સવારે ઘરેથી દુકાને જાઉ છું તેમ કહીને નિકળ્યા બાદ આધેડના અકસ્માતના સમારાર ઘરે મળ્યા
પુત્રનું માંદગીના કારણે મોત થયા બાદ પુત્ર વિયોગમાં પિતાએ જીવન ટુંકાવ્યાનું પ્રાથમિક અનુમાન
અકસ્માતની જાણ થતા પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા
પોલીસે જીવ ટુંકાવવાની ઘટના અંગેના કારણો જાણવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી
WatchGujarat. મકરપુરા જીઆઇડીસી નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર ભંગારનો વેપાર કરતા આધેડે ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા માજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ કાર્યવાહી શરૂ કરી હતી. આધેડના પુત્રનું તાજેતરમાં માંદગીને કારણે મૃત્યુ થયું હતું. જેથી તેઓએ પુત્રપ વિયોગમાં જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
શનિવારે સવારે 9 વાગ્યાના સુમારે મકરપુરા જીઆઇડીસી નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પરથી અજાણ્યા આધેડ નો ટ્રેનની નીચે કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ માંજલપુર પોલીસને થતા સ્થળ પર પહોંચેલ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં રેલવે ટ્રેક નજીક પાર્ક કરેલી બાઈક મળી આવી હતી.
મૃતદહેના કપડા માંથી એક ડાયરી મળી આવી હતી. જે ડાયરીના આધારે મોતને ભેટનાર શખ્સ હનીફખાન પઠાણ હોવાનું જણાઈ આવ્યું હતું. અને તે મકરપુરા જીઆઇડીસી વડસર રોડ નજીકના મસ્જિદ ફળિયામાં રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ તેમના પરિવારજનોને જાણ કરાતા તેમનો બીજો પુત્ર ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને તેણે મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, સવારે તેઓ એકદમ સ્વસ્થ હતા. ઘરેથી ચા-નાસ્તો કર્યા બાદ દુકાને જાઉં છું તેમ કહીને નિકળ્યા બાદ તેઓના અકસ્માતના સમાચાર પ્રાપ્ત થયા હતા.
પ્રાથમિક માહિતી પ્રમાણે, થોડા સમય પહેલા હનીફભાઈના એક પુત્રનું માંદગીના કારણે મોત નીપજ્યું હતું. અને ત્યારથી જ હનીફભાઈ પુત્ર વિયોગમાં રહેતા હોવાનું અનુમાન છે. અને તેને લઈને જ ટ્રેન આગળ પડતું મૂકી મોતને વ્હાલ કર્યું હોવાનું મનાઇ રહ્યું છે. સ્થળ પર પહોંચેલ પોલીસે મોતના કારણોની જાણવા માટે વધુ તપાસ શરૂ કરી હતી.
સવારે ઘરેથી દુકાને જાઉ છું તેમ કહીને નિકળ્યા બાદ આધેડના અકસ્માતના સમારાર ઘરે મળ્યા
પુત્રનું માંદગીના કારણે મોત થયા બાદ પુત્ર વિયોગમાં પિતાએ જીવન ટુંકાવ્યાનું પ્રાથમિક અનુમાન
અકસ્માતની જાણ થતા પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા
પોલીસે જીવ ટુંકાવવાની ઘટના અંગેના કારણો જાણવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી
WatchGujarat. મકરપુરા જીઆઇડીસી નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર ભંગારનો વેપાર કરતા આધેડે ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા માજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ કાર્યવાહી શરૂ કરી હતી. આધેડના પુત્રનું તાજેતરમાં માંદગીને કારણે મૃત્યુ થયું હતું. જેથી તેઓએ પુત્રપ વિયોગમાં જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
શનિવારે સવારે 9 વાગ્યાના સુમારે મકરપુરા જીઆઇડીસી નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પરથી અજાણ્યા આધેડ નો ટ્રેનની નીચે કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ માંજલપુર પોલીસને થતા સ્થળ પર પહોંચેલ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં રેલવે ટ્રેક નજીક પાર્ક કરેલી બાઈક મળી આવી હતી.
મૃતદહેના કપડા માંથી એક ડાયરી મળી આવી હતી. જે ડાયરીના આધારે મોતને ભેટનાર શખ્સ હનીફખાન પઠાણ હોવાનું જણાઈ આવ્યું હતું. અને તે મકરપુરા જીઆઇડીસી વડસર રોડ નજીકના મસ્જિદ ફળિયામાં રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ તેમના પરિવારજનોને જાણ કરાતા તેમનો બીજો પુત્ર ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને તેણે મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, સવારે તેઓ એકદમ સ્વસ્થ હતા. ઘરેથી ચા-નાસ્તો કર્યા બાદ દુકાને જાઉં છું તેમ કહીને નિકળ્યા બાદ તેઓના અકસ્માતના સમાચાર પ્રાપ્ત થયા હતા.
પ્રાથમિક માહિતી પ્રમાણે, થોડા સમય પહેલા હનીફભાઈના એક પુત્રનું માંદગીના કારણે મોત નીપજ્યું હતું. અને ત્યારથી જ હનીફભાઈ પુત્ર વિયોગમાં રહેતા હોવાનું અનુમાન છે. અને તેને લઈને જ ટ્રેન આગળ પડતું મૂકી મોતને વ્હાલ કર્યું હોવાનું મનાઇ રહ્યું છે. સ્થળ પર પહોંચેલ પોલીસે મોતના કારણોની જાણવા માટે વધુ તપાસ શરૂ કરી હતી.