કોરોનાની વેક્સીન લીધા બાદ મૃત્યુ થતાની સાથે લોકોમાં ફફડાટનો માહોલ
જીગ્નેશને અગાઉ હ્રદયની બિમારી હતી
સફાઇ કર્મીના મોતનું કારણ વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે
પરિવારજનોનું હોસ્પિટલમાં આક્રંદ
WatchGujarat. રવિવારે વહીવટી તંત્ર દ્વારા કોરોના વેક્સીન આપવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરથી લઇને સફાઇ કર્મચારી સુધીના કોરોના વોરીયર્સને અલગ અલગ કેન્દ્રો પરથી વેક્સીન આપવામાં આવી હતી. તમામ વોરિયર્સ પૈકી એક સફાઇ કર્મચારીનું વેક્સીન લીધા બાદ મોત થયું હતું. જેમાં પરિવારજનોએ વેક્સીનને કારણે મોત થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા. મોત બાદ પાલિકા તંત્રમાંથી કોઇ જવાબદાર વ્યક્તિ મુલાકાતે ન આવતા સફાઇ કર્મચારીઓ ફીટકાર વરસાવી રહ્યા હતા.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના વડસર રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીમાં 30 વર્ષિય જીગ્નેશ પ્રવીણભાઈ સોલંકી તેના પરિવાર સાથે રહેતો હતો. અને પાલિકાના વોર્ડ નંબર - 9 માં સફાઇ કર્મચારી તરીકે કામ કરતો હતો. આજરોજ સવારે સફાઇ કર્મચારી તરીકેની ફરજ પુરી કર્યા બાદ તેને સુદામાપુરી હેલ્થ સેન્ટર ખાતે ફાળવેલા કેન્દ્રમાં કોરોનાની વેક્સીન આપવા માટે ગયો હતો. ત્યાંથી વેક્સીન લીધા બાદ 10 - 30 કલાકે જીગ્નેશભાઇને રજા આપવામાં આવી હતી.
જીગ્નેશના ભાઇ ગણેશના જણાવ્યા અનુસાર, કોરોનાની વેક્સીન લીધા બાદ જીગ્નેશ પોતાના ઘરે પરત ફર્યો હતો. પછી 2 કલાકમાં જ જીગ્નેશ પોતાના ઘરે બેભાઇ થઇ ગયો હતો. જીગ્નેશને તાત્કાલિક સારવાર અર્થેસારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કોરોનાની વેક્સીન લીધા બાદ ગણતરીના કલાકોમાં મૃત્યુ થયાનો રાજ્યમાં પ્રથમ સંભવિત કિસ્સો માનવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ બાદ જીગ્નેશના મોતનું કારણ સ્પષ્ટ થશે.
ઘરના મોભીનું મૃત્યુ થતા પરિવાર નોંધારો બન્યો
જીગ્નેશની પત્ની દિવ્યાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આજે વોર્ડ નં-9ની કચેરીથી જ બારોબાર કોરોના રસી મૂકવા માટે લઇ ગયા હતા. રસી મૂકાયા બાદ તેઓ ઘરે પરત ફર્યાં હતા અને ઘરે આવીને સ્નાન કર્યાં બાદ તેઓને અચાનક ખેંચ આવી હતી અને તેમનું બોલવાનું બંધ થઈ ગયું હતું. જેથી તત્કાલિક તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારથી તેઓ કંઇ બોલતા નથી. મારી બે છોકરીઓ છે, એની જવાબદારી કોણ લેશે.
જીગ્નેશને અગાઉ હ્રદયની બિમારી હતી
તબિબિ સુત્રના જણાવ્યા પ્રમાણે, કોરોનાની વેક્સીન લીધા બાદ મૃત્યુ પામેલા જીગ્નેશને ત્રણ વર્ષ અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો. અને શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. જો કે જીગ્નેશના મૃત્યુ પાછળનું સાચુ કારણ પોસ્ટ મોર્ટમ બાદ જ સ્પષ્ટ થઇ શકે તેમ છે.
