રાજ્યમાં કોરોનાની સુનામી બાદ હવે તોકતે વાવાઝોડાની દહેશત
તટીય વિસ્તારોમાં તોકતો વાવાઝોડું ત્રાટકવાની દહેશત હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી
જરોદ ખાતેથી NDRFની 4 ટીમને મોકલી આપવામાં આવી છે. જે પૈકી 2 ટીમો ગીર સોમનાથ જશે. અને અન્ય 2 ટીમો મોરબી જશે
NDRF હેડક્વાટર પર અન્ય 15 ટીમોને તૈયાર કરી સ્ટેન્ડબાય રાખવામાં આવી
WatchGujarat. રાજ્યમાં ચાલી રહેલી કોરોનાની સુનામી સમયે હવે તટીય વિસ્તારોમાં તોકટે વાવાઝોડું ત્રાટકવાની દહેશત જોવા મળી રહી છે. જેને પગલે વડોદરા નજીક જરોદ ખાતે આવેલા NDRF ના જરોદ ખાતેન હેડ ક્વાટરથી 4 ટીમોને બચાવ કામગીરી માટે રવાના કરી દેવામાં આવી છે.
https://youtu.be/UGF5PThwvjI
હાલ રાજ્યમાં કોરોના મહામારીની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોના પોઝીટીવની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે હવે રાજ્ય સામે નવી એક કુદરતી આફત સામે આવી રહી છે. રાજ્યના તટીય વિસ્તારોમાં તોકતો વાવાઝોડું ત્રાટકવાની દહેશત હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને હવે પ્રશાસન સ્થિતીને પહોંચી વળવા માટે તાબડતોબ તૈયારીઓ કરી રહ્યું છે.
વડોદરા નજીક જરોદ ખારે NDRF નું હેડ ક્વાટર આવેલું છે. રાજ્ય તથ અન્યત્રે કુદરતી આપદા વખતે રાહત અને બચાવ કામગીરી કરવા માટે જરોદ ખાતેથી NDRF ની ટીમોને મોકલવામાં આવે છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રામાણે, જરોદ ખાતેથી NDRFની 4 ટીમને મોકલી આપવામાં આવી છે. જે પૈકી 2 ટીમો ગીર સોમનાથ જશે. અને અન્ય 2 ટીમો મોરબી જશે. આટલું જ નહિ NDRF હેડક્વાટર પર અન્ય 15 ટીમોને તૈયાર કરી સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે ટીમો તંત્રના આગામી આદેશ બાદ રવાના થશે.
કોરોનાને ધ્યાનમાં રાખીને NDRF ના જવાનોને ખાસ પર્સનલ પ્રોટેક્શન કીટ આપવામાં આવી છે. NDRFના જવાનોને કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને પીપીઇ કીટ અને રેસ્ક્યુ માટે સ્પેશિયલ સુટ ફાળવવામાં આવ્યા છે. જેને પગલે NDRF ના જવાનો વધારે તકેદારી સાથે રાહત કામગીરીમાં જોડાશે.
રાજ્યમાં કોરોનાની સુનામી બાદ હવે તોકતે વાવાઝોડાની દહેશત
તટીય વિસ્તારોમાં તોકતો વાવાઝોડું ત્રાટકવાની દહેશત હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી
જરોદ ખાતેથી NDRFની 4 ટીમને મોકલી આપવામાં આવી છે. જે પૈકી 2 ટીમો ગીર સોમનાથ જશે. અને અન્ય 2 ટીમો મોરબી જશે
NDRF હેડક્વાટર પર અન્ય 15 ટીમોને તૈયાર કરી સ્ટેન્ડબાય રાખવામાં આવી
WatchGujarat. રાજ્યમાં ચાલી રહેલી કોરોનાની સુનામી સમયે હવે તટીય વિસ્તારોમાં તોકટે વાવાઝોડું ત્રાટકવાની દહેશત જોવા મળી રહી છે. જેને પગલે વડોદરા નજીક જરોદ ખાતે આવેલા NDRF ના જરોદ ખાતેન હેડ ક્વાટરથી 4 ટીમોને બચાવ કામગીરી માટે રવાના કરી દેવામાં આવી છે.
હાલ રાજ્યમાં કોરોના મહામારીની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોના પોઝીટીવની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે હવે રાજ્ય સામે નવી એક કુદરતી આફત સામે આવી રહી છે. રાજ્યના તટીય વિસ્તારોમાં તોકતો વાવાઝોડું ત્રાટકવાની દહેશત હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને હવે પ્રશાસન સ્થિતીને પહોંચી વળવા માટે તાબડતોબ તૈયારીઓ કરી રહ્યું છે.
વડોદરા નજીક જરોદ ખારે NDRF નું હેડ ક્વાટર આવેલું છે. રાજ્ય તથ અન્યત્રે કુદરતી આપદા વખતે રાહત અને બચાવ કામગીરી કરવા માટે જરોદ ખાતેથી NDRF ની ટીમોને મોકલવામાં આવે છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રામાણે, જરોદ ખાતેથી NDRFની 4 ટીમને મોકલી આપવામાં આવી છે. જે પૈકી 2 ટીમો ગીર સોમનાથ જશે. અને અન્ય 2 ટીમો મોરબી જશે. આટલું જ નહિ NDRF હેડક્વાટર પર અન્ય 15 ટીમોને તૈયાર કરી સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે ટીમો તંત્રના આગામી આદેશ બાદ રવાના થશે.
કોરોનાને ધ્યાનમાં રાખીને NDRF ના જવાનોને ખાસ પર્સનલ પ્રોટેક્શન કીટ આપવામાં આવી છે. NDRFના જવાનોને કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને પીપીઇ કીટ અને રેસ્ક્યુ માટે સ્પેશિયલ સુટ ફાળવવામાં આવ્યા છે. જેને પગલે NDRF ના જવાનો વધારે તકેદારી સાથે રાહત કામગીરીમાં જોડાશે.