પ્રકારનું પ્રોટીન છે જે વધારાનું આયર્ન પોતાની પાસે સાચવીને રાખે છે. આવા અન્ય પ્રોટીન પણ છે. કીટોએસિડોડીસમાં આવા પ્રોટીનમાંથી આયર્ન છૂટું પડીને લોહીમાં ખુલ્લે આમ ફરવા લાગે છે.
ફૂગની વૃદ્ધિ માટે આ આયર્ન ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીક પેશન્ટમાં આમ એકદમ સરળતાથી આ ફુગને લોહ તત્ત્વ કે આયર્ન મળી રહ્યું છે.
આમ આ ફૂગની વૃદ્ધિ માટેની સંભાવનાઓ કોવિડ પછી વધતી જાય છે. એમાંય જો કોરોના સાથે ડાયાબિટીસ હોય તો આ સંભાવના વધુ રહે છે.
તમે સમજો સ્ટીરોઈડ સાથે અન્ય દવાઓ આપણી નબળી પડેલી રોગ પ્રતિકારક શક્તિને ખપ પૂરતી થોડો સમય માટે નબળી પાડે છે. આ સમયે વાયરસે પેદા કરેલી સ્થિતિ બીજી ફૂગ માટે નવી તક પેદા કરે છે. આ તકનો લાભ મ્યુકર માયકોસીસ કરતી ફૂગ લઈ લે છે અને અંદર ઝડપથી ફેલાવાનું ચાલુ કરે છે.
આ ઉપરાંત ન્યુટ્રોફિલની કમી અને ડિફ્રોકઝમાઈનની ટ્રિટમેન્ટ પણ મ્યુકર માયકોસીસ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરી શકે છે
આ ચેપ કોરોનાની સાથે સાથે પણ લાગી શકે છે અથવા પછી પણ ...તેનો કોઈ નક્કી સમય નથી. કોરોના પહેલા પણ આ બીમારી મૌજુદ હતી પણ વરસે દાડે જૂજ કેસ આવતા હતા. આ રોગ પણ દુર્લભ જ ગણાતો. કોરોના ના હોય અને બીજી કોઈ તકલીફ ના હોય એવા લોકોમાં પણ આ ફુગના ચેપ લાગ્યા હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓ પણ છે.
એક્સિડન્ટ થયો હોય, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ઇજા થઇ હોય કે યુદ્ધમાં કે અન્ય રીતે ઘાયલ થયા હોય એવા લોકોને પણ પ્રદુષિત માટી કે વાતાવરણમાંથી આવી ફૂગ ચામડી વાટે લાગીને ચામડીનો મ્યુકર માયકોસીસ કરી શકે છે. પણ આવું’ય તે જવલ્લે જ બને છે.
સારવાર: આની દવા હાલ આખા વિશ્વમાં એક અને માત્ર એક જ છે તે છે એમ્ફોટેરીસીન બી. આ દવા મૂળ ઘણી જૂની છે. અને માત્ર આ જ નહિ પણ અલગ અલગ ફૂગનો ખાત્મો કરવા માટે ઉપયોગી છે. આ દાવાને ------ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે. વર્ષો સુધી એમ્ફોટેરીસીન ડી ઓકઝો કોલેટ આ રોગની સારવારમાં વપરાતી પણ દવાનું આ સ્વરૂપ કિડની પર વધુ અસર કરતું હોવાથી તેનું લાઈપોઝોમલ સ્વરૂપ વિકસાવવામાં આવ્યું. દવા તો એ જ છે એની બહાર એક પડ ચડાવી દીધું જે કિડની પર અસર ઓછી કરે ને ફૂગને જ વધુ ટાર્ગેટ કરે. 5-10 મિલીગ્રામ/કિલોગ્રામ/દિવસ ડોઝ ડોક્ટર નક્કી કરીને રોજ આપતા હોય છે. સામાન્ય રીતે દિવસના 6 ઇન્જેક્શન આપવા પડે છે અને 4 થી 6 અઠવાડિયા સુધી આ દવા ચાલે છે. આ દવા ક્યારે બંધ કરવી એના વિશે માત્ર ડોક્ટર જ પેશન્ટની સ્થિતિ અને ફૂગની ફિતરત જોઈને કહી શકે. ઘણા કેસમાં મહિનાઓ સુધી પણ આ દવા ચાલ્યાના દાખલા છે.