જુવાનજોધ સ્વજનના મોતને પગલે સ્વજનની તબિયત બગડી
કોરોનાની વેક્સીન લીધા બાદ મૃત્યુ પામનારા જીગ્નેશના પરિવાતમાં ભાઇ, માતા, પત્ની, અને બે બાળકો છે. જેમાં એક બાળકીની ઉંમર 5 વર્ષ અને અન્ય બાળકીની ઉંમર 6 મહિના છે. અચાનક જીગ્નેશના મૃત્યુ થવાને કારણે તેને પરિવાર નોંધારો બન્યો હતો. જુવાનજોધ પરિવારજન ગુમાવવાને કારણે એસએસજી હોસ્પિટલમાં એક સ્વજનને ગભરામણ થઇ હતી. જો કે અન્ય પરિવારજનોની મદદથી તેઓ સ્થિર થયા હતા.
અહિંયા લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઇ ચુક્યું હતું - ડો, રંજન ઐયર
જીગ્નેશનને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં તેને મૃત હાલતમાં સ્વિકારવામાં આવ્યાની નોંધ કરવામાં આવી છે. ભુતકાળમાં જીગ્નેશને હ્રદયની બિમારી હતી. હ્રદયની બિમારી અંગે તેઓએ નિયમિત ચેકીંગ અને ફોલોઅપ નહિ કરાવ્યું હોય તેવું અમારૂ માનવું છે. - ડો. રંજન ઐયર, સુપ્રીટેન્ડેન્ટ - એસએસજી હોસ્પિટલ
વેક્સીન લીધા બાદ મૃત્યુ થયાનો આ સંભવિત પ્રથમ કિસ્સો
સરકાર દ્વારા સ્વદેશી નિર્મિત કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. અનેક તબક્કાઓમાં દેશભરમાં વેક્સીનેશન પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા મિત્ર રાષ્ટ્રમાં પણ વેક્સીનના ડોઝ મોકલાવવામાં આવી રહ્યા છે. તેવા સમયે વેક્સીન લીધા બાદ મૃત્યુ થયાનો આ સંભવિત કિસ્સો હોવાનું મનાઇ રહ્યું છે.
કોરોનાની વેક્સીન લીધા બાદ મૃત્યુ થતાની સાથે લોકોમાં ફફડાટનો માહોલ
જીગ્નેશને અગાઉ હ્રદયની બિમારી હતી
સફાઇ કર્મીના મોતનું કારણ વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે
પરિવારજનોનું હોસ્પિટલમાં આક્રંદ
WatchGujarat. રવિવારે વહીવટી તંત્ર દ્વારા કોરોના વેક્સીન આપવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરથી લઇને સફાઇ કર્મચારી સુધીના કોરોના વોરીયર્સને અલગ અલગ કેન્દ્રો પરથી વેક્સીન આપવામાં આવી હતી. તમામ વોરિયર્સ પૈકી એક સફાઇ કર્મચારીનું વેક્સીન લીધા બાદ મોત થયું હતું. જેમાં પરિવારજનોએ વેક્સીનને કારણે મોત થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા. મોત બાદ પાલિકા તંત્રમાંથી કોઇ જવાબદાર વ્યક્તિ મુલાકાતે ન આવતા સફાઇ કર્મચારીઓ ફીટકાર વરસાવી રહ્યા હતા.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના વડસર રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીમાં 30 વર્ષિય જીગ્નેશ પ્રવીણભાઈ સોલંકી તેના પરિવાર સાથે રહેતો હતો. અને પાલિકાના વોર્ડ નંબર - 9 માં સફાઇ કર્મચારી તરીકે કામ કરતો હતો. આજરોજ સવારે સફાઇ કર્મચારી તરીકેની ફરજ પુરી કર્યા બાદ તેને સુદામાપુરી હેલ્થ સેન્ટર ખાતે ફાળવેલા કેન્દ્રમાં કોરોનાની વેક્સીન આપવા માટે ગયો હતો. ત્યાંથી વેક્સીન લીધા બાદ 10 - 30 કલાકે જીગ્નેશભાઇને રજા આપવામાં આવી હતી.
જીગ્નેશના ભાઇ ગણેશના જણાવ્યા અનુસાર, કોરોનાની વેક્સીન લીધા બાદ જીગ્નેશ પોતાના ઘરે પરત ફર્યો હતો. પછી 2 કલાકમાં જ જીગ્નેશ પોતાના ઘરે બેભાઇ થઇ ગયો હતો. જીગ્નેશને તાત્કાલિક સારવાર અર્થેસારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કોરોનાની વેક્સીન લીધા બાદ ગણતરીના કલાકોમાં મૃત્યુ થયાનો રાજ્યમાં પ્રથમ સંભવિત કિસ્સો માનવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ બાદ જીગ્નેશના મોતનું કારણ સ્પષ્ટ થશે.
ઘરના મોભીનું મૃત્યુ થતા પરિવાર નોંધારો બન્યો
જીગ્નેશની પત્ની દિવ્યાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આજે વોર્ડ નં-9ની કચેરીથી જ બારોબાર કોરોના રસી મૂકવા માટે લઇ ગયા હતા. રસી મૂકાયા બાદ તેઓ ઘરે પરત ફર્યાં હતા અને ઘરે આવીને સ્નાન કર્યાં બાદ તેઓને અચાનક ખેંચ આવી હતી અને તેમનું બોલવાનું બંધ થઈ ગયું હતું. જેથી તત્કાલિક તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારથી તેઓ કંઇ બોલતા નથી. મારી બે છોકરીઓ છે, એની જવાબદારી કોણ લેશે.
જીગ્નેશને અગાઉ હ્રદયની બિમારી હતી
તબિબિ સુત્રના જણાવ્યા પ્રમાણે, કોરોનાની વેક્સીન લીધા બાદ મૃત્યુ પામેલા જીગ્નેશને ત્રણ વર્ષ અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો. અને શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. જો કે જીગ્નેશના મૃત્યુ પાછળનું સાચુ કારણ પોસ્ટ મોર્ટમ બાદ જ સ્પષ્ટ થઇ શકે તેમ છે.
જુવાનજોધ સ્વજનના મોતને પગલે સ્વજનની તબિયત બગડી
કોરોનાની વેક્સીન લીધા બાદ મૃત્યુ પામનારા જીગ્નેશના પરિવાતમાં ભાઇ, માતા, પત્ની, અને બે બાળકો છે. જેમાં એક બાળકીની ઉંમર 5 વર્ષ અને અન્ય બાળકીની ઉંમર 6 મહિના છે. અચાનક જીગ્નેશના મૃત્યુ થવાને કારણે તેને પરિવાર નોંધારો બન્યો હતો. જુવાનજોધ પરિવારજન ગુમાવવાને કારણે એસએસજી હોસ્પિટલમાં એક સ્વજનને ગભરામણ થઇ હતી. જો કે અન્ય પરિવારજનોની મદદથી તેઓ સ્થિર થયા હતા.
અહિંયા લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઇ ચુક્યું હતું - ડો, રંજન ઐયર
જીગ્નેશનને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં તેને મૃત હાલતમાં સ્વિકારવામાં આવ્યાની નોંધ કરવામાં આવી છે. ભુતકાળમાં જીગ્નેશને હ્રદયની બિમારી હતી. હ્રદયની બિમારી અંગે તેઓએ નિયમિત ચેકીંગ અને ફોલોઅપ નહિ કરાવ્યું હોય તેવું અમારૂ માનવું છે. - ડો. રંજન ઐયર, સુપ્રીટેન્ડેન્ટ - એસએસજી હોસ્પિટલ
વેક્સીન લીધા બાદ મૃત્યુ થયાનો આ સંભવિત પ્રથમ કિસ્સો
સરકાર દ્વારા સ્વદેશી નિર્મિત કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. અનેક તબક્કાઓમાં દેશભરમાં વેક્સીનેશન પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા મિત્ર રાષ્ટ્રમાં પણ વેક્સીનના ડોઝ મોકલાવવામાં આવી રહ્યા છે. તેવા સમયે વેક્સીન લીધા બાદ મૃત્યુ થયાનો આ સંભવિત કિસ્સો હોવાનું મનાઇ રહ્યું છે.