શિનોર તાલુકાના માંડવા ગામે નર્મદા નદી કિનારે સેંકડો લોકો મજા માણવા માટે પહોંચ્યા
મામલાની જાણ થતા સરપંચે પોલીસને માહિતગાર કર્યા
પોલીસે ઘટના સ્થળે પહોંચતા અફરા તફરી મચી અને લોકો પાછા વળ્યા
કોરોના સામે નાની અમથી બેદરકારી જીવલેણ નિવડી શકે છે
Watchgujarat. શિનોર તાલુકામાં કોવિડ – 19 ની ગાઇડલાઇનનો ભંગ કરવાની ગંભીર ઘટના સામે આવી છે. બીજી લહેર વચ્ચે બેખૌફ બનીને નદી કિનારે મજા માણતા લોકો વચ્ચે પોલીસે પહોંચી રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસને જોતા જ ઘટના સ્થળે અફરા તફરી મચી જવા પામી હતી. કોરોના સામે નાની અમથી પણ બેદરકારી જીવલેણ નિવડી શકે છે.
https://youtu.be/O6A7i73jn8Y
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શિનોર તાલુકાના માંડવા ગામે બાવા પ્યારેની દરગાહ નર્મદા કિનારે આવેલી છે. 15 મે ના રોજ બપોરના સમયે નદીમાં નાહવા માટે 500 જેટલા લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે સરપંચને જાણ થતા તાત્કાલિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. નદી કિનારે મજા માણતા લોકો વચ્ચે પોલીસ પહોંચતા જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસને જોતા લોકો પાછા જવા માટે દોડાદોડ કરી રહ્યા હતા. નદી કિનારે ઉમટી પડેલા લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ જોવા મળતો હોવાના વિડીયો સામે આવ્યા હતા. કોરોનાની બીજી લહેરમાં નદી કિનારામાં નાહવા માટે પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં લોકો બેદરકાર બનીને એકઠા થઇને નદી કિનારે મોજ કરવા આવી પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક છે. બીજી લહેરમાં સંક્રમણ તેજ ગતિથી પ્રસરી રહ્યું છે. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે સરકારે કોરોના કર્ફ્યુ અને આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. તેવા સમયે નર્મદા નદી કિનારે મોટી સંખ્યામાં લોકોનું એકત્ર થવું કોરોનાને આમંત્રણ આપી શકે છે. કોરોના મહામારીના કાળમાં જો તમામ લોકો માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહિ કરવાની ગંભીર બેદરકારી જીવલેણ નિવડી શકે છે. લોકોના સહકારથી જ કોરોના સામેની જંગ જીતી શકાશે.
શિનોર તાલુકાના માંડવા ગામે નર્મદા નદી કિનારે સેંકડો લોકો મજા માણવા માટે પહોંચ્યા
મામલાની જાણ થતા સરપંચે પોલીસને માહિતગાર કર્યા
પોલીસે ઘટના સ્થળે પહોંચતા અફરા તફરી મચી અને લોકો પાછા વળ્યા
કોરોના સામે નાની અમથી બેદરકારી જીવલેણ નિવડી શકે છે
Watchgujarat. શિનોર તાલુકામાં કોવિડ – 19 ની ગાઇડલાઇનનો ભંગ કરવાની ગંભીર ઘટના સામે આવી છે. બીજી લહેર વચ્ચે બેખૌફ બનીને નદી કિનારે મજા માણતા લોકો વચ્ચે પોલીસે પહોંચી રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસને જોતા જ ઘટના સ્થળે અફરા તફરી મચી જવા પામી હતી. કોરોના સામે નાની અમથી પણ બેદરકારી જીવલેણ નિવડી શકે છે.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શિનોર તાલુકાના માંડવા ગામે બાવા પ્યારેની દરગાહ નર્મદા કિનારે આવેલી છે. 15 મે ના રોજ બપોરના સમયે નદીમાં નાહવા માટે 500 જેટલા લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે સરપંચને જાણ થતા તાત્કાલિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. નદી કિનારે મજા માણતા લોકો વચ્ચે પોલીસ પહોંચતા જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસને જોતા લોકો પાછા જવા માટે દોડાદોડ કરી રહ્યા હતા. નદી કિનારે ઉમટી પડેલા લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ જોવા મળતો હોવાના વિડીયો સામે આવ્યા હતા. કોરોનાની બીજી લહેરમાં નદી કિનારામાં નાહવા માટે પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં લોકો બેદરકાર બનીને એકઠા થઇને નદી કિનારે મોજ કરવા આવી પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક છે. બીજી લહેરમાં સંક્રમણ તેજ ગતિથી પ્રસરી રહ્યું છે. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે સરકારે કોરોના કર્ફ્યુ અને આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. તેવા સમયે નર્મદા નદી કિનારે મોટી સંખ્યામાં લોકોનું એકત્ર થવું કોરોનાને આમંત્રણ આપી શકે છે. કોરોના મહામારીના કાળમાં જો તમામ લોકો માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહિ કરવાની ગંભીર બેદરકારી જીવલેણ નિવડી શકે છે. લોકોના સહકારથી જ કોરોના સામેની જંગ જીતી શકાશે.