જો આ દવા ના મળે તો સ્ટેપ ડાઉન ટ્રીટમેન્ટ તરીકે પોસોકોનાઝોલ, ઇસાવુકોનાઝોલ અને એ ય ના મળે તો ના છૂટકે ઈટ્રાકોનાઝોલ વપરાય છે. પણ આ અંગે ટ્રીટમેન્ટનો અંતિમ નિર્ણય ડોક્ટરનો જ રહે છે, જે પેશન્ટની ક્લિનિકલ સ્થિતિના આધારે નક્કી કરે છે.
હાલના સંજોગોમાં હયૂમીડીફાયર, ઇન્ડસ્ટ્રીઅલ ઓક્સિજન અને બીજા અનેક પ્રકારના કારણો ચર્ચામાં છે. મને મારા અભ્યાસ દરમ્યાન હયૂમીડીફાયરની થિયરીને સંપૂર્ણ સાબિત કરી શકે તેવા પુરાવા મળ્યા નથી. પણ પુરાવાનો અભાવ એ સત્યનો વિકલ્પ નથી. કોઈ પણ સ્થિતિમાં સ્વચ્છતા જાળવવી એ જ બચાવની રીત છે.
બીજું ઘણા લોકો એમ પૂછે છે કે બચવું કેવી રીતે? માસ્ક ઉત્તમ વિકલ્પ છે. N 95 માસ્કની ભલામણ કરવામાં આવે છે. જો સર્જીકલ માસ્ક પહેરતા હો તો માસ્કને વાપરીને ડિસ્પોઝ કરી દેવું. લાંબો સમય અસ્વચ્છ માસ્ક પહેરવાથી પણ જોખમ વધી શકે છે. બીજું ખુલ્લી હવા મળે અને આસપાસ કોઈ ના હોય ત્યારે માસ્ક કાઢીને સ્વચ્છ હવા પણ લેવી. પોતાના શુગર લેવલને કંટ્રોલમાં રાખવું જરૂરી છે, ઘરમાં ડાયાબિટીસના દર્દી હોય તો સાવચેત રહેવું. જો લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે જવું. સમયસર સારવાર મળે તો મ્યુકર માયકોસીસ જેવા રોગમાંથી બચી પણ શકાય છે. આ રોગમાં ધીરજ રાખવી જરૂરી છે. મ્યુકર માયકોસીસના લક્ષણો સહિતની પ્રાથમિક માહિતી માટે મારી જૂની પોસ્ટ જોઈ શકાય છે.
આડવાત : આ ફૂગનો પ્રારંભિક રંગ સફેદ હોય છે અને પછી એ સ્પોર આવતા કલર બદલે છે.
( આ સમગ્ર લેખ માટે અભ્યાસ સામગ્રી ઉપરાંત નિષ્ણાતો સાથેના સત્સંગથી ઊભી થયેલી સમજ પણ જવાબદાર છે. આ માટે હું ડો અતુલ પટેલ, ડો સુરભી મદાન, ડો મિતેષ સુથાર,ડો રાજેશ વિશ્વકર્મા અને જય આહિર નો સવિશેષ આભાર માનું છું)
(ઉત્સવ પરમાર IIS અધિકારી છે. અને તેઓ ગુજરાતમાં મિનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગના ડેપ્યુટી ડાયરેક્ટર છે. તેઓ અભ્યાસુ છે. અને સાંપ્રત વિષયો પર અભ્યાસ કરીને સરળ શૈલીમાં માહિતી પીરસે છે.